સુખ – શાંતિ .

નયન તરસે એક ઝાંખી , બંધ આંખે નીરખુ શ્રી હરિ .

કદી ન આંખ ખોલુ , બંધ આંખોમાં સમાય   શ્રી  હરિ .

વાયરાની એક મધુર લહેર અથડાય શબ્દો કર્ણપ્રિય .

સંભળાય શ્રી કૃષ્ણ મધુર વાણી, બોધ, ગીતા  ઉપદેશ .

વાયરા સદા વહેતા રહેજો , રોજ લાવજો નવો સંદેશ .

અજ્ઞાની આ જીવ અંધકારમાં, જ્ઞાન રુપી જ્યોત પ્રક્ટાવજો .

જોડુ બે હાથ, નત મસ્તક,હ્રદયમાં પ્રાર્થના પુષ્પો, કરુ અર્પણ .

ઉઠે કદમ,માર્ગ થાય મોકળો,રાહ તો સતસંગની, મંઝિલ પ્રભુને દ્વાર.

જીહવા ગાયે ગુણ ગાન પ્રભુના દિન રાત , મા સરસ્વતી કૃપા.

મનડુ જઈ બેઠુ , શ્રી હરિ સ્મરણ ચિન્તન , થાય લીન .

ઈન્દ્રિઓના ઘોડાની લગામ બની મજબુત, સ્થિતપ્રજ્ઞ યોગી .

નીજાનંદ , પામુ પરમ સુખ-શાંતિ .

1 Comment »

One Response to “સુખ – શાંતિ .”

  1. DR. CHANDRAVADAN MISTRY on 10 Dec 2010 at 7:28 pm #

    વાયરા સદા વહેતા રહેજો , રોજ લાવજો નવો સંદેશ .

    અજ્ઞાની આ જીવ અંધકારમાં, જ્ઞાન રુપી જ્યોત પ્રક્ટાવજો ……………………….
    Nice Rachana !
    The above words from your Rachana are telling a LOT….We as HUMANS are IMPERFECT….we need GYAN JYOT of the DIVINE to be PERFECT !..If this is REALISED in our LIFETIME….DHANYA CHHE AA MANAVA JIVAN !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hema..Thanks for your VISIT/COMMENT on Chandrapukar !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.