દુર્બુધ્ધિ.
રહેલા મેલ અને ડાઘ કર્યા દૂર, દિલ સાફ કર્યુ મે .
આપવા આસન પ્રભુ , તારે લાયક બનાવ્યુ મે .
સંઘર્યા હતાજે, દિલમાં અગણીત રાગ અને દ્વેષ
કર્યા દૂર અવગુણો, તારા ચરણોમાં શીશ નમાવ્યુ મે.
ચંચળ મન આતો ,ફસાય દિલ માયાના બંધનમાં
દિલમાં ભર્યો પ્રેમ અને દયા ,દિલ મારુ સજાવ્યુ મે .
મોહમાયા ન છોડે પીછો , બંધનમાં ફસાય દિલ.
હવે ન ડગ મગે દિલ , સાચો રાહ પકડ્યો મે .
અંધશ્રધ્ધા ને માયાની બેડીઓ તોડીને મે
શ્રધ્ધા – સબુરીથી જીવન સાર્થક બનાવ્યુ મે.
હે દયાસાગર જો કરે દયા તૂ
દુર્બુધ્ધિ તાંડવ થાય શાંન્ત .
1 Comment »
DR. CHANDRAVADAN MISTRY on 14 Jan 2011 at 3:43 pm #
અંધશ્રધ્ધા ને માયાની બેડીઓ તોડીને મે
શ્રધ્ધા – સબુરીથી જીવન સાર્થક બનાવ્યુ મે.
હે દયાસાગર જો કરે દયા તૂ
દુર્બુધ્ધિ તાંડવ થાય શાંન્ત …
Saras !
Liked it !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you to read a Post on Vivekanandji !