નવધા ભક્તિ.
તુલસીદાસ રચિત રામચરિતમાનસમાં ( રામાયણ ) પુજ્ય મોરારીબાપુએ એક પ્રસંગનુ વર્ણન
કર્યુ છે, રામભગવાન જ્યારે શબરીની ઝુપડીમા પધારે છે ત્યારે શબરી તેમનુ સ્વાગત કરે છે
અને પગપ્રક્ષાલન કરે છે અને ખાવા માટે મીઠા બોર આપે છે, અને રામ ભગવાનને કહે છે
હેપ્રભુ, હુ અભણ છુ,મને પ્રાર્થના કે સ્તુતિ કરતાં આવડતુ નથી, ત્યારે રામભગવાન કહે છે મા,આજે
હુ સ્તુતિ કરીશ અને તમે શાભળો, અને શ્રી રામ ભગવાન શબરીમાને નવધા ભક્તિ કહી સંભળાવે છે.
(૧) સંત સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩) ગુરુ સેવા. (૪) કપટ તજીને ભગવદ
ગુણગાન. (૫) મંત્રમા નીષ્ઠા. (૬) અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭) દરેકમાં ઇશ્વરના દર્શન.
(૮) જેટલુ મળે એમા સન્તોષ. (૯) છળ કપટ વગરનુ જીવન.
નવધા ભક્તિના જુદા જુદા પ્રકારમાં કેટલા ઉચા અને ગહન વિચારો અને નિયમ દર્શાવ્યા છે.
આમ ભક્તિ નવ પ્રકારની છે. શબરીએ નવ પ્રકારની ભક્તિ કરી હતી અને અને નવધા ભક્તિથી જ
મોક્ષને પામ્યા. ત્રેતાયુગમા રામભગવાને નવધા ભક્તિ બતાવીને ઉચ્ચ પ્રકારનુ જીવન જીવવા માટે
માર્ગ બતાવ્યો છે, અને નવધા ભક્તિ દ્વારા આપણને ઉપદેશ આપ્યો છે . તેવીજ રીતે દ્વાપરયુગમાં
શ્રી શ્રીક્રિષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપીને આપણને શ્રેષ્ઠ જીવનનો રાહ બતાવ્યો છે . આમ
દરેક યુગમા ભગવાન અવતાર લઈને આવીને આપણને જીવન રાહ બતાવીને ઉચ્ચ કક્ષાનુ જીવન
જીવવા માટે સંકેત કરે છે , આજ્ઞા કરે છે અને ભગવાન આશા રાખે છે તેમના બાળકો જીવન રાહ
પર ભટકી ન જાય , ધર્મ અને શાસ્ત્રોએ બનાવેલા નિયમોને અનુલક્ષીને જીન્દગી જીવે,પસાર કરે .
નવધા ભક્તિ, શ્રી રામ પવિત્ર મુખવાણી છે, અને ભગવદગીતા શ્રી ક્રિષ્ણ પવિત્ર મુખવાણી છે.
શીરડી સાઇબાબાથી લગભગ બધાજ વાકેફ છે, શ્રી સાઇ સતસરિત્રમાં નવધા ભક્તિનુ
વર્ણન આપ્યુ છે, લક્ષ્મીબાઇ તેમના ભક્ત હતાં, નાનપણથીજ સાઇબાબાની સેવા કરતાં હતાં. સાઇબાબાને
પોતાને હાથે ભોજન બનાવીને ખવડાવતાં હતાં, જ્યારે સાઇબાબાએ સમાધિ લીધી ત્યારે લક્ષ્મીબાઇ
તેમની સાથે હતાં અને સાઇબાબાએ નવધા ભક્તિ સ્વરૂપે ચાંદીના નવ સિક્કા લક્ષ્મીબાઇના હાથમાં
આપ્યા હતા . અને તમે મારી નવધા ભક્તિ કરી છે એમ કહે છે. લક્ષ્મીબાઈએ પોતાની આખી જીન્દગી
સાઈબાબાની સેવામાં વીતાવી હતી અને તેના ફળ સ્વરૂપે નવધા ભક્તિનુ વરદાન સાઈબાબાએ
લક્ષ્મીબાઈને આપ્યુ હતુ . સાઈબાબાએ પોતાના ભક્ત ઉપર અસીમ કૃપા કરી. તેમના ગુરુની સેવા
કરીને લક્ષ્મીબાઈ ધન્ય થઈ ગયા . ગુરુ અને શિષ્યનુ એક અજોડ ઉદાહરણ છે !!!
ભગવાન શ્રી રામ અને શબરીમા, ભક્ત અને ભગવાનનુ એક અજોડ અને સદીયો
સુધી ન ભુલાય એવુ અસ્મરણીય ઉદાહરણ છે !!!
2 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 28 Mar 2011 at 6:50 am #
NAVDHA BHAKTI….A Post with a VERY NICE SIMPLE Explanation,
I liked the Post !
The PURITY of the HEART….and the DEVOTION to the SUPREME with the SHRADHDHA is the KEY !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting the Readers to my Blog !
Kedarsinhji M. Jadeja on 16 Jul 2012 at 12:54 am #
એ પ્રસંગ ને લગતું.
ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે…
મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઈ વો મુખ મંડલ મેં, પ્રભુ પ્રેમે પચાતા હે…
ભિખારી જબ ભીખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે કૃપા ના કણ કિ કૃપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે….
ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હે…
રાવન જાને રિપુ રઘુવીર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાણ ચલાકે, જીવન સે મોક્ષ દિલાતા હે…
ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન “કેદાર” હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે…
રચયીતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.