સહાય .
ત્રેતાયુગમાં એક પાપી રાવણ સંહાર કાજે ,
ધર્યો અવતાર મર્યાદા પુરષોત્તમ શ્રી રામ.
કળીયુગમાં તો કરોડો રાવણ મચાવે તાંડવ.
હે દયાળુ શ્રી રામ ક્યારે કરશો અવતરણ ફ્રરીથી ?
જોઈએ અમે તો આતુરતાથી વાટ તમારી .
દ્વાપરયુગમાં મામા કંસના સંહાર કાજે ,
ધર્યો અવતાર યોગેશ્વર શ્રી ક્રીષ્ણ .
કળીયુગમાં તો કરોડો કંસ મચાવે હાહાકાર ,
હે દયાળુ શ્રી ક્રીષ્ણ ક્યારે કરશો અવતરણ ફરીથી ?
જોઈએ અમે તો આતુરતાથી વાટ તમારી .
લાખો અહલ્યાઓ, પીડીત પતિ અને કુટુમ્બ જુલમ.
ચુપ ચાપ સહે જુલમ , બની એક બે જાન પત્થર .
લાખો દ્રોપદીની લુટાય લાજ આજતો , ન કોઈ સહાય .
લાખો સુદામા જીવે મજબુરીમાં , ન કોઈ સહાય .
હજારો પાંડવો આજે પણ ચાલે નિતિ અને ધર્મના માર્ગે .
હજારો વિદુર છે આજે , કરે તમને નિસ્વાર્થ પ્રેમ .
નિતિ અને ધર્મના માર્ગે આવે અનેક અડચણ ને બાધાઓ.
આજે નિસહાય છે અહલ્યાઓ, દ્રૌપદીઓ ,સુદામા ,વિદુર અને પાડવો ! ! !
હે રામ , હે ક્રીષ્ણ તમારા વિના કોણ કરશે સહાય ?
3 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 28 Feb 2011 at 8:31 am #
આજે નિસહાય છે અહલ્યાઓ, દ્રૌપદીઓ ,સુદામા ,વિદુર અને પાડવો ! ! !
હે રામ , હે ક્રીષ્ણ તમારા વિના કોણ કરશે સહાય ?
Hema…BhavBhari Rachana !..The ending Lines tell ALL
Waiting for the TARANHAR in this Kaliyug !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hema your recent visits/comments on my Blog appreciated !Please do revisit !
Pravin Shah on 28 Feb 2011 at 3:48 pm #
આ યુગમાં ખરેખર સહાયની જરૂર છે.
પ્રવીણ શાહ
Ramesh Patel on 01 Mar 2011 at 7:23 pm #
આજના સમયની વેદનાને આપે સરસ રીતે કવિતામાં ઝીલી.
રમેશ પટેલ(આકાશદીપ)