શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.
આજે શિવરાત્રિનો અતિ પાવન અને પવિત્ર દિવસ છે.
શિવ ઉપાસના અને આરાધનાનો દિવસ છે .
પ્રેમથી શિવજીનુ સ્મરણ કરીએ .
ૐ નમઃ શિવાય
ન= નાગેન્દ્રહારાય ત્રિલોચનાય, ભસ્માંગરાગાય મહેશ્વરાય
નિત્યાય શુધ્ધાય દિગંબરાય, તસ્મૈય નકારાય નમઃ શિવાય
( મોટા મોટા સર્પોના હાર પહેરનારા , ત્રણ નેત્રવાળા ભસ્મના
અંગરાગને શરીર પર લગાડનારા મહેશ્વર નિત્ય શુધ્ધ અને
દીશારૂપી વસ્ત્ર વાળા એવા તે નકારાક્ષર રૂપ શંકરને મારા
નમસ્કાર હો . )
મ= મંન્દાકિની સલીલ ચંદન ચર્ચીતાય, નંદીશ્વરઃ પ્રમથનાથ મહેશ્વરાય
મંન્દાર પુખ્ય બહુ પુષ્પ સુપૂજીતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય
( ગંગાના જલયુક્ત ચંદનને ચોપડનારા , નન્દીના ઈશ્વર , પ્રમથના સ્વામી
અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પ અને બીજા વિવિધ પ્રકારના પુષ્પો વડે
પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો )
શિ= શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ , સૂર્યાય દક્ષાધ્વર નાશકાય
શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય, તસ્મૈય શિકારાય નમઃ શિવાય
( કલ્યાણરૂપ, પાર્વતિના વદનરૂપ કમળને ખીલવનારા ,સુન્દર સૂર્યરૂપ
દક્ષના યજ્ઞનો નાશ કરનારા , શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં
વૃષભનુ ચિન્હ છે એવા તે શિકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. )
વ= વસિષ્ઠ-કુમ્ભોદભવ-ગૌતમાય , મુનીન્દ્રદેવારચીતશેખરાય
ચંદ્રાર્કવૈશ્વાનર લોચનાય, તસ્મૈય વકારાય નમઃ શિવાય
( વસિષ્ઠ , અગસ્ત્ય ,ગૌતમ વગેરે મહા મુનિઓએ તેમજ દેવોએ જેમને
માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંન્દ્ર , સૂર્ય અને વૈશ્વાનર અગ્નિરૂપ
ત્રણ નેત્ર વાળા તે વકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો . )
ય= યજ્ઞ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય સનાતનાય
દિવ્યાય દેવાય દિગંબરાય , તસ્મૈ યકારાય નમઃ શિવાય
( યજ્ઞ સ્વરૂપ જટાને ધારણ કરનારા , જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે
એવા સનાતન દીવ્ય દેવ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા યકારાક્ષર રૂપ
શંકરને મારા નમસ્કાર હો . )
( ફલ શ્રુતિ )
પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠોચ્છિવસંનિધૌ ,
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે .
( શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં
પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે . )
4 Comments »
રૂપેન પટેલ on 02 Mar 2011 at 8:28 am #
હેમાબેન સરસ શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર મુકેલ છે . સ્ત્રોત વાંચી મન શિવમય થઇ ગયું .
Ramesh Patel on 03 Mar 2011 at 12:20 pm #
મંગલ ભાવ રમાડતી ,સંસ્કૃતિની સુવાસથી ભરપૂર પોષ્ટ .
રમેશ પટેલ(આકાશદીપ)
DR. CHANDRAVADAN MISTRY on 08 Mar 2011 at 6:13 pm #
શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં
પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે .
Hemaben…
Enjoyed the Post.
Ohm Namo Shivay !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you for the New Post !
Pancham Shukla on 18 Mar 2011 at 9:24 am #
સમજૂતી સાથે મૂકવા બદલ આભાર. ગમ્યું.