આશા-નિરાશા .
આશા અને નિરાશાઓમાં ઉલઝી જીન્દગી .
સુખ અને દુખના તારોથી જોડાઈ જીન્દગી .
હસી- ખુશીના રંગોના છાંટણાથી રંગાઈ .
હર પળ ઝંખના, આશા, ખુશી-આનંદની.
આશા-નિરાશા , સુખ-દુખ એ મનના ખેલ.
સુખ-દુખ એતો કર્મના લેખ , ન તેનો અંત .
ભાગ્યમાં લખ્યુ એટલુ અને નક્કી સમયે પામે.
માગ્યુ કદી મળે નહી , ખાલી થાવુ નિરાશ.
સ્થિતપ્રજ્ઞ બનતાં , સમજાય ભેદ ભરમ .
સ્થિતપ્રજ્ઞ તો મ્હાલે નિજાનંદમાં હરપલ .
ન કોઈ દુખ, આશા- નિરાશા, પરમ શાંતિ .
આનંદ-આનંદ-આનંદ . સત-ચિત્ત-આનંદ.
2 Comments »
શૈલા મુન્શા on 05 May 2011 at 11:05 am #
“માગ્યું કદી મળે નહિ, ખાલી થાવું નિરાશ”
સાવ સાચી વાત. માગ્યું જો મળતું હોત તો દુનિયાનો રંગ કાંઈક અનોખો હોત..
Ramesh Patel on 06 May 2011 at 4:57 pm #
સ્થિતપ્રજ્ઞ તો મ્હાલે નિજાનંદમાં હરપલ .
ન કોઈ દુખ, આશા- નિરાશા, પરમ શાંતિ .
આનંદ-આનંદ-આનંદ . સત-ચિત્ત-આનંદ.
સુશ્રી હેમાબેન,
આપે આ જીવનના સારનો મહિમા ,સરળ રીતે ઉપનીસદની જેમ ગાયો.
આવું કાવ્ય એક એક શબ્દમાં રમે છે..તેને અનુભવવું પડે.
રમેશ પટેલ(આકાશદીપ)