એકરાર .
તારા સુધી પહોચવાના અનેક માર્ગો છે .
બધા અલગ-અલગ પંથનો નિર્દેશ કરે છે .
માનુ છુ હુ એકજ માર્ગે દ્રઢ વિશ્વાસે
આગળ વધવાથી , કદાચ તુ મળી જાય .
હે પરર્માત્મા , તને પામવા નીકળીને
કેટલોય પંથ કાપી નાખ્યો ,
પરંતુ હજી એજ જવાબ મળે છે ,
કે મંઝિલ ઘણી દૂર છે .
ક્યારેક નિરાશામાં અટવાઉ છુ,
લાગે છે આગળ વધવાની હિમ્મત નથી,
પાછા ફરવાનુ મન થતુ નથી ,
હુ ઉલઝનમાં અટવાઉ છુ . પણ
દિલમાં પ્રભુની પ્યારી મુરત વસી ગઈ છે.
તો મંઝિલ દૂર હોવા છતાં, એ પાસે લાગે છે .
મારી અભિલાષા જ મારી તૃપ્તિ બની ,
મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.
ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.
4 Comments »
Ramesh Patel on 22 Jul 2011 at 4:14 pm #
મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.
ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.
…………………..
khuba ja sundar.
Ramesh Patel(Aakashdeep)
ભરત ચૌહાણ on 28 Jul 2011 at 8:31 pm #
સરસ રચના,
અભિનંદન
પ્રા.ભરત ચૌહાણ
ભરત ચૌહાણ on 28 Jul 2011 at 8:41 pm #
Khubaj Saras
vishwadeep on 09 Aug 2011 at 4:18 pm #
મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.
ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે. સુંદર ભાવો.
મન ચલીત છે તેને માનવી કન્ટ્રોલ કરી શકે તો..એ પોતાને મંઝીલ સર કરી શકે.