નવરાત્રિ.

સામાન્ય રીતે આપણા શાસ્ત્રો વેદ પુરાણ વગેરેમાં લગભગ યોગ વિજ્ઞાન

સમાએલુ છે, અને આધુનિક વિજ્ઞાન તેને માનતુ નથી.આધુનિક વિજ્ઞાન

પ્રયોગોને આધારે તેનુ પરિણામ જોઈને પછી તેને માન્યતા આપે અને

તે વસ્તુમાં વિશ્વાસ કરે. જ્યારે યોગ વિજ્ઞાન માણસે જાતેજ પોતાની ઉપર

પ્રયોગ કરીને તેનો અહેસાસ કરવાનો હોય એટલે આપણા શાસ્ત્રોને આધારે પડેલ રિતિ રિવાજો યા તો વાર તહેવાર અને ઉત્સવો ને ન માને. પરંતુ હકિકત તો એ છે, સાસ્ત્રોની દરેક વાતમાં તથ્ય છે અને સચ્ચાઈ પણ છે અને અમુક વખત એ શ્રધ્ધાનો વિષય બની જાય અને ઘણા લોકોને બોલતા સાભળ્યા છે અમે આમાં નથી માનતા.કોઈ પણ વસ્તુ શ્રધ્ધા અને પ્રેમથી કરવામાં આવે તો તેનુ પરિણામ પણ સારુ આવે.

નવરાત્રિના પાવન દિવસોમાં મા શક્તિની અર્ચના  ઉપાસના અને માતાજીની આરાધનાનુ  ખાસ મહત્વ છે.આ દિવસોમાં મા દુર્ગાની આદ્ય શક્તિ પુરા બ્રમ્હાડમાં તિવ્ર બનીને પ્રસરી રહે છે અને આ શક્તિની આપણે નવ દિવસોમાં પ્રેમ અને ભક્તિભાવથી વંદના અને આરાધના કરવાની છે.મા દુર્ગાની  ભક્તિ અને આરાધના આપણે નવ દિવસ ગરબાના રૂપે સમુહમાં એકી સાથે કરીએ છે.

ગરબાની અંદર ત્રણ તત્વો સમાએલા છે, શરીર (સ્થુલ શરીર),આત્મા( શુક્ષ્મ શરીર-આત્મા શુક્ષ્મ શરીરમાં છે) અને ગરબાની જ્યોતની  વચ્ચે જે  અવકાશ રહેલો છે એ છે પ્રાણ તત્વ એને જોઈ શકાતો નથી.    નવરાત્રિ ઉત્સવ માનવજીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ નવ દિવસોમાં આદ્યશક્તિ માદુર્ગાના નવ સ્વરૂપો,    શૈલપુત્રી,બ્રમ્હચારિણી,ચંદ્રઘટા,કુષ્માન્ડા,સ્કંદમાતા,કાત્યાયણી,કાલરાત્રિ,મહાગૌરી તથા સિધ્ધિ રાત્રિની વિધિ વિધાનથી   પૂજા અર્ચના કરીને મનોકામના સિધ્ધ કરી શકાય છે.ભગવાન રામે પણ રાવણ સાથેના યુધ્ધ માટે વિજયના આશીર્વાદ લીધા હતા. મનુષ્ય પણ માતાજીના મંત્રોનો શ્રધ્ધાથી જાપ કરીને  માભગવતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે .

2 Comments »

2 Responses to “નવરાત્રિ.”

  1. માહી on 09 Oct 2011 at 6:43 am #

    હેમા જી
    ખુબ જ સુંદર આલેખન નવરાત્રી વિષે !!
    પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
    હવે વારંવાર આવવાનુ મન થશે.
    ખુબ જ સરસ લખો છો તમે.
    શુભેચ્છા સહ
    માહી

  2. deval on 09 Nov 2011 at 5:13 am #

    wow so nice idea

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.