મન.

 મન એ એટલો   ગહન વિષય છે, તેના ઉપર પુસ્તકોના પુસ્તક લખાય.

અને સાચુ પણ છે.મનને કેન્દ્રમાં રાખીને વેદ, પુરાણ, શાસ્ત્રો લખાયા. મનુષ્ય જીવન માટે મન અગત્યનુ

છે. પરંતુ કોઈનુ મન તરફ ધ્યાન  નથી જતુ.અને ખાસ કરીને આ જે યુગ ચાલી રહયો છે તેમાં તો

ખાસ. મનુષ્ય જીવન આખુ મન ઉપર આધારીત છે, પરંતુ ક્યારેય મન ઉપર વિચાર નથી કર્યો. મનુષ્યને

મન અનેક નાચ નચાવે. પાપ -પુણ્ય, સુખ-દુખ, જન્મ મરણના ફેરા આ બધાનુ કારણ મન છે. મનના ગુણ

છે, સત્વગુણ , રજોગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણોને લીધે ભાવ પેદા થાય છે. ભાવ ઉત્પન થાય એટલે

આપણે વિચાર કરવાના ચાલુ કરીયે અને તેની સાથે મન જોડાય છે, અને આ વિચાર આપણે આચરણમાં

મુકીયે છીયે, એટલે તે કર્મ બને છે. સત્વગુણ વધારે હોય તો  સત કર્મો થાય અને તેને લીધે પુણ્ય કર્મોનો

સંચય થાય.સત્વગુણના ભાવો છે , દયા , ધર્મ, અહિસા, પ્રેમ , ક્ષમા, ઉદારતા. સત્વગુણમાં સદગુણો હોય છે. જ્યારે તમો ગુણ વધારે હોય તો ત્યારે ખરાબ કર્મો વધારે થાય, અને તે પાપ કર્મોનો સંચય

કરે છે.તમો ગુણના ભાવો છે, કામ , ક્રોધ , મદ, મોહ, લોભ ,  ઈર્ષા , દ્વેષ , અહંકાર , કપટ. એટલે આ બધા

ભાવોથી થતા કર્મો  તે પાપ કર્મો છે. રજોગુણ એ મદદ કર્તા છે. રજોગુણનો ભાવ રાગ છે, રાગ એટલે

લગાવ.આમ સારા કર્મો અને ખરાબ કર્મો, આ બન્નેને લીધે પાપ પુણ્યના કર્મ બીજ બને છે, અને તેને

રાગ અને દ્વેષ પોષણ આપે છે, અને તે કર્મો ફુલી ફાલીને મોટા થાય છે, અને તેનો જથ્થો વધતો જાય

છે.

       મનના પ્રકાર છે ચાર.

( ૧ ) મનન કરે ત્યારે મન.

( ૨ )ચિન્તન કરે ત્યારે ચિત.

( ૩ )નિર્ણય કરે ત્યારે બુધ્ધિ.

( ૪ )અભિમાન કરે ત્યારે અભિમાન.

મન એ શુક્ષ્મ શરીરનો વિભાગ છે, એટલે એને બે વિભાગ છે.

( ૧ )બાહ્ય મન.

( ૨ )અંર્તરમન.

બાહ્યમન વિષયો શોધે છે, ઈન્દ્રીયોના વિષયો શોધીને અંર્તરમનને મદદ કરીને જોડાણ કરી આપે

છે, અને બુધ્ધિ તેને જજમેન્ટ કરે છે. અને કર્મબીજ ફ્લીત થાય છે. અને વિચાર્યુ હોય તે કાર્ય કરવા

માટે  તૈયાર થઈ જાય. આપણુ મન  શુક્ષ્મ શરીરમાં રહેલુ છે. મન સાથે ઈન્દ્રીયો જોડાયેલી છે. મન

શાંન્ત થાય તો ઈન્દ્રીયો કાબુમાં આવે તો આગળ વધારાના કર્મો થતા અટકે. ધ્યાન અને પ્રાણાયમથી

સાધના કરવાથી , મન કાબુમાં આવે એટલે કર્મો બળી પણ જાય છે,  અને સાધક માટે મોક્ષના દ્વાર પણ

ખુલ્લા થાય છે. મનનુ આત્મા સાથે જોડાણ તે યોગ છે. અને આ યોગ દ્વારાજ પરમતત્વને પામવુ શક્ય છે.

        આમ મન કર્તા ભોક્તાનુ કેન્દ્ર છે. મન કર્મોમાં વધારો કરે છે ,  મન માણસને જન્મ – મરણના ચક્ર્માં

ફેરવે છે. મન જ જીવનમાં બધુ કરાવે છે. મન ચંચળ છે, જલદી કાબુમાં ન આવે. છતાં પણ જીવનમાં

કોઈ પણ વસ્તુ અશક્ય નથી. મનને પણ યોગ સાધનાથી કાબુમાં લાવી શકાય.

1 Comment »

શ્રી હરિ.

 (  હસીત પટેલે ક્યાંક આ રચના વાંચી હશે, તે મોક્લાવેલી છે,  પસંદ આવી એટલે અહીયાં રજુ કરુ છુ. )

નજર કરુ ત્યાં નારાયણ,  હાથ ધરુ ત્યાં હરિ.

પગ મુકુ ત્યાં પુરુષોતમ ઘર, એ ઘરમાં હુ ઠરી.

હૈયા દુબળી હુ ને પાછી, મોઢે મોળી ખરી.

દીવો પ્રગટ્યો ત્યાંતો ટવરક – ટવરક વાતુ કરી.

ઘંટી, પાણી, વાસીદુ ને ચુલો ઘરવખરી.

જ્યાં જ્યાં કામે લાગુ, ત્યાં ત્યાં મંદિરને ઝાલરી.

ભવ ખેતરને ખેડી રાખ્યુ, કુવો કાંઠા લગી.

મેતો વાવી જાર, પાક્યાં મોતી ફાટુ ભરી !!!

1 Comment »

માયા જાળ.

મહામાયા રચે માયા જાળ,  માયા જાળમાં ફ્સાય માનવી.

સંસારી આ જીવ તો મુઝાય વારંવાર, ઉઠે એનેક સવાલ.

કરુ પ્રેમ પ્રભુને ? કે કરુ પ્રેમ મારા પરિવારને ?

જ્યાં કરુ ધ્યાન એકનુ ,  બીજાનુ છુટી જાય .

કરવુ જતન બંન્નેનુ , એતો અતિ મુશ્કેલ કામ.

લીધો જન્મ ધરતી પર, વ્હાલા લાગે માત-પિતા.

આવી જવાની, પ્યારુ  લાગે મિત્ર મંડળ.

સપ્તપદીના ફેરા લીધા, કર્યો પ્રેમ ભરપુર .

ફુલ સમા માસુમ બાળ, ઠાલવ્યો હેતનો દરિયો.

ધનનો ચઢ્યો નશો , દોડ્યા પૈસા પાછળ .

પ્રવેશ્યા વનમાં,  વ્હાલા લાગે પૌત્રો , પૌત્રી.

ખબર છે, ઈશ્વર છે આ જગમાં, માયા લાગે પ્યારી.

જેના થકી આવ્યા આ જગતમાં, ક્યાં વખત છે? તેના માટે.

1 Comment »

સમય.

નિર્બલ અને પામળ બને માનવી, સમય અતિ બલવાન.

મનુષ્ય જીવન ચાલે સમય ચક્ર સાથે, અતિ તેજ.

સમયની રફતાર સાથે જે ન ચાલી શકે, ન જોવે રાહ,

બાજુ પર ફેકીને, ચાલી જાય સમય આગળ – આગળ.

નથી કદર જેને સમયની,  મુશ્કીલ ભરેલ રાહ તેની.

બને સફળ, કરે જીવન ઉજ્વળ, ચાલનાર સમય સાથે.

ગઈ કાલ અને આજની ન કોઈ ફીકર,

આવનાર સમયની કરે ફીકર હમેશાં.

આવનાર સમય ન જાણે કોઈ, વ્યાકુળ મન ન સમજે.

રાજા બને રંક, રંક બને રાજા,સમય અતિ બળવાન.

સમય છે ક્ષણીક,  કામ છે અનેક જીવનમાં.

સમયની એક ઉજ્વળ તક ઉપાડતાં, જીન્દગી બને સરળ.

સમય તો હર પળ બદલાય, એતો કામ એનુ ચાલતા રહેવુ.

સમયની ગતિ સાથે ચાલે જન્મ મૃત્યુ , ન રહે બાકાત કોઈ.

No Comments »

એક ક્ષણ.

વર્ષો વીત્યા, મહીના વીત્યા, વીત્યા દિવસો,

વીતી અનેક પળો,  અનેક ક્ષણો.

એક ક્ષણની ઝંખના, મળે એવી એક ક્ષણ.

ઈશ્વરે આપી અનેક ક્ષણો, ન રહે મન તેમાં,

ચંચળ મન ચારો તરફ ફરે, વિચારોના વમળ.

ન રહે લીન એક ક્ષણ ઈશ્વરમાં, માયાના બંધન.

મન કરે લાલસા, મનને મોટી તૃષ્ણા,કરાવે પાપ-પુણ્ય.

મન કરાવે કર્મોના બંધન, જન્મ મરણના ફેરા.

અંર્ન્તરમુખ થતાં, અંનર્તરધ્યાન થઈ, મન બને શાંન્ત,

ત્યાં મળી જાય અનેક અણમોલ ક્ષણો, પરમ શાંન્તિ.

પર્માત્મામાં લીન.

1 Comment »

ગુરુ વંદના.

       આજે ગુરુ પુર્ણિમા બહુજ પવિત્ર દિવસ.

પ્રથમ જગદગુરુ શ્રી ક્રિષ્ણને વંદન જેઓએ ગીતાનો ઉપદેશ આપી,

માનવજાતને જ્ઞાન આપીને જીવન જીવવાનો રાહ બતાવ્યો.

 સદગુરુ શ્રી શીર્ડી સાઈબાબાને કોટી કોટી વંદન.

वो तो मेरे गुरु ही है

भव बंधनसे मुक्त कराये, भव सागरसे पार लगाये.

ऐसा कोन करे मेरे साई,  वोतो मेरे गुरु ही है.

अज्ञान अंधेरा दुर भगाए ज्ञानकी ज्योति उरमे जगाये.

ऐसा कोन करे मेरे साई,  वोतो मेरे गुरु ही है.

सात सुरोका भेद बताये, संतोका उपदेश सुनाए.

वोतो मेरे गुरु ही है.

गुरु चरननमे शीश नमावु, नित्य गुरुकी महिमा गाउ.

गुरुपुर्णिमाए आशिष पाउ, जीवन अपना सफल बनाउ.

ऐसा कोन करे मेरे साई,   वोतो मेरे गुरु ही है.

2 Comments »

મુઢ મતિ.

હર શ્વાસમાં સમાય તુ,  તુજ  થકી હર શ્વાસ.

હર ધડકનમાં સમાય તુ,  તુજ  થકી હર ધડકન.

પળ પળ તારા વિના વ્યાકુળ,  હર પળ ઝંખે મન.

નજર પ્યાસી ઝંખે એક ઝાંખી, કર્ણ ઝંખે ગુણગાન તારા.

તુજ વિણ ન રાત દિન,  તુજ વિણ ન કોઈ જીન્દગી.

પડે વિપદા, મારુ જ્યાં હાંક તુ આવે દોડી,રાખે સંભાળ.

હર પળ સાથે રહે, દિલમાં તારો નિવાસ, શોધુ દુનિયામાં.

જડ ચેતન સર્વમાં સમાયેલ તુ, પામી શકુ ન તુજને હુ.

તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.

જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.

5 Comments »

સ્વપ્ન.

સપનામાં દુનિયા ભાસે રંગીન, થાય અતિ આનંદ અને સુખ.

તો ક્દીક  ભાસે ભયંકર, નીરસ,  થાય અતિ દુખ અને દર્દ.

નીન્દ્રામાં બંધ આખે જોયા સપના, ખટ મીઠા,  ખોટો ભ્રમ.

જાગૃતિમાં ખુલી આખે જોયા સપના, સાકાળ કરવાની કોશીશ.

સ્વપ્ન જોઈને મુકીએ અમલમાં, ત્યારે થાય સિધ્ધ સાકાળ.

સ્વપ્ન સાકાર થતા,  જીવન બને ઉજ્વળ  અને સફળ.

હર પળ સ્વપ્નમાં રાચી,ન મુકીએ અમલમાં તો બને શેખ ચલી વિચાર.

નીન્દ્રામાં જો થાય પ્રભુ દર્શન, તો સ્વપ્ન બને યોગ નીન્દ્રા.

ભોગ નીન્દ્રા પામે સૌ,  યોગ નીન્દ્રા પામવુ  અતિ કઠીન.

1 Comment »

અરમાન.

રેતીમાં ચલાવી વહાણ, લાંગર્યા ઝાંઝવાને નીર.

ખેડ્યા ઉચા ડુન્ગરા,  શોધ્યા હિરા માણેક.

ખોબલે ઉલેચ્યા સાગર, મોતિ ભર્યા છાબ.

હિરા, માણેક, મોતિ,   ભર્યા મોટા વહાણ.

નદીયોના નાથ્યા નીર, બાંધ્યા ઉચા મંન્દિર.

રંગ બે રંગી ફુલડા તોડી, સજાવ્યા મંન્દિરીયા.

હિરા, માણેક ને મોતિ,  ધર્યા પ્રભુ ચરણ.

તોડ્યા આકાશના તારલીયા, જડ્યા મેઘધનુષ મહી.

ચાંદ સુરજ  ધરતી પર લાવીને,  ભર્યા રંગ ઉપર.

ચાંદ, સુરજ, તારલીયા,મેઘધનુષ, ઉતાર્યુ સ્વર્ગ ધરતી પર.

1 Comment »

તૃષ્ણા.

અશ્રુ  ભર્યા  નયન,  પ્યાસ રહે નયન હમેશાં.

છલકાય પ્રેમ દિલમાં,  હ્રદય પ્યાસા પ્રેમના.

મીઠા વહે નીર સરિતા, પ્યાસી સાગર મિલન.

કસ્તુરી ભરી નાભી,  વન વન ભટકે  મૃગ.

ચાંદની શીતળ મધુર,  પ્યાસી સુરજ કિરણ.

સૌન્દર્ય ભર્યુ નીજ રુપ, શોધે કાચના ટુકડામાં.

હ્રદય  બિરાજમાન  શ્રી હરિ, મનવા ભટકે મંન્દિર મંન્દિર.

આત્મા, પર્માત્માનો અંશ, તૃષ્ણામાં  ભટકે જનમો જનમ.

2 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.