સ્વાગતમ-૨૦૧૩

                         Wish you Happy New Year

                         નવું વર્ષ સૌના માટે સુખ શાંતિ 

                                      કલ્યાણકારી

                                       મંગલમય

                                         બની રહે.

1 Comment »

નીજ લીલા.

ગજબનો આ રંગારો,અજબ રંગ મીલાવ્યા.

ભરી રંગપ્યાલી ચિતારે પીછી એક ફેરવી

જંગલ-વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ

રંગના ટપકામાંથી ફૂટી નીકળ્યા પહાડ

પીછી ખંખેરી ત્યાં ખીલ્યાં રંગબેરંગી ફૂલો

મારી એક ફુંક ત્યાં ફેલાયા સાત સમુંદર

વાદળ લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ

પલક ઝબકાવી ત્યાં બની આ સૃષ્ટિ રંગીન

રંગના એક એક ટપકે ટપકે  નીજ લીલા

આતો એની રમત, ખેલવા ચિતરે વારંવાર.

1 Comment »

(૧) અદભુત નયન,(૨) તારી યાદ(૩) ઝાક્ળ બિંદુ(૪) અતિત.

 

             (૧)
     અદભુત નયન
ઉષમા ભર્યા રે આ નયન,
ઉના પાણીના અદભુત નયન.
એમાં ભર્યા હ્રદયના ભેજ,
એમાં ભર્યા આતમના તેજ.
સાતે સમંદર  એના પેટમાં,
એમાં મીઠા જળના ઉંડા કુવા.
સપનાં આળોટે એમાં મોટી આશા,
એમાં મનનો ચોખ્ખો આયનો,
બોલે દિલની સાચી મુગી વાણી.
જલના દીવા જલમાં ઝળહળે.
કોઈ દિન રંગ અને  વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ.
 
                  (૨)
             તારી યાદ
 
ક્યાંક નદીઓની ઉદાસી કિનારે પડી છે
ક્યાંક તારી યાદોની મોસમ વહી રહી છે
ઝાંઝવાના નીરીની કથા વચ્ચે તૂ વસે છે
ધરતી પર તરસ્યાં ત્યાં મેઘા ઉચે ચડી છે
પંખીના કલરવ જેવી એક ઈચ્છા સળવળે છે
ઘાયલ દિલ! આ કેવી વીરહની એક પળ છે
જ્યાં એકાંતે આવી છે સાજન તારી યાદ
મારા સુવાળા એ દિવસોની એ સુખદ પળો
કહેવાય છે જીન્દગી એ હવે અહી અટવાઈ છે
લાગણીના એ પ્રવાહો ક્યાં વહી ગયા હવે
ખળખળ વહેતાં શીતળ ઝરણાં બુઝે ન પ્યાસ.
 
                  (૩)
             ઝાકળ બિંદુ
 
સુખ તો એવુ લાગે  જાણે ઝાકળ બિન્દુ
           કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી
આંખ ખોલુ તો એક તેજ કિરણ
            ને  આંખ મિચુ  તો અંધારી રાત
ખુલવામાં અને મિચવામાં
            આ  તો   આપણી છે જાગીર
એક પળમાં વહેતાં ઝરણાં જેવી રામ કહાણી
             ટહુકો  છલકે નભમાં એટલો  તો કલરવ
સૂના રસ્તા ઉપર સાંજનો પથરાયો પગરવ
                   આછા આ અંધારા સૌને લેતા ઘેરી.
 ઘેરાઈ નીંદર નયન પડર ખોલ બંધ 
                  ભાસે સુખમય સપનાની દુનિયા.
 
                      (૪)
                    અતિત
 
ન વાગોળો આમ અતિતને,દુખ સિવાય કંઈ નમળે ત્યાં.
ન ફરક પડે કોઈ આજે,  થાય ખોટો સંતાપ અને ઘુટન.
અતિત  હતુ દુખી કે હતુ સુખમય,  ખાલી એનો બળાપો.
અતિતતો એક શમણુ, આંખ ખુલે ત્યાંઆલોપ, ખોટો ભ્રમ.
અતિતતો ના આજન્મનુ,ભવોભવના લઈને ફરીયે સાથે.
ક્યાં હિસાબ રાખવો સુખ-દુખનો,અતિતના મોટા ભારા.
ક્યાં ઉચક્વા ભારા,  ભારા માથે લઈને ન ફરીયે.
આજે ન કોઈ મહત્વ  અતિતનુ, કાલનુ વિચારીયે.
ઉજ્વળ બની ઉભી છે આવતી કાલ,સુંદર-સુન્હેરી.
આવતીકાલને વિચારીયે, બનીને ઉર્ધ્વગામી.
ઉર્ધ્વગામી બની, આંબીયે ઉચાઈના એ શિખર.
ઉચાઈના એ શિખરતો , અંતિમ લક્ષ્ય આપણુ.
   
              
 
 
 
 
 

 
  

No Comments »

એકલતા.

આસમાનમાં સાથે ઉડવાની ઝંખના

તને મળ્યુ ઉડવા ખુલ્લુ આસમાન

ભરી ઉચી ઉડાન, લઈને આતમ પંખ

અહીયાં ધરતી પર મજબુર, લાચાર હું 

વ્યાકુળ પ્યાસી નજર    આસમાનમાં

દીશાઓ ખાલી પડી,રસ્તા પડ્યા ખાલી

ઘરના આંગન સુના, સુના ઓરડા

ખાલી-ખાલી  આ સુની-સુની જીંદગી

હ્રદય ચીરતી એકલતા ને ખાલીપો

વહેતા અશ્રુના બંધની તુટી દિવાલો

અશ્રુના પુરમાં વહી ગયું મારું આયખુ.

વિરહના વિષમ દર્દથી તડપતુ મારૂ હૈયુ

સુન્ય ભાસે સઘળુ, રંગ હીન સારી સૃષ્ટિ.

No Comments »

શ્રી ગણેશ સ્તુતિ.

પાહી પાહી ગજાનના , પાર્વતિ પુત્ર ગજાનના

ગજાનના,ગજાનના, ગજાનના જય ગજ વદના.

મૂશક વાહન ગજાનના,વિઘ્ન વિનાશક ગજાનના

ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના.

મોદક હસ્તા ગજાનના, શ્યામલ કરણા ગજાનના

ગજાનન,ગજાનના,  ગજાનના જય ગજ વદના.

શંકર સુમના ગજાનના, વેદ વિનાયક ગજાનના.

ગજાનના,ગજાનના, ગજાનના જય ગજ વદના.

No Comments »

શ્રી ગણેશ વંદના.

ગાઈએ ગણપતિ જગ વંદન

શંકર સુમન ભવાની કે નંદન.  ગાઈએ ………

રિધ્ધિ સદન ગજવદન વિનાયક

કૃપા સિંધુ સુંદર સબ દાયક.  ગાઈએ ……….

મોદક પ્રિય મુદ મંગલ દાતા

વિદ્યા વારીદી બુધ્ધિ વિધાતા.  ગાઈએ ………..

માગત તુલસીદાસ કર જોરી

બસ હુ રામ સીય માનસ મોરી.

ગાઈએ ગણપતિ જગ વંદન.

No Comments »

શ્રી ગણેશ ધૂન.

સ્વાગતમ ગૌરી સૂતમ, સ્વાગતમ શીવ નંદનમ

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગણનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……..

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ લંબોદરમ.     સ્વાગતમ ગૌરી સુતમ ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મોદકપ્રીયમ.  સ્વાગતમ ગૌરી સુતમ ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિશ્વનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ  ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વરદાયકમ.   સ્વાગતમ ગૌરી સુતમ ……..

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મુક્તિદાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ સુખદાયકમ.   સ્વાગતમ ગૌરી  સુતમ ……

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગજાનનમ.    સ્વાગતમ ગૌરી સુતમ …….

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિઘ્નનાશકમ.  સ્વાગતમ ગૌરી સુતમ …….

No Comments »

અવર્ણવાદ, અપરાધ, અવિનય.

કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહી ચીતરવું પણ ઉંધું ચીતરવું, એ અવર્ણવાદ! જેમ છે તેમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધુંજ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.કોઈ પણ માણસમાં થોડું સારું હોય કે ના હોય ને થોડું અવળું પણ હોય છતાં એનુ બધુંજ અવળું બોલીએ ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય.અવર્ણવાદ એટલે આપણે એનુ જાણીએ, એની અમુક બાબતો જાણીએ છતાંય એની વિરુધ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી એવા ગુણોની બધી વાત કરીએ તો બધા અવર્ણવાદ. વર્ણવાદ એટલે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી તે બોલવું. અને આ મોટામાં મોટી વિરાધના કહેવાય. મોટા માણસો જે અંતરમુખ થયેલ છે તેના માટે બોલીએ તો એ અવર્ણવાદ કહેવાય અને સામાન્ય માણસો માટે જ્યારે ખોટું બોલાય તો તે નીંદા છે.

વિરાધના વાળો માણસ ઉંધો જાય, નીચલી ગતીમા જાય, અને અવર્ણવાદ તો, પ્રતિક્રમણ કરે એટલે વાંધો ન આવે. કોઈનુ અવર્ણવાદ બોલે અને પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય.

માણસ આરાધના કરતો હોય તો ઉંચે ચઢે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે પરંતુ અપરાધ કરતો હોય તો બંને બાજુ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહી અને કોઈને આગળ વધવા ના દે, એ અપરાધી કહેવાય. વિરાધના એ ઈચ્છા વીના થાય અને અપરાધ ઈચ્છાપૂર્વક થાય. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે.

નીંદા એ વિરાધના ગણાય. કોઈની નીંદામાં ના પડવું, કીર્તન ના કરાય તો વાંધો નહી પરંતુ નીંદા ના કરાય. જબરજસ્ત નુક્સાન જો કદી આ જગતમાં હોય તો નીંદા કરવામાં છે. એટલે કોઈનીય નીંદા કરવાનું કારણ  ના હોવુ  જીઈએ. અહિયાં નીંદા જેવી વસ્તુ જ ના હોય આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું સાચું શું ખોટું ? ભગવાન કહે છે કે ખોટાને ખોટું જાણ  અને સારાને સારું જાણ. પરંતું ખોટું જાણતી વખતે એના પર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ, અને સારું જાણતી વખતે એના પર કિંચિતમાત્ર રાગ ના રહેવો જોઈએ. જ્ઞાનીની પાસેજ  સમજાય.

કઠોર ભાષા નહી બોલવી જોઈએ,  ૠજુ એટલે સરળ વાણી અને મૃદુ એટલે નમ્રતાવાળી ભાષા-વાણી.અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય એટલે સરળ અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું  અને એવી શક્તિ માગવી.કઠોર ભાષા બોલતા હોય એ અહંકારી હોય.તંતીલી ભાષા એટલે સ્પર્ધામાં જેમ તંત હોય એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે, એ તંતીલી ભાષા બહુજ ખરાબ હોય. કઠોર અને તંતીલી ભાષા બોલાય નહી. ભાષાના બધાજ દોષો આ બે શબ્દોમાં આવી જાય છે. હમેશાં શુધ્ધ વાણી બોલવાની શક્તિ, સ્યાદવાદ વાણી( કોઈને દુખ ના થાય એવી વાણી ) બોલવાની શક્તિ, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિ ભગવાન પાસે માગવી જોઈએ.

( શ્રી દાદાભગવાન )

No Comments »

સ્યાદવાદ વાણી, વર્તન, મનન.

 

 

સ્યાદવાદનો અર્થ એવો કે બધા કયા ભાવથી, કયા વ્યુ પોઈન્ટથી કહે છે એ આપણે જાણવું જોઈએ.

સામાનો વ્યુ પોઈન્ટ સમજીને અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનુ નામ સ્યાદવાદ. એનાં વ્યુ પોઈન્ટને દુખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનુ નામ સ્યાદવાદ વાણી. સ્યાદવાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય તોયે સ્યાદવાદ વાણી કોઈની પ્રકૃતિને હરકત ના કરે.

સ્યાદવાદ મનન એટલે વિચારણામાં, વિચાર કરવામાં કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવવું જોઈએ. વર્તનમાં તો ના જ હોવું જોઈએ પણ વિચારમાં, પણ ના હોવું જોઈએ. બહાર બોલો એ જુદુ અને મનમાં પણ એવા સારા વિચાર હોવા જોઈએ કે સામાનું પ્રમાણ ના દુભાય એવા.કારણ કે મનમાં જે વિચારો હોય છે એ સામાને પહોચે છે.દરેકનુ એના પ્રમાણમાં સાચું હોય એટલે દરેકનુ જે સ્વીકાર કરે છે એનુ નામ સ્યાદવાદ. એક વસ્તુ તેના ગુણધર્મમાં હોય પણ આપણે એ અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ તે ખોટું છે. સ્યાદવાદ એટલે દરેકનુ પ્રમાણ પૂર્વક સ્વીકાર્ય.

જેટલા પ્રમાણમાં સત્ય હોય એટલા પ્રમાણમાં સત્ય હોય એને કહે છે અને બીજા જેટલા પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે છે. ભગવાનનું સ્યાદવાદ એટલે કોઈને કિંચિત માત્ર દુખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય. એટલે એ સ્યાદવાદ માર્ગ એવો હોય, દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે તમારા દોષો  કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહી. અને તે તમારી બુધ્ધિ દોષિત દેખાડે છે કે આણે ખોટું કર્યું.

( શ્રી દાદાભગવાન )

 

No Comments »

ભારત મેરા દેશ.

આપને કભી ભારત કે નકશે કી તરફ દેખા હૈ ?

વો કોઈ ભૂમિકા ટુકડા નહી,વોતો જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ.

દિલ્લી જીસકા દિલ હૈ,પશ્ચિમ ઔર પૂર્વિ ઘાટ દો વિશાલ જીન્ગાહ હૈ.

પંજાબ ઔર બંગલા દો ભુજા હૈ, સાગર જીસકે ચરન ધુલાતા હૈ.

એ અર્પણકી ભૂમિ હૈ, તર્પણકી ભૂમિ હૈ, અભિનંદનકી ભૂમિ હૈ.

ઈસકા કણ-કણ શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ.

હમ મરેંગે ઈસકે લીયે,  હમ જીએંગે ભી ઈસકે લીયે

ગંગામે બહેતી હુઈ હમારી હડીયોંસે સુનેંગે તો ઈસમેંસે

આવાજ આએંગી  ભારત માતાકી જય !

 

( અટલ બિહારી બાજપાઈ )

 

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.