Archive for December, 2011

તણાવ.

 

શાસ્ત્રોમાં બતાવેલ એક ભારતીય નારીના બધાજ ગુણો રીનામાં ભરેલા છે.અને તેના આ

ગુણોને લીધેજ આજે એન્ઝાયટીથી પીડાઈ રહી છે. અને તેને લીધે હાઈ બ્લડપ્રેશર,

 કોલોસ્ટ્રોલ,એસીડ રીફ્લેક્ષ બધાજ રોગો તેના શરીરમાં ક્યારે પ્રવેશીને ઘર કરી ગયા તેની તેને ખબર ના પડી.

આજે એકદમ સુખી દેખાતી રીના બિમારીથી પીડાઈ રહી છે.આ બિમારીએ તેને બિસ્તર નથી પક્ડાવ્યો પરંતુ

માનસિક રીતે અસ્વસ્થ છે.

બધાજ કામે ગયા અને ઘરે એકલી બેઠી હતી અને વિચારોમાં ખોવાઈ અને અતિતની દુનિયામાં ચાલી ગઈ.

પ્રભુતામાં પગલાં માડ્યાં અને આજે પરણીને સાસરે આવી અને પહેલે દિવસે સવારે છ વાગે ઉઠીને નીચે

આવી.નીચે આવી સાસુમાને પગે લાગી અને જય શ્રી કૃષ્ણ કહ્યા,વળતાં જય શ્રી કૃષ્ણ સાંભળવાનુ ના મળ્યુ.

સામેથી સાસુમા ગુસ્સામાં બોલ્યાં ” આ ઉઠવાનો સમય છે ? મારા ઘરમાં આ બધુ નહી ચાલે, દરોજ સવારે

વહેલા ચાર વાગે ઉઠીને નીચે આવવાનુ “.

રીના તો ચોકી ગઈ તેણે આ જાતની ભાષા અને આ જાતનુ વર્તન ક્યારેય નથી જોયુ. માતો તેને હમેશાં

પ્રેમથી ઉઠાડતી, રીના માના શબ્દો યાદ કરવા લાગી ” બેટા રીના ઉઠો સવાર થઈ ગયુ,પાછુ તારે કોલેજ

જવાનુ મોડુ થશે ” રીના વિચારવા લાગી ક્યાં મારી માના પ્રેમ ભર્યા શબ્દો અને ક્યાં આ સાસુમાના આક્રોશ

ભર્યા શબ્દો. રીનાનો પતિ દિલ્લીમાં રહે, લગ્ન પછીથી એક વર્ષ સુધી સાસુમાએ પતિ-પત્નિને અલગ

રાખ્યા. એક વર્ષ પછી રીનાને દિલ્લી જવાની પરવાનગી મળી, રીના મનમાં વિચારે આતો સાસુમા છે

કે કોઈ જલ્લાદ ? પતિ-પત્નિને પણ સાથે નથી રહેવા દેતા. છતાં પણ રીના મન મનાવી લેતી, સાસુમા

છે ને ભલે બોલતાં.

પતિ સાથે દિલ્લી આવી બે વર્ષ બરાબર ચાલ્યુ પછીથી પતિનો ત્રાસ ચાલુ થઈ ગયો. રીના મુગા મોઢે

બધુ સહન કરતી, ક્યારેય સામે જવાબ ન આપે. રીનાએ જેટલુ સહન કર્યુ તેટલી તેના પતિની માર ઝુડ

ગાળા ગાળી વધી ગઈ, અત્યાચાર અને જુલમ વધતો ગયો. રીના તેનો પત્નિ ધર્મ બરાબર બજાવતી.

ક્યારેય પતિ સામે કોઈ શીકાયત નહી, ન કોઈ ફરિયાદ, ના કોઈ વસ્તુની અપેક્ષા. પતિના લાંબા આયુષ્ય

માટે જાત જાતના વ્રત અને તપ કરતી. અસલી ભારતીય નારી પોતાની ફરજ, પરિવાર તરફનો પોતાનો

ધર્મ ક્યારેય ન ચુકે. રીના, પતિ અને પતિના પરિવારને માટેજ જીવે છે. પોતાની જાત પ્રત્યે ક્યારેય ધ્યાન

નથી આપ્યુ.

વિચારોમાં હતી અને તેની બેનનો શિકાગોથી ફોન આવ્યો, અને રીના જાગૃત થઈ અને અસલી દુનિયામાં

આવી. બેન સાથે થોડી વાત ચીત કરી ફોન મુક્યો. આજે વીસ વર્ષથી રીના અમેરિકામાં રહે છે. તેની સાથે

તેને ત્રાસ આપવા વાળુ કોઈ નથી.એક દિકરો અને દિકરી,પ્રેમાળ વહુ અને જમાઈ, પૌત્રો.પૌત્રી. હવે જીવનમાં

કોઈ દુખ નથી,કોઈ બોલવા વાળુ નથી. પતિ પણ તેને છોડીને સ્વર્ગે સીધાવ્યો છે.દિકરો  આજ્ઞાકારી અને

સમજ્દાર, જે જ્યારે પંદર વર્ષનો હતો, પિતાના પોતાની મા પરના અત્યાચાર જોઈને બોલતો મમ્મી તૂ

કયા જમાનાની છુ ? આવા માણસને છોડીને ચાલી જા. રીનાને તેના કોઈ વાંક વીના પતિનો ત્રાસ હતો.

રીના દિકરાને કહેતી બેટા હુ ક્યાં જાઉ આ જ મારી દુનિયા છે.

પતિના અત્યાચારથી કંટાળેલી રીના ભગવાનને પ્રાર્થના કરતી અમને બેમાંથી એકને લઈલે. હવે હદ આવી

ગઈ છે, સહન નથી થતુ. આવા કજીયા કંકાસ વાળા વાતાવરણમાં રહીને રીનાનો સ્વભાવ બદલાઈ ગયો હતો

ગરીબડી ગાય જેવી રીના, તદન ઓછુ બોલવુ, સહન શક્તિની મુર્તિ, તેને હવે ચિન્તા, ફિકર, વિચારોમાં ખોવાએલુ

રહેવુ, કોઈ પણ કામ હોય તો ચિન્તિત થઈ જાય. તેના પતિની આદત હવે તેનો સ્વભાવ બની ગયો હતો. માર ઝુડ

વીના તેને કંઈ દેખાતુ ન હતુ. ઘરમાં કજીયા કંકાસ વાળુ વાતાવરણ થઈ ગયુ  હતુ.

હવે ત્રાસ આપવાવાળો પતિ નથી રહ્યો પરંતુ તેના સ્વભાવને લીધે જે બિમારીઓ આવી છે તેનુ શુ ? રીના વર્ષોથી

શાંતિ શોધે છે.ગાડી બંગલા,સુખ વૈભવ બધુ જ છે.મનની શાંતિની શોધમાં છે. તે હમેશાં વિચારે છે જીવનમાં હુ દુખી

કેમ થઈ ? અને એનો જવાબ તેની અંદર બેઠેલો આત્મા આપે છે, તારા સ્વભાવના કારણે તુ દુખી થઈ હતી.

સ્વભાવને જમાનાને અનુરૂપ અને સમયને અનુલક્ષીને બદલવો પડે.

” એટલે ‘ ?

મને આત્માએ ફરી પ્રશ્ન પુછ્યો,” તે જે દુખો વેઠ્યા તેને સૌ સંતાનોએ જોયા છે ને” ?

તેથી તેઓ તો તને માનશે..

 પણ હવે તૂ ” આજ ” માં જીવ અને હા, વહુને માટે મા બન.. સાસુ ન બનીશ”.

” એટલે ”

“અપાય તેટલુ આપ તેઓને  પણ, તેમની રીતે હસવાનો અને જીવવાની મોકળાશ આપ”

થોડીક વાર સ્તબ્ધતા અનુભવતી રીનાએ ચારધામ યાત્રાએ જવાનો નિર્ણય કરી લીધો,

એ બહાને ચાર મહિના સંતાનોને મોકળાશ મળે અને ઉપર લઈ જવાનુ ભાથુ પણ બંધાય.

શ્રી કૃષ્ણની મોરલી પાછળ વાગતી સાંભળી તેનો બધો તણાવ હવા થઈ ગયો !!!

4 Comments »

value.

                 

                         when you start giving too much

                               importance to some one

                                         in your life

                                     you tend to lose

                                your value jn their life

                                    strange  but  true.

No Comments »

આત્મ ચિન્તન.

આપણે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જવુ હોય તો સૌથી પહેલાં તેના માટે, જ્ઞાન માટે

 માહિતી ભેગી કરીએ અને આગળ વધીએ તેવીજ રીતે આધ્યામિક માર્ગ પર ચાલવુ

 હોય તો આપણે  તેના જ્ઞાન માટે વેદ,પુરાણ,ઉપનીષદ,ધાર્મિક પુસ્તકોનો સહારો લઈને

જ્ઞાન મેળવીએ છીએ.  અને સાથે સાથે કોઈ જ્ઞાની ગુરુના સાનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.ગુરુ શિષ્યને યોગ્ય જ્ઞાન આપીને આધ્યામિક માર્ગ પર આગળ વધવામાં મદદ રૂપ થાય છે.આતો છે ભક્તિ માર્ગ, ભક્તિથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.બીજો માર્ગ છે યોગ માર્ગ યોગ પણ એક વિજ્ઞાન છે. આજનુ આધુનીક વિજ્ઞાન યોગ વિજ્ઞાનને નથી માનતુ. આધુનીક વિજ્ઞાન પ્રયોગોને આધારે જે પરિણામ આવે તેને માને છે.પરંતુ યોગ વિજ્ઞાનમાં બતાવેલ માહિતીમાં કોઈ માને કે ના માને પરંતુ સત્ય છે. કોઈ પ્રખર ધ્યાનયોગ સાધનાથી ઉચાઈએ પહોચેલ ગુરુ શિષ્યને યોગ્ય માર્ગ દર્શનથી શિષ્યને મોક્ષ અપાવી શકે.ભક્તિ માર્ગમાં શાસ્ત્રને આધારે અને આપણે જે સંપ્રદાય અથવા જે ધર્મ અપનાવ્યો હોય તે પ્રમાણે તેના નિતિ નિયમો પ્રમાણે ચાલવુ પડે છે. જ્યારે યોગ માર્ગ એવો છે જેમાં વ્યક્તિએ પોતે પોતાની જાત પર પ્રયોગ કરવાનો છે. ધ્યાનમાં બેસવાનુ છે, એકાગ્રતા લાવવાની છે તેમાં કોઈ બે મત નહી. જ્યારે અલગ-અલગ સંપ્રદાય અને અલગ-અલગ ધર્મો, એકજ વસ્તુ, એકજ વાત માટે તેમના જુદા જુદા વિચારો અને અભિપ્રાય હોય, બે મત હોય.આ ધ્યાન જ એક એવી પધ્ધતી છે જેમાં કોઈ બે મત નથી.ભક્તિ માર્ગમાં મોક્ષ મળે પરંતુ એક જન્મમાં ક્યારેય ન મળે, કેટલા જન્મો પછીથી મોક્ષને પામી શકાય જ્યારે યોગ માર્ગમાં પ્રખર સાધનાથી  ધારો તો મોક્ષ જલ્દી મળી શકે.યોગ વિજ્ઞાન એ બહુજ ઘહન વિષય છે, જે એક બે પાનામાં ન લખી શકાય આપણા ઋષિ મુનિયોએ વર્ષો યોગ તપસ્યા કરી છે.

યોગ વિજ્ઞાનમાં, યોગની ભાષામાં આપણા સાત શરીરનુ વર્ણન છે.

૧-સ્થુળ શરીર, ૨-પ્રાણ શરીર, ૩- સુક્ષ્મ શરીર, ૪-કારણ શરીર, ૫-મહા કારણ શરીર, ૬-ચૈતન્ય શરીર, ૭-વિરાટ શરીર.

અને શુક્ષ્મશરીરમાં સાત ચક્રોનુ વર્ણન છે. આ સાત ચક્રો નીચેથી ઉપરની તરફ,

૧-મુલાધારચક્ર, જેને ચાર પાંખડી.  ( ગણેશ)

૨-સ્વાધિષ્ઠાનચક્ર,  જેને છ પાંખડી. ( બ્રહ્મા)

૩-મણિપુરચક્ર ,  જેને દસ પાંખડી.    ( વિષ્ણુ )

૪-અનાહતચક્ર, જેને બાર પાંખડી.  ( શિવ )

૫-વિશુધચક્ર , જેને સોલ પાંખડી ( જીવ )

૬-આજ્ઞાચક્ર, જેને બે પાંખડી.   ( આત્મા)

૭-સહસ્ત્રાધારચક્ર, જેને હજાર પાંખડી.( પરમાત્મા)

( મહાવીર ભગવાન જ્યારે જંગલમાં વિચરણ કરતા અને તેઓ જ્યાંથી પસાર થતા ત્યારે બે માઈલના અંતર સુધી જંગલી પ્રાણીઓ બીજા પ્રાણીની હત્યા કરવાનુ ,હિન્સા કરવાનુ છોડી દેતા હતા. મહાવીરસ્વામિ મનુષ્ય અવતારમાં હતા, અને તેમના તેજનો પ્રભાવ દુર દુર સુધી હતો સાધનાથી તેમના શુક્ષ્મ શરીરનો ઘેરાવો માઈલો સુધી દુર સુધી વીકસેલો  હતો ).

કોઈ સિધ્ધ ગુરુ શિષ્યને શક્તિપાત આપે એટલે તે વ્યક્તિની કુન્ડલીની જાગૃત થાય.કુન્ડલીની નીચેથી ઉપર પહેલા મુલાધાર ચક્રમાં પ્રવેશે અને  કુન્ડલીની તેનુ કામ શરૂ કરી દે, કુન્ડલીની એક પછી એક બધા ચક્રોમાંથી પસાર થાય છે,અને અનેક જન્મોના ભેગા થયેલ સારા ખોટા કર્મોને બાળી મુકે અને જ્યારે બધાજ કર્મો બળીને ભસ્મ થાય એટલે મનુષ્યને મોક્ષ અપાવે.કુન્ડલીનુ કામ છે આત્માને પરમાત્મા સાથે મિલાવવાનુ. નિયમિત ધ્યાનથી શુક્ષ્મ શરીરના ચક્રો ગતિમાન થાય છે. જાગૃત કુન્ડલીની  યોગ સાધનાથી આ વ્યક્તિનુ મન ધીમે ધીમે શાંત થતુ જાય છે. અને જ્યારે મન શાંત પડે પછી પાંચ જ્ઞાનેન્દ્રીયો કાબુમાં આવે અને સાધક વ્યક્તિને ધ્યાનસ્થ અવસ્થા આવી જાય.એ વ્યક્તિ અંર્તરમુખ બની જાય.બાહ્ય જગત તેને મન તુચ્છ લાગે છે,સાચો આનંદ આપણી અંદર જ રહેલો છે,અને તે  નીજાનંદમાં મ્હાલે છે. પછી દુનિયાની મોહ માયા, લાલચ, રાગ-દ્વેષ કંઈજ રહેતુ નથી. અને આવી વ્યક્તિના મોક્ષના દ્વાર ખુલી જાય છે.

ન જન્મ ન મૃત્યુ, ચિદાનંદરુપઃ

 શિવોહમ – શિવોહમ -શિવોહમ.

1 Comment »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.