Archive for September, 2011

બંધન .

કેટલા અને કેમ કરીને ગણવા ,અજોડ અને અતૂટ બંધનો  .

વિધ વિધ અનગીનીત, મોહ અને માયાના આતો બંધનો  .

માત-પિતા સંતાનોના વાસ્તલ્ય, પતિ-પત્નિના સ્નેહ બંધનો

મૃત્યુ લોક પર આવન જાવન ,જનમ-મરણની ચક્કીના  બંધનો

ક્યારેક આપે  દુઃખ તો ક્યારેક આપે સુખ આ માયાના બંધનો .

આવી જગતમાં,જીવનમાં જોડ્યા કંઈ કેટલાય નાશવંત બંધનો.

ફસાઈને મોહ માયામાં , ન જાણ્યુ આતો જુઠા દુઃખ દાઈ બંધનો.

આતમરામ અને કાયાનુ, મોટુ એક અજોડ અનોખુ સાચુ બંધન.

આત્મા-પરર્માત્માનુ  ન જોડ્યુ એક અવિનાશી સુખ દાઈ બંધન.

પામવી શાંતિ અને આનંદ , જગતમાં એક  સાચુ  મુક્તિ બંધન.

4 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.