શ્રી શિવષડક્ષર સ્તોત્રમ
[ ૧ ]
ૐકારં બિન્દુસંયુકત્મ , નિત્યં ધ્યાયંતિ યોગિનઃ
કામદં મોક્ષદં ચૈવ , ૐકારાય નમો નમઃ
( બિન્દુયુક્ત એવો જે ૐકાર-પ્રણવ કે જે ઈચ્છાને પૂર્ણ કરનાર અને મોક્ષને આપનાર છે .
તેનુ યોગીઓ નિરંતર ધ્યાન કરે છે . માટે તે ” ૐકાર ” રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .
[ ૨ ]
નમંતિ ઋષયો દેવો , નમંત્યપ્સરસાં ગણા
નરા નમંતિ દેવેશં , નકારાય નમો નમઃ
( દેવોના ઈશ્વર શંકરને, ૠષિઓ અને દેવો નમન કરે છે .અપ્સરાઓના ગણો નમન કરે છે
અને મનુષ્યો પણ નમન કરે છે .માટે તે ” નકાર ” વર્ણરુપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ).
[ ૩ ]
મહાદેવં મહાત્માનં , મહાધ્યાનં પરાયણમ
મહાપાપહરં દેવં , મકારાય નમો નમઃ
( જે મહાદેવ, મહાત્મા, મહાધ્યાન યુક્ત અને મહાપાપને નાશ કરનાર દેવ છે
તે ” મકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .
[ ૪ ]
શિવં શાંતં જગન્નાથં , લોકાનાં ગ્રહકારકમ
શિવમેક પદં નિત્યં , શિકારાય નમો નમઃ
( જે કલ્યાણરૂપ , શાંત , જગતના નાથ , લોકો પર અનુગ્રહ કરનારા, મોક્ષરૂપી એક સ્થાનભૂત
અને નિત્ય છે તે ” શિકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .
[ ૫ ]
વાહનં વૃષભો યસ્ય , વાસુકિ કંઠ ભૂષણમ
વામે શક્તિ ધરં દેવ , વકારાય નમો નમઃ
( વૃષભ નંદી જેમનુ વાહન છે , વાસુકી જેમના કંઠનો અલંકાર છે અને પોતાના વામભાગને વિષે જે દેવે
શક્તિ-પાર્વતિને ધારણ કરેલા છે તે ” વકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .
[ ૬ ]
યત્ર યત્ર સ્થિતો દેવં , સર્વ વ્યાપી મહેશ્વર
યો ગુરુ: સર્વદેવાનાં , યકારાય નમો નમ:
( જે જે ઠેકાણે સર્વ વ્યાપી દેવ મહેશ્વર રહેલા છે .તે તે સ્થાન રૂપ અને જે સર્વ દેવોના દેવ ગુરુ છે
તે ” યાકાર ” વર્ણ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .
[ ૭ ]
ષડક્ષરમિદં સ્તોત્રં , ય પઠેચ્છિવસંનિધૌ
શિવલોકમવાપ્નોતિ , શિવેન સહ મોદતે .
( આ છ અક્ષરના સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોક્ને
પ્રાપ્ત થઈ શંકરની સાથે આનંદ ભોગવે છે )
ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ: