Archive for June, 2011

એકરાર .

તારા સુધી પહોચવાના અનેક માર્ગો છે .

 બધા અલગ-અલગ પંથનો નિર્દેશ કરે છે .

માનુ છુ હુ એકજ માર્ગે દ્રઢ   વિશ્વાસે

આગળ વધવાથી ,  કદાચ તુ મળી જાય .

હે પરર્માત્મા , તને પામવા નીકળીને 

   કેટલોય પંથ કાપી નાખ્યો ,

પરંતુ હજી એજ જવાબ મળે છે  ,

 કે મંઝિલ ઘણી દૂર છે .

ક્યારેક નિરાશામાં અટવાઉ છુ,

લાગે છે આગળ  વધવાની  હિમ્મત  નથી,

પાછા  ફરવાનુ   મન  થતુ   નથી ,

 હુ   ઉલઝનમાં  અટવાઉ છુ .  પણ

દિલમાં પ્રભુની પ્યારી મુરત વસી ગઈ છે.

તો મંઝિલ દૂર હોવા છતાં, એ પાસે લાગે છે .

મારી અભિલાષા જ મારી તૃપ્તિ બની ,

 મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.

4 Comments »

પિતૃ દેવો ભવ .

           Happy Father’s day .

              पितृ देवो भव .

પિતા ઘરની શાન ,  પિતાથી શોભે ઘર પરિવાર.

પિતા પરિવારની શીતળ  છત્ર-છાયા, ઘરનો મોભો .

પરિવારને કરે અગાધ પ્રેમ , ન કદી બોલે મુખથી .

પ્રેમ અને લાગણી પ્રગટ કરવાની રીત નીરાલી .

હ્રદયમાં ચાલે મનોમંથન , ન દીસે મુખ પર .

દુખના આંસુ પણ રોએ દિલમાં , છુપાવે દુખ-દર્દ .

થાય ઉદાસ , સેવે ચુપકી , સ્વ પર ઉઠાવે ભાર ,

વિપદામાં પણ ખુશી ખુશીથી ઉઠાવે પરિવારનો બોજ .

પરિવારની ખુશી-આનંદમાં જ , પિતાની જીન્દગી .

પુત્રી હ્રદયનો ટુકડો , તો પુત્રમાં દેખે નીજ રૂપ .

ગુસ્સામાં પણ  છુપાય પ્રેમ, વાત્સલ્યથી ભરપુર .

કલેજે મુકી પત્થર ,બની સખ્ત ,કરે સંતાનોના

જીવન રાહ સરળ ,   બનાવે  ઉજ્વળ જીવન .

કરી સંસ્કારોનુ સિન્ચન , કરે બાળકોને  તૈયાર ,

ઉજ્વળ જીવન કાજે , જજુમવા જીવનના સંગ્રામ .

3 Comments »

શોભે સત્ય , સત્યના રૂપમાં .

સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે . પણ

સત્ય એના સત્યના  રૂપમાં હોવુ જોઈએ , એની વ્યાખ્યામાં હોવુ જોઈએ .પોતાનુ

સાચુ ઠરાવવા માટે લોકો પાછળ પડે છે, પણ સાચાને સાચુ ઠરાવશો નહી .

સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવુ કે તમારુ સાચુ નથી .કંઈક

કારણ છે એની પાછળ, એટલે  સાચુ કોને કહેવાય ? સાચી વાતને સાચી ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામુ

જોવાનુ નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ .સત્ય હોવુ જોઈએ ,પ્રિય હોવુ જોઈએ, હિતવાળુ હોવુ જોઈએ ,

ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવુ જોઈએ , એનુ નામ સત્ય કહેવાય .એટલે સત્ય , પ્રિય ,હિત અને મિત

આચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે , નહી તો અસત્ય છે .

                             (    નગ્ન સત્ય , ના શોભે . )

નગ્ન સત્ય બોલવુ એ ભયંકર ગુનો છે . કારણ કે કેટલીય બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતુ હોય તે

બોલાય .કોઈને દુખ થાય એવી વાણી સાચી-કહેવાતી જ નથી . નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ

તો એ ય જૂઠુ કહેવાય .

 નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ?  કે પોતાનાં મધર હોય તેને કહેશે ‘ તમે તો મારા બાપના વહુ થાવ ‘

એવુ કહે તો સારૂ દેખાય ? આ સત્ય હોય તો પણ મા ગાળો ભાંડે ને ? મા શુ કહે ? મુઆ મોઢુ ના દેખાડીશ .

અરે આ સત્ય કહુ છુ , તમે મારા બાપના વહુ થાવ , એવુ બધાં કબુલ કરે એવી વાત છે ?  પણ એવુ ના

બોલાય . એટલે નગ્ન સત્ય ના બોલવુ જોઈએ .

                                             ( સત્ય પણ પ્રિય ખપે )

એટલે સત્યની વ્યાખા શુ કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવુ હોવુ જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી

કહેવાય ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી . સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં

સાચુ હોવુ જોઈએ .તે ય પાછુ સામાને પ્રિય હોવુ જોઈએ .

લોકો નથી કહેતા કે ‘ એય કાણિયા તુ અહી આવ ‘. તો એને સારુ લાગે ? અને કોઈ ધીમે રહીને કહે ,

ભઈ તમારી આંખ શી રીતે ગઈ ? તો એ જવાબ આપે કે ન આપે ? અને એને કાણિયો કહીએ તો ?

પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મુક્યો ,  સત્ય એ પ્રિય જોઈએ .

નહી તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતુ નથી .કો’ક ઘૈડા હોય તો તેને ‘માજી’

કહેવુ .એમને ડોશી કહ્યા હોય તો એ કહે ,રડ્યો  મને ડોશી કહે છે ? હવે અઠ્યોત્તેર વર્ષનાં , પણ પેલાં ડોશી

કહે તો પોષાય નહી શાથી ? એમને અપમાન જેવુ લાગે . એટલે આપણે એમને માજી કહીએ કે ‘માજી આવો’

તો એ રૂપાળુ દેખાય અને તો એ ખુશ થઈ જાય . શુ ભઈ .પાણી જોઈએ છે ? તમને પાણી પાઉ ?  કહેશે

એટલે પાણી-બાણી બધુ ય પાય .

                                                                      ( પૂજ્ય શ્રી દાદા ભગવાન ) .

1 Comment »

દ્રષ્ટિ એવી સૃસ્ટિ .

શ્રી કૃષ્ણ રંગ મંડપમાં પ્રેવેશે ત્યારે તે સભામાં વિરાજેલા અનેક લોકોને

અધિકાર પ્રમાણે અલગ  અલગ દેખાય છે .તેને જ મહાત્માઓ દ્રષ્ટિસૃષ્ટિવાદ

કહે છે . સભામાં જે પહેલાવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા .

સાધારણ  મનુષ્યને રત્ન જેવા લાગ્યા . સ્ત્રીઓને તો કામદેવ જેવા લાગ્યા .

ગોવાળોને સ્વજન જેવા લાગ્યા . દુષ્ટ રાજાઓને સર્વશાસક  લાગ્યા .

નંદબાબાને બાળક જેવા લાગ્યા . કંસને મૃત્યુરૂપ લાગ્યા . યોગી ૠષિ

મહાત્માઓને તો સાક્ષાત પરમાત્મા લાગ્યા . યાદવો અને ભક્તોને પોતાના

ઈષ્ટ દેવ લાગ્યા . જેવી દ્રષ્ટિ તેને ભગવાન તેવા દેખાય છે . એકજ પ્રભુ

સર્વત્ર રમે છે . તે દ્વૈત-ભેદભાવ તે માયાનુ કારણ છે . માયા એવી છે કે

પ્રેમથી શ્રી કૃષ્ણ્નુ નામ લેતાં જ ભાગી જાય છે .

2 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.