Archive for February, 2010

વેલેનટાઈન ડે.

વેલેનટાઈન ડે, પ્રેમ માટે મશહુર છે. આખી દુનિયા આ દિવસ ઘણીજ ખુશી અને બધા પોતાની રીતે ઉજવે છે. જેના નામ પરથી આ દિવસ ઉજવાય છે,તેમનુ નામ છે વેલેનટાઈન.ત્રીજી સદીમા રોમની અન્દર કેથોલીક ચર્ચમા તે પ્રીસ્ટ (પંડિત),સેન્ત હતા. તે વખતે રોમનો રાજા ક્લોડીયસ-૨,વિચારતો હતો લગ્ન કર્યા વિનાનો સિપાઈ સારો સિપાઈ બની શકે એટ્લે તેણે સિપાઈઓએ લગ્ન નહી કર્વાનો કાયદો બનાવ્યો છ્તાપણ વેલેનટાઈન છુપી રીતે પ્રેમી  યુગલને લગ્ન કરાવી આપતા હતા. જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેણે વેલેન્ટાઈનને ફાસીની સજા આપી.

        બીજા કોઈનુ માનવુ છે કે વેલેનટાઈનને જેલમા જેલરની છોકરી સાથે પ્રેમ થયો હતો અને મર્તા  પહેલાતેમણે   તેમની પ્રેમિકાને  પ્રેમપત્ર લખ્યો હતો અને નામ હતુ( તારા વેલેનટાઈન તરફથી )આધેડવયની ઉમરે તેમને પ્રેમ થયો હતો.તેમનુ જે વ્યક્તિત્વ હતુ તે બહુ્જ પ્રભાવશાળી હતુ તેને લીધે તે ઈન્ગલેન્ડ અને ફ્રાન્સમા ઘણાજ મશહુર સેન્ત હતા.

         કોઈ વળી એમ માને છે,    રોમન જેલમાથી કેદીઓને મુક્ત કરવામા મદદ કરતા હતા એટ્લે તેમને મારીનાખવામા આવ્યા. આમ પોતે દુનિયાને પ્રેમનો સન્દેસ આપીને ગયા અને ઈતિહાસમાં અમર બની ગયા.આજે પણ તેમની યાદમા આ દિવસ દુનિયાભરમા ઉજવાય છે.

           પ્રેમ એ ભગવાને મનુશ્યને  આપેલી  એક અણમોલ ભેટ છે, પ્રેમ વિના જીવન અશક્ય છે.માણસનેસૌથી વધારે ભુખ પ્રેમની છે, કોઈ પણ ઉમર હોય, બાળક,યુવાન,આધેડ અને વૃધ્ધ દરેક્ને પ્રેમની જરુર છે.માણસના જીવનમા પ્રેમ હશે તો તેને જીવન એક્દમ ખુશ અને સુખી લાગશે, જીવન જીવવા જેવુ લાગશે.જીવનમા પ્રેમ નહી હોય તો જીવન નિરસ અને દુખી લાગશે.ભગવાને આપણામા જે ત્રણ ગુણો, તમોગુણ,સત્વગુણ અને રજોગુણ આપ્યા છે તેને લીધેજ આપણને બધી લાગણીનો અનુભવ થાય અને આપણેએક બીજાને પ્રેમ કરી શકીયે છીયે. પ્રેમ એટ્લો ઘહેરો વિષય છે કે જેના ઉપર આખુ પુસ્તક લખી શકાય.ભગવાને જીવન આપ્યુ , તો જીવનમાથી નફ્ર્રત,ઈર્શા,વેરઝેર મુકીને,છોડીને  બસ બધા માટે દિલમા પ્રેમ રાખવો જોઈએ. પ્રેમથીજ જીવેલુ જીવન ધન્ય છે.

No Comments »

શિવ.

     

 (૧) —-                 [  શંકરજીની ધુન]

ૐ ધિમીક  ધિમીક ધિમ,  ધિમીક ધિમીક ધિમ,  – નાચે ભોલા નાથ .—- ૨

બ્રૂદંગ બોલે,   શિવ  ૐ    શિવ  ૐ  —– ૨

ડમરુ બોલે,   હર હર હર  ૐ             —- ૨

વિણા બોલે,   હરિ ૐ   હરિ   ઓંમ ——૨

નાચે ભોલા નાથ,      નાચે ભોલા નાથ . —– ૩ 

 (૨)

વિશ્વનાથ  જય, અમરનાથ જય,

ભુતનાથ ઉમાપતિ….બમ બમ બમ ભોલા ભોલા—-.

ચંન્દ્ર્શેખરા, જટાશંકરા, નીલકન્ઠ જય પશુપતિ—–.

બમ બમ બમ ભોલા ભોલા ——.

(૩) —  ભજન.

   સતસૃશ્ટિ તાંડવ રચઈતા, નટરાજ રાજ નમો નમહ —-૨.

   હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો  નમહ —–૨.

  ગંભીર નાદ મૃદંગના,  ધબકે ઉરે બ્રહ્માડ્માં  —— ૨.

  ધ્વનિ નીત્ય નૃત્ય પ્રચંડમા, નટરાજ નમો નમહ — ૨

  શીર જ્ઞાન ગંગા ચન્દ્ર્માં ,ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમા—૨.

   વિષ નાગ માલા કંઠમા,  નટરાજ રાજ નમો નમહ —૨.

  તવ શક્તિ વામાંગે સ્થિતા, હ્રીમ ચંડિકા અપરાજીતા—૨.

  ચહુ વેદ ગાયે સંહિતા, નટરાજ રાજ નમો નમહ  —– ૨.

No Comments »

શીવ-શક્તિ.

આપણા દેશમા હિન્દુ ધર્મ હ્જારો વર્ષથી ચાલી આવે છે અને હિન્દુ ધર્મ એટલે શીવની ઉપાસના.એક્જ ધર્મ હ્તો એટલે શંકરભગવાનની પુજા કરવામાં આવે છે.શીવની મહિમાનુ વરણન કરવા માટે આપણે અસર્મથ છીયે.આજે શીવરાત્રિના દિવસે શીવ ઉપાસનાનુ ઘણુજ મહ્ત્વ છે.શીવ ચરિત્ર મહાન છે,એટ્લેજ શીવ મહાદેવ છે.કૈલાસ પર માશક્તિ સાથે બિરાજમાન છે છ્તા પણ હમેશા સમાધિઅવસ્થામાં હોય છે.તેમનુ આસન અને   પહેરવેશ વાધચર્મ-મૃગચર્મ.શરીર પર સ્મશાન ભસ્મ, ગળામાં સર્પમાલા,માથે ચન્ર્દ અને ગંગાજી,હાથમાં ત્રિશુર-ડ્મરુ, ભાલમાં ત્રિનેત્ર, આ કેટ્લુ અલૌકિક સ્વરુપ!! આ સ્વરુપના દર્શન કરતા મન ભરાતુ નથી, વારમવાર દર્શન કર્વાનુ મન થાય.

ભોલેનાથ – ભગવાન   બહુ્જ ભોળા છે, ભક્ત ઉપર  બહુ જ્લ્દી પ્રસન્ન થાય છે,

નીલકંઠ – જેમણે સમુદ્ર મંથન વખતે નીક્ળેલ ઝેર પોતે પી ગયા.

મહાદેવ – જે બીજા દેવો કરતા અલગ ચરિત્ર ધરાવે છે,સતત રામ નામ સમાધિમા હોય છે.

            તેમનુ સ્વરુપ અલૌકિક છે,પુજનીય છે. આમ શ્રી મહાદેવના તેમના ચરિત્ર પ્રમાણે  અનેક નામ છે ભગવાન શીવ તેમના ચરિત્રના દર્શન કરાવીને આપણને ઘણોબધો ઉપદેશ આપે  છે.

 ( શિવ શિવ રટો ઓ મન મેરે, સબ દુખ દરિદ્ર દુર હો તેરે

ભોલા શંભુ હે શિવ શંકર,  તુમ હી પાલક હો શિવ મેરે

 હે ગિરિજા પતિ ગંગાધારી, તુમ્હરી શરણમે સુખ ઘનેરે

 મંગલકારી હે ત્રિપુરારી, સુર નર ધ્યાવે સાજ સવેરે

  હે મ્રુત્યુન્જય હે મહદેવા, જનમ-મરણ કે ટાલો ફેરે.)

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.