Archive for January, 2011

સ્મૃતિ.

 

મનુષ્ય જીવન તરફ ધ્યાનથી નજર કરીશુ તો ઘણી બધી વસ્તુઓ, જેને આપણે તે વસ્તુ

મહત્વની નથી એમ સમજીને આપણે હમેશાં નજર અંદાજ કરીએ છીએ. પરંતુ તે જ નાની

વસ્તુઓ, નાની વાતો, બહુજ મહત્વની છે જે જાણવા માટે ક્યારેય પ્રયત્ન નથી કરતા. અને

એ નાની નાની વસ્તુઓમાં પણ તત્વજ્ઞાન સમાએલુ છે .

બાળકનો જન્મ થાય તે પહેલાં નવ માસ બાળક માતાના ગર્ભમાં રહે છે. જ્યારે બાળકનો જન્મ

થાય છે ત્યારે બાળકને માતાના ગર્ભમાં જે સમય વિતાવ્યો છે તે સમય તેને બિલકુલ યાદ

હોતો નથી. ધીમે ધીમે બાળક મોટુ થાય તેમ તેના શરીર અને તેના મગજનો વિકાસ થાય.

બાળક જ્યારે એકદમ પુક્તવયનુ થાય ત્યારે તેને અઢીથી પાંચ વર્ષનો જે સમય છે તે થોડો

થોડો યાદ હોય. આ રીતે પાંચથી દશ વર્ષનો સમય થોડો વધારે યાદ હોય . અને દશ વર્ષ

પછીના કદાચ જીવનના બધાજ પ્રસંગો યાદ હોય . મોટા થયા પછી પાંચ વર્ષ પહેલાનો

સમય ક્દાચ બિલકુલ ભુલી જવાય, પરંતુ જો યાદ શક્તિ તિવ્ર હોય તો અઢીથી પાંચ વર્ષના

સમયના અમુક પ્રસંગો યાદ હોય .

હવે વિચાર એ આવે કે જો આપણને માતાના ગર્ભમાં નવ માસનો સમય જો દરેકને અગર

યાદ રહેતો હોત તો આ જીવન પ્રત્યે કેટલી નફરત  થાય . ગંદકીમાં કેદ કર્યા હોય, નવ માસ

બહારની દુનિયા જોઈ શકાય નહી , જન્મ લેતા પહેલાજ આપણે કેદમાં રહીને આવીએ છીએ .

ખરેખર તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ  કે જેણે આપણા શરીરની રચના એવી રીતે

કરી છે જે વસ્તુ આપણે યાદ નથી રાખવાની, જેની કોઈ જરૂર નથી તેની સ્મૃતિ રહે એટલા

ક્ષમ્ય આપણને બનાવ્યા નથી .નહીતો ક્યારેય ફરીથી જન્મ લેવાનુ કોઈને પણ મન ન થાય.

આપણે તો મનુષ્ય, પતિ-પત્નિ સાત જનમના બંધનમાં રહેવા માગીએ છીએ .કોઈ પણ જીવન

હોય, પશુ-પક્ષી કે પછી મનુષ્ય, ગર્ભનો કારાવાસ યાદ રહે તો વૈરાગ્ય આવી જાય .અનેક જાતના

કર્મો કર્યા હોય તેમાં સ્વભાવીક છે દરેકના જીવનમાં પુણ્ય કર્મો કરતાં પાપ કર્મો વધારે હોય .તેની

સજા બીજા જન્મમાં તો ભોગવવાની છે .પરંતુ આપણે પાપ કર્મો ભોગવીએ તે પહેલાં ભગવાન

આપણને નવમાસની કારાવાસ જેલ યાત્રા કરાવે છે અને પછીથી ધરતી પર મોકલે છે .

                    મૃત્યુ થાય અને બીજો જન્મ લઈએ તે વચ્ચેનો ગાળો જે છે,તે દરેક વસ્તુ

માણસ ભુલી જાય છે. દરેક માણસને આગલા જન્મની કોઈ પણ સ્મૃતિ હોતી નથી. તેનુ

મગજ કોળા કાગળ જેવુ હોય છે .આપણા ઉપર ભગવાનની બહુ મોટી મહેરબાની છે

તેનો ઉપકાર માનવો જોઈએ કે જેણે દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને આપણા શરીરની

આપણા મગજની રચના કરી છે. અગર જો દરેક વ્યક્તિને આગલા જન્મની બધી વસ્તુ

યાદ હોય તો ધરતી પર કેટલુ તાંડવ મચી જાય .બધાજ એક બીજાનો બદલો લેવામાં

આતુર બને , વેર ઝેર વધતા જાય અને તેનો કોઈ ક્યારેય અંત ન આવે ભગવાન

દયાળુ છે જેણે વિશ્વ શાન્તિ માટે , એક બીજા માટે પ્રેમ ભાવ વધે એટલા માટે આપણા

શરીરની ખાસ રચના કરી . અને પ્રભુ આપણી પાસે શાન્તિ અને પ્રેમની અપેક્ષા રાખે છે .

4 Comments »

નવધા ભક્તિ.

      

  તુલસીદાસ રચિત રામચરિતમાનસમાં ( રામાયણ ) પુજ્ય મોરારીબાપુએ એક પ્રસંગનુ વર્ણન

કર્યુ છે, રામભગવાન જ્યારે શબરીની ઝુપડીમા  પધારે  છે  ત્યારે શબરી તેમનુ સ્વાગત  કરે  છે

અને પગપ્રક્ષાલન કરે છે અને  ખાવા  માટે મીઠા  બોર આપે  છે, અને  રામ ભગવાનને કહે  છે

હેપ્રભુ, હુ અભણ  છુ,મને પ્રાર્થના કે સ્તુતિ  કરતાં આવડતુ નથી, ત્યારે રામભગવાન કહે છે મા,આજે 

હુ સ્તુતિ  કરીશ  અને  તમે  શાભળો, અને શ્રી રામ ભગવાન  શબરીમાને નવધા  ભક્તિ કહી સંભળાવે  છે.

(૧) સંત  સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩)  ગુરુ  સેવા. (૪)  કપટ તજીને ભગવદ

ગુણગાન. (૫)  મંત્રમા નીષ્ઠા. (૬)  અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭)  દરેકમાં ઇશ્વરના દર્શન.

(૮)  જેટલુ  મળે એમા સન્તોષ. (૯)  છળ કપટ વગરનુ જીવન.

            નવધા ભક્તિના  જુદા જુદા પ્રકારમાં કેટલા ઉચા અને ગહન વિચારો અને નિયમ દર્શાવ્યા છે.

 આમ ભક્તિ નવ પ્રકારની  છે. શબરીએ  નવ પ્રકારની  ભક્તિ  કરી  હતી અને  અને નવધા ભક્તિથી જ

 મોક્ષને  પામ્યા.  ત્રેતાયુગમા  રામભગવાને   નવધા  ભક્તિ  બતાવીને ઉચ્ચ પ્રકારનુ જીવન જીવવા માટે

 માર્ગ  બતાવ્યો  છે, અને  નવધા ભક્તિ  દ્વારા આપણને ઉપદેશ આપ્યો છે . તેવીજ રીતે દ્વાપરયુગમાં

 શ્રી શ્રીક્રિષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપીને આપણને શ્રેષ્ઠ જીવનનો રાહ બતાવ્યો છે . આમ

 દરેક  યુગમા ભગવાન અવતાર લઈને આવીને આપણને જીવન રાહ બતાવીને ઉચ્ચ કક્ષાનુ જીવન

 જીવવા માટે સંકેત કરે છે , આજ્ઞા કરે છે અને ભગવાન આશા રાખે છે તેમના બાળકો જીવન રાહ

પર ભટકી ન જાય , ધર્મ અને શાસ્ત્રોએ બનાવેલા નિયમોને અનુલક્ષીને જીન્દગી જીવે,પસાર કરે .

નવધા ભક્તિ, શ્રી રામ પવિત્ર મુખવાણી છે, અને ભગવદગીતા શ્રી ક્રિષ્ણ પવિત્ર મુખવાણી છે.

                   શીરડી  સાઇબાબાથી લગભગ  બધાજ વાકેફ છે,  શ્રી સાઇ સતસરિત્રમાં નવધા ભક્તિનુ

વર્ણન આપ્યુ  છે, લક્ષ્મીબાઇ તેમના ભક્ત હતાં, નાનપણથીજ  સાઇબાબાની સેવા કરતાં હતાં. સાઇબાબાને

 પોતાને હાથે  ભોજન   બનાવીને ખવડાવતાં હતાં,  જ્યારે સાઇબાબાએ  સમાધિ  લીધી ત્યારે લક્ષ્મીબાઇ

તેમની સાથે  હતાં અને સાઇબાબાએ નવધા ભક્તિ સ્વરૂપે ચાંદીના નવ સિક્કા લક્ષ્મીબાઇના હાથમાં

 આપ્યા  હતા . અને તમે મારી  નવધા ભક્તિ કરી છે એમ  કહે  છે. લક્ષ્મીબાઈએ પોતાની આખી જીન્દગી

 સાઈબાબાની સેવામાં વીતાવી હતી અને  તેના ફળ સ્વરૂપે નવધા ભક્તિનુ વરદાન સાઈબાબાએ

લક્ષ્મીબાઈને  આપ્યુ હતુ . સાઈબાબાએ પોતાના ભક્ત ઉપર અસીમ કૃપા કરી. તેમના ગુરુની સેવા

કરીને લક્ષ્મીબાઈ ધન્ય થઈ ગયા . ગુરુ અને શિષ્યનુ એક અજોડ ઉદાહરણ છે !!!

ભગવાન શ્રી રામ અને શબરીમા, ભક્ત અને ભગવાનનુ એક અજોડ અને સદીયો

સુધી ન ભુલાય એવુ અસ્મરણીય ઉદાહરણ છે !!!

2 Comments »

પ્રેમ નગર .

પ્રેમ  રૂપી  અમી ઝરણુ  સ્વર્ગથી  ઉતર્યુ .

ખોબલે-ખોબલે પીધા અમી ઝરણા અમે .

જીવન સરિતા બની ખળખળ વહ્યા અમે .

દૂરથી  વિશાળ  પ્રેમ સાગર દીઠો   અમે .

 પુર વેગે દોડ્યા  સાગર સમીપ  અમે .

મારી ડુબકી , સાગર હિલોળે અમને .

પ્રેમ સાગરમાં,પ્રેમ રંગે રંગાયા અમે .

હિલોળા મારતા મોજાં ધકેલે કિનારે અમને .

પ્રેમ રસ પીને, પટકાયા કિનારે અમે .

વાસ્તલ્ય,પ્યાર,સ્નેહ અને પ્રેમની ઈટ,

અને વિશ્વાસની રેતથી,બાંધ્યા ઘર અમે .

વસાવ્યુ એક પ્રેમ નગર અમે .

પ્રેમ નગરમાં વસ્યા અમે .

1 Comment »

દુર્બુધ્ધિ.

રહેલા મેલ અને ડાઘ કર્યા દૂર, દિલ સાફ કર્યુ મે .

આપવા આસન પ્રભુ ,  તારે લાયક બનાવ્યુ મે .

સંઘર્યા હતાજે, દિલમાં અગણીત રાગ  અને દ્વેષ

કર્યા દૂર અવગુણો, તારા ચરણોમાં શીશ નમાવ્યુ મે.

ચંચળ મન આતો ,ફસાય દિલ માયાના બંધનમાં

દિલમાં ભર્યો પ્રેમ અને દયા ,દિલ મારુ સજાવ્યુ મે .

મોહમાયા ન છોડે પીછો ,  બંધનમાં ફસાય દિલ.

હવે ન ડગ મગે દિલ ,  સાચો રાહ પકડ્યો  મે .

અંધશ્રધ્ધા ને માયાની  બેડીઓ  તોડીને  મે

શ્રધ્ધા – સબુરીથી જીવન સાર્થક બનાવ્યુ મે.

હે દયાસાગર જો કરે દયા તૂ

દુર્બુધ્ધિ  તાંડવ  થાય  શાંન્ત .

1 Comment »

મુક્તિદ્વાર .

 

પ્રભુએ કરી અર્પણ એક અણમોલ ભેટ.

મળી એક અણમોલ ભેટ મનુષ્ય જીવન .

ન સમજાય મહત્વ તેનુ , ન કરી કદર .

બની માનવ, જીવન જીવે પશુ સમાન .

વિવેક , મર્યાદા , શરમ , ક્યાં ગયા

માનવજાતીના એ આભુષણ ?

ન પહેચાન સ્વની , વ્યર્થ જવન જીવવુ .

અનેક શક્તિઓથી ભરેલ માનવ જાત .

લક્ષ્ય ચોરાસી ફેરા,  એક મુક્તિદ્વાર

મનુષ્ય જીવન .

મળ્યુ મુક્તિદ્વાર , ન ખોલ્યુ દ્વાર , 

વેડફ્યો અણમોલ મનુષ્ય જનમ .

પીસાય જનમ-મરણની ચક્કીમાં .

No Comments »

પ્રાર્થના .

પ્રથમ સમરુ શ્રીગણેશ , રિધ્ધિ-સિધ્ધિ દાતા .

કરો પ્રદાન અમ , રિધ્ધિ-સિધ્ધિ .

કરુ પ્રણામ શ્રી મા સરસ્વતી,બુધ્ધિ પ્રદાન માતા .

કરો જ્ઞાનના દાન તુજ સંતાન .

લાગુ પાય શ્રી મા દુર્ગા , શક્તિ પ્રદાન માતા .

આપો શક્તિ , એક ઉજ્વળ જીન્દગી પામુ .

વંદન કરુ શ્રી કૃષ્ણ , જગદગુરુ જગપાલક, નાથ .

આપો જ્ઞાનના દાન , પ્રગટે જ્ઞાનની જ્યોત .

થાય અજ્ઞાન રુપી અંધકાર દુર .

કોટી-કોટી પ્રણામ શ્રી હનુમંત મહાવીર.

રામ ભક્ત , આપો ભક્તિના દાન ,

થાય ભક્તિ માર્ગ સરળ , પામુ નીજ મંઝિલ .

શ્રી મહાદેવ ચરણોમાં શાષ્ટાન્ગ , દંડવત પ્રણામ,

મહા યોગી, શિવ શંકર , હે નીલકંઠ , ભોળેનાથ ,

મીટાવો જનમ-મરણના ફેરા , આપો મોક્ષના દાન .

1 Comment »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.