Archive for July, 2012

પૃથ્વી ઉદય.

                     પૃથ્વી, મા વસુંધરા

                  સૂર્ય મંડળમા શોભી રહી

               એક અનોખું સ્થાન બ્રહ્માંડમાં

              જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો

               ના કોઈ સીમા, ના કોઈ જાત

                  ધરતીમાના સંતાન સૌ

                   લઈએ આજ એક પ્રણ

               લીલી હરિયાલી ધરતીમાતા

                  બની રહે વિશ્વ શાંતિ.

1 Comment »

એકલતા.

એકલતા એ એવી સ્થિતી છે જે દરેકની મનઃ સ્થિતી હાલી જાય, પરેશાન થઈ જાય  અને અસહ્ય લાગે.એકલતા અંદરથી માણસને ખાઈ જાય છે.જ્યારે જીવનમાં પતિનુ, પત્ની પહેલાં જો અવસાન થાય અથવા તો પત્નીનુ અવસાન પહેલુ થાય તો આ પરિસ્થિતીમાં બંને માટે એક બીજા વીના જીવવુ ભારે પડે છે. જીંદગી મુશ્કેલ થઈ જાય છે.

ઈશ્વરે માયાનુ બંધન એવુ મુક્યું છે, માયા હસાવે અને માયા જ રડાવે. આપણે બધાજ માયાના વશમાં છીએ.માયાના બંધનને લીધે  પતિ-પત્નિ એક્બીજા સાથે બધીજ રીતે એક્દમ નીકટ જોડાએલા રહે છે અને એકના વીના પણ જીવન જીવવુ એ વિચાર પણ હચમાચાવી મુકે છે,પતિ-પત્નીનો સબંધ એવો છે દો જીસ્મ એક જાન. ને જ્યારે એક પહેલું ચાલી જાય ત્યારે જીવન અસહ્ય બની જાય છે.પતિ-પત્નિની વાત કરીએ યા તો ઘરનુ કોઈ પણ સ્વજન હોય આપણા પહેલાં ચાલ્યું જાય  છતાં પણ યાદોને સહારે જીવન જીવવું પડે છે. અને તે વીના બીજો કોઈ રસ્તો પણ નથી કોઈએ સાચુ જ કહ્યું છે  ” એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વીના સંગી વીના એક્લા જવાના”  ત્યારે મન મનાવવુ પડે છે અને મોંઢામાંથી શબ્દો સરી પડે છે, અમારો સાથ આટલો જ હતો, અહિંયા અમારી લેણ-દેણ પુરી થઈ.

ઘણા લોકો તો સમજે છે બસ હવે જીવન અટકી ગયું પરંતુ ખરેખર તો કોઈના વીના જીવન અટકી નથી જતુ. દુનિયા બદલાતી નથી, બધુંજ એની રીતે ચાલતું રહે છે.માયાને વશ અંદરથી હ્રદય રડે છે, મન રડે છે. બહાર દુનિયામાં કંઈ નથી બદલાતું, બધુજ એની રીતે સમયની રફતારની સાથે ચાલતું રહે છે. અને મને કે કમને જીવવું પડે છે અને હકીકતમાં આતો જીવન છે. જીવનમાં જેવી જેવી પરિસ્થિતીઓ આવે તેનો સામનો કરવો જ પડે અને ભગવાન જે સ્થિતીમાં રાખે તે સ્થિતીમાં રહેવું જ પડે છે,અને આપણે ભુલવુ ના જોઈએ આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતી આવે તે આપણા કર્મને આધારે છે અને બધીજ સ્થિતી આપણે જ ઉભી કરેલી છે, જ્યારે દુખ આવે ત્યારે આપણે ભગવાનને દોશી માનીએ છીએ, હે ભગવાન તેં મને આટલું બધું દુખ કેમ આપ્યું ? અને દુખી થઈએ છીએ મીંરાએ તો ગાયું છે ‘ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ  ઓધ્ધવજી”  જ્યારે નરસિંહ મહેતા ગાય છે “ ભલુ થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ “ આ બંને તો મોટા ભક્ત હતા એટલે એ લોકોએ માયાને વશમાં કરી હતી પરંતુ આપણા જેવા સામાન્ય માણસો માટે આ બધુ અઘરું છે.સ્વજન ચાલ્યું જાય એટલે અસહ્ય દુખ તો થાય જ,આપણે ભુલી ના શકીએ, જીવન અસહ્ય લાગે છતાં પણ સ્વજન ચાલી જાય પછીથી થોડી જીવન જીવવાની ઢબ બદલવી પડે અને રડીને બેસી રહ્યા વીના બીજા કામમાં મન પ્રવૃત કરવું પડે છે અને સાચેજ દુખનુ ઓસડ દાડા.નવરું મન એ સેતાનનુ ઘર એટલે મનને પ્રવૃત રાખવુ પડે નહીતો ખોટા વિચારો આવવાના છે. અત્યારે તો દરેક જગ્યાએ એટલી બધી ઈતર પ્રવૃતીઓ વધી ગઈ છે અને જુદી-જુદી સંસ્થાઓ પણ વધી ગઈ છે જ્યાં સમય પસાર થઈ શકે. અને સેવા આપવાના કામો પણ વધી ગયા છે. લોકો મંદિરોમાં પણ ઘણી સેવા આપે છે.સાચેજ કંઈ કરવું હોય તો કરવા માટે ઘણું બધુ છે. નહીતો રડીને બેસી રહો. રડતા જ રહીએ તો ઘરના બીજા માણસોને પણ આપણે મુશીબતમાં મુકીએ છીએ અને પરેશાન કરી મુકીએ છીએ. એટલે બીજાનો સહારો લીધા વીના પરિસ્થિતીનો સામનો એકલાએજ કરવો જોઈએ. એક બીજા માટે ગમે તેટલો પ્રેમ હોય તો પણ મુઆ પાછળ જતુ આજ સુધી કોઈને હજુ સુધી જોયુ નથી !!!

1 Comment »

ગુરુ પ્રણામ.

               ( જગદગુરુ શ્રી ક્રિષ્ણના ચરણોમાં કોટી કોટી પ્રણામ

         જેમણે ગીતા જ્ઞાન આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો )

                                         શ્રી સાઈ ગુરુ સ્તોત્ર

                            ગુરુરબ્રહ્મા, ગુરુરવિષ્ણુ, ગ્રુરુર દેવો મહેશ્વરઃ

                            ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                            અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ

                            તત્પદં દર્શિતં યેન તસ્મૈય શ્રીગુરુવે નમઃ

                            અજ્ઞાન તિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા

                            ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                           બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાન મૂર્તિમ

                            દ્વંદાતીતં ગગનસદષં તત્વમસ્યાદિલક્ષ્યમ

                           એકં નિત્યં વિમલંમચલં સર્વધિસાક્ષિભુતં

                        ભાવાતિતં ત્રિગુણરહિતં શ્રી સાઈનાથં નમામ્યહમ

                        આનંદ નિંદકર પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજ બોધ રૂપં

                 યોગીન્દ્રમીડ્યં ભવરોગ વૈદ્યં શ્રીમદગુરુ સાઈનાથં નમામ્હમ

                            નિત્યં શુધ્ધં નિરાભાસં નિરાકારં નિરંજનમ

                            નિત્ય બોધ ચિદાનંદ શ્રી સાઈબ્રહ્મ નમામ્યહં

            જે અંતરે કરી પ્રવેશ સૂતેલ મારી વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી

            જે રોમ રોમ મહીં પ્રાણ પુરે પ્રતાપી તે સાઈનાથ પ્રણમું સહ્રદયેથી.

                           गुरु गोविंद दोनो खडे काके लागूं पाय

                        बलिहारी मैं गुरुकी जीन गोविंद दीयो बताय.

1 Comment »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.