ભગવાનને પણ લાંચ !!!

 

 

 

આપણી સંસ્કૃતિના મૂળિયા ઘણા જ ઉંડા અને મજબુત છે. એ સંસ્કૃતિના જે નિયમો અને તેની સાથે જોડાયેલી ઈશ્વરમાં શ્રધ્ધા અને આસ્થામાં કોઈ માણસ બાંધ છોડ કરવા માગતું નથી. દરેકના જીવનમાં સુખ અને દુઃખ જોડાયેલા છે. દુખ દુર કરવા માટે અને સુખની આશામાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.કારણ દુખ કોઈનાથી સહન નથી થતું, દુખ કોઈને ન ગમે એ સ્વભાવિક છે,સુખની પ્રાપ્તિ  માટે મંદિરમાં જઈને પ્રાર્થના કરીને ભગવાનને વિનંતિ કરીએ, આજીજી કરીએ અને સાથે સાથે બોલીએ હે ભગવાન મારું આટલું કામ થશે તો હું તમને આટલા રૂપિયા ભેટ મુકીશ, અથવા તો કોઈ વસ્તુ અર્પણ કરીશ વગેરે વગેરે. બાધાઓ રાખે, ભગવાન તમે મારું કામ કરશે તો તમને હું આ આપીશ અને તે આપીશ. હવે ભગવાને જ આપણને બધું આપ્યુ છે અને તેનુ આપેલુ તેને જ પાછું આપવાનુ અને પાછું આપણે ગાઈએ પણ,  “તેરા તુજ કો અર્પણ ક્યા લાગે મેરા”. જાણે ભગવાનને કંઈ ખબર નથી. ભગવાનના દરબારમાં શું ખોટ છે. જો આપણે કોઈ વસ્તુ અર્પણ ન કરીએ તો શું ભગવાન આપણી પ્રાર્થના ન સાંભળે ? આ તો ખુલ્લે આમ ભગવાનને  લાંચ-રીશવત ઓફર કરી કહેવાય.લગભગ બધા જ લોકો જીવનની કઠીન પરિસ્થીતિમાં આ જાતનો વ્યવહાર ભગવાન સાથે કરતા હોય છે. નાના-મોટા, અમીર-ગરીબ દરેક ભગવાનને પોતાનુ કામ પાર પડે તેના માટે પ્રાર્થના પણ કરે અને બાધા-મંનત માનતા હોય છે. તેમા તેમની પભુ પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા હોય છે. અને સાથે સાથે કંઈક પામવાની અપેક્ષા પણ હોય છે.કંઈક પામવાની લાલચમાં ભગવાન સાથે કંડીશન મુકીને લાંચ ઓફર કરતાં પણ નથી અચકાતા.

અત્યારના સમયમાં બાળકો નાનપણથી જ વધારે પડતા સ્માર્ટ અને બુધ્ધિશાળી હોય છે.૧૯૬૧-૧૯૬૨ ની વાત છે, એ સમયમાં  છોકરા છોકરીઓમાં સ્માર્ટનેશ, અત્યારના છોકરાઓની તુલનામાં ઓછી જોવા મળતી. પાછુ ઘરમાં પણ છોકરીઓ માટે બધી વસ્તુ માટે પાબંધી હોય. છોકરીઓને દરેક વસ્તુ માટે છુટ ન મળે.મને મારી બે સેહેલીઓનો  નાનપણનો કિસ્સો યાદ આવે છે. કોલેજ કાળ દરમ્યાન હિન્દી પિક્ચર જોવાનો તેઓને ઘણો શોખ હતો અને ઘરે તેમના માતુશ્રીને તે સિનેમા જોવા જાય તે પસંદ ન આવે. અને નવું પિક્ચર જોવું હોય.એટલે ઘરેથી માતા-પિતાની રજા લીધા વીના, સહેલીયો સાથે પિક્ચર જોવા માટે ઉપડી જાય, ઘરમાં ખબર પડે કહ્યા વીના પિક્ચર જોવા માટે ગયા એટલે ઘરે જઈને બા ગુસ્સે થવાની નક્કી જ છે. બીક બહુજ લાગે. તેમાંથી બચવા માટે, ઘરની બાજુમાં માતાજીનુ મંદિર છે તેમની પ્રાર્થના ચાલુ થઈ જાય. માતાજીને પ્રાર્થના કરવામાં આવે ” હે મા હું પિક્ચર જોવા આવી છું તેની, મારી બા ને ખબર ના પડે તેનુ ખાસ ધ્યાન રાખજો જો મારી બા ને ખબર નહી પડે તો હું તમને આટલા દીવા કરી જઈશ, આટલા નારિયેળ ચઢાવીશ” વગેરે વગેરે. ન જાણે માતાજીને કંઈ કેટલા બધા દીવા કર્યા હશે અને કેટલા નારિયેળ ધરાવ્યા હશે. અત્યારે જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે તેઓની પર હસવું આવે છે. અને થાય છે ત્યારે મનમાં કેટલી બધી અજ્ઞાનતા ભરેલી હતી.માતાજીને દીવા કર્યા અને નારિયેળ ચઢાવ્યા તે શું એક રીશવત ન હતી ? ભગવાનને લાંચ અપાય ? તે ઉંમરમાં ધર્મ અને શાસ્ત્રોનુ એટલું જ્ઞાન પણ ન હોય એક બીજાનુ જોઈને સાંભળીને અનુકરણ કરતા હોઈએ.જેમ જેમ ઉંમર વધતી જાય તેમ આપણા જીવનમાંથી જ ઘણું  બધું શીખવાનુ મળે.

મુસ્કેલ પળમાં તો ભગવાનની સહાય જોઈતી હોય તો હ્રદયના ઉંડાણમાંથી નીકળેલ પ્રેમ ભર્યા શબ્દોથી પ્રાર્થનાની જરૂર છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. ચોક્ક્સ સહાય કરે છે.ભગવાનને આ દુન્યવી વસ્તુની કંઈ પડી નથી. બધાથી પર છે. અને દરેકના જીવનમાં જે સુખ- દુઃખ આવે છે તે તો કર્મને આધીન છે. ઈશ્વર સ્મરણ અને ભક્તિથી દુખ સહન કરવાનુ આત્મ બળ મળે છે. જે લખ્યું છે તે તો થઈને રહે છે, સુખ-દુખ દરેક માણસે ભોગવવા જ પડે તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.

5 Comments »

5 Responses to “ભગવાનને પણ લાંચ !!!”

  1. DR.CHANDRAVADAN MISTRY on 11 Mar 2013 at 4:25 pm #

    મુસ્કેલ પળમાં તો ભગવાનની સહાય જોઈતી હોય તો હ્રદયના ઉંડાણમાંથી નીકળેલ પ્રેમ ભર્યા શબ્દોથી પ્રાર્થનાની જરૂર છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. ચોક્ક્સ સહાય કરે છે.ભગવાનને આ દુન્યવી વસ્તુની કંઈ પડી નથી. બધાથી પર છે. અને દરેકના જીવનમાં જે સુખ- દુઃખ આવે છે તે તો કર્મને આધીન છે. ઈશ્વર સ્મરણ અને ભક્તિથી દુખ સહન કરવાનુ આત્મ બળ મળે છે. જે લખ્યું છે તે તો થઈને રહે છે, સુખ-દુખ દરેક માણસે ભોગવવા જ પડે તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.
    Hemaben..Read the Post & these final words mean a lot .
    God always listen to the Devotees( with the Shradhdha) !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on my Blog !

  2. DR.CHANDRAVADAN MISTRY on 17 May 2013 at 9:39 am #

    Hemaben….
    After your visit/comment I visited your Blog.
    The last post of 2nd March…I read my comment of 11th March again.
    Thanks for your comment on my Blog.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see a New Post on your Blog soon.
    Your thoughts are “deep”….may you have the opportunity to publish your thoughts as the Posts on your Blog.
    Hope to see you again on Chandrapukar…your point of views on the Posts are appreciated.

  3. Devika Dhruva on 03 Jun 2013 at 7:14 pm #

    સરસ અને સાચા વિચારો..

  4. Gujaratilexicon on 06 Aug 2013 at 6:12 am #

    નમસ્કાર!
    આપનો બ્લોગ ”વિચાર વિસ્તાર- હેમા પટેલ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  5. Gujaratilexicon on 18 Oct 2013 at 5:37 am #

    માનનીય શ્રી,

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

    સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
    ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

    ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

    આભાર,
    ગુજરાતીલેક્સિકોન ટીમ.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.