Archive for May, 2011

શાંતિની શોધ .

આત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં બધીજ જ જગ્યાએ પુરા વિશ્વમાં

અશાંતિ વર્તાઈ રહી છે . કોઈ પણ દેશ , રાષ્ટ્ર  ક્યાંય શાન્તિ નથી . આતંકવાદથી

ઉભી થયેલ અશાંતિ ,જે પુરા દેશને હલાવી દે અને લોકો પણ ભય અને બીકમાં

જીવતા હોય ક્યાંય પોતાની સલામતી દેખાતી નથી .કોઈ પણ વ્યક્તિ સલામત નથી . ઘરની  બહાર નીકળે

પરંતુ દિલમાં એક ડર હોય ,સહીસલામત ઘરે પાછા પહોચાસે કે નહી ? ઘરે પાછા ફરે પછી થોડી રાહત

અનુભવે .

          દુનિયાના દરેક દેશ વચ્ચે પરમાણુ   હથિયારો બનાવવાની એક અજબની હરિફાઈ ચાલી રહી હોય એમ

લાગે છે . ત્યારે દુનિયા આખી યુધ્ધના ભય નીચે જીવતી હોય . માથા પર હમેશા લટકતી તલવાર હોય .

ત્યાં આગળ મગજને શાંતિ ક્યાંથી હોય ? એક દેશ બીજા દેશની ઉઘ હરામ કરી દે .દરેક દેશને પોતાની

પરમાણુ તાકાત વધારવી છે .અત્યંત આધુનીક ઉપકરણો બનાવ્યા અને આ ઉપકરણોની મદદથી જીવન

સરળ બનાવ્યુ , શારિરીક શ્રમ ઓછો કર્યો ત્યારે માનસિક શ્રમ વધી ગયો . જીવન સરળ તો બન્યુ છતાં

પણ માનસિક પરિતાપ વધતો જાય ત્યાં આગળ શાંતિ ક્યાંથી હોય ? જેટલી પ્રગતિ થઈ રહી છે તેની

પાછળ દોડ ધામ પણ એટલીજ વધી ગઈ છે . લોકો દોડ્યા જ કરે , અત્યારે કોઈની પાસે સમય નથી

નિરાંત નથી .અને આ દોડ ધામને લીધે જ અશાંતિ વધી ગઈ છે .

          જીવનમાં માણસ પાસે ધન દોલત જોઈતા પ્રમાણમાં હોય તો પણ , અત્યારે વધારેને વધારે ધન

કેમ ભેગુ કરવુ બસ તેની પાછળ હોય અને આ પૈસા ભેગા કરવા માટે પણ હમેશાં સતત ચિન્તામાં હોય

બિલકુલ શાંતિ ન હોય . ભગવાને બરાબર જ આપેલુ છે છતાં મનને શાંતિ નથી .ઉન્નતિ થાય તો તેમાં

પણ ઓર આગળ વધવાની ઝંખના અને તેને લીધે મન અશાંત બની જાય .માણસની લાલસાઓજ

માણસને અશાંત બનાવી દે છે , અને અમુક વખતે માણસે પોતાની જાતેજ અશાંતિને આમંત્રણ આપ્યુ

હોય . અને સમાજમાં બોલ્યા કરે ભગવાને મને શાંતિ નથી આપી . અત્યારે બાળકથી માંડીને યુવાન

પ્રૌઢ કે વૃધ્ધ માણસો હોય બધાજ એક માનસિક તનાવમાં જીવતા હોય છે . બધાજ શાંતિની ખોજમાં છે

અત્યારે મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા ,ગિરજાઘર બધેજ માનવ સમુદાયનો ધસારો વધતો ગયો  છે , અહિયાં

શાન્તિ છે .નદીયો ,દરિયા કિનારે ,સરોવર ,પર્વતો અગેરે કુદરતી સૌન્દર્ય માણવા માટે લોકોની ભીડ વધતી

જાય છે .માનવ રચિત , મન આનંદમાં રાખવાના સાધનો વધતા ગયા છે , લોકો તેમાંથી પણ આનંદ લેછે

કોઈ સારો માર્ગ અપનાવીને મનની શાંતિ શોધે તો કોઈ વળી ગલત-ખોટી વસ્તુઓમાં મનની શાંતિ શોધે .

 બધી જગ્યાઓએ બસ શાંતિની ખોજ છે . પશ્ચિમી દેશો પણ હવે આપણી સદીયો પુરાણી ધ્યાન – યોગ

પધ્ધતિ અપનાવી રહ્યા છે . ધ્યાન – યોગથી મનની શાંતિ શક્ય છે .ૠષિ પતંજલિ આપણને બહુજ મોટી

અમુલ્ય ભેટ આપીને ગયા છે .

પરંતુ જેટલી શાંતિ શોધે એટલી દુર ભાગે .દરેકનુ મન અશાંત છે . આ અશાંતિ માટે કોણ જવાબદાર છે ?

જીવન વધારે પડતુ વૈભવશાળી બની ગયુ ?એક બીજાની નકલ અને એક બીજા સાથે જીવનની હરિફાઈ ?

અને આ અસ્થિરતા માણસને ઘણી વખત ખોટા વ્યસનો તરફ દોરી જાય .અને પછી બરબાદી શરૂ થઈ જાય.

મનની અશાંતિ મનની અસ્થિરતા ઉભી કરે છે અને માણસને  આપઘાત કરવા માટે પ્રેરે ,તેના માટે જીવન

કઠીન અને અસહ્ય બની જાય ,તેને આપઘાત સિવાય બીજો માર્ગ દેખાય જ નહી . કેટલી મોટી કરૂણા  ?

બાળકો પણ નશીલી દવાઓનુ સેવન ચાલુ કરી દે. આવતી કાલનો નાગરીક જો આ રસ્તા પર ચાલે તો પછી

શુ પરિણામ આવે સમસ્યા તો ગંભીર છે , પરંતુ તેનો ઉકેલ શોધવો મુશ્કીલ છે .આપણે ભગવાનને પ્રાર્થના

કરી શકીએ .

                   ॐ द्यौः शांति रन्तरिक्षः ग्गूम शांतिः

          पृथ्वि शांतिरापः ,  शांति   रोखधयः   शांतिः  ,  वनस्पतयः  ,

       शांति     विश्वे देवाः    शांति ब्रह्म शांतिः , सर्व ग्गूम स्शांतिः ,  शांति रेव शांतिः

       सा मा शांति रेधि ,  सर्वारिष्ट शांतिर्भवतु

       ॐ शांतिः — शांतिः — शांतिः

  શાંતિ કરો પ્રભુ ત્રિભુવનમાં .

  શાંતિ કરો જલ , થલ , ગગનમાં ,

અંતરિક્ષમાં , અગ્નિમાં , ઔષધિમાં ,

વનસ્પતિ , વન-ઉપવન , સકલ વિશ્વમાં ,

જડ-ચતનમાં , શાંતિ રાષ્ર્ટ નિર્માણ સર્જનમાં ,

નગર ગ્રામ અને મારા ભવનમાં

જીવ માત્રના તન-મનમાં અને જગતના

કણ-કણમાં

ૐ શાંતિઃ — શાંતિઃ — શાંતિઃ

1 Comment »

સાહિત્ય સરિતા .

 હુ સાહિત્ય સરિતા…..

મારા દિલમાં ખુશી ન  સમાય  , આજે   કરવી છે  મારા મનની વાત .

ગુજરાતી સાહિત્ય સરિતા મળ્યુ અનોખુ નામ મને, હ્યુસ્ટનમાં રહેવા સ્થાન.

અનેક શિક્ષિત સંસ્કારિ  સભ્યોથી  બન્યો  મારો  સુન્દર સુશોભિત  પરિવાર .

સુશિક્ષિત સાહિત્ય રસિકોએ કર્યુ મારુ લાલન-પાલન, સિન્ચા સાહિત્ય નીર.

હર મહિનાની મિટિન્ગ અને, બનાવી રુડો બ્લોગ ,અને   વિવિધ પ્રવૃતિઓ .

કર્યુ જતન મારુ પ્રેમથી , કરી કાળજી , પ્રેમથી  નિહાળે મને રાત-દિવસ.

અધિક પ્રેમ અને મારા માટેની કાળજી જોઈ મારા આનંદનો  નહી  પાર.

ધીમે ધીમે મોટી થવાને બદલે હુતો , બહુ જલદી દશ વર્ષની થઈ ગઈ .

મારા પરિવારે રાજ્શાહી ઠાઠથી ઉજવી ખુબજ ધુમ ધામથી મારી દશમી,

વર્ષ ગાંઠ , દશાબ્દિ મહોસ્તવ , એક નહી બે બે વખત મનાવી મારી વર્ષગાંઠ.

જેણે માણ્યો પ્રોગ્રામ , ખુશી-ખુશી કરે ચર્ચા ,  બહુજ સરસ , બહુજ સરસ.

આપે અભિનંદન ,વર્ષાવે તારીફ અને ખુશીના પુષ્પો . મારા પરિવારને

ધન્યવાદ પામતા જોઈ ,  હૈયે ગર્વ , અતિ સંતોષ અને આનંદ થાય .

પરિવારના આનંદની તો કોઈ નહી સીમા,   હૈયા હરખથી  છલકાય .

સફળતાના શિખરો પાર કરતાં હવે, દિલમાં એક મનોકામના રજત જયંતિની

માણવો મારે રજત જયંતિ મહોત્સવ , અને મારા પરિવારના દિલમાં ખુશી .

1 Comment »

માટીના મોલ .

માટી , આમ તો લાગે તેની કોઈ કિમ્મત નથી પરંતુ વિચારીએ અને સમજીએ

તો નકામી લાગતી માટીની કિમ્મત ઘણીજ છે ,અણમોલ છે .

અવિનાશભાઈ વ્યાસની એક રચના યાદ આવી જાય છે .

રાખના રમકડા મારા રામે ,રમતા રાખ્યારે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમક્ડાં.

 કવિએ કેટલી મોટી અને ગહન વાત કરી છે .તેમની આ રચના આપણને ઘણુ બધુ કહે છે .

ઈશ્વરે જીવ માત્રની રચના માટીમાંથી કરી છે ,માટીમાંથી માનવ જાતનુ સર્જન થયુ છે અને અંત સમયે

પણ અંતિમ પડાવ આવે ત્યારે આપણે માટીમાં જ ભળી જ્વાનુ છે .

આપણે હમેશાં બોલતા હોઈએ છીએ કોઈની સાથે સબંધ નહી બગાડવાનો ,ચપટી ધૂરની પણ જરૂર પડે ,

ચપટી ધૂરનો પણ ખપ છે .આ ચપટી ધૂર ,આ માટી કેટલી અણમોલ છે .ધૂર આંખમાં પડે તો તકલીફ થાય

પરંતુ આ જ ધૂર શ્રી ક્રિષ્ણ ચરણ રજ બનતાં જ પવિત્ર અને અણમોલ બની જાય છે જે દુર્લભ છે .નસીબવંત

આ ચરણ્રરજ પામી શકે .માટીના ધૂરના એક રજક્ણની જો આટલી મહિમા હોય તો માટી કેટલી બધી

મહત્વની છે .જેમ માણસ પંચ મહાભૂતમાંથી બને છે અને પંચમહાભૂતમાં સમાઈ જાય છે ,આ પંચમહા

ભૂતમાં એક તત્વ પૃથ્વીની-ધરતીમાતાની માટી છે .

માટીમાંથી માનવ સર્જાયા અને માનવનુ ભરણ પોષણ માટી જ કરે છે . માટીમાં બીજ વાવતાં જ આપણને

અન્ન,ફળ,ફુલ અને વૃક્ષો ઉગી નીકળે .વૃક્ષો જો પક્ષીઓનુ આશ્રય સ્થાન અને મીઠી છાંવ છે તો મનુષ્યને

પણ આશીયાના બનાવવામાં મદદ રૂપ થાય . આમ જોઈએ તો મનુષ્યની છત્ર છાયા માટી જ છે . જુના

જમાનામાં જ્યારે સંસ્કૃતિ આટલી વિકસેલી હતી નહી ત્યારે ઉપયોગી વાસણો માટીમાંથી બનતાં. અને

આજની તારીખમાં ઉનાળામાં માટલાનુ પાણી ,કુદરતી ઠંડક, મીઠાસ અને મહેક લોકો માણે છે .આપણે

પરદેશમાં આવીને વસ્યા પરંતુ માટલાનુ ઠંડુ અને સુગંધી વાળુ પાણી આજે પણ નથી ભૂલાતુ .ફ્રીજના

પાણીમાં એ ગુણવત્તા ક્યાં છે જે એક માટલાના પાણીમાં છે .આપણા દેશમાં ક્લાઢામાં બનતી ભાખરી

અને બાજરાના રોટલાની મઝા આવતી હતી તે મઝા આજે નોનસ્ટીક પેનમાં બનતા  રોટલા ભાખરીમાં  ક્યાં

આવે છે .આજે પીવાય છે ફ્રીજની બોટલનુ પાણી , કુજાના પાણીની વાત સાવ જુદીજ છે .ભારતમાં ઘણી

જગ્યાએ કુલડીમાં ચ્હા આપવામાં આવે  છે ,માટીના વાસણમાં દહી જમાવે છે , વાહ ભારત દેશની શુ વાત

કરવી  જીવન જીવવાની એક અલગ અને અનોખી રીત-ભાત છે .દરેક વસ્તુની મહત્વતા સમજે ,અને પ્રેમથી

અપનાવી લે.

ધન્ય છે કુભાર જાતીને જેણે માટીના મોલ સમજીને માટીને ગલે લગાવીને માટીનો વ્યવસાય અપનાવ્યો.

તેને રાત-દિવસ માટીમાં જ રમવાનુ , માટી જ તેની જીન્દગી .ગોરા કુભારને કેમ ભુલી જવાય , તેમણે

શ્રી ક્રિષ્ણ ભક્તિ કરતા કરતા પોતાનો વ્યવસાય કર્યો છે .ભક્તિ સાથે તેમણે તેમનો વ્યવસાય નથી છોડ્યો.

અને ભક્તિમાં લીન પોતાના નાના બાળકને માટીની સાથે પગથી ગુદી નાખ્યો .પ્રભુએ તેમની ભક્તિની

પરિક્ષા કરી પરંતુ તેમણે પ્રભુ ભક્તિ અને સ્મરણ નથી છોડ્યુ .

 મનુષ્ય જીવનમાં માટીના મોલ બહુજ  ભારી   છે ,  તો આજે અણમોલ માટીમાંથી બનેલ માટીનુ પૂતળુ 

 મનુષ્ય , માનવ બનીને   માનવ ધર્મ   નિભાવે તો દુનિયામાં સુખ-શાંતિ બની રહે .

3 Comments »

બન્યુ તે જ ન્યાય .

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.

એક  ક્ષણ  પણ  આ  કુદરત જે  છે તે  અન્યાયને પામી  નથી .

કુદરતના  ન્યાયને જો સમજે ,”  બન્યુ  તે ન્યાય ”

તો તમે  આ જગતમાંથી  છૂટા  થઈ  શકશો .

નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો

કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .

કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .

 જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને

જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .

જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..

એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .

આ જગતમાં ન્યાય ખોળશો નહી …..

જગતમાં ન્યાય ખોળવાથી તો આખા

જગતની લડાઈઓ ઉભી થઈ છે …..

જે   બનુ   છે   એ   જ   ન્યાય   છે …..

ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .

ન્યાય – અન્યાયનુ  ફળ એ તો   હિસાબથી આવે છે .

( શ્રી દાદા ભગવાન ).

3 Comments »

મા .

મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી

તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ .

પ્રેમ સરિતા તૂ , વહે અવીરત અગાધ વાત્સલ્ય .

હેતનો  મહા સાગર  તૂ , જેમાં કદી ન આવે ઓટ ,

નીત   વ્હાલના ઉછળે મોજાં ,  પ્રેમ તણુ કવચ .

તારા આંચલમાં મીઠી છાંવ , શીતળતા ઘનેરી .

તારા આંચલની છાંવમા  સ્વર્ગનુ  સુખ   સમાય .

મારા દુખમાં રોએ તૂ , સુખમાં રોએ સુખના આંસુ

મારા સુખમાં આનંદે મ્હાલે તૂ ,દુખમાં તૂ ચિન્તિત.

પર્વત સમા વેઠીને દુખ ,  મુજને અર્પણ કર્યા સુખ .

તારા આશિર્વાદમાં  શક્તિ ,તારા પ્રેમમાં શક્તિ.

તારા ગુણ ગાન માટે શબ્દો પડે છે  ઓછા .

અધિક મમત દેખી નીરખુ પ્રભુની મુરત તુજ મહી .

ભગવાન કે ઈશ્વરથી તુ નથી કમ .

તારુ રૂણ ચુકવુ કેમ કરી હુ ,  શુ કરૂ   ઉપાય ?

માની સેવા કરી , માના કલેજાને ઠંડક આપી ,

કરવી કોશીશ , આભાર માનવાની ,

રુણ તો કદી  ચુકવવા ન કોઈ શક્તિમાન .

( Happy  mothers  day ).

8 Comments »

આશા-નિરાશા .

આશા અને નિરાશાઓમાં ઉલઝી જીન્દગી .

સુખ અને દુખના તારોથી જોડાઈ જીન્દગી .

હસી- ખુશીના રંગોના છાંટણાથી    રંગાઈ .

હર પળ ઝંખના, આશા,  ખુશી-આનંદની.

આશા-નિરાશા , સુખ-દુખ એ મનના  ખેલ.

સુખ-દુખ એતો કર્મના લેખ , ન તેનો અંત .

ભાગ્યમાં લખ્યુ એટલુ અને નક્કી સમયે પામે.

માગ્યુ કદી મળે નહી ,  ખાલી થાવુ નિરાશ.

સ્થિતપ્રજ્ઞ બનતાં ,    સમજાય ભેદ ભરમ .

સ્થિતપ્રજ્ઞ તો મ્હાલે નિજાનંદમાં હરપલ .

ન કોઈ દુખ, આશા- નિરાશા, પરમ શાંતિ .

આનંદ-આનંદ-આનંદ .   સત-ચિત્ત-આનંદ.

2 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.