બન્યુ તે જ ન્યાય .
જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.
એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી .
કુદરતના ન્યાયને જો સમજે ,” બન્યુ તે ન્યાય ”
તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો .
નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો
કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .
કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .
જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને
જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .
જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..
એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .
આ જગતમાં ન્યાય ખોળશો નહી …..
જગતમાં ન્યાય ખોળવાથી તો આખા
જગતની લડાઈઓ ઉભી થઈ છે …..
જે બનુ છે એ જ ન્યાય છે …..
ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .
ન્યાય – અન્યાયનુ ફળ એ તો હિસાબથી આવે છે .
( શ્રી દાદા ભગવાન ).