વેલેનટાઈન ડે.

વેલેનટાઈન ડે, પ્રેમ માટે મશહુર છે. આખી દુનિયા આ દિવસ ઘણીજ ખુશી અને બધા પોતાની રીતે ઉજવે છે. જેના નામ પરથી આ દિવસ ઉજવાય છે,તેમનુ નામ છે વેલેનટાઈન.ત્રીજી સદીમા રોમની અન્દર કેથોલીક ચર્ચમા તે પ્રીસ્ટ (પંડિત),સેન્ત હતા. તે વખતે રોમનો રાજા ક્લોડીયસ-૨,વિચારતો હતો લગ્ન કર્યા વિનાનો સિપાઈ સારો સિપાઈ બની શકે એટ્લે તેણે સિપાઈઓએ લગ્ન નહી કર્વાનો કાયદો બનાવ્યો છ્તાપણ વેલેનટાઈન છુપી રીતે પ્રેમી  યુગલને લગ્ન કરાવી આપતા હતા. જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેણે વેલેન્ટાઈનને ફાસીની સજા આપી.

        બીજા કોઈનુ માનવુ છે કે વેલેનટાઈનને જેલમા જેલરની છોકરી સાથે પ્રેમ થયો હતો અને મર્તા  પહેલાતેમણે   તેમની પ્રેમિકાને  પ્રેમપત્ર લખ્યો હતો અને નામ હતુ( તારા વેલેનટાઈન તરફથી )આધેડવયની ઉમરે તેમને પ્રેમ થયો હતો.તેમનુ જે વ્યક્તિત્વ હતુ તે બહુ્જ પ્રભાવશાળી હતુ તેને લીધે તે ઈન્ગલેન્ડ અને ફ્રાન્સમા ઘણાજ મશહુર સેન્ત હતા.

         કોઈ વળી એમ માને છે,    રોમન જેલમાથી કેદીઓને મુક્ત કરવામા મદદ કરતા હતા એટ્લે તેમને મારીનાખવામા આવ્યા. આમ પોતે દુનિયાને પ્રેમનો સન્દેસ આપીને ગયા અને ઈતિહાસમાં અમર બની ગયા.આજે પણ તેમની યાદમા આ દિવસ દુનિયાભરમા ઉજવાય છે.

           પ્રેમ એ ભગવાને મનુશ્યને  આપેલી  એક અણમોલ ભેટ છે, પ્રેમ વિના જીવન અશક્ય છે.માણસનેસૌથી વધારે ભુખ પ્રેમની છે, કોઈ પણ ઉમર હોય, બાળક,યુવાન,આધેડ અને વૃધ્ધ દરેક્ને પ્રેમની જરુર છે.માણસના જીવનમા પ્રેમ હશે તો તેને જીવન એક્દમ ખુશ અને સુખી લાગશે, જીવન જીવવા જેવુ લાગશે.જીવનમા પ્રેમ નહી હોય તો જીવન નિરસ અને દુખી લાગશે.ભગવાને આપણામા જે ત્રણ ગુણો, તમોગુણ,સત્વગુણ અને રજોગુણ આપ્યા છે તેને લીધેજ આપણને બધી લાગણીનો અનુભવ થાય અને આપણેએક બીજાને પ્રેમ કરી શકીયે છીયે. પ્રેમ એટ્લો ઘહેરો વિષય છે કે જેના ઉપર આખુ પુસ્તક લખી શકાય.ભગવાને જીવન આપ્યુ , તો જીવનમાથી નફ્ર્રત,ઈર્શા,વેરઝેર મુકીને,છોડીને  બસ બધા માટે દિલમા પ્રેમ રાખવો જોઈએ. પ્રેમથીજ જીવેલુ જીવન ધન્ય છે.

No Comments »

શિવ.

      (આ રચનાઓ સ્વરચિત નથી).

 (૧) —-                 [  શંકરજીની ધુન]

ૐ ધિમીક  ધિમીક ધિમ,  ધિમીક ધિમીક ધિમ,  – નાચે ભોલા નાથ .—- ૨

બ્રૂદંગ બોલે,   શિવ  ૐ    શિવ  ૐ  —– ૨

ડમરુ બોલે,   હર હર હર  ૐ             —- ૨

વિણા બોલે,   હરિ ૐ   હરિ   ઓંમ ——૨

નાચે ભોલા નાથ,      નાચે ભોલા નાથ . —– ૩ 

 (૨)

વિશ્વનાથ  જય, અમરનાથ જય,

ભુતનાથ ઉમાપતિ….બમ બમ બમ ભોલા ભોલા—-.

ચંન્દ્ર્શેખરા, જટાશંકરા, નીલકન્ઠ જય પશુપતિ—–.

બમ બમ બમ ભોલા ભોલા ——.

(૩) —  ભજન.

   સતસૃશ્ટિ તાંડવ રચઈતા, નટરાજ રાજ નમો નમહ —-૨.

   હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો  નમહ —–૨.

  ગંભીર નાદ મૃદંગના,  ધબકે ઉરે બ્રહ્માડ્માં  —— ૨.

  ધ્વનિ નીત્ય નૃત્ય પ્રચંડમા, નટરાજ નમો નમહ — ૨

  શીર જ્ઞાન ગંગા ચન્દ્ર્માં ,ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમા—૨.

   વિષ નાગ માલા કંઠમા,  નટરાજ રાજ નમો નમહ —૨.

  તવ શક્તિ વામાંગે સ્થિતા, હ્રીમ ચંડિકા અપરાજીતા—૨.

  ચહુ વેદ ગાયે સંહિતા, નટરાજ રાજ નમો નમહ  —– ૨.

No Comments »

શીવ-શક્તિ.

આપણા દેશમા હિન્દુ ધર્મ હ્જારો વર્ષથી ચાલી આવે છે અને હિન્દુ ધર્મ એટલે શીવની ઉપાસના.એક્જ ધર્મ હ્તો એટલે શંકરભગવાનની પુજા કરવામાં આવે છે.શીવની મહિમાનુ વરણન કરવા માટે આપણે અસર્મથ છીયે.આજે શીવરાત્રિના દિવસે શીવ ઉપાસનાનુ ઘણુજ મહ્ત્વ છે.શીવ ચરિત્ર મહાન છે,એટ્લેજ શીવ મહાદેવ છે.કૈલાસ પર માશક્તિ સાથે બિરાજમાન છે છ્તા પણ હમેશા સમાધિઅવસ્થામાં હોય છે.તેમનુ આસન અને   પહેરવેશ વાધચર્મ-મૃગચર્મ.શરીર પર સ્મશાન ભસ્મ, ગળામાં સર્પમાલા,માથે ચન્ર્દ અને ગંગાજી,હાથમાં ત્રિશુર-ડ્મરુ, ભાલમાં ત્રિનેત્ર, આ કેટ્લુ અલૌકિક સ્વરુપ!! આ સ્વરુપના દર્શન કરતા મન ભરાતુ નથી, વારમવાર દર્શન કર્વાનુ મન થાય.

ભોલેનાથ – ભગવાન   બહુ્જ ભોળા છે, ભક્ત ઉપર  બહુ જ્લ્દી પ્રસન્ન થાય છે,

નીલકંઠ – જેમણે સમુદ્ર મંથન વખતે નીક્ળેલ ઝેર પોતે પી ગયા.

મહાદેવ – જે બીજા દેવો કરતા અલગ ચરિત્ર ધરાવે છે,સતત રામ નામ સમાધિમા હોય છે.

            તેમનુ સ્વરુપ અલૌકિક છે,પુજનીય છે. આમ શ્રી મહાદેવના તેમના ચરિત્ર પ્રમાણે  અનેક નામ છે ભગવાન શીવ તેમના ચરિત્રના દર્શન કરાવીને આપણને ઘણોબધો ઉપદેશ આપે  છે.

 ( શિવ શિવ રટો ઓ મન મેરે, સબ દુખ દરિદ્ર દુર હો તેરે

ભોલા શંભુ હે શિવ શંકર,  તુમ હી પાલક હો શિવ મેરે

 હે ગિરિજા પતિ ગંગાધારી, તુમ્હરી શરણમે સુખ ઘનેરે

 મંગલકારી હે ત્રિપુરારી, સુર નર ધ્યાવે સાજ સવેરે

  હે મ્રુત્યુન્જય હે મહદેવા, જનમ-મરણ કે ટાલો ફેરે.)

No Comments »

સુખ- દુખ .

         સુખ અને દુખ આ  બન્ને વસ્તુ દરેક્ના  જીવનમાં સમાયેલુ હોય છે .દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુખ બંન્ને આવે છે .આપણી સામે જે પરિસ્થિતી આવે અને તે પરિસ્થિતી આપણા મનને ગમે નહી ,આપણા દિલને ગમે નહી એટ્લા સમય પુરતુ તે પરિસ્થિતી આપણને અનુકુળ ન આવે , જીન્દગી ઉદાસ થઈ જાય ,જીવન નીરસ લાગે આ પરિસ્થિતીને દુખ    કહે છે .ખરેખરતો જીવનમાં દુખ આવ્યુ જ નથી ,દુખ આવ્યુ છે માણસના મનમાં અને દિલમાં .હવે આજ પરિસ્થિતીને જીવનમાં તેનો સામનો કરીને શાન્તિથી વિચારીને તેને જરા પણ મનમાં લીધા વીના આરામથી રહીયે તો મન ઉપર તેમજ દિલ ઉપર જરાય બોજો રહેતો નથી ,હળવાશ આવી જાય તો પછી એ દુખ છે જ નહી .

           હવે બીજી રીતે જોઈએ તો આપણા જીવનમાં જે પરિસ્થિતી આવે અને આ સમયે આપણુ મન, આપણુ દિલ એક્દમ ખુશ હોય ,જીન્દગી આનંદમય લાગે, આજુબાજુના વાતાવરણમાં પણ ખુશીનો અનુભવ થાય ત્યારે આ પરિસ્થિતીને સુખ  કહેવાય છે . એટ્લે સુખ અને દુખ એતો મનનો ભ્રમ છે. દરેક વ્યક્તિના ઉપર આધાર છે કે ગમે તેવી પરિસ્થિતીમાં તે કેવી રીતે રહે છે ,એટ્લે આપણે પોતેજ આપણા મન અને આપણા દિલમાં ,આપણા જીવનમાં સુખ દુખ ઉભા કરીયે છીયે . અગર આપણને સુખ દુખનો હર્ષ શોક થાય તો સુખ દુખ તો આપણા કર્મનુ ફ્ળ છે .એટ્લે સુખ દુખનો હર્ષ શોક કરવાનો ન હોય.

                                          નરસિહમહેતાએ ગાયુ છે- ,

                    “સુખ દુખ મનમાં ન આણીયે ઘટ સાથે રે ઘડીયા

                     ટાળ્યા તે કોઈના નવ ટળે રખુનાથના જડીયા “.

No Comments »

ભક્તિ – ૪.

શ્રી ક્રિષ્નએ ગીતામાં ૧૮ અધ્યાયમાં જુદા જુદા યોગ બતાવ્યા , તેમાં બારમો અધ્યાય ભક્તિ યોગ છે ,બારમા અધ્યાયનો ,૧૮ અને ૧૯ મો ષ્લોક દિલને સ્પષ કરી જાય છે. આમતો દરેક અધ્યાયના બધાજ ષ્લોક તત્વ જ્ઞાનથી ભરેલા છે .શ્રી ક્રિષ્ણએ ગીતાનો ઉપદેશ આપીને આપણને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે .તે ઉપરાત બ્રહ્મજ્ઞાન પણ આપ્યુ છે .બારમા અધ્યાયમાં ભગવાને ભક્તના ગુણોનુ વર્ણન કર્યુ છે ,જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો જો ભક્તમાં હોય તો આ ભક્ત ભગવાનને ઘણોજ પ્રિય છે .

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન પ માન યોઃ

શિતોશ્ણ સુખ દુખેષુ સમઃ સંગ વિવરર્જિતઃ”  ———————૧૮.

તુલ્ય નિન્દા સ્તુતિ મૌની સંતુષ્ટો યેન કેન ચિત

અનિકેતઃ સ્થિર મતિ  ભક્તિ માન્મે પ્રિયો નરઃ“——————- ૧૯.

        અર્થાત જે વ્યક્તિને મિત્ર અને શત્રુ તરફ એક સરખો ભાવ છે,એનો અર્થ એક્જ થાય આ વ્યક્તિની દ્રશ્ટિ કેટ્લી વ્યાપક છે ,જે તે બધાને સમાન ગણે  છે, તેના જીવનમાં કોઈ શત્રુ છે જ નહી ,તેને કોઈની માટે ભેદભાવ નથી . આ વ્યક્તિને માન અપમાનની કોઈ પર્વા નથી , કોઈ માન આપે તો પણ ઠીક છે, ન આપે તો પણ ઠીક  છે , માન અને અપમાનને સમાન ગણે છે. જેને    ઠંડી ગર્મી  સુખ દુખ  સરખા છે ,જે સંગ દોષ રહીત છે ભક્ત હમેશા ખરાબ જ્નોના સંગથી દુર રહે છે ,ભક્ત ગમે તેવી પરિસ્થિતીમાં રહી શકે  છે .દરેક વસ્તુમાં તેને ધૈર્ય હોય છે.

       કોઈ ખોટા વખાણ કરે કે નીન્દા કરે પરન્તુ સાચો ભક્ત સ્તુતિ નીન્દાથી દુર રહે છે અને હમેશા  આ  બે વસ્તુ માટે તે મૌન રહે છે .તેને ભગવાને જે પરિસ્થિતીમાં રાખ્યો છે તેમાં તેને સંતોષ છે , તેને ઘરબારમાં રસ નથી એટ્લે પોતાનુ જે નિવાસ્થાન છે તેમાં પણ તેને માયા નથી , આસક્તિ નથી .તે જ્ઞાની છે એટ્લે દ્ર્ઢ નિશ્ચય વાળો સ્થિતપ્રજ્ઞ છે .ભગવાન  કહે  છે આવો ભક્ત મને ઘણોજ પ્રિય છે . આપણે  ક્રિષ્ન ભક્તિમાં સ્થિર થઈએ તો  ધીમે ધીમે બધા ગુણો આપણામાં આવતા જાય .આ  બધા ગુણો જ સાચા ભક્ત  બનાવી શકે .

No Comments »

પરમતત્વ .

આસૃષ્ટિનો  સર્જનહાર કોણ  છે ? કેવો છે ?

એ તારણહાર છે ,આ તારણહારને પામવુ છે,અસર્મથ છે .

આ તારણહાર કોણ છે ?  કેવો છે?

એ પાલનહાર  છે ,આ પાલનહારને જાણવો છે , શ્રધ્ધા નથી .

આ પાલનહાર કોણ છે? કેવો છે ?

એ પાલક પોષક છે ,આ પાલક પોષક્ને જાણવો છે ,ધીરજ  નથી .

આ પાલક પોષક કોણ ? કેવો છે ?

એ અનંત અવિનાશી  છે ,આ અનંત અવિનાશીની અનુભુતિ કરવી છે,તંતુ જડ્તો નથી .

આ અનંત અવિનાશી કોણ છે ? કેવો છે ?

એ સૃષ્ટિમાં રંગ ભરનાર ચિત્રકાર છે ,આ  ચિત્રકાર ને નીરખવો છે ,દિવ્ય દ્રષ્ટિ નથી .

આ રંગ ભરનાર ચિત્રકાર કોણ છે ? કેવો છે ?

એ મન મોહક છે ,આ મન મોહન સાથે મન જોડવુ છે,બ્રહ્મજ્ઞાન નથી .

આ મન મોહન કોણ છે ? કેવો છે ?

એ પરમ તત્વ પરમાત્મા છે ,આ  પરમાત્માને આત્મા સોપવો છે , શુધ્ધ પ્રેમ ભક્તિ નથી .

આ  પરમ તત્વ પરમાત્મા કોણ છે ? કેવો છે ?

એ અનંતકોટી બ્રહ્માંડ્નાયક  છે ,આ  બ્રહ્માંડ્નાયક્નો સાક્ષાતકાર કરવો છે ,શુધ્ધ મન બુધ્ધિ નથી

આ અનંતકોટી બ્રહ્માંડ્નાયક કોણ છે ? કેવો  છે ?

એ પુર્ણ પુરુષોતમ છે ,આ  પુર્ણ પુરુષોતમને પામવુ છે,દિવ્ય જ્ઞાન નથી .

No Comments »

સદગુરુ.

         ભક્તિ માર્ગમાં પરર્માત્મા સમીપ જવા માટે સદગુરુની બહુ જ જરુર છે, ગુરુના સાનિધ્યમાં રહેવાથી ,ગુરુ સતત જ્ઞાન આપે એટ્લે આપણે સહેલાઈથી અને સમજીને ભક્તિ કરી શકીયે. આપણા શાસ્ત્રમાં પણ ગુરુનુ ઘણુજ મહ્ત્વ છે.દરેક ધર્મ અને સંપ્રદાયમાં ગુરુ હોય અને પોતાના સંપ્રદાય પ્રમાણે ભ્ક્તોને જ્ઞાન આપે.અને ભકતો પણ ગુરુએ જે જ્ઞાન આપ્યુ હોય, જે માર્ગ બતાવ્યો હોય એ પ્રમાણે ચાલે,ગુરુની આજ્ઞા સ્વિકારે.

          આપણે જાણીયે છીયે સતયુગ,ત્રેત્રાયુગ,દ્વાપરયુગ અને ક્લીયુગ આ દરેક યુગમાં ભક્તિ માર્ગ પર ચાલવા વાળાઓએ પોતાની સમજ પ્રમાણે યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવ્યા છે. રામ અને ક્રિષ્ન એ પણ પોતે સ્વયમ પરમાત્મા હોવા છ્તા તેઓને પણ ગુરુ હ્તા.પુસ્તકનુ જ્ઞાન ભક્તિ માટે પુરુ નથી,ગુરુની જરુર છે.સાચા ગુરુ પ્રખર સાધના કર્યા પછીથી જ શિષ્યને જ્ઞાન આપે. હવે બીજી રિતે જોઈએ તો, ગુરુ એટ્લે કોઈ વ્યક્તિ આપણને બોધ,આપેએમાંથી કૈક શીખીયે,આપણને મગજમાં કોઈ ચેતના જાગૃત થાય અને આપણે આપણો જીવન રાહ બદ્લી શકીયે તે આપણા ગુરુ. નાનુ બાળક  પણ ગુરુ બની શકે , આપણા જીવનમાં ઘણા બધા માણસો ઘણુ બધુ ક હે્તા હોય છે કોઈક વખત અમુક શ્બ્દ બોલવાથી આપણને જાગ્રુતિ આવતી હોય છે ત્યારે તે વ્યક્તિ આપણો ગુરુ ક હે્વાય.એટ્લે એક વ્યક્તિના જીવનમાં એક નહી પરન્તુ અનેક ગુરુ પણ હોઈ શકે.

2 Comments »

કર્મ.

સામાન્ય રીતે એવુ કેહવાય છે કે માણસ જ્ન્મે ત્યારે ખાલી હાથે આવે છે અને મરી જાય ત્યારે ખાલી હાથે જાય છે. પરંન્તુ માણસ જ્ન્મે ત્યારે તેના પૂર્વ જ્ન્મના કર્મ,પાપ, પુન્ય અને પ્રારબ્ધ લઈને આવે છે,ખાલી હાથે આવતોજ નથી. અને જ્યારે મરી જાય છે ત્યારે કર્મ,પાપ અને પુન્ય સાથે લઈને જાય છે.આત્મા સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે આવે છે અને સાથે જાય છે.

કર્મ એવી વસ્તુ છે કે જેના ઉપર આપણા આખા જીવનનો આધાર છે.જ્ન્મ મૃત્યુ ક્રર્મને આધીન  છે.પાપ પુન્ય પણ કર્મને આધીન છે આપણા સ્વભાવ પ્રમાણે આપણે કર્મ કરીયે છીયે.આપણો સ્વભાવ જ્ન્મ કુન્ડ્લીના આપણા ગ્રહો ઉપર અને અમુક આપણા જીનમાં આવે.છતા પણ આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે,સત્સંગ, ગ્રન્થોનુ વાંચન,

ક્થા શ્રવણ અને ભક્તિ કરવાથી આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે. ભગવાને આપણને એવી શક્તિ આપી છે  આપણે જેવી ઈચ્છા કરીયે એવા આપણે બની શકીયે.એટ્લે સારા ખોટા કર્મ કરીને આપણે જ આપણુ પ્રારર્બ્ધ નક્કી કરીયે છીયે.એટલે ફ્રરીથી જ્ન્મ કે મોક્ષ તે આપણા હાથમાંજ છે. સુખ દુખ,જ્ન્મ, મોક્ષ બધુજ કર્મને આધીન છે.જીવનમાં એક કર્મ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે. પરંન્તુ આ શ્બ્દ્જ કોઈ સમજી શકતુ નથી.યોગ દ્વારા પ્રાણાયમથી આપણે ઈન્દ્રીયોને વશમાં કરીને એકાગ્રતા લાવીને આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે,વિચારો બદ્લાશે અને ત્યારેજ આપણ્રે સારા કર્મ કરી શકીશુ.

કર્મ સુધરશે એટ્લે બીજો જ્ન્મ પણ સુધરી જવાનોજ છે.

No Comments »

ભક્તિ-૩

        ભક્તિ માટે જ્ઞાન જોઈએ તો જ્ઞાન ગુરુ પાસેથી મળી રહે અને ગ્રન્થોમાંથી મળે,ક્થા સાભળીને અને સતસંગથી મળે આપણા સૌથી મોટા ગુરુ શ્રી કૄષ્ણ જેમણે આપણને ગીતાનો ઉપદેશ આપીને  આપણને  જ્ઞા ન આપીને જીવન જીવવાનો રાહ બતાવ્યો . મોટા ભક્તોના જીવન ચરિત્ર વાંચવાથી આપણને ભક્તિ વિષે ઘણુજ જાણવાનુ મળે છે.

        આપણો દેશ કેટ્લો ભાગ્યશાળી છે કે જેને મોટા ભક્તો મળ્યા છે.શંકરભગવાનનો અવતાર શ્રી હનુમાનજી, તેઓ શ્રી રામ ભક્ત છે,શબરી, રાજા અમરિષ,રાજારુષભદેવ, રાજા ભરત,ધ્રુવ, પ્રહલાદ,ક્બીર,સુરદાસજી,એક્નાથ, નામદેવ,તુકારામ,મીરાં,નરસિહમહેતા,ગોરાકુભાર . તે ઉપરાન્ત  કૈક કેટ્લાય ભકતો થઈ ગયા હ્શે.અને આ બધાજ મોક્ષને પામ્યા છે.અત્યારે આપણે બધાજ ભક્તિ કરીયે છીયે પરંન્તુ બધા મીરા અને નરસિહમહેતા ન બની શકે .તેના માટે પણ ભગવાનની મહેરબાની જોઈએ ભગવાનની કૃપા ન હોય તો ભકતિ પ ણ થઈ શક્તી નથી.

       એટ્લુ તો ચોક્ક્સ છે આપણે  રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વગુણ અપનાવી ભગવાનને ભજવાના છે.્ભગવાન શુધ્ધ મન,શુધ્ધ હ્ર્દય,શુધ્ધ બુધ્ધિ માગે છે. અને શુધ્ધ પ્રેમ માગે છે.

No Comments »

ભક્તિ-૨

          સામાન્ય રીતે જીવનમાં આપણે જે ક્ષેત્રમાં જવુ હોય તે ક્ષેત્રની માહીતી ભેગી કરીયે પછીથી તે ક્ષેત્રમાં જઈએ , તેમ ભક્તિમાં સૌથી પ્રથમ જ્ઞાનની જરુર છે,પછીથી નીયમ,ધ્યાન,જપ,તપ,વ્રત યોગ અને સૌથી મહ્ત્વનુ પ્રભુ પ્રત્યે પ્રેમ.અને તે ઉપરાન્ત શ્રી ક્રિષ્ને ગીતામાં  ભક્ત્ના જે ગુનોનુ વણન  કર્યુ છે તેવા બનવાની જરુર છે.

       આ બધી વસ્તુ સાથે ભક્તિ કરીયે, તે ભક્તિ સૌથી ઉત્તમ ભક્તિ છે. સંસારમા પરિવાર સાથે રહીને ભક્તિ કરવી બહુજ અઘરુ છે,ભગવાને માયા મુકી છે,અને પોતાની તરફ આવવા માટે માયા છોડ્વાની    કહુયુ  છે.આ બ હુ્જ કઠીન છે,આના માટે સતત ધ્યાન અને યોગની જરુર છે. ધ્યાન કેન્દ્રીત કરવા માટે મંત્રજાપ પણ ઘણાજ મહ્ત્વના છે. નિયમિત ભક્તિ કરીશુ તો બધુજ ધીમેધીમે આવતુ જ્શે .

No Comments »

Next »

Powered By Indic IME