પ્રેમની અતિશયોક્તી.

સમગ્ર સંસાર પ્રેમને આધારે ટકી રહ્યો છે. જો દુનિયામાં પ્રેમ ન હોય તો દુનિયા ટકે નહી. પ્રેમ દોરથી સમગ્ર સંસારના જીવ એક બીજા સાથે બંધાયેલ છે. પ્રેમ વીના જીવન શક્ય જ નથી. મનુષ્યના દરેક ભાવ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ વગેરે મનને આધીન છે જ્યારે પ્રેમ એ આત્માનુ સ્વરૂપ ગણાય. મનુષ્ય શરીરમાં આત્મા એ અનંત છે. આત્મા એ આનંદ અને પ્રેમ સ્વરૂપ હોવાથી , દરેક વ્યક્તિના દિલમાં પ્રેમ ધડકતો રહે છે. પ્રેમના સ્વરૂપ બદલાય પરંતું તેનો ભાવ નથી બદલાતો. વ્યક્તિના એક બીજા સાથે સબંધ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન,સંતાન પ્રત્યેનો પ્રેમ,પતિ-પત્ની, મિત્રતા આમ એક બીજાના સબંધોને આધારે આપણે પ્રેમને જુદા સ્વરુપ આપ્યા છે. સૌથી શ્રેષ્ઠ માતાનો પ્રેમ ગણ્યો છે જ્યાં બિલકુલ લાલચ, કોઈ આશા, અપેક્ષા હોતી નથી, જ્યાં માના દિલમાં મમતાનુ ઝરણુ અવીરત વહેતુ રહે છે. બીજો શ્રેષ્ઠ પ્રેમ  ભગવાનનો તેમના ભક્ત પ્રત્યેનો  છે જેને એકદમ ઉંચો ગણ્યો છે.

હમણા જ એક સત્ય બની ગયેલો કિસ્સો સાંભળીને આ લેખ લખવાની પ્રરણા મળી. માતા-પિતાએ એકના એક દિકરાને ઈન્ડિયા જઈને લગ્ન કરાવી આપ્યા. છોકરો બ્રિટશ બોર્ન, પરંતુ માતા-પિતા અમેરિકા મુવ થયા એટલે દશ બાર વર્ષથી અમેરિકામાં રહે છે. આ છોકરો  નાદાન, ભોળિયો, જેનાથી કપટ વગેરે કોસો દુર છે. એકદમ ડાહ્યો છોકરો.આ છોકરો તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે.છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી ,  અહિયાં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વધી ગઈ. મૉઘી  મૉઘી ચપલ,સુઝ, ઘડિયાળ,કપડાં,ખોટી જ્વેલરી, રેસ્ટોરંટમાં  ખાવા-પીવાનુ વગેરે વધી ગયુ. તેનો પતિ તેને પાણી માગતાં દુધ હાજર કરે. પૈસાનો આટલો મોટો બગાડ કરવા છતા  તેણે તેને કોઈ દિવસ રોકી નથી કારણ શું  ? કેમ કે તે તેને અતિશય પ્રેમ કરે છે, તેને પાગલની માફ્ક પ્રેમ કરીને જેમ એક પ્રેમી પ્રેયસીની પાછળ લટ્ટુ હોય એમ આ છોકરો તેની પત્ની પાછળ લટ્ટુ !!! જ્યારે પત્ની એટલી બધી શાણી અને ચાલાક તેના પતિના આ સ્વભાવનો ફાયદો ઉઠાવતી. પતિને તેના માટે જેટલો પ્રેમ હતો એટલો જ સાથે વિશ્વાસ પણ હતો.

આ છોકરો અમેરિકન સીટીઝન હોવાથી તેની પત્ની ત્રણ વર્ષમાં સીટીઝન થઈ ગઈ. સીટીઝન થઈ  માંડ એક અઠવાડિયું થયુ એક દિવસ બધા કામે ગયા હતા ત્યારે દિવસના ટાઈમે તેનો બધો જ સામાન, બેન્ક લોકરમાંથી તેના સોનાના દાગીના વગેરે બેગમાં પેક કરીને લઈને ,ટેક્ષી કરીને ઘરેથી ભાગી ગઈ. રાત્રે એરપોર્ટથી તેના પતિને ફોન કર્યો હું અત્યારે એરપોર્ટ પર છુ હું કાયમ માટે તને છોડીને ચાલી ગઈ છું.ક્યાં જાય છે કેમ જાય છે કોઈ કારણ ન આપ્યું, એણે આ પરિવારને કેટલો મોટો ઝટકો આપ્યો. આ સમાચાર સાંભળીને પરિવારમાં બધાની શું હાલત થઈ હશે ? આ પરિવારનો શું વાંક ગુનો ? સાસુ મરતા ને  પણ મર ન કહે , સસરા ખસ ન કહે, પ્રેમાળ પતિ, આ છોકરીને શેની ખોટ હતી ? શું પાગલની માફક તને તારો પતિ પ્રેમ કરે તે ગુનો છે ? કે પછી આ પ્રેમ પચાવતાં ન આવડ્યું , સુખને ઠોકર મારીને  કોઈ કારણ વીના શેની શોધમાં નીકળી. એવુ લાગે છે પ્રેમની અતિ શયોક્તીથી તેનુ પેટ ભરાઈ ગયું અને આ પ્રેમ તેને પચાવતાં ન આવડ્યુ.  આ કિસ્સો સાંભળીને એક વસ્તુ તો  સમજવા મળી. દરેક વસ્તુને એક લિમીટ હોય, વસ્તુ લિમીટની બહાર જાય એટલે આવી અવદશા થાય.  ખાલી એકલા દિલનુ ન સાંભળવાનુ હોય દિલની સાથે સાથે દિમાગનો પણ ઉપયોગ કરવો પડે,  આ છોકરાએ થોડું તેના દિમાગનુ પણ સાંભળ્યું હોત અને પ્રેમ પણ હદમાં રહીને કર્યો હોય તો આવી  અવદશા ન આવી હોત, પૈસા  બગાડ્યા અને બૈરી પણ ગઈ.

2 Comments »

વીર.

નાનીને ઘેર પધાર્યો દિકરીનો રાજકુંવર

નાનીના હૈયામાં  ખુશીઆનંદ ન સમાય,

ગુલાબ કલીની પંખડી સમા લાલ અધર

રેશમી કેશ,ચમકીલા નયન,કોમલ બદન

બાલ ક્રિષ્ણ સમાન દીસે સુંદર મુખારર્વિંદ,

કહું તને હું ચાંદ કે કહું તને  સૂરજ કે વીર

નીરખી રૂપ વીરનુ, છલક્યું મમતા ઝરણું,

નાજુક હાથે ઝટ પકડી નાનીની  આંગળી

કરતો ઈશારા હું પણ બનીશ હાથ લાકડી,

વીર મારો લાડલો,દુલારો મધુર મુશ્કરાતો

નાની,હસી હસી વ્હાલથી લેતી  ઓવારણા

ગાતી  હાલરડા, કુંવર પોઢતો મીઠી નીંદર,

પપ્પાનો પ્યારો, મમ્મીનો જીગરનો ટુકડો

નાનીના દિલની, મીઠી- મધુર  ધડકન .

1 Comment »

પહેચાન.

Gain Lord’s recognition

instead of social recognition.

 

આપણે જ્યારે ફેઈસબુક ખોલીયે ત્યારે દરરોજ કોઈને કોઈ સુવાક્યો અને સુવિચાર વાંચવા મળે છે.

અને અમુક સુવાક્યો હ્રદયને સ્પર્ષી જાય છે. દરેકમાં ઉંડો ભાવાર્થ રહેલો હોય તો કોઈમાં ઉંડું તત્વ ચિંતન

સમાયેલુ હોય. ઉપરના સુવિચાર વાંચ્યા ઘણાજ ગમ્યા.

આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિ પોતે જે સોસાઈટીમાં ઉઠે બેસે, રહે, ત્યાં આગળ હમેશાં પોતાની ખાસ જગા, પહેચાન બનાવવા માગે. દરેક વ્યક્તિ ખરાબ હોય કે સારા તેને પોતાની આબરું અને ઈમેજની સતત ચિંતા હોય, તેને સમાજમાં ખાસ પ્રતિષ્ઠા મેળવવી હોય તેને માટે તેને પોતે મુખવટો ઓઢીને પણ સારા થવાનો ઢોંગ કરવો પડે તો પણ કરે.સમાજમાં લોકો તરફથી માન-સંન્માન જોયતા હોય. પોતાની આબરૂ, ઈજ્જત,પ્રતિષ્ઠા સમાજમાં ન બગડે તેની ખાસ કાળજી રાખે. પોતાની પહેચાન જે તેણે ઘણી મહેનત કરીને બનાવી હોય તેની સતત ચિંતા રહ્યા કરે.આ પહેચાનથી  લોકો તરફ્થી જે વાહ  વાહ મળતી હોય તેમાં તેને ઘણીજ ખુશી-આનંદ મળે.ઘણા લોકો એવા જોયા છે જાણે સમાજ માટે જીવતા હોય એવું લાગે. કોઈ પણ કામ કરે પહેલાં સમાજનો વિચાર કરે, હુ આ કાર્ય કરીશ તો મારી આબરૂ જશે.પછી ભલે તેમાં પોતાની અને પોતાના પરિવારની ખુશી કેમ ન સમાયેલી હોય ! સમાજથી ડરે, સમાજની બીક !

કેટલા માણસો એવા હોય તેને સમાજની ન પડી હોય, સમાજ માન સંન્માન આપે કે ન આપે તેને કોઈ ફરક ન પડે. ભગવાન આગળ પોતાની પહેચાન, પોતાની ઈમેજ બની રહે એની ચિંતા હોય. બહુ ઓછા માણસો હોય તેને ઈશ્વર સામે પોતાની ઈમેજની પડી હોય. સાચા ભક્ત હોય તે સમજે છે, જેવો હું છુ તેવો જ  મારા ભગવાન સામે રહું, ભગવાન અંર્તરયામી છે,આપણા હ્રદયની આપણા મનની એક એક વાત અને વિચારોથી તે વાકેફ છે,ભગવાન આગળ ઢોંગ કે ફરેબ ન ચાલે.હું કોઈ પણ અધર્મ કે અનિતિ કરીશ તો ઈશ્વરને મંજુર નથી, તેમને ગમશે નહી મારા આ વર્તનથી તે રાજી નહી થાય, મારા કર્મો અને વર્તનથી, મારો ભગવાન ન રુઠવો જોઈએ. આ જાતની ઈમેજ અને આપણી આ પહેચાન ઈશ્વર આગળ બનાવવાની જરૂર છે.સમાજને રાજી રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી. લોકો તો સારુ  બોલે  અને સમય આવે આપણું ખરાબ પણ બોલે. લોકો અને સમાજે ભગવાનને પણ નથી છોડ્યા, રાજા રામ અને ક્રિષ્ણ માટે પણ ખરાબ બોલ્યા છે, આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. સમાજમાં આપણી જે પહેચાન બની હોય તેનો કોઈ મતલબ નથી,કોઈ કિંમત નથી, જ્યારે  ઈશ્વર આગળ આપણી પહેચાન બને, આપણે ઈશ્વરના ખાસ બનીએ, ઈશ્વર આપણને પ્રેમ કરે, તેમના ચરણોમાં જગા આપે ત્યારે તે પહેચાન સાચી છે, નિત્ય છે. સમાજે આપેલી પહેચાન અનિત્ય છે, ક્યારે બદલાઈ જાય તે કહેવાય નહી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Comment »

Trust God.

God does not creat a lock

without its key

and

God doesn’t give you problems

wothout its solutions !

Trust Him.

1 Comment »

ભગવાનને પણ લાંચ !!!

 

 

 

આપણી સંસ્કૃતિના મૂળિયા ઘણા જ ઉંડા અને મજબુત છે. એ સંસ્કૃતિના જે નિયમો અને તેની સાથે જોડાયેલી ઈશ્વરમાં શ્રધ્ધા અને આસ્થામાં કોઈ માણસ બાંધ છોડ કરવા માગતું નથી. દરેકના જીવનમાં સુખ અને દુઃખ જોડાયેલા છે. દુખ દુર કરવા માટે અને સુખની આશામાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.કારણ દુખ કોઈનાથી સહન નથી થતું, દુખ કોઈને ન ગમે એ સ્વભાવિક છે,સુખની પ્રાપ્તિ  માટે મંદિરમાં જઈને પ્રાર્થના કરીને ભગવાનને વિનંતિ કરીએ, આજીજી કરીએ અને સાથે સાથે બોલીએ હે ભગવાન મારું આટલું કામ થશે તો હું તમને આટલા રૂપિયા ભેટ મુકીશ, અથવા તો કોઈ વસ્તુ અર્પણ કરીશ વગેરે વગેરે. બાધાઓ રાખે, ભગવાન તમે મારું કામ કરશે તો તમને હું આ આપીશ અને તે આપીશ. હવે ભગવાને જ આપણને બધું આપ્યુ છે અને તેનુ આપેલુ તેને જ પાછું આપવાનુ અને પાછું આપણે ગાઈએ પણ,  “તેરા તુજ કો અર્પણ ક્યા લાગે મેરા”. જાણે ભગવાનને કંઈ ખબર નથી. ભગવાનના દરબારમાં શું ખોટ છે. જો આપણે કોઈ વસ્તુ અર્પણ ન કરીએ તો શું ભગવાન આપણી પ્રાર્થના ન સાંભળે ? આ તો ખુલ્લે આમ ભગવાનને  લાંચ-રીશવત ઓફર કરી કહેવાય.લગભગ બધા જ લોકો જીવનની કઠીન પરિસ્થીતિમાં આ જાતનો વ્યવહાર ભગવાન સાથે કરતા હોય છે. નાના-મોટા, અમીર-ગરીબ દરેક ભગવાનને પોતાનુ કામ પાર પડે તેના માટે પ્રાર્થના પણ કરે અને બાધા-મંનત માનતા હોય છે. તેમા તેમની પભુ પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા હોય છે. અને સાથે સાથે કંઈક પામવાની અપેક્ષા પણ હોય છે.કંઈક પામવાની લાલચમાં ભગવાન સાથે કંડીશન મુકીને લાંચ ઓફર કરતાં પણ નથી અચકાતા.

અત્યારના સમયમાં બાળકો નાનપણથી જ વધારે પડતા સ્માર્ટ અને બુધ્ધિશાળી હોય છે.૧૯૬૧-૧૯૬૨ ની વાત છે, એ સમયમાં  છોકરા છોકરીઓમાં સ્માર્ટનેશ, અત્યારના છોકરાઓની તુલનામાં ઓછી જોવા મળતી. પાછુ ઘરમાં પણ છોકરીઓ માટે બધી વસ્તુ માટે પાબંધી હોય. છોકરીઓને દરેક વસ્તુ માટે છુટ ન મળે.મને મારી બે સેહેલીઓનો  નાનપણનો કિસ્સો યાદ આવે છે. કોલેજ કાળ દરમ્યાન હિન્દી પિક્ચર જોવાનો તેઓને ઘણો શોખ હતો અને ઘરે તેમના માતુશ્રીને તે સિનેમા જોવા જાય તે પસંદ ન આવે. અને નવું પિક્ચર જોવું હોય.એટલે ઘરેથી માતા-પિતાની રજા લીધા વીના, સહેલીયો સાથે પિક્ચર જોવા માટે ઉપડી જાય, ઘરમાં ખબર પડે કહ્યા વીના પિક્ચર જોવા માટે ગયા એટલે ઘરે જઈને બા ગુસ્સે થવાની નક્કી જ છે. બીક બહુજ લાગે. તેમાંથી બચવા માટે, ઘરની બાજુમાં માતાજીનુ મંદિર છે તેમની પ્રાર્થના ચાલુ થઈ જાય. માતાજીને પ્રાર્થના કરવામાં આવે ” હે મા હું પિક્ચર જોવા આવી છું તેની, મારી બા ને ખબર ના પડે તેનુ ખાસ ધ્યાન રાખજો જો મારી બા ને ખબર નહી પડે તો હું તમને આટલા દીવા કરી જઈશ, આટલા નારિયેળ ચઢાવીશ” વગેરે વગેરે. ન જાણે માતાજીને કંઈ કેટલા બધા દીવા કર્યા હશે અને કેટલા નારિયેળ ધરાવ્યા હશે. અત્યારે જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે તેઓની પર હસવું આવે છે. અને થાય છે ત્યારે મનમાં કેટલી બધી અજ્ઞાનતા ભરેલી હતી.માતાજીને દીવા કર્યા અને નારિયેળ ચઢાવ્યા તે શું એક રીશવત ન હતી ? ભગવાનને લાંચ અપાય ? તે ઉંમરમાં ધર્મ અને શાસ્ત્રોનુ એટલું જ્ઞાન પણ ન હોય એક બીજાનુ જોઈને સાંભળીને અનુકરણ કરતા હોઈએ.જેમ જેમ ઉંમર વધતી જાય તેમ આપણા જીવનમાંથી જ ઘણું  બધું શીખવાનુ મળે.

મુસ્કેલ પળમાં તો ભગવાનની સહાય જોઈતી હોય તો હ્રદયના ઉંડાણમાંથી નીકળેલ પ્રેમ ભર્યા શબ્દોથી પ્રાર્થનાની જરૂર છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. ચોક્ક્સ સહાય કરે છે.ભગવાનને આ દુન્યવી વસ્તુની કંઈ પડી નથી. બધાથી પર છે. અને દરેકના જીવનમાં જે સુખ- દુઃખ આવે છે તે તો કર્મને આધીન છે. ઈશ્વર સ્મરણ અને ભક્તિથી દુખ સહન કરવાનુ આત્મ બળ મળે છે. જે લખ્યું છે તે તો થઈને રહે છે, સુખ-દુખ દરેક માણસે ભોગવવા જ પડે તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.

5 Comments »

ગીતા ધ્વનિ.

                                                    

 

                                           સ્થિત પ્રજ્ઞ લક્ષણ.

 

૧- મનની કામના સર્વે  છોડીને, આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.

૨- દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુધ્ધિનો.

૩- આસક્ત નહી જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ,  તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૪- કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ,  તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૫- નિરાહારી શરીરના, ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.

૬- પ્રયત્નમાં રહે તોય, શાણાયે નરના હરે, મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી.

૭- યોગથી તે વશ રાખી, રહેવું મત્પરાયણ, ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૮- વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિ કામ, કામથી ક્રોધ નિપજે.

૯- ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિલોપે બુધ્ધિ નાશ, બુધ્ધિ નાશે વિનાશ છે.

૧૦- રાગ ને દ્વેષ છૂટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે, વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા.

૧૧- પામ્યે પ્રસન્નતા તેનાં, દુઃખો સૌ નાશ પામતાં, પામ્યો પ્રસન્નતા તેની, બુધ્ધિ શીઘ્ર બને સ્થિર.

૧૨- અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવનાહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને.

૧૩- ઈન્દ્રિયો વિષયે દોડે,  તે પૂઠે જે વહે મન,  દેહીની તે હરે બુધ્ધિ,  જેમ વા નાવને જળે.

૧૪- તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી, ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.

૧૫- નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.

૧૬- સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ, સમુદ્રમાં નીર બધાં પ્રવેશે, જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહી કામ કામી.

૧૭- છોડીને કામના સર્વે ફરે જે નર નિઃસ્પૃહ,  અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ ભારત.

૧૮- આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે, અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે.

2 Comments »

સ્વાગતમ-૨૦૧૩

                         Wish you Happy New Year

                         નવું વર્ષ સૌના માટે સુખ શાંતિ 

                                      કલ્યાણકારી

                                       મંગલમય

                                         બની રહે.

1 Comment »

નીજ લીલા.

ગજબનો આ રંગારો,અજબ રંગ મીલાવ્યા.

ભરી રંગપ્યાલી ચિતારે પીછી એક ફેરવી

જંગલ-વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ

રંગના ટપકામાંથી ફૂટી નીકળ્યા પહાડ

પીછી ખંખેરી ત્યાં ખીલ્યાં રંગબેરંગી ફૂલો

મારી એક ફુંક ત્યાં ફેલાયા સાત સમુંદર

વાદળ લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ

પલક ઝબકાવી ત્યાં બની આ સૃષ્ટિ રંગીન

રંગના એક એક ટપકે ટપકે  નીજ લીલા

આતો એની રમત, ખેલવા ચિતરે વારંવાર.

1 Comment »

(૧) અદભુત નયન,(૨) તારી યાદ(૩) ઝાક્ળ બિંદુ(૪) અતિત.

 

             (૧)
     અદભુત નયન
ઉષમા ભર્યા રે આ નયન,
ઉના પાણીના અદભુત નયન.
એમાં ભર્યા હ્રદયના ભેજ,
એમાં ભર્યા આતમના તેજ.
સાતે સમંદર  એના પેટમાં,
એમાં મીઠા જળના ઉંડા કુવા.
સપનાં આળોટે એમાં મોટી આશા,
એમાં મનનો ચોખ્ખો આયનો,
બોલે દિલની સાચી મુગી વાણી.
જલના દીવા જલમાં ઝળહળે.
કોઈ દિન રંગ અને  વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ.
 
                  (૨)
             તારી યાદ
 
ક્યાંક નદીઓની ઉદાસી કિનારે પડી છે
ક્યાંક તારી યાદોની મોસમ વહી રહી છે
ઝાંઝવાના નીરીની કથા વચ્ચે તૂ વસે છે
ધરતી પર તરસ્યાં ત્યાં મેઘા ઉચે ચડી છે
પંખીના કલરવ જેવી એક ઈચ્છા સળવળે છે
ઘાયલ દિલ! આ કેવી વીરહની એક પળ છે
જ્યાં એકાંતે આવી છે સાજન તારી યાદ
મારા સુવાળા એ દિવસોની એ સુખદ પળો
કહેવાય છે જીન્દગી એ હવે અહી અટવાઈ છે
લાગણીના એ પ્રવાહો ક્યાં વહી ગયા હવે
ખળખળ વહેતાં શીતળ ઝરણાં બુઝે ન પ્યાસ.
 
                  (૩)
             ઝાકળ બિંદુ
 
સુખ તો એવુ લાગે  જાણે ઝાકળ બિન્દુ
           કેમ રે કરી ઉકેલવી આ ઝાકળ વાણી
આંખ ખોલુ તો એક તેજ કિરણ
            ને  આંખ મિચુ  તો અંધારી રાત
ખુલવામાં અને મિચવામાં
            આ  તો   આપણી છે જાગીર
એક પળમાં વહેતાં ઝરણાં જેવી રામ કહાણી
             ટહુકો  છલકે નભમાં એટલો  તો કલરવ
સૂના રસ્તા ઉપર સાંજનો પથરાયો પગરવ
                   આછા આ અંધારા સૌને લેતા ઘેરી.
 ઘેરાઈ નીંદર નયન પડર ખોલ બંધ 
                  ભાસે સુખમય સપનાની દુનિયા.
 
                      (૪)
                    અતિત
 
ન વાગોળો આમ અતિતને,દુખ સિવાય કંઈ નમળે ત્યાં.
ન ફરક પડે કોઈ આજે,  થાય ખોટો સંતાપ અને ઘુટન.
અતિત  હતુ દુખી કે હતુ સુખમય,  ખાલી એનો બળાપો.
અતિતતો એક શમણુ, આંખ ખુલે ત્યાંઆલોપ, ખોટો ભ્રમ.
અતિતતો ના આજન્મનુ,ભવોભવના લઈને ફરીયે સાથે.
ક્યાં હિસાબ રાખવો સુખ-દુખનો,અતિતના મોટા ભારા.
ક્યાં ઉચક્વા ભારા,  ભારા માથે લઈને ન ફરીયે.
આજે ન કોઈ મહત્વ  અતિતનુ, કાલનુ વિચારીયે.
ઉજ્વળ બની ઉભી છે આવતી કાલ,સુંદર-સુન્હેરી.
આવતીકાલને વિચારીયે, બનીને ઉર્ધ્વગામી.
ઉર્ધ્વગામી બની, આંબીયે ઉચાઈના એ શિખર.
ઉચાઈના એ શિખરતો , અંતિમ લક્ષ્ય આપણુ.
   
              
 
 
 
 
 

 
  

No Comments »

એકલતા.

આસમાનમાં સાથે ઉડવાની ઝંખના

તને મળ્યુ ઉડવા ખુલ્લુ આસમાન

ભરી ઉચી ઉડાન, લઈને આતમ પંખ

અહીયાં ધરતી પર મજબુર, લાચાર હું 

વ્યાકુળ પ્યાસી નજર    આસમાનમાં

દીશાઓ ખાલી પડી,રસ્તા પડ્યા ખાલી

ઘરના આંગન સુના, સુના ઓરડા

ખાલી-ખાલી  આ સુની-સુની જીંદગી

હ્રદય ચીરતી એકલતા ને ખાલીપો

વહેતા અશ્રુના બંધની તુટી દિવાલો

અશ્રુના પુરમાં વહી ગયું મારું આયખુ.

વિરહના વિષમ દર્દથી તડપતુ મારૂ હૈયુ

સુન્ય ભાસે સઘળુ, રંગ હીન સારી સૃષ્ટિ.

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.