શ્રી ગણેશ સ્તુતિ.

પાહી પાહી ગજાનના , પાર્વતિ પુત્ર ગજાનના

ગજાનના,ગજાનના, ગજાનના જય ગજ વદના.

મૂશક વાહન ગજાનના,વિઘ્ન વિનાશક ગજાનના

ગજાનના,ગજાનના,  ગજાનના જય ગજ વદના.

મોદક હસ્તા ગજાનના, શ્યામલ કરણા ગજાનના

ગજાનન,ગજાનના,  ગજાનના જય ગજ વદના.

શંકર સુમના ગજાનના, વેદ વિનાયક ગજાનના.

ગજાનના,ગજાનના, ગજાનના જય ગજ વદના.

No Comments »

શ્રી ગણેશ વંદના.

ગાઈએ ગણપતિ જગ વંદન

શંકર સુમન ભવાની કે નંદન.  ગાઈએ ………

રિધ્ધિ સદન ગજવદન વિનાયક

કૃપા સિંધુ સુંદર સબ દાયક.  ગાઈએ ……….

મોદક પ્રિય મુદ મંગલ દાતા

વિદ્યા વારીદી બુધ્ધિ વિધાતા.  ગાઈએ ………..

માગત તુલસીદાસ કર જોરી

બસ હુ રામ સીય માનસ મોરી.

ગાઈએ ગણપતિ જગ વંદન.

No Comments »

શ્રી ગણેશ ધૂન.

સ્વાગતમ ગૌરી સૂતમ, સ્વાગતમ શીવ નંદનમ

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગણનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……..

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ લંબોદરમ.     સ્વાગતમ ગૌરી સુતમ ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મોદકપ્રીયમ.  સ્વાગતમ ગૌરી સુતમ ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિશ્વનાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ  ………

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વરદાયકમ.   સ્વાગતમ ગૌરી સુતમ ……..

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મુક્તિદાયકમ.  સ્વાગતમ ગૌરી સુતમ ……

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ સુખદાયકમ.   સ્વાગતમ ગૌરી  સુતમ ……

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ ગજાનનમ.    સ્વાગતમ ગૌરી સુતમ …….

સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ વિઘ્નનાશકમ.  સ્વાગતમ ગૌરી સુતમ …….

No Comments »

અવર્ણવાદ, અપરાધ, અવિનય.

કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહી ચીતરવું પણ ઉંધું ચીતરવું, એ અવર્ણવાદ! જેમ છે તેમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધુંજ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.કોઈ પણ માણસમાં થોડું સારું હોય કે ના હોય ને થોડું અવળું પણ હોય છતાં એનુ બધુંજ અવળું બોલીએ ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય.અવર્ણવાદ એટલે આપણે એનુ જાણીએ, એની અમુક બાબતો જાણીએ છતાંય એની વિરુધ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી એવા ગુણોની બધી વાત કરીએ તો બધા અવર્ણવાદ. વર્ણવાદ એટલે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી તે બોલવું. અને આ મોટામાં મોટી વિરાધના કહેવાય. મોટા માણસો જે અંતરમુખ થયેલ છે તેના માટે બોલીએ તો એ અવર્ણવાદ કહેવાય અને સામાન્ય માણસો માટે જ્યારે ખોટું બોલાય તો તે નીંદા છે.

વિરાધના વાળો માણસ ઉંધો જાય, નીચલી ગતીમા જાય, અને અવર્ણવાદ તો, પ્રતિક્રમણ કરે એટલે વાંધો ન આવે. કોઈનુ અવર્ણવાદ બોલે અને પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય.

માણસ આરાધના કરતો હોય તો ઉંચે ચઢે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે પરંતુ અપરાધ કરતો હોય તો બંને બાજુ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહી અને કોઈને આગળ વધવા ના દે, એ અપરાધી કહેવાય. વિરાધના એ ઈચ્છા વીના થાય અને અપરાધ ઈચ્છાપૂર્વક થાય. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે.

નીંદા એ વિરાધના ગણાય. કોઈની નીંદામાં ના પડવું, કીર્તન ના કરાય તો વાંધો નહી પરંતુ નીંદા ના કરાય. જબરજસ્ત નુક્સાન જો કદી આ જગતમાં હોય તો નીંદા કરવામાં છે. એટલે કોઈનીય નીંદા કરવાનું કારણ  ના હોવુ  જીઈએ. અહિયાં નીંદા જેવી વસ્તુ જ ના હોય આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું સાચું શું ખોટું ? ભગવાન કહે છે કે ખોટાને ખોટું જાણ  અને સારાને સારું જાણ. પરંતું ખોટું જાણતી વખતે એના પર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ, અને સારું જાણતી વખતે એના પર કિંચિતમાત્ર રાગ ના રહેવો જોઈએ. જ્ઞાનીની પાસેજ  સમજાય.

કઠોર ભાષા નહી બોલવી જોઈએ,  ૠજુ એટલે સરળ વાણી અને મૃદુ એટલે નમ્રતાવાળી ભાષા-વાણી.અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય એટલે સરળ અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું  અને એવી શક્તિ માગવી.કઠોર ભાષા બોલતા હોય એ અહંકારી હોય.તંતીલી ભાષા એટલે સ્પર્ધામાં જેમ તંત હોય એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે, એ તંતીલી ભાષા બહુજ ખરાબ હોય. કઠોર અને તંતીલી ભાષા બોલાય નહી. ભાષાના બધાજ દોષો આ બે શબ્દોમાં આવી જાય છે. હમેશાં શુધ્ધ વાણી બોલવાની શક્તિ, સ્યાદવાદ વાણી( કોઈને દુખ ના થાય એવી વાણી ) બોલવાની શક્તિ, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિ ભગવાન પાસે માગવી જોઈએ.

( શ્રી દાદાભગવાન )

No Comments »

સ્યાદવાદ વાણી, વર્તન, મનન.

 

 

સ્યાદવાદનો અર્થ એવો કે બધા કયા ભાવથી, કયા વ્યુ પોઈન્ટથી કહે છે એ આપણે જાણવું જોઈએ.

સામાનો વ્યુ પોઈન્ટ સમજીને અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનુ નામ સ્યાદવાદ. એનાં વ્યુ પોઈન્ટને દુખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનુ નામ સ્યાદવાદ વાણી. સ્યાદવાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય તોયે સ્યાદવાદ વાણી કોઈની પ્રકૃતિને હરકત ના કરે.

સ્યાદવાદ મનન એટલે વિચારણામાં, વિચાર કરવામાં કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવવું જોઈએ. વર્તનમાં તો ના જ હોવું જોઈએ પણ વિચારમાં, પણ ના હોવું જોઈએ. બહાર બોલો એ જુદુ અને મનમાં પણ એવા સારા વિચાર હોવા જોઈએ કે સામાનું પ્રમાણ ના દુભાય એવા.કારણ કે મનમાં જે વિચારો હોય છે એ સામાને પહોચે છે.દરેકનુ એના પ્રમાણમાં સાચું હોય એટલે દરેકનુ જે સ્વીકાર કરે છે એનુ નામ સ્યાદવાદ. એક વસ્તુ તેના ગુણધર્મમાં હોય પણ આપણે એ અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ તે ખોટું છે. સ્યાદવાદ એટલે દરેકનુ પ્રમાણ પૂર્વક સ્વીકાર્ય.

જેટલા પ્રમાણમાં સત્ય હોય એટલા પ્રમાણમાં સત્ય હોય એને કહે છે અને બીજા જેટલા પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે છે. ભગવાનનું સ્યાદવાદ એટલે કોઈને કિંચિત માત્ર દુખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય. એટલે એ સ્યાદવાદ માર્ગ એવો હોય, દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે તમારા દોષો  કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહી. અને તે તમારી બુધ્ધિ દોષિત દેખાડે છે કે આણે ખોટું કર્યું.

( શ્રી દાદાભગવાન )

 

No Comments »

ભારત મેરા દેશ.

આપને કભી ભારત કે નકશે કી તરફ દેખા હૈ ?

વો કોઈ ભૂમિકા ટુકડા નહી,વોતો જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ.

દિલ્લી જીસકા દિલ હૈ,પશ્ચિમ ઔર પૂર્વિ ઘાટ દો વિશાલ જીન્ગાહ હૈ.

પંજાબ ઔર બંગલા દો ભુજા હૈ, સાગર જીસકે ચરન ધુલાતા હૈ.

એ અર્પણકી ભૂમિ હૈ, તર્પણકી ભૂમિ હૈ, અભિનંદનકી ભૂમિ હૈ.

ઈસકા કણ-કણ શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ.

હમ મરેંગે ઈસકે લીયે,  હમ જીએંગે ભી ઈસકે લીયે

ગંગામે બહેતી હુઈ હમારી હડીયોંસે સુનેંગે તો ઈસમેંસે

આવાજ આએંગી  ભારત માતાકી જય !

 

( અટલ બિહારી બાજપાઈ )

 

No Comments »

એક કડવી હકીકત:

 આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે:

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે; અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે!

 જીવન શું છે ? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !

જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;

જયારે સંબંધોમાં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે !

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે “યાદ રાખતા શીખો”

 અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો  ” !

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,

ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજનમાં Diet ખાખરા !

 

( અનીલા પટેલની ઈમેલમાંથી )

No Comments »

હેપી બર્થડે ટુ શ્રી કૃષ્ણ.

( આજે શ્રી કૃષ્ણનો જન્મદિવસ અતિ આનંદ અને ઉલ્હાસનો દિવસ

પ્રેમથી બોલીએ જય કનૈયાલાલકી, તેમના ચરણોમાં કોટી-કોટી પ્રણામ )

 

નવચંદરી ગાવડીના દુધે, હે જશોદામાતા હેતે નવડાવે કુંવરકાનને.

ચંદનના લેપ અને હળદળની પીઠીથી ઉજવાળે શ્યામળાના વાનને.

નીલ આયનામાંનો ચહેરો દેખાય, એવો કાનુડાનો પોત જરા ઝલકે.

માંજી માંજીને થયો ચમકીલો શ્યામ રંગ, જોઈ નંદ આછેરો મલકે.

આંસુ છલકાય નંદલાલાની આંખે,ચાહે એકી ટસે મોરલીના તાનને.

                                                હેતે નવડાવે કુંવરકાનને.

મખમલી આ અંગ થકી માતાનો હાથ સહેજે સરકાવે કાન દોડ્યા શેરીએ

વાળમાંથી ઝરમરતા મોતી ને અંગ ભીનુ પિતાંમ્બર ચીપકે હે હેરીએ

 ને તે સાનને તો સમજાવી પાછા વાળી આ હવે કેમ કરી સંભાળું ભાનને

                                                      હેતે નવડાવે કુંવરકાનને.

 નવચંદરી ગાયના દુધે ……..

No Comments »

પૃથ્વી ઉદય.

                     પૃથ્વી, મા વસુંધરા

                  સૂર્ય મંડળમા શોભી રહી

               એક અનોખું સ્થાન બ્રહ્માંડમાં

              જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો

               ના કોઈ સીમા, ના કોઈ જાત

                  ધરતીમાના સંતાન સૌ

                   લઈએ આજ એક પ્રણ

               લીલી હરિયાલી ધરતીમાતા

                  બની રહે વિશ્વ શાંતિ.

1 Comment »

એકલતા.

એકલતા એ એવી સ્થિતી છે જે દરેકની મનઃ સ્થિતી હાલી જાય, પરેશાન થઈ જાય  અને અસહ્ય લાગે.એકલતા અંદરથી માણસને ખાઈ જાય છે.જ્યારે જીવનમાં પતિનુ, પત્ની પહેલાં જો અવસાન થાય અથવા તો પત્નીનુ અવસાન પહેલુ થાય તો આ પરિસ્થિતીમાં બંને માટે એક બીજા વીના જીવવુ ભારે પડે છે. જીંદગી મુશ્કેલ થઈ જાય છે.

ઈશ્વરે માયાનુ બંધન એવુ મુક્યું છે, માયા હસાવે અને માયા જ રડાવે. આપણે બધાજ માયાના વશમાં છીએ.માયાના બંધનને લીધે  પતિ-પત્નિ એક્બીજા સાથે બધીજ રીતે એક્દમ નીકટ જોડાએલા રહે છે અને એકના વીના પણ જીવન જીવવુ એ વિચાર પણ હચમાચાવી મુકે છે,પતિ-પત્નીનો સબંધ એવો છે દો જીસ્મ એક જાન. ને જ્યારે એક પહેલું ચાલી જાય ત્યારે જીવન અસહ્ય બની જાય છે.પતિ-પત્નિની વાત કરીએ યા તો ઘરનુ કોઈ પણ સ્વજન હોય આપણા પહેલાં ચાલ્યું જાય  છતાં પણ યાદોને સહારે જીવન જીવવું પડે છે. અને તે વીના બીજો કોઈ રસ્તો પણ નથી કોઈએ સાચુ જ કહ્યું છે  ” એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વીના સંગી વીના એક્લા જવાના”  ત્યારે મન મનાવવુ પડે છે અને મોંઢામાંથી શબ્દો સરી પડે છે, અમારો સાથ આટલો જ હતો, અહિંયા અમારી લેણ-દેણ પુરી થઈ.

ઘણા લોકો તો સમજે છે બસ હવે જીવન અટકી ગયું પરંતુ ખરેખર તો કોઈના વીના જીવન અટકી નથી જતુ. દુનિયા બદલાતી નથી, બધુંજ એની રીતે ચાલતું રહે છે.માયાને વશ અંદરથી હ્રદય રડે છે, મન રડે છે. બહાર દુનિયામાં કંઈ નથી બદલાતું, બધુજ એની રીતે સમયની રફતારની સાથે ચાલતું રહે છે. અને મને કે કમને જીવવું પડે છે અને હકીકતમાં આતો જીવન છે. જીવનમાં જેવી જેવી પરિસ્થિતીઓ આવે તેનો સામનો કરવો જ પડે અને ભગવાન જે સ્થિતીમાં રાખે તે સ્થિતીમાં રહેવું જ પડે છે,અને આપણે ભુલવુ ના જોઈએ આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતી આવે તે આપણા કર્મને આધારે છે અને બધીજ સ્થિતી આપણે જ ઉભી કરેલી છે, જ્યારે દુખ આવે ત્યારે આપણે ભગવાનને દોશી માનીએ છીએ, હે ભગવાન તેં મને આટલું બધું દુખ કેમ આપ્યું ? અને દુખી થઈએ છીએ મીંરાએ તો ગાયું છે ‘ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ  ઓધ્ધવજી”  જ્યારે નરસિંહ મહેતા ગાય છે “ ભલુ થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ “ આ બંને તો મોટા ભક્ત હતા એટલે એ લોકોએ માયાને વશમાં કરી હતી પરંતુ આપણા જેવા સામાન્ય માણસો માટે આ બધુ અઘરું છે.સ્વજન ચાલ્યું જાય એટલે અસહ્ય દુખ તો થાય જ,આપણે ભુલી ના શકીએ, જીવન અસહ્ય લાગે છતાં પણ સ્વજન ચાલી જાય પછીથી થોડી જીવન જીવવાની ઢબ બદલવી પડે અને રડીને બેસી રહ્યા વીના બીજા કામમાં મન પ્રવૃત કરવું પડે છે અને સાચેજ દુખનુ ઓસડ દાડા.નવરું મન એ સેતાનનુ ઘર એટલે મનને પ્રવૃત રાખવુ પડે નહીતો ખોટા વિચારો આવવાના છે. અત્યારે તો દરેક જગ્યાએ એટલી બધી ઈતર પ્રવૃતીઓ વધી ગઈ છે અને જુદી-જુદી સંસ્થાઓ પણ વધી ગઈ છે જ્યાં સમય પસાર થઈ શકે. અને સેવા આપવાના કામો પણ વધી ગયા છે. લોકો મંદિરોમાં પણ ઘણી સેવા આપે છે.સાચેજ કંઈ કરવું હોય તો કરવા માટે ઘણું બધુ છે. નહીતો રડીને બેસી રહો. રડતા જ રહીએ તો ઘરના બીજા માણસોને પણ આપણે મુશીબતમાં મુકીએ છીએ અને પરેશાન કરી મુકીએ છીએ. એટલે બીજાનો સહારો લીધા વીના પરિસ્થિતીનો સામનો એકલાએજ કરવો જોઈએ. એક બીજા માટે ગમે તેટલો પ્રેમ હોય તો પણ મુઆ પાછળ જતુ આજ સુધી કોઈને હજુ સુધી જોયુ નથી !!!

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.