ગુરુ પ્રણામ.

               ( જગદગુરુ શ્રી ક્રિષ્ણના ચરણોમાં કોટી કોટી પ્રણામ

         જેમણે ગીતા જ્ઞાન આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો )

                                         શ્રી સાઈ ગુરુ સ્તોત્ર

                            ગુરુરબ્રહ્મા, ગુરુરવિષ્ણુ, ગ્રુરુર દેવો મહેશ્વરઃ

                            ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                            અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ

                            તત્પદં દર્શિતં યેન તસ્મૈય શ્રીગુરુવે નમઃ

                            અજ્ઞાન તિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા

                            ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

                           બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાન મૂર્તિમ

                            દ્વંદાતીતં ગગનસદષં તત્વમસ્યાદિલક્ષ્યમ

                           એકં નિત્યં વિમલંમચલં સર્વધિસાક્ષિભુતં

                        ભાવાતિતં ત્રિગુણરહિતં શ્રી સાઈનાથં નમામ્યહમ

                        આનંદ નિંદકર પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજ બોધ રૂપં

                 યોગીન્દ્રમીડ્યં ભવરોગ વૈદ્યં શ્રીમદગુરુ સાઈનાથં નમામ્હમ

                            નિત્યં શુધ્ધં નિરાભાસં નિરાકારં નિરંજનમ

                            નિત્ય બોધ ચિદાનંદ શ્રી સાઈબ્રહ્મ નમામ્યહં

            જે અંતરે કરી પ્રવેશ સૂતેલ મારી વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી

            જે રોમ રોમ મહીં પ્રાણ પુરે પ્રતાપી તે સાઈનાથ પ્રણમું સહ્રદયેથી.

                           गुरु गोविंद दोनो खडे काके लागूं पाय

                        बलिहारी मैं गुरुकी जीन गोविंद दीयो बताय.

1 Comment »

મેરા ભારત મહાન.

  सों में से अस्सी गद्दार फीर भी मेरा भारत महान !!!   

આતો સિક્કાની બે બાજુ છે, ૮૦ % ગદ્દાર હોય પરંતુ ૨૦ % તો સારા માણસો હજુ પણ વસે છે.

૮૦ % અધર્મના માર્ગ પર ચાલે છે તો, ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે.

અને ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે એટલે તો દેશ ટકી રહ્યો છે.

 દેશમાં અધર્મ એટલો બધે વધી ગયેલો છે,જ્યાં જોવો ત્યાં અનિતી કોને નીચા પાડીને આગળ વધવુ,  બીજાની સંપત્તિ પર નજર, કેવી રીતે હડપ કરવી. ન કોઈ લાજ શરમ ! એકબીજા માટે ઈર્ષા ! રાજકારણ એકદમ ખરાબ. ન કોઈ કાયદાની વ્યવસ્તા અને જો હોય તો કોણ કાયદાને માને છે  ?કાયદા તો ખીસ્સામા લઈને ફરવાનુ અને  અને ખીસ્સામાં લઈને ન ફરે તો પણ પૈસા આપીને કામ તો થવાનુ જ છે. અને આપણે જનતા જ પૈસા આપીને કામ કઢાવીએ છીએ, આપણે જાતેજ ભ્રષ્ટાચાર ઉભો કરેલ છે. કામ જલ્દી થાય, ધંધાની અંદર ન થઈ શકે એવુ કામ કરાવવા માટે પણ પૈસાની ઓફર કરીએ છીએ. અરે ગાડી ચલાવતા હોઈએ અને સીગ્નલ તોડ્યુ છે, વન વે હોય અને ગાડી ઉંધી દીશામાં ચલાવી જલ્દી નીકળવાનો પ્રયાસ કર્યો, નો પાર્કીંગમાં ગાડી પાર્ક કરી, અને હવલદાર જો લાયસન્સ લઈ લેતો હવલદારને પૈસા આપીને તે જગ્યાએ વાત ખતમ કરવાનો પ્રયત્ન કરવાનો. આ તો આમ વાત બની ગઈ છે અને બધાજ આવું કરતા હોય છે. ભ્રષ્ટાચાર તો પરમસીમાએ પહોચેલો છે તેનો તો કોઈ ઉકેલ છે જ નહી. ભારતમાં જો સૌથી વધારે ખરાબ હોય તો તે છે રાજનેતા અને બીજો નંબર આવે છે  ધર્મના ઠેકેદારો જે આશ્રમો લઈને બેઠા છે તે બાબાઓ જે ભોલીભાલી જનતાને લુંટવામાં સફળ થાય છે. અને પ્રજા પણ જુઓ ભણેલા ગણેલા માણસો પોતાની લાલચને ખાતર અંધ્ધ વિશ્વાસ રાખી બાબાઓના ચુંગલમા ફસાય છે. અભણ માણસો તો સમજીએ , તે લોકો નાસમજ છે પરંતુ શિક્ષિત માણસો બાબાઓની પાછળ ઘુમ્યા કરે તે તો ખરેખર દયાજનક સ્થિતી છે, અને આવા લોકો ઉપર હસવુ આવે.

મોટા શહેરોમાં ગંદકી બહુજ વધી ગયેલી છે અને એનુ કારણ પણ જનતા પોતે છે, ગંદકી વધારવામાં જનતા પોતે જવાબદાર છે. દેશમાં અંધાધુધી ફેલાએલી છે, ક્રાઈમ વધેલો છે, ચીજ વસ્તુના ભાવ આસમાને ચડેલા છે, મધ્યમ વર્ગ મોઘવારીમાં પીસાઈ રહ્યો છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર,વસ્તી વધારો, બેરોજગાર વધી ગયો છે, મોટા મુંબઈ જેવા શહેરોમાં ભાઈ લોકોનુ રાજ ચાલે,ભાઈ લોકોની દાદાગીરી, આટલી બધી ખામીઓથી ભરેલ આપણો દેશ છે, ખરાબ પાસાનુ વર્ણન કરીએ તો તેનો અંત ના આવે.   છતાં પણ  ખરેખર  “મેરા ભારત મહાન”

સિક્કાની બીજી બાજુ

મારા દેશમાં સવારે ચાર વાગે કુકડાની બાંગ, સવારમાં કોયલના મીઠા બોલ કુહુ કુહુ જે સવારમાં સાંભળવાનો અનેરો આનંદ. સવારે મંદિરમા આરતી સમયે ઢોલ, નગારા, ઝાલર, શંખનાદ આ એક અનોખો અવસર અહિંયા પરદેશમાં ક્યાંથી મળવાનો છે ? ગરમા ગરમ ચ્હા ગમે ત્યાં, ગમે ત્યારે  મળે. અમેરિકા દેશ તો ચ્હાને ઓળખતો નથી ચ્હા ક્યાંય ન મળે, (  સ્ટાર બક્ષ તાઝો ચાય આપે છે )   કોફી મળે પરંતુ ચ્હા ના મળે, હા કોલ્ડ ટી મળે હવે આ કોલ્ડ ટીમાં શું મઝા આવે ? જે ગરમા ગરમ ચ્હામાં મઝા આવે. અને આપણા દેશમાં ચ્હામાં પણ કેટલી વિવિધતા ! આદુ ઈલાયચી વાળી ચ્હા, એકલા દુધની ચ્હા,મસાલાવાળી ચા, ફુદીનો-લીલી ચા વાળી ચ્હા, કડક-મીઠી ચ્હા, સ્પેશીયલ ચ્હા, લશ્કરી ચ્હા.બાદશાહી ચ્હા.

ખાવાના કેટલા બધા વિવિધ વ્યંજન, જે આપણા ભારત દેશમાં છે એટલા દુનિયામાં ક્યાંય જોવા નહી મળે એક ડીશ આજે બનાવી હોય તો કદાચ બીજી ડીશનો નંબર દશ વર્ષ પછીથી આવે.  તહેવારોની   વિવિધતા અને તેની ઉજવણી લોકો હર્ષ ઉલ્લાસથી કરે. હોળી અને દિવાળી સૌથી મોટા તહેવાર છે. છતાં પણ  લોકોને તો દરેક તહેવાર મોટો લાગે છે.  જન્મ હોય, લગ્ન હોય ધુમ-ધામથી ઉજવાય, મરણની વિધી પણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન થાય, દરેક નાના પ્રસંગથી માંડી મોટા તહેવાર પ્રસંગો ધુમ-ધામથી ઉજવાય.પરદેશમાં વાર તહેવાર ખબર નથી પડતા મંદિર જઈએ ત્યાં તહેવાર છે એમ લાગે. ભારતમાં કેટલી બધી જુદી-જુદી ભાષા બોલાય છે, તેની તોલે દુનિયાનો કોઈ દેશ ના આવી શકે. દરેક પ્રાંતના પોતાના અલગ રિતી રિવાજ અને પોતાની અલગ ભાષા,અને પોતાનો અલગ પહેરવેશ. વિવીધ જાતીના લોકો વિવીધ જાતની ‘અટક’ . કેટલા બધા ભગવાન ! કેટલા બધા જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયો ! દરેક વસ્તુમાં વિવીધતા ! સંગીત અને નૃત્યની સાથે પણ બીજો કોઈ દેશ બરાબરી ન કરી શકે. ખરેખર બધુ વિચારીએ તો ચક્કર આવી જાય, પરંતુ સાથે સાથે આપણા દેશ માટે ગર્વ પણ થાય. સુખ-દુખમાં પાડોશીઓ પણ આવીને ઉભા રહે. આપણા દેશમાં હજુ પણ પ્રેમ-ભાવ અને ભાઈચારો છે અને તેને લીધે હજુ પણ સુખી સંયુક્ત કુટુંબો જોઈ શકીએ છીએ. સારી વસ્તુઓ પણ અઢળક છે તેનુ વર્ણન કરાવા બેસીએ તો ઘણુ ઘણુ લખાય.

ભારત દેશ સારો છે કે ખરાબ છે તે મારી જન્મ ભૂમિ-માતૃ ભૂમિ છે અને મને મારી માતૃ ભૂમિ ઉપર ગર્વ છે. મને મારી માતૃ ભૂમિ માટે પ્રેમ છે. મીંરા, મહેતા નરસિંહ, ધ્રુવ-પ્રહલાદ અને ગાંધીજીએ જ્યાં જન્મ લીધો. રામ-કૃષ્ણની  ભુમિ, ઋષિ-મુનિઓની ભુમિ જેઓએ સંસ્કાર સિંચ્યા, સંસ્કૃતિ ઉભી કરી અને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો. ભારતની સંસ્કૃતિની સાથે આખી દુનિયામાં કોઈ ન આવે. અને એટલાજ માટે જ ખરેખર

                           ” મેરા ભારત મહાન “

No Comments »

ભાગવતની રત્ન કણિકાઓ.

ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય ત્યારે પ્રેમ સિધ્ધ થયો મનાય.

પરર્માત્મા પ્રેમીને જ પોતાનુ સ્વરૂપ બતાવે છે.

વંદનથી પ્રસંન થાય તે પરર્માત્મા અને પદાર્થથી પ્રસંન થાય તે જીવાત્મા.

પરર્માત્માને હિસાબ આપવાનો દિવસ તેને મરણ કહે છે.

જે જીવ કરે તે તેનુ નામ ક્રિયા અને પ્રભુ કરે તેનુ નામ લીલા.

વંદન માત્ર શરીરથી જ  નથી થતા, મનથી પણ વંદન કરાય.

શીવજી સ્મશાનમાં રહે છે, સ્મશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રકટ થાય છે, તેને રોજ યાદ રાખવાની જરૂર છે.

મનુષ્ય બધીજ તૈયારી કરે છે, પરંતુ મરણની તૈયારી કોઈ કરતુ નથી.

કથા સાંભળે, સતસંગ કરે તો  વિવેક આવે છે.

ભક્તિ મંદિરમાં નહી પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે.

ગણપતિનુ પૂજન એટલે જીતેન્દ્રીય થવું, સરસ્વતિની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે.

સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન સ્મરણ એક ઈષ્ટદેવનું જ કરો.

  ભાગવત મરણને સુધારે છે.

1 Comment »

I Love my Mother.

                        ( May 13 – Mother’s day  )

                             Happy Mother’s day  

 

                                    Do you know ?

                           A human body can bear

                       only up to 45 del(unit) of pain.

                    but at the same time of giving birth

                A woman feels up to 57 del(unit) of pain.

   This is similar to twenty bones getting fracture at a time.

                                   Love our Mother

                The most beautiful person on this earth.

                                      Our best critic

                          yet our strongest supporter.

 

Mother …..

M = Most beautiful person in life.

O = Ocean of  love, joy and care.

T = True best teacher in our life.

H = Heart  sweet  Heart.

E = Emotional.

R = Real  love and  joy.

3 Comments »

મમતા.

              ( ૧૩ મે – મધર્સ ડે )

જન્મ આપી, અર્પ્યુ અમૂલ્ય સુખી માનવ જીવન

તે જનેતાના અનગણીત ઉપકાર કદી ન ભુલાય

એની મમતા થકી તો સોહે છે સઘળો આ સંસાર

હેત,મમત્વ એટલા! ગણિતે ગણ્યાથી નથી ગણાતા

બાળપણમાં મીઠાં હાલરડાં ગાઈ મને સંભળાવતી

હેતથી હસાવતી,પ્રેમથી સુવડાવતી અને જગાડતી

મહામુલા સોનેરી સંસ્કારોના બીજ રોપી સિન્ચતી

સંતાનના દુખમાં થાય દુખી ખુશ જોઈ હરખાતી

લેવાની નકોઈ લાલસા, મેળવવાની નકોઈ ઝંખના

નિસ્વાર્થ પ્રેમ-વાત્સલ્યની દેવી, મમતાની તૂ મૂરત

મહા હેતવાળી મમતાળુ મા, તૂજ ગુણનો નહી પાર 

પામી તૂ ભગવાનથી પણ ઉચુ સ્થાન આ જગતમાં !

ઈશ્વર દેજે શક્તિ મને,ન ભુલી શકુ ઉપકાર જનેતાના.

 [ સૌને મધર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ ]

No Comments »

શ્રેષ્ઠ યાત્રા.

૧- શરીરમાં ફેરફાર કરે છે  હોસપીટલની યાત્રા.

૨- વિધ્યામાં ફેરફાર કરેછે શાળા-કોલેજની યાત્રા.

૩- મનમાં  ફેરફાર કરે છે   માનસશાસ્ત્રીની યાત્રા.

૪- પોતાનાકર્મો ફેરફાર કરે છે જન્મ-મરણની યાત્રા.

૫- પરંતુ આપણા જીવાત્માની યાત્રાને ફેરવી નાખે છે

     ભગવાન અને તેમના સંતપુરુષોના શરણે જવાની

     પદયાત્રા !!!

     મનને દોષોનો સંગ્રહ કર્યા વિના ચેન પડતુ નથી

     જીવાત્મા અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે

     એનુ મુળ કારણ  છે દોષ સંગ્રહ.

No Comments »

હાઈકુ.

           ૧      

    ૐકાર ધ્વનિ

  ફેલાયો બ્રમ્હાંડમાં

      ૐમય સૃષ્ટિ.

          ૨

    સમગ્ર સૃષ્ટિ

સમાઈ આ દ્રષ્ટિમાં

    ન્યારૂ જગત

 

1 Comment »

નીજ લીલા.

ગજબનો આ રંગારો,અજબ રંગો મિલાવ્યા.

ભરી રંગપ્યાલી ચિતારે, પીછી એક ફેરવી

જંગલ- વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ.

રંગના  ટપકાંમાંથી  ફૂટી  નીકળ્યા પહાડ.

પીછી ખંખેરી ત્યાં ખીલ્યાં રંગબેરંગી ફૂલો.

મારી એક ફુક ત્યાં ફેલાયા સાત સમુન્દર.

વાદળ લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ.

પલક ઝબકાવી ત્યાંબની આસૃસ્ટિ રંગીન.

રંગના એક એક ટપકે-ટપકે નીજ લીલા.

આતો એની રમત ખેલવા ચિતરે વારંવાર.

 

No Comments »

સન્નાટો.

કાળી અંધારી રાતનો આ સન્નાટો

ધરા ઉપર કોઈ  દીવડા પ્રગટાવો

કેટલી સ્તબ્ધતા  છવાઈ  ગઈ છે

તમરાના સરવળાટને સાંભળુ છુ

ઉઘવા નથી દેતો સ્તબ્ધ સન્નાટો

એ પણ એક ઉપકાર બની જાય

કોઈ વેળાનો એ હળવો જાકારો

અંધારી રાતમાં શોધુ પડછાયો

ટમટમતા દીવડા વચ્ચે દીઠુ કોઈ

ચીધે છે માર્ગ લઈ હાથમાં દીપ.

 

 

 

 

 

 

 

 

No Comments »

ક્યારેક

ક્યારેક હળવુ ક્યારેક મળવુ ક્યારેક ઝળહળવુ હવે

ક્યારેક ભીના ઘાસમાં પગલાંનુ ટળવળવુ હવે તો

ક્યારેક આશા લઈ બેઠુ શબ્દોને માટે આ હૈયુ હવે

ક્યારેક લીલુ  છમ ઘાસ પાંગરે પથ્થર  જેમ  હવે

દુર પર્વતની ટોચે ડોકાય જરા સોનેરી સૂરજ કિરણ

પહાડો પર પથરાયેલા બરફના ઢગલા ઓગળે હવે

એક બાજુ હાથના ટેરવા તગતગે,શબ્દો મળ્યા હવે

એક બાજુ શબ્દનુ બેફામ વિસ્તરવુ સાગર જેમ હવે

બેફામ વિસ્તરેલા શબ્દોના અવસાદી સ્વરો  હવે

ઘરની ભીતોની ઉદાસી ચીરીને ઉમરે ઢળ્યા હવે.

1 Comment »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.