Archive for June 26th, 2011

એકરાર .

તારા સુધી પહોચવાના અનેક માર્ગો છે .

 બધા અલગ-અલગ પંથનો નિર્દેશ કરે છે .

માનુ છુ હુ એકજ માર્ગે દ્રઢ   વિશ્વાસે

આગળ વધવાથી ,  કદાચ તુ મળી જાય .

હે પરર્માત્મા , તને પામવા નીકળીને 

   કેટલોય પંથ કાપી નાખ્યો ,

પરંતુ હજી એજ જવાબ મળે છે  ,

 કે મંઝિલ ઘણી દૂર છે .

ક્યારેક નિરાશામાં અટવાઉ છુ,

લાગે છે આગળ  વધવાની  હિમ્મત  નથી,

પાછા  ફરવાનુ   મન  થતુ   નથી ,

 હુ   ઉલઝનમાં  અટવાઉ છુ .  પણ

દિલમાં પ્રભુની પ્યારી મુરત વસી ગઈ છે.

તો મંઝિલ દૂર હોવા છતાં, એ પાસે લાગે છે .

મારી અભિલાષા જ મારી તૃપ્તિ બની ,

 મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.

4 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.