મન.
મન તો છે મરકટ, નાચ નચાવે અનેક.
ઘડી હસાવે ઘડી રડાવે,ખુશ કરે, દુખી કરે.
અતિ ચંચળ, ન બેસે એક જગ્યાએ ઠરી.
એક મિનિટમાં ભમી આવે આખુ બ્રહ્માડ.
કોઈનુ સમજાવેલુ ન સમજે,પોતાનુ કરે ધાર્યુ.
બુધ્ધિ શિક્ષક મોટા, રાખે ચમચમ સોટી.
જ્યાં પડે એક સોટી,મરકટ થાય શાન્ત,
બેસી જાય ચુપચાપ, અને આવે કાબુમાં.
બુધ્ધિ એતો સદગુરુ સમાન,આપે જ્ઞાન.
સદ વિચાર, સતકર્મથી,જ્યાં આવે જ્ઞાન,
મન બને શુધ્ધ, શાન્ત, પવિત્ર અને સ્થિર.
સ્થિતપ્રજ્ઞ બનતાં,પકડે ભક્તિ માર્ગ.
મરકટ મન ઉર્ધ્વગામી બનતા,કરે આત્માનો ઉધ્ધાર.