હ્રદય પ્રવાહ.
કવિ તો મા સરસ્વતિ સંન્તાન, મન દ્ર્શ્ટી તેજ.
કવિ હ્રદય, પ્રકૃતિ પ્યાસ હમેશ, ભાવ રસ હર પળ.
સૌન્દર્ય અને ચિન્તન હ્રદય વસે, વિચારોના વમળ.
મન, વહે વિચારોના એ છિપલા, મોતિ મળે હર છિપ.
વ્યાકુળ મન મરજીવિયા , શોધી લે ઝટ પટ.
એક એક મોતિ પરોવાય, મન તણા ધાગા.
બને કાવ્યની એ માળા, અતિ સુન્દર, રસિક.
હ્રદય કલમ, અર્પણ કરે કાગળ, સ્વરુપ અનોખુ.
કવિ હ્રદય સંન્તુષ્ટ , ને આનંદ અનેરો .
ઊર્મિના એ ભાવ , વહે હ્રદય પ્રવાહ અવિરત.
No Comments »