તે રીતે પડ્યો લંકાપતિ.
( કવિ પ્રેમાનંદ કૃત )
શ્રીરામચંદ્ર રાવણ હણવા કીધી ક્રોધની દ્ર્ષ્ટિ રે
જદ્યપી જુધ દારુણ કીધુ રાવણે બળ-પ્રાણ રે
બળ શક્તિ વિદ્યા નાશ પામ્યા ને ભેદ્યાં મર્મે બાણ રે
અંતકાળ જાણી આપણો ચિત્ત માંહે ચેત્યો ભૂપ રે
વીસ લોચન અવલોકે રામને હ્રદયે આણ્યુ રૂપ રે
તવ સર્વના હિત કારણે કોપે ચડ્યા જગદીશ રે
એક બાણ મૂક્યુ કંઠ માંહે તોહાં ત્રણ છેદ્યાં શીર રે
બીજે બાણે ખટ શીશ છેદ્યાં ત રહ્યુ મસ્તક એક રે
નવ મસ્તક્ની પાડી પંગત તોહે ના મુકે ટેક રે
જ્યમ ડોલે મગદળ એક દેતો ત્યમ એક શીશે ધીશ રે
શુ એક શૃગે ગિરી ધાતુ ઝરે,સ્ત્રવે રુધિર ગળે તાં રીસ રે
એક મસ્તકે ઉભો રાવણ કરી સુમ્પટ વીસે હાથ રે
અંતકાળે સ્તવન કીધુ ઓળખ્યા શ્રીરઘુનાથ રે
હ્રદે કમળમાં ધ્યાન ધરિયુ નખશીખ નીરખ્યા રામ રે
મને આવાગમનથી છોડાવો હરિ! આવો વૈકુન્ઠ ધામ રે
એવુ સ્મરણ જાણી દાસનુ રીઝ્યા શ્રી જગદીશ રે
પછી અગસ્ત ઋષિનુ બાણ મુકી છેદીયુ દશમુ શીશ રે
જ્યમ ગ્રહ સંગાથે પડે સવિતા મુળ થકો મેર રે
તે રીતે પડ્યો લંકાપતિ શબ્દ થયો ચોફેર રે
શુભમસ્તુ કલ્યાણકારી હરિનુ નામ નિદાનજી
ભટ પ્રેમાનંદ કહે કર જોડી રાખો હરિનુ ધ્યાનજી.
—પ્રેમાનંદ ( રણયક્ષ )
1 Comment »
Ramesh Patel on 01 Nov 2011 at 11:47 pm #
સુંદર રસમય કાવ્ય.
રમેશ પટેલ(આકાશદીપ)