Archive for June 19th, 2012

ભાગવતની રત્ન કણિકાઓ.

ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય ત્યારે પ્રેમ સિધ્ધ થયો મનાય.

પરર્માત્મા પ્રેમીને જ પોતાનુ સ્વરૂપ બતાવે છે.

વંદનથી પ્રસંન થાય તે પરર્માત્મા અને પદાર્થથી પ્રસંન થાય તે જીવાત્મા.

પરર્માત્માને હિસાબ આપવાનો દિવસ તેને મરણ કહે છે.

જે જીવ કરે તે તેનુ નામ ક્રિયા અને પ્રભુ કરે તેનુ નામ લીલા.

વંદન માત્ર શરીરથી જ  નથી થતા, મનથી પણ વંદન કરાય.

શીવજી સ્મશાનમાં રહે છે, સ્મશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રકટ થાય છે, તેને રોજ યાદ રાખવાની જરૂર છે.

મનુષ્ય બધીજ તૈયારી કરે છે, પરંતુ મરણની તૈયારી કોઈ કરતુ નથી.

કથા સાંભળે, સતસંગ કરે તો  વિવેક આવે છે.

ભક્તિ મંદિરમાં નહી પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે.

ગણપતિનુ પૂજન એટલે જીતેન્દ્રીય થવું, સરસ્વતિની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે.

સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન સ્મરણ એક ઈષ્ટદેવનું જ કરો.

  ભાગવત મરણને સુધારે છે.

1 Comment »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.