Archive for September 2nd, 2012

સ્યાદવાદ વાણી, વર્તન, મનન.

 

 

સ્યાદવાદનો અર્થ એવો કે બધા કયા ભાવથી, કયા વ્યુ પોઈન્ટથી કહે છે એ આપણે જાણવું જોઈએ.

સામાનો વ્યુ પોઈન્ટ સમજીને અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનુ નામ સ્યાદવાદ. એનાં વ્યુ પોઈન્ટને દુખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનુ નામ સ્યાદવાદ વાણી. સ્યાદવાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય તોયે સ્યાદવાદ વાણી કોઈની પ્રકૃતિને હરકત ના કરે.

સ્યાદવાદ મનન એટલે વિચારણામાં, વિચાર કરવામાં કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવવું જોઈએ. વર્તનમાં તો ના જ હોવું જોઈએ પણ વિચારમાં, પણ ના હોવું જોઈએ. બહાર બોલો એ જુદુ અને મનમાં પણ એવા સારા વિચાર હોવા જોઈએ કે સામાનું પ્રમાણ ના દુભાય એવા.કારણ કે મનમાં જે વિચારો હોય છે એ સામાને પહોચે છે.દરેકનુ એના પ્રમાણમાં સાચું હોય એટલે દરેકનુ જે સ્વીકાર કરે છે એનુ નામ સ્યાદવાદ. એક વસ્તુ તેના ગુણધર્મમાં હોય પણ આપણે એ અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ તે ખોટું છે. સ્યાદવાદ એટલે દરેકનુ પ્રમાણ પૂર્વક સ્વીકાર્ય.

જેટલા પ્રમાણમાં સત્ય હોય એટલા પ્રમાણમાં સત્ય હોય એને કહે છે અને બીજા જેટલા પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે છે. ભગવાનનું સ્યાદવાદ એટલે કોઈને કિંચિત માત્ર દુખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય. એટલે એ સ્યાદવાદ માર્ગ એવો હોય, દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે તે તમારા દોષો  કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહી. અને તે તમારી બુધ્ધિ દોષિત દેખાડે છે કે આણે ખોટું કર્યું.

( શ્રી દાદાભગવાન )

 

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.