સદબુધ્ધિ.

પ્રભુ પાસે માગુ હુ સદબુધ્ધિ  સદા.

સદ વિચારના વહેણ વહેતા રાખો સદા.

ડુબકી મારુ, કરુ શુધ્ધ મન અને હ્રદય.

ભક્તિ તણા હિરા-મોતિ રતન, જડ્યા હ્રદયષિહાસન પર.

હ્રદયષિહાસન પર બિરાજમાન ,   શ્રિ ક્રિશ્ણ હરિ.

શ્રી ક્રિશ્ન નામ રટણથી, કરુ વાણી શુધ્ધ.

સદાચારથી,   હુ  શુધ્ધ કરુ વર્તન.

ન જાણુ હુ સ્વર્ગ, ન જાણુ હુ નર્ક.

મૄત્યુ લોકને જાણુ હુ, બની આવ્યા માણસ.

માણસ બનવાની કોશીશ કરુ, ન બનુ પશુ.

પશુ બુધ્ધિ જડતા લાવે,પશુ જીવન વ્યર્થ.

જડતાથી  પ્રગટે  અજ્ઞાન ને  અંધકાર.

ન જાણુ  હુ પાપ, ન જાણુ  હુ  પુણ્ય.

કરુ બસ સતકર્મ,  સમજુ  ફક્ત કર્મ.

કર્મના ફ્ળ તો આપે  ભગવાન.

જીવન નૈયા થાય હાલક-ડોલક.

માયાના બંન્ધન  બહુ  ભારી.

જીવનનૈયા  સોપી   શ્રિ ક્રિશ્નને.

એક ભરોસો તારો, પાર ઉતારો નૈયા.

ફ્ક્ત ભરોસો હરિનો, કરે જીવનનૈયા પાર.

No Comments »

વિભાજન.

ભગવાને મનુશ્યને આ ધરતી પર મોક્લ્યો ત્યારથી બસ દરેક વસ્તુનુ વિભાજન કરતો આવ્યો છે.આ મારા રમકડા આ તારા રમકડા, આ મારા કપડા આ તારા ક્પડા, આ તારો રુમ આ મારો રુમ.આ મારુ ઘર આ તારુ ઘર, આ મારી  મિલકત આ તારી મિલકત. તેને માટે  મોટા ઝગડા, અને કોર્ટ  કચેરી સુધી પણ જ્વાનુ, આમ   દરેક વસ્તુમા વિભાજન,દરેક્મા વહેચણી.અગર તારુ-મારુ જ્ગ્યાયે અમારુ શબ્દ આવી જાયતો બધા પશ્રોનો ઉકેલ આવી જાય.

           ભગવાને માણસ બનાવીને મોક્લ્યો તો પછી, હુ હિન્દુ, તુ મુસ્લિમ. હુ બ્રામંણ તુ વાણીયા.હુ ગુજરાતી, તુ મરાઠી. એટ્લીથી બસ નથી  જુદા ધર્મ બનાવ્યા, જુદા જુદા સંપ્રદાય બનાવ્યા.ભગવાનને પણ વહેચી નાખ્યા. અરે કેટલુ બધુ કન્ફ્યુજન ! એક પર્ર્માત્મા છે, એક       ભગવાન અને ધર્મ માટે ઝગડાઅને મારા-મારી. મનુષ્યએ હદ વટાવી દીધી  છે. ભગવાન પણ વ્યન્ગમા હસતા હશે.

                  પરંન્તુ  આ માણસને જ્યારે પ્રેમ વહેચવાનો હોય ત્યારે તેનુ મન અને દિલબંન્ને એકદમ સંકુચિત થઈ જાય છે. સમાજમા, પરિવારમા સાચો પ્રેમ કરી નહી શકે.પ્રેમ વહેચી નહી શકે. જ્યા સ્વાર્થ હશે ત્યા ખોટો પ્રેમ બતાવશે. અરે ભગવાનને પણખોટો પ્રેમ બતાવીને ઉલ્લુ બનાવવા તૈયાર થઈ જ્શે. પ્રેમની વહેચણી કરતા નહીઆવડે.  બધી વસ્તુમા  વહેચણી કરશે પરંન્તુ પ્રેમની વહેચણી નહી કરે. પ્રેમ વહેચેતો આ દુનિયા, આ સંસાર કેટ્લો સુખી થઈ જાય. કજિયા, કંકાસ, ઝગડા ઓછા થઈજાય. દિલમા પ્રેમ ન હોય અટ્લે, તેની જ્ગ્યા ઈર્શા અને સ્વાર્થ લઈ લે.

No Comments »

મર્યાદા.

           મર્યાદા એટલે   એકચોક્ક્સહદ,કોઈ પણ   કાર્ય કરીયે  તેમાં એકહદમાં  રહીને ધર્મને  અનુસરીને  સારુકાર્ય કરવુ જે  નિતિનિયમ બતાવ્યા છે, બનાવ્યા છે,  તેપ્રમાણેજ કાર્ય કરવુ  શ્રીરામભગવાન મર્યાદાપુરષોતમ  કહે્વાય,તે    ઉપરથી આપણનેખબર પડે કેઆ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે અને ઉચ્ચકોટીનુ જીવન  જિવવા માટે આશબ્દ   બહુજરુરી છે .અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં એવુ લાગે છે કે આ શબ્દનુ કોઈ મહ્ત્વ હવે રહ્યુ નથી કોઈ પણ ક્ષેત્ર જોઈએ , રાજકારણ, પરિવાર,સમાજ,ધર્મ,સંપ્રદાય,શીક્ષણ ક્ષેત્ર હોય કોઈ જ્ગ્યાએ આ શબ્દ કોઈ સમજી શકતુનથી.દરેક જ્ગ્યાએ હરિફાઈ ચાલી રહી છે, એટલે દરેક્ને પોતાની જાત સિવાય બીજા કોઈની પરવાકર્યા વિના આગળ વધવુ છે,સ્વાર્થ વધી ગયો એટલે મર્યાદા બિલકુલ ભુલાઈ ગઈ છે. એટલેજ દરેક જ્ગ્યાએ ઈર્ષા,વેર-ઝેર,કજિયા-કંકાસ,ઝગડા દરેક ક્ષેત્રમા વધી ગયા છે.

            આપણે જોઈએ તો શરુઆત એક કુટુમ્બથીજ થાય,આવી વ્યક્તિપરિવાર અનેપછીથીસમાજ્માંઅશાન્તિ ફેલાવે. ખાસ કરીને એક સ્ત્રી માટે મર્યાદા દરેક વસ્તુમા આવતી હોય છે, સ્ત્રીએ મર્યાદામા રહીનેદરેક કામ કરવાના હોય છે.નવી પેઢીનો આધાર એક સ્ત્રી ઉપર હોય છે, બાળક્નુ શીક્ષણ માતા પાસેથી શરુ થાય છે.ઘણી વખત એવુ પણ બને માતા બાળક્ને સારુ શીક્ષણ આપે પરન્તુ બાળક ગણી બધી વસ્તુ   બહારનાવાતાવરણમાંથી શીખતુ હોય છે.મર્યાદા અને સંસ્કારી કુટુમ્બ હશે તો બાળક સંસ્કારીજ બનવાનુ છે. જોકે મર્યાદા દરેક ઉમરના માણસો માટે અને દરેક સ્ત્રી પુરુષ માટે લાગુ પડે છે.દરેક કાર્યમાં મર્યાદા હોય છે.

            કોઈ પણ વસ્તુ મર્યાદાની   બહાર એટલે કે વધારે પડતી થાય ત્યારે તે વસ્તુ કોઈને ગમે નહી,કોઈ વ્યક્તીને વધારે પડતુ બોલવા જોઈતુ હોય તો બીજા માણસને વાત સાભળવાનો કંટાળૉ આવે.કોઈ પણવસ્તુ હદની બહાર જાય એટલે તક્લીફ ઉભી કરે.દરેક કામ હદમા રહીને કરવાના હોય છે.હદ પાર કરીયે તો ઘણીવખત વિનાશને પણ આમંત્રણ આપીયે છીયે. ઘણી વખત અમુક વસ્તુની આદત હોય પછી તે ટેવમા બદ્લાય, ત્યાર બાદ કુટેવ અને પછી આ વસ્તુ હદ પાર  કરે.માણસને ભાન પણ ન હોય આ પરિસ્થીતિ સુધિ ક્યારે પહોચ્યો.જીવનમા મર્યાદાની બહુ જરુર છે.

1 Comment »

મિલન.

સંધ્યા મળવાને આતુર સુરજને, નડે રાત્રિના બંધન.

મનમા  એકજ  આશ, ક્યારેક  તો થશે  મિલન.

સંધ્યા ન સમજે,સુરજ મિલન લખ્યુ ન ભાગ્યમા.

આતો  કુદરતનો   નિયમ,  લખીને આવી   વિયોગ.

ચંન્ર્દ-સુરજ  ક્યારે  ન  આવે  સાથે.

એકને વ્હાલો દિન, એકને વ્હાલી  રાત્રિ.

ચાતક  તડપે  એક  બુન્દ, જોવે  વર્ષાની  વાટ.

પ્યાસા ચાતક એક આશ લઈ નિહાળે ગગન.

પંખીડા   ઉડ્વાને  આતુર  ખુલ્લા  આસમાને.

પિન્જરુ  કરે  બંધન,  ઉડવાની આશ ન છુટે.

આત્મા  ઝંખે  પરર્માત્મા  મિલન હમેશા.

નડે શરીરના    બંધન, આશ ન છુટે.

1 Comment »

સુગંધ.

સુરજ નીકળે સોનાના  રથમા સવાર,  આવે  લઇને  સુગન્ધ.

મોગરો , ગુલાબ અને  ચમ્પો , વ્રુક્ષ , છોડ  અને પાન ફેલાવે સુગન્ધ.

ફ્ળો  લેઈને  આવે  રસ  અને   અનેરી સુગન્ધ.

મંદ,મંદ વહેતા  ઝરણા સાથે વહેતો વાયરો  લાવે ઝરણાની સુગન્ધ.

નદી, સરોવર, સાગર, ધોધ અને ફુવારાની  પણ   અનેરી  સુગન્ધ.

મમતાથી  મા ડોલી ઉઠે , નવજાત શીશુની મનમોહ્ક  સુગન્ધ.

પતિને પ્યારી લાગે,સ્નાન કરીને,લુછતી ખુલ્લા કેશ, નવોઢાની સુગન્ધ.

પુજા રુમ, મન્દિરમા, ધુપસળીની મહેક, ફેલાવે મનમોહક સુગન્ધ.

તો ચન્દન, અબીલ, ગુલાલ,  તુલસી ફેલાવે શુધ્ધ નિર્મળ સુગન્ધ.

વર્શા  લાવે  ધરતીની  માટીમા  મહેક, ધરતીની અનોખી સુગન્ધ.

રાત્રે, રાતરાણી  મઘમઘ મહેકી રહી , ફેલાવે  સુગન્ધ.

રાત્રીના સમયે પણ  વહી  રહ્યો છે,  રસ સુગન્ધ.

જ્યા જોવો ત્યા મહેસુસ થાય બસ, રસ અને સુગન્ધ.

તો  ફરિયાદ  શાની , નીરસ જીન્દગી છે, ન તેમા સુગન્ધ.

1 Comment »

તુલસી.

વૃન્દાસતી,   પતિવ્રતા   ૠષિપત્નિ.

પ્રભુએ  કર્યા  પારખા, પતિવ્રતાના.

ક્રોધિત વૃન્દા,  શ્રાપીત કર્યા શ્રી હરિ.

શ્રી હરિને  બનાવ્યા,  શાલીન્ગ્રામ.

સામે   વળતો   શ્રાપ  પામી    સતી.

બની   વૃન્દા,     પવિત્ર   તુલસી.

શ્રાપમા   પણ  મળ્યો     આશીરવાદ.

શ્રી હરીએ  વરદાન   આપ્યા.

બીજા  જનમમા  કરુ  વિવાહ.

શાલીન્ગ્રામ-તુલસીવિવાહ થાય.

તુલસી  બની   અતિ પવિત્ર.

શ્રીક્રિષ્ણને    વ્હાલા   તુલસી.

તુલસીદ્લથી  તોળાયા શ્રીક્રિશ્ન.

તુલસીદલ વિના, પ્રભુ ભોગ અધુરા.

તુલસીમાળા,  શાક્ષી   બ્રહ્મસબંધની

તુલસીમાળા,  શાક્ષી   મંત્રજાપની.

વૃન્દાવનમા  વાસ   શ્રી ક્રિશ્નનો.

તુલસીક્યારા વિના, સુના વૈષણવ આગણ.

આગણ   શોભે   તુલસીક્યારા.

સામગ્રી  થાળ અધુરા, વિના તુલસીદ્લ.

પુષ્પ,  ધુપસળી,  ચંદન,  તુલસી.

શોભા  અતિ પુજા   થાળ.

મ્રુત્યુશૈયા અધુરી, વિના મુખમા તુલસીદ્લ.

જે ઘર તુલસીક્યારા, તે ઘર શ્રી ક્રિશ્ર્ન નિવાસ.

No Comments »

નયન.

મદહોશ   નયન,  ધાયલ  કરે  દિલ.

મનમોહક નયન,  વિવશ  કરે  દિલ.

સુન્દર   નયન,   લુભાવે  દિલ.

જાદુય નયન,   ચુરાવે   દિલ.

વ્યાકુળ  નયન, બેચેન કરે દિલ.

તીરછે  નયન, પાગલ કરે દિલ.

ઝુકે ઝુકે નયન, આર્કશિત થાય દિલ.

પ્યાસે  નયન,   ઝંખે   દિલ.

પ્રેમભરે  નયન,  ત્રુપ્ત  થાય  દિલ.

કામણગારે  નયન,  કાબુ ન રહે દિલ.

મસ્તિભરે  નયન,  તડપે  દિલ.

અશ્રુભરે  નયન, દુખી કરે  દિલ.

મૃગનયની,  અતિ સુન્દર.

મીનનયની (મીનાક્ષી), અતિ રમ્ય.

ક્રોધીત  નયન, ભયભીત કરે દિલ.

ખામોશ   નયન,   ધણુબધુ    કહે.

કપટી  નયન,  સર્વનાશ  કરે.

બુરે  નયન,  ધિક્કારે   હર   દિલ.

2 Comments »

આવે તારી યાદ.

            ઘરમા જ્યારે કોઇ સ્વજન પરલોક સિધાવે, જ્યારે કોઇ વ્યક્તિનુ મોત થાય ત્યારે  બહુ મોટુ દુખ આવી પડે અને આખુ કુટુમ્બ શોક્મા ડુબિ જાય. આ દુખ જલ્દી ભુલાતુ નથી. ન ક્યાય ચેન પડે, ન ખાવાનુ ગળે ઉતરે,આખમા આસુ  ન સુકાય, ન કોઈ દિશા સુજે. મ્રુત્યુ સામે જોઈને વિચાર આવે મનુશ્ય્નો અંન્ત આવો હોઈ શકે? માણસ ચાલ્યુ જાય કારેય પાછુ આવવાનુ નથી,આસમયે જગજિતશીગનુ આ ગીત યાદ  આવી જાય, ચિઠી ન કોઈ સન્દેશ, ન જાને કોનસા દેશ જહા તુમ ચલે ગયે. આ એટલી દર્દ ભરેલી સચ્ચાઈ છે કે આપણે તે વ્યક્તિને ફરીથી ક્યારેય જોઈ શક્તા, મળી નથી શક્તા, તેની કોઈ ખબર નથી આવતી, આવે છે ફ્ક્ત તેની યાદ. પરલોક જવાવાળા ક્યારેય પાછા નથી આવતા આવે છે ફ્ક્ત તેમની યાદ.

           માણસ જાય ત્યાર બાદ  સમય જાય તેમ ધીમે ધીમે શોક, દુખ ઓછુ થતુ જાય. પરન્તુ આપણે તે વ્યક્તિને ભુલી ન શકીયે, તેની યાદ હમેશા સાથે રહે. આપણને તેના માટે લાગણી અને માયા છે. માતા પિતા હોય તો તેના માટે,   ભાઈ– બહે્ન માટે, પુત્ર–પુત્રિ માટે શોક, દુખની લાગણી અલગ હોય છે, તેમા વાત્સલ્ય હોય, મમતા હોય આ પ્રેમ જુદોજ હોય એટ્લે તેનો શોક, દુખ જુદુ હોય છે. જ્યારે  પતિ-પત્નિ વચ્ચેનો પ્રેમ અલગ હોય, એટ્લે પતિ મ્રુત્યુ પામે તો પત્નિનો શોક અને દુખ જુદા હોય છે તેવીજ રીતે પતિ માટે છે. પતિ-પત્નિનો પ્રેમ એવો હોય છેકે બન્નેને એક બીજા વિના બિલકુલ ચાલતુ નથી એ લોકોનુ જીવન એવી રીતે જોડાયેલુ હોય, બન્ને સુખ-દુખ, જીવનની દરેક પરિસ્થિતી ચાહે સારી કે ખોટી બન્ને સાથે મળીને હલ કરે. એક ગાડીના બે પઇડા છે. એક બીજા  વિના રહી ન શકે. તેઓનો પ્રેમ અલગ છે, એટ્લે તે બન્નનો શોક અને દુખની લાગણી પણ અલગ હોય. સજા ફિલ્મનુ આ ગીત યાદ આવી જાય. દર્દ ભરેલા શબ્દ છે. તુમ ન જાને કિસ જહામે ખો ગયે,  ગમ ભરી દુનિયામે તનહા હો ગયે. આમા જો પત્નિનો સ્વર્ગવાસ જો  પહે્લા થાય તો એક પતિ માટે એક્લા જીવવુ    બહુ્જ મુશ્કેલ થઇ જાય. જ્યારે પત્નિ તો શહનશક્તિની મુર્તિ સમાન છે, દરેક કામમા કુશળ હોય એટ્લે દુખમા પણ મો હસતુ રાખીને માથા પર આવી પડેલો દુખનો ભાર સહજતાથી ઉપાડીને જીવે છે. સ્વજનના મ્રુત્યુ બાદ દિવસો, મહીનાઓ,વર્શો વિતી જાય છે. દુખ ઓછુ થતુ જાય પરન્તુ યાદ નથી જતી હમેશને માટે દિલનો એક ખુણો ખાલી  રહી  જાય છે, આ ખાલી જ્ગ્યા ક્યારેય  નથી ભરાતી. ફ્ક્ત યાદે રહી જાય, યાદોને   સહારે જીવન જીવવાનુ હોય અને જિન્દગી વીતાવવાની હોય.

No Comments »

વાસળી.

કાસ્ટનો એક ટુકડો, ન કોઈ એનુ મોલ.

વિશ્વકર્મા સમા ઘડવઈયાએ ઘાટ ઘડ્યા.

આપ્યુ નીજ સુન્દર રુપ, નામ મળ્યુ વાસળી.

ચાહે  વાસળી  કહો,  ચાહે   બન્સી,

ચાહે  મોરલી  કહો,  ચાહે  કહો વેણુ.

શ્રી ક્રિશ્ન   અધર  સ્પર્શ  પામતા.

પુરાયા પ્રાણ,  નીકળ્યા સાત  સુર.

ખુશી સમાય નહી, મન નાચી ઉઠ્યુ.

મારા ભાગ્યથી હરખાઈ,  ઝુમી  ઉઠુ.

રાધા  સમી  હુ  બડભાગી   રે.

એકને હ્યદયમા  સ્થાન,  એકને અધર પર સ્થાન.

જે સુખ ઋષિ-મુની, સંન્ત ન પામે, તે સુખ પામી રે.

રાધા કાજે,  ગૌમાતાકાજે,  ગોપીયનકાજે,  સ્રુશ્ટીકાજે,

શ્રી ક્રુશ્ન અધર રસ પામુ  રે. હુ તો અતિ ભાગ્યશાળી  રે.

No Comments »

મોરપીછ.

મોર-મોરની બ્રહ્મચારિ જીવ સદા.

બ્રહ્મચારિજીવ બને તપસ્વી મોટા.

મોર-મોરની  બન્યા  શ્રેશ્ટ   યોગી.

સીતા  ખોજ  માટે  ચાલ્યા  રામ.

માર્ગ   બતાવે  મોર, આગળ મોર.

પાછળ  રામ-લક્ષ્મણ, માર્ગ અતી દુર.

મોરઅન્ગ ન રહ્યા  મોરપીછ. રહ્યુ એક પીછ.

રામે આપ્યા  વચન, અતિશય પ્રેમથી.

દ્વાપરયુગમા ધરુ શીર પર આ એક પીછ.

મોરપીછ ધારણ કર્યુ, શીર પર શ્રી  ક્રિશ્ણ.

મોર મુકુટ અતિ સુન્દર,  શ્રી ક્રિશ્ન ધર્યો શીર.

શોભા અતિ રમ્ય, બોલો જય જય શ્રી ક્રિશ્ન.

મોર બન્યો  ધન્ય, સ્થાન પાયુ અતિ ઉચ્ચ.

મોર બન્યો ક્રિશ્ન પ્રિય, જગ આપે આદરભાવ.

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.