આશા-નિરાશા .

આશા અને નિરાશાઓમાં ઉલઝી જીન્દગી .

સુખ અને દુખના તારોથી જોડાઈ જીન્દગી .

હસી- ખુશીના રંગોના છાંટણાથી    રંગાઈ .

હર પળ ઝંખના, આશા,  ખુશી-આનંદની.

આશા-નિરાશા , સુખ-દુખ એ મનના  ખેલ.

સુખ-દુખ એતો કર્મના લેખ , ન તેનો અંત .

ભાગ્યમાં લખ્યુ એટલુ અને નક્કી સમયે પામે.

માગ્યુ કદી મળે નહી ,  ખાલી થાવુ નિરાશ.

સ્થિતપ્રજ્ઞ બનતાં ,    સમજાય ભેદ ભરમ .

સ્થિતપ્રજ્ઞ તો મ્હાલે નિજાનંદમાં હરપલ .

ન કોઈ દુખ, આશા- નિરાશા, પરમ શાંતિ .

આનંદ-આનંદ-આનંદ .   સત-ચિત્ત-આનંદ.

2 Comments »

પરિવારમાં દિકરી પ્રત્યે વલણ .

  આપણે ઘણી બધી પ્રગતી કરી છે છતાં પણ દિકરી માટે

આજે પણ ઓરમાયુ વર્તન મોટે ભાગે ઘણી જગ્યાએ જોવામાં

આવે છે . જ્યારે પરિવારમાં નાના નવા મહેમાનનુ આગમન

થવાનુ હોય ત્યારે આશા એક્જ હોય પુત્રનુ આગમન થાય .

         છતાં આજે પણ ઘણા પરિવાર દિકરિ જન્મે તો તેનુ હસિ ખુશીથી સ્વાગત કરે છે .અને તેમને દિકરી

કે દિકરો કોઈ ફરક નથી . પુત્ર કે પુત્રી એકજ સમાન છે .આતો થોડા ત્રીસ ચાલીસ ટકા  લોકોમાં આ વિચાર

ધારા છે. બીજા લોકોનુ શુ જે દિકરીને પરિવારમાં સ્વિકારવા તૈયાર નથી અને આવી પણ ગઈ તો તેના માટે

ઓરમાયુ વર્તન . નાનપણથીજ છોકરીયો માટે છોકરાઓ કરતાં અલગ કાયદા કાનુન .મોટા શહેર કે પરદેસ

ની વાત અલગ છે ,કે જ્યાં છોકરીયોને બધી છુટ હોય છે . વધારે પડતા બંધનોને લીધે છોકરીઓનો વિકાસ

પણ રૂધાઈ જાય છે .છોકરીને પણ મનમાં  ઘણી બધી ઈચ્છાઓ , આશાઓ ,તમન્નાઓ,ધગશ હોય પરંતુ

બંધનોને લીધે બધુજ દબાઈ જાય છે , દબાવી દેવુ પડે છે .દિકરી માટે મોટે ભાગે લોકો બોલતા હોય છે

દિકરી તો સાપનો ભારો , દિકરી તો પારકી થાપણ . પરંતુ કેટલા લોકો બોલે છે દિકરી તો તુલસીનો ક્યારો

દિકરી તો દીપક છે. જે મારા ઘરમાં અજવાળુ પાથરે છે અને પરણીને પતિને ઘરે જશે એટલે પતિના ઘરમાં

અજવાળા પાથરશે . મારા પરિવારની અને કુળની લાજ રાખશે .ખરેખર તો એક દિકરી બે કુળને તારે છે

 પતિના ઘરના દરેક વ્યક્તિને પ્રેમથી પોતાના કરીને, ઘરની માન મર્યાદાની કાળજી રાખે છે .છતાં પણ

જ્યારે દિકરી સાસરેથી પિતાને ઘરે  જાય ત્યારે કહેવામાં આવે પિતાને ઘરે આવી , પાછી જાય ત્યારે કહેવાય

પતિને ઘરે પાછી ગઈ .ઘડપણમાં દિકરા સાથે રહેતી હોય તો દિકરાનુ ઘર .તો  પછી  સ્ત્રીનુ કોઈ ઘર નહી ?

તો એક સ્ત્રીને પોતાને કોઈ પહેચાન નહી ? પોતાની કોઈ અલગ ઓળખાણ નહી ? એક સ્ત્રી જ્યારે પોતાનુ

સર્વસ્વ પરિવાર માટે અર્પણ કરી દે છતાં પણ પોતાનુ અલગ કોઈ અસ્તિત્વ નહી .

      પિતાને ઘરે હોય ત્યારે માતા-પિતા કહે તે પ્રમાણે વર્તવાનુ . પોતાની કોઈ મરજી ન ચાલે .

માતા-પિતાને આધીન રહેવુ પડે .પરણીને સાસરે આવે એટલે પ્રથમ તો સાસુ-સસરાને આધીન ત્યાર  બાદ

પતિને આધીન , પતિ જેમ  કહે તેમ ચાલવાનુ , ઘડપણ આવ્યુ દિકરા સાથે રહેવાનુ છે , દિકરા અને વહુને

આધીન રહેવાનુ . પોતાની કોઈ મરજી નહી ? પોતાની મરજી પ્રમાણે જીવન ક્યારે જીવવાનુ ? એક સ્ત્રીને

પોતાને મરજી મુજબ , પોતાની ઈચ્છા મુજબ , પોતાના પ્રમાણે ક્યારે જીવવાનુ ? આ સવાલ તો લગભગ

સીત્તેરથી એશી ટકા સ્ત્રીયો પાસે છે ? એનો કોઈ જવાબ નહી ? જ્યારે એક દિકરી અને દિકરા વચ્ચેનો ભેદ

ઓછો થશે જ્યારે બંન્ને  વચ્ચે સમાનતા આવશે ત્યારેજ તેનો જવાબ મળશે .માતા-પિતા કે સાસુ-સસરા

કે પતિ, એક દિકરીની , એક સ્ત્રીની  ,એક નારીની વ્યથા સમજી શકે છે ?  સમજવાની કોશીશ કે પ્રયત્ન

પણ ક્યારેય કરે છે ? એક દિકરો પોતાનો અલગ પરિવાર લઈને બેઠો છે તે પોતાની માતાની વ્યથા

સમજવાની ક્યારેય કોશીશ પણ કરશે ?

આટલા બધા ભેદભાવ હોવા છતાં દિકરી , બહેન બનીને , બેટી બનીને , પત્નિ બનીને , વહુ બનીને ,

એક મા બનીને એક દાદી બનીને પોતાનો ધર્મ બરાબર નીભાવે છે . પરિવારમાં દરેકને ભરપુર પ્રેમ આપે

છે . દિકરી , બહેન , પત્નિ , વહુ ,માતા , દાદી ,નાની બની ને બસ બધાને પ્રેમ , મમતા ,વાસ્ત્યલ્ય અર્પણ

કરે છે . વિના કોઈ અપેક્ષા .સ્ત્રી ખરેખર એક મમતાની દેવી છે .અને ખાસ કરીને પોતાના બાળકોને તો

નિસ્વાર્થ પ્રેમ કરતી હોય છે .આ પ્રેમની મુર્તિને કોણ સમજી શક્શે ?

નારી ઉધ્ધારની વાતો તો ઘણી થાય છે ,   છતાં પણ જે માનસીક વિચાર ધારા છે તે બદલવાની જરૂર છે .

અને હિન્દુ સાસ્ત્રો પ્રમાણે , સદીયોથી જે નિતિ નિયમો બનાવ્યા છે , તે આધુનીક સમય અને સ્થળ પ્રમાણે

બદલવાની જરૂર છે . આજે તો એક સ્ત્રી પુરુષ સાથે દરેક ક્ષેત્રમાં ક્દમ અને ખભાથી ખભો  મિલાવીને ચાલે છે

આજની નારી સાચુ શુ ? ખોટુ શુ ? તેનાથી વાકેફ છે .આજની નારી જાગૃત છે , શિક્ષિત છે . છતાં પણ કેમ

દિકરા દિકરી વચ્ચે ભેદભાવ ?  દિકરી માટે કેમ ઓરમાયુ વર્તન  ?

2 Comments »

તેરા રામજી કરેન્ગે બેડા પાર .

      सीया राम मय  जग जानी

     करहु प्रनाम जोरी जुग पानी .  

   (આજે રામ નવમી અતિ શુભ દિવસ 

     રામ સ્મરણ અને ચિન્તન નો દિવસ )

                       ( ભજન )

તેરા રામજી કરેગે બેડા પાર,   ઉદાસી મન કાહે   કો   કરે.

કાહે કો ડરે રે કાહે  કો ડરે ,    તેરા રામજી ——

નૈયા તેરી રામ હવાલે , લહર લહર  હરિ આપ સંભાલે .

હરિ આપ હી ઉઠાવે તેરા ભાર, ઉદાસી મન કાહે કો કરે .

કાબૂ મે મઝધાર ઉસીકે ,  હાથોમે  પતવાર   ઉસીકે .

તેરી હાર ભી નહી હે તેરી હાર , ઉદાસી મન કાહે હો કરે .

સહજ કિનારા મિલ જાએગા , પરમ સહારા મિલ જાએગા .

ડોરી સોપ કે તો દેખો એક બાર , ઉદાસી મન કાહે કો કરે .

દીના બંધૂ દીના નાથ ,   મેરી ડોરી તેરે હાથ — ૨ .

ઉદાસી  મન  કાહી  કો  કરે .

તૂ નિર્દોશ તૂઝે ક્યા ડર હૈ ,તેરા  પગ-પગ પર સાથી ઈશ્વર હૈ .

જરા ભાવના સે કીજીયો પુકાર ,   ઉદાસી મન કાહે કો કરે .

તેરા રામજી કરેગે બેડા પાર,     ઉદાસી મન કાહે કો કરે .

1 Comment »

આત્મ ચિન્તન-૨

     ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )

                 (  સંસાર દશા )

 હુ આત્મા છુ …  હુ આત્મા છુ …

સંસાર દશા એ મારી દશા નથી .

અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે…

સંસાર  દશા  ઉભી  થઈ  છે .

એ દશા હવે વધુ વખત નહી જોઈએ .

બહુ ભટક્યો … બહુ રખડ્યો …

આ સંસાર દશામાં ક્યાંય પણ જીવને…

શાંતિ ન મળી … સુખ ન મળ્યુ …

તૃપ્તિ કે આનંદ ના મળ્યા …

એવી ભટકાવનાર …  રખડાવનાર ,

સંસાર દશા હવે નથી જોઈતી   .

અજ્ઞાનને છેદી , સ્વ પરના જ્ઞાનને …

પ્રાપ્ત કરૂ , મારો સંસાર પતી જાય …  .

આ સંસારે મને પીડા આપી …

વેદના આપી , દુઃખ આપ્યુ  …

હવે  એ  દશાને  પામુ …

જે  દશામાં , માત્ર આનંદ…આનંદ…

માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

એનુ એજ અખંડ…અભય…અવિકારી …

અવિનાશી એવા સ્વરૂપને માણુ …

એવા  સ્વરૂપને જાણુ  .

ઉચ્ચ કુળ મળ્યુ …જૈન ધર્મ મળ્યો…

વીતરાગની વાણી મળી…

સંતોનો સંગ મળ્યો…હવે સંગથી અસંગ થઈ…

આત્મામાં તન્મય થાઉ …બસ થાઓ …

સંસાર બસ થાઓ …

જન્મ મરણ એ સર્વથી પર થઈ …

માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

3 Comments »

આત્મ ચિન્તન-૧.

     {  બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ

                     ” હુ આત્મા છુ ”

     માંથી  લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા  }

                       (વીતરાગતા)

હુ આત્મા છુ…… હુ આત્મા છુ.

વીતરાગતા મારૂ સ્વરૂપ……. .

હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .

રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….

નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.

રાગ  અને  દ્વેષ  વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.

મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .

અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……

રાગાદીને   મારા    માની   રહ્યો છુ .

તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .

આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,

રુચી બદલવાની જરૂર છે ……

અનંતકાળથી સંસારની રૂચીને કારણે

સંસારે ભટક્યો છુ………….

હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .

જન્મ કે મરણ નથી જોઈતા ………

માટે મારી  રૂચીને  બદલી દઉ.

સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .

હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

5 Comments »

શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.

  આજે શિવરાત્રિનો અતિ પાવન અને પવિત્ર દિવસ છે.

  શિવ ઉપાસના અને આરાધનાનો  દિવસ છે .

  પ્રેમથી શિવજીનુ સ્મરણ કરીએ .

                        ૐ નમઃ શિવાય

ન= નાગેન્દ્રહારાય ત્રિલોચનાય,  ભસ્માંગરાગાય મહેશ્વરાય

       નિત્યાય શુધ્ધાય દિગંબરાય,  તસ્મૈય નકારાય નમઃ શિવાય

      ( મોટા મોટા સર્પોના હાર પહેરનારા , ત્રણ નેત્રવાળા ભસ્મના

      અંગરાગને શરીર પર લગાડનારા મહેશ્વર નિત્ય શુધ્ધ અને

      દીશારૂપી વસ્ત્ર વાળા એવા તે નકારાક્ષર રૂપ શંકરને મારા

     નમસ્કાર હો . )

મ= મંન્દાકિની સલીલ ચંદન ચર્ચીતાય, નંદીશ્વરઃ પ્રમથનાથ મહેશ્વરાય

      મંન્દાર પુખ્ય બહુ પુષ્પ સુપૂજીતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય

    ( ગંગાના જલયુક્ત ચંદનને ચોપડનારા , નન્દીના ઈશ્વર , પ્રમથના સ્વામી

    અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પ અને બીજા વિવિધ પ્રકારના પુષ્પો વડે

    પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો )

શિ= શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ , સૂર્યાય દક્ષાધ્વર નાશકાય

       શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય, તસ્મૈય શિકારાય નમઃ શિવાય

      ( કલ્યાણરૂપ, પાર્વતિના વદનરૂપ કમળને ખીલવનારા ,સુન્દર સૂર્યરૂપ

      દક્ષના યજ્ઞનો નાશ કરનારા , શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં

     વૃષભનુ ચિન્હ છે એવા તે શિકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. )

વ= વસિષ્ઠ-કુમ્ભોદભવ-ગૌતમાય , મુનીન્દ્રદેવારચીતશેખરાય

       ચંદ્રાર્કવૈશ્વાનર લોચનાય, તસ્મૈય વકારાય નમઃ શિવાય

        ( વસિષ્ઠ , અગસ્ત્ય ,ગૌતમ વગેરે મહા મુનિઓએ તેમજ દેવોએ જેમને

        માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંન્દ્ર , સૂર્ય અને વૈશ્વાનર અગ્નિરૂપ

        ત્રણ નેત્ર વાળા તે વકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો . )

ય= યજ્ઞ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય સનાતનાય

        દિવ્યાય દેવાય દિગંબરાય , તસ્મૈ યકારાય નમઃ શિવાય

       ( યજ્ઞ સ્વરૂપ જટાને ધારણ કરનારા , જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે

      એવા સનાતન દીવ્ય દેવ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા યકારાક્ષર રૂપ

       શંકરને મારા નમસ્કાર હો . )

                              ( ફલ શ્રુતિ )

          પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠોચ્છિવસંનિધૌ ,

          શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે .

    ( શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં

   પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે . )

4 Comments »

સહાય .

ત્રેતાયુગમાં એક પાપી રાવણ સંહાર કાજે ,

ધર્યો અવતાર મર્યાદા પુરષોત્તમ શ્રી રામ.

કળીયુગમાં તો કરોડો રાવણ મચાવે તાંડવ.

હે દયાળુ શ્રી રામ ક્યારે કરશો અવતરણ  ફ્રરીથી ?

જોઈએ અમે તો  આતુરતાથી વાટ તમારી .

દ્વાપરયુગમાં મામા કંસના સંહાર કાજે ,

ધર્યો અવતાર યોગેશ્વર શ્રી ક્રીષ્ણ .

કળીયુગમાં તો કરોડો કંસ મચાવે હાહાકાર ,

હે દયાળુ શ્રી ક્રીષ્ણ ક્યારે કરશો અવતરણ ફરીથી ?

જોઈએ  અમે તો આતુરતાથી વાટ તમારી .

લાખો અહલ્યાઓ, પીડીત પતિ અને કુટુમ્બ જુલમ.

ચુપ ચાપ સહે જુલમ , બની એક બે જાન પત્થર .

લાખો દ્રોપદીની લુટાય લાજ આજતો , ન કોઈ સહાય .

લાખો  સુદામા જીવે મજબુરીમાં ,  ન કોઈ સહાય .

હજારો પાંડવો  આજે પણ ચાલે નિતિ અને ધર્મના માર્ગે .

હજારો વિદુર છે આજે , કરે તમને નિસ્વાર્થ પ્રેમ .

નિતિ અને ધર્મના માર્ગે આવે અનેક અડચણ ને બાધાઓ.

આજે નિસહાય છે અહલ્યાઓ, દ્રૌપદીઓ ,સુદામા ,વિદુર અને પાડવો ! ! !

હે રામ , હે ક્રીષ્ણ તમારા વિના કોણ કરશે સહાય ?

3 Comments »

અધર્મ .

ધરતી પર પાપ અને અધર્મ વધતાં યુગે યુગે  થાઉ હુ પ્રગટ ! ! !

હે ક્રીષ્ણ , હે યશોદા નંદન , કરેલ વાયદો અને વચન વિસરે તુતો.

ધર્મના નામે ચાલે ધતિન્ગ,  લોભ-લાલસા બન્યા તૃષ્ણા ચારો તરફ.

રાજકારણ નેતાને સ્વીસ બેન્કમાં બેલેન્સની લાલસા.

પરિવાર ને સગા સબંધીમાં ચાલે હરિફાઈ, બનવા કરોડપતિ.

વૈભવશાળી જીવન જીવવાની ચાલે મોટી દોડ , દંભી જીવન .

એક ટુકડો ભુમિ કાજે ધરતી  લોહીથી રંગાય, ક્રૂર બન્યો માનવી .

લાલસા ને તૃષ્ણા કરાવે અધર્મ અને મોટા પાપ, ન કોઈ સીમા.

ભુલાવે લાજ-શરમ, વિવેક-મર્યાદા,પ્રેમ અને દયા જે મોટા આભૂષણ .

પાપોથી ભરેલ દુનિયા, આનાથી ન મોટો કોઈ ભાર ધરતી પર !

અજ્ઞાની આ બાળકો તારા, કરુણા જનક મનોદશા, બન્યા દીશા હીન.

હે કૃપાળુ , હે દયાસાગર , હવે તો કરો અમ પર દયા અને કૃપાદ્રષ્ટિ .

અમને મોટી આશા તમારા આગમનની , છે શ્રધ્ધા નથી હવે સબુરિ .

સંભળાય બંસી નાદ, શુ આવી ગયા પ્રભુ ?  થાય ભણકારા !

હવે તો આવી ગયો સમય , પ્રગટ થવાનો , આપના આગમનનો ! ! !

1 Comment »

खांफ.

      

                    अब डर नही मुझे मोतका

             क्या सेतानोसे बडा खांफ है मोतका ?

               सेतानोकी बस्तीमे है मेरा बसेरा !!!

No Comments »

સિધ્ધાંતો .

( એક લેખકને બોલતા સાંભળ્યા, ગાંધીજી સાથે આખો ભારત દેશ

સાથે હતો, લોકોનુ પરિબળ હતુ, એટલે આપણને આઝાદી અપાવી શક્યા. )

કેટલુ ભુલ ભરેલુ વિચારવાનુ છે. નાના બાળક્થી માંડીને મોટા બધાજ ગાંધીજીના જીવન

ચરિત્રથી વાકેફ છે. ગાંધીજી સાથે આખો દેશ હતો સાચી વાત છે, પરંતુ કેમ દેશ તેમની સાથે હતો ?

એતો આપણે વિચારવુ જોઈએ . આપણી પાસે કોઈ મુદ્દો હોય અને કોઈની સામે રાખવાનો હોય તો

જો પચીસ માણસો ભેગા કરવા હોય તો આપણે કરી શકીએ ? નહી કરી શકીયે અરે ઘરમાં પાંચ માણસ

હશે અને પાંચને ભેગા કરવા હશે તો નહી કરી શકાય કેમકે આપણામાં એટલી ક્ષમતા નથી. આપણે

બોલીએ શુ અને કરીએ શુ .જ્યારે ગાધીજી જે વસ્તુ પોતે બોલે તે પહેલા પોતાના આચરણમાં મુકતા

હતા. તેના માટે આપણે જાણીએ છીયે , એક વખત એક બેન તેના દિકરાને લઈને ગાંધીજી પાસે આવે

છે અને કહે છે બાપૂ મારો છોકરો ગોળ બહુ ખાય છે તેને સમજાવો ત્યારે બાપૂએ કહ્યુ એક અઠવાડિયા

પછી તમારા દિકરાને લઈને આવજો પછી સમજાવીશ. અને અઠવાડીયા પછી પેલા બેન તેના છોકરાને

લઈને ગાંધીજી પાસે આવે છે અને ગાંધીજી તેને ગોળ નહી ખાવા માટે સમજાવે છે ત્યારે બેન ગાંધીજીને

પૂછે છે આ વાત તમે તેને અઠવાડીયા પહેલા સમજાવી હોત તો ? ત્યારે બાપૂ બોલે  છે હુ પોતે ગોળ ખાતો

હતો અને હુ કેવી રીતે આ બાળકને ગોળ ન ખાવા માટે શીખામણ આપી શકુ ? એક અઠવાડિયામાં બાપૂએ

ગોળ છોડી દીધો અને પછીજ શીખામણ આપી છે .આ કામ સામાન્ય વ્યક્તિ માટે કરવુ ક્ઠીન છે .ગાંધીજીનુ

 વ્યક્તિત્વ અનોખુ અને અજોડ હતુ .

 સ્વતંત્રતાની લડતમાં તેમની સાથે સત્ય અને અહિન્સાનુ પરિબળ હતુ, તેમની સાથે તેમના સિધ્ધાંતો

અને સત્ય -અહિન્સાનુ સૈન્ય તેમની સાથે હતુ . સૌરાષ્ટ્રના પહેરવેશમાં કેટલુ બધુ કપડુ વપરાય એટલે

પોતાનો પહેરવેશ છોડીને ખાલી એક પોતડી અપનાવી, ઠંડી હોય અથવા ગરમી તેમણે તેમનો પહેરવેશ

નાની પોતડી છોડી નથી , કેમકે પોતાનો દેશ ગરીબ છે લોકોને પુરતુ ખાવાનુ અને પહેરવા કપડા નથી.

અત્યારે તો રાજકારણી નેતાઓ પણ મોટા ભાષણો આપે, મોટા વચનો આપે ચુટાઈને આવ્યા પછી કેટલા

નિભાવે છે ? વ્યાસ પીઠ પર બેસીને પ્રવચનો આપવા વાળા સાચેજ પોતાના જીવનમાં, કેટલુ ઉતારેલુ

હોય છે ? જ્યારે ગાંધીજીએ  પોતાની ઉપર પ્રયોગો કર્યા છે અને પછીથીજ લોકોની સમક્ષ મુક્યા છે .

સત્યની રાહ પર ચાલ્યા છે. સાદગી, ઉચ્ચ કોટીનુ જીવન, સિધ્ધાંતો આ બધી વસ્તુઓ તો હતી તેમની

પાસે, ત્યારે તો આખો દેશ તેમની સાથે હતો , લોકો તેમનુ જીવન ચરિત્ર જાણતા હતા,તેમને ગાંધીજીમાં

વિશ્વાસ હતો ત્યારે તો લોકોએ સાથ આપ્યો, અને આખો દેશ એક થયો . પોતે પોતાની કમજોરીઓ

પોતાની નાનામાં નાની ભુલ પણ લોકોની સામે વિના સંકોચે મુકી છે. સત્યના પ્રયોગોમાં દરેક વસ્તુ

તેમણે જગ જાહેર કરી છે. આપણે આપણા અવગુણો કોઈને બતાવીશુ ? તેના માટે હિમ્મત જોઈએ. આ

હિમ્મત ગાંધીજીએ બતાવી છે . પૂરા રાષ્ટ્રના પિતા બન્યા, રાષ્ટ્રપિતાનો ખિતાબ મળ્યો અને એ ધર્મ

તેમણે બરાબર નિભાવ્યો .તેમને દેશ માટે પ્રેમ હતો ,આટલા મોટા દેશ પ્રેમી બીજે ક્યાંય જોવા નહી મળે.

            ગાંધીજીનુ જીવન એક ખુલ્લી કિતાબ જેવુ છે કે જેને કોઈ પણ સમજી શકે શકે . સદીના મહા નાયક

તેમના પહેલા કોઈ આવ્યા નથી અને તેમના જેવુ કોઈ આવશે પણ નહી . એક સદીમાં એક્જ અજોડ વ્યક્તિ

આવે .ગાંધીબાપૂ ઈતિહાસમાં અમર થઈ ગયા . ભારત દેશ તેમને માન સન્માનથી જોએ છે ,પરંતુ પુરી

દુનિયા તેમને માન સન્માન આપે છે .તેમના માટે જેટલુ લખીએ તેટલુ ઓછુ છે , મોટા પુસ્તકોના પુસ્તકો

લખાય .અશક્ય વસ્તુ શક્ય કરી બતાવી હતી . ભારતની પ્રજા તેમને સદીયો સુધી યાદ કરશે. એક આઝાદ

દેશ ની મોટી ભેટ આપણને આપીને ગયા . ખરેખર એક પિતા જ તેમના બાળકોને આટલી મોટી ભેટ આપી શકે !!!

3 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.