Archive for January 26th, 2010

ભક્તિ – ૪.

શ્રી ક્રિષ્નએ ગીતામાં ૧૮ અધ્યાયમાં જુદા જુદા યોગ બતાવ્યા , તેમાં બારમો અધ્યાય ભક્તિ યોગ છે ,બારમા અધ્યાયનો ,૧૮ અને ૧૯ મો ષ્લોક દિલને સ્પષ કરી જાય છે. આમતો દરેક અધ્યાયના બધાજ ષ્લોક તત્વ જ્ઞાનથી ભરેલા છે .શ્રી ક્રિષ્ણએ ગીતાનો ઉપદેશ આપીને આપણને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે .તે ઉપરાત બ્રહ્મજ્ઞાન પણ આપ્યુ છે .બારમા અધ્યાયમાં ભગવાને ભક્તના ગુણોનુ વર્ણન કર્યુ છે ,જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો જો ભક્તમાં હોય તો આ ભક્ત ભગવાનને ઘણોજ પ્રિય છે .

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન પ માન યોઃ

શિતોશ્ણ સુખ દુખેષુ સમઃ સંગ વિવરર્જિતઃ”  ———————૧૮.

તુલ્ય નિન્દા સ્તુતિ મૌની સંતુષ્ટો યેન કેન ચિત

અનિકેતઃ સ્થિર મતિ  ભક્તિ માન્મે પ્રિયો નરઃ“——————- ૧૯.

        અર્થાત જે વ્યક્તિને મિત્ર અને શત્રુ તરફ એક સરખો ભાવ છે,એનો અર્થ એક્જ થાય આ વ્યક્તિની દ્રશ્ટિ કેટ્લી વ્યાપક છે ,જે તે બધાને સમાન ગણે  છે, તેના જીવનમાં કોઈ શત્રુ છે જ નહી ,તેને કોઈની માટે ભેદભાવ નથી . આ વ્યક્તિને માન અપમાનની કોઈ પર્વા નથી , કોઈ માન આપે તો પણ ઠીક છે, ન આપે તો પણ ઠીક  છે , માન અને અપમાનને સમાન ગણે છે. જેને    ઠંડી ગર્મી  સુખ દુખ  સરખા છે ,જે સંગ દોષ રહીત છે ભક્ત હમેશા ખરાબ જ્નોના સંગથી દુર રહે છે ,ભક્ત ગમે તેવી પરિસ્થિતીમાં રહી શકે  છે .દરેક વસ્તુમાં તેને ધૈર્ય હોય છે.

       કોઈ ખોટા વખાણ કરે કે નીન્દા કરે પરન્તુ સાચો ભક્ત સ્તુતિ નીન્દાથી દુર રહે છે અને હમેશા  આ  બે વસ્તુ માટે તે મૌન રહે છે .તેને ભગવાને જે પરિસ્થિતીમાં રાખ્યો છે તેમાં તેને સંતોષ છે , તેને ઘરબારમાં રસ નથી એટ્લે પોતાનુ જે નિવાસ્થાન છે તેમાં પણ તેને માયા નથી , આસક્તિ નથી .તે જ્ઞાની છે એટ્લે દ્ર્ઢ નિશ્ચય વાળો સ્થિતપ્રજ્ઞ છે .ભગવાન  કહે  છે આવો ભક્ત મને ઘણોજ પ્રિય છે . આપણે  ક્રિષ્ન ભક્તિમાં સ્થિર થઈએ તો  ધીમે ધીમે બધા ગુણો આપણામાં આવતા જાય .આ  બધા ગુણો જ સાચા ભક્ત  બનાવી શકે .

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.