Archive for January 14th, 2010

સદગુરુ.

         ભક્તિ માર્ગમાં પરર્માત્મા સમીપ જવા માટે સદગુરુની બહુ જ જરુર છે, ગુરુના સાનિધ્યમાં રહેવાથી ,ગુરુ સતત જ્ઞાન આપે એટ્લે આપણે સહેલાઈથી અને સમજીને ભક્તિ કરી શકીયે. આપણા શાસ્ત્રમાં પણ ગુરુનુ ઘણુજ મહ્ત્વ છે.દરેક ધર્મ અને સંપ્રદાયમાં ગુરુ હોય અને પોતાના સંપ્રદાય પ્રમાણે ભ્ક્તોને જ્ઞાન આપે.અને ભકતો પણ ગુરુએ જે જ્ઞાન આપ્યુ હોય, જે માર્ગ બતાવ્યો હોય એ પ્રમાણે ચાલે,ગુરુની આજ્ઞા સ્વિકારે.

          આપણે જાણીયે છીયે સતયુગ,ત્રેત્રાયુગ,દ્વાપરયુગ અને ક્લીયુગ આ દરેક યુગમાં ભક્તિ માર્ગ પર ચાલવા વાળાઓએ પોતાની સમજ પ્રમાણે યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવ્યા છે. રામ અને ક્રિષ્ન એ પણ પોતે સ્વયમ પરમાત્મા હોવા છ્તા તેઓને પણ ગુરુ હ્તા.પુસ્તકનુ જ્ઞાન ભક્તિ માટે પુરુ નથી,ગુરુની જરુર છે.સાચા ગુરુ પ્રખર સાધના કર્યા પછીથી જ શિષ્યને જ્ઞાન આપે. હવે બીજી રિતે જોઈએ તો, ગુરુ એટ્લે કોઈ વ્યક્તિ આપણને બોધ,આપેએમાંથી કૈક શીખીયે,આપણને મગજમાં કોઈ ચેતના જાગૃત થાય અને આપણે આપણો જીવન રાહ બદ્લી શકીયે તે આપણા ગુરુ. નાનુ બાળક  પણ ગુરુ બની શકે , આપણા જીવનમાં ઘણા બધા માણસો ઘણુ બધુ ક હે્તા હોય છે કોઈક વખત અમુક શ્બ્દ બોલવાથી આપણને જાગ્રુતિ આવતી હોય છે ત્યારે તે વ્યક્તિ આપણો ગુરુ ક હે્વાય.એટ્લે એક વ્યક્તિના જીવનમાં એક નહી પરન્તુ અનેક ગુરુ પણ હોઈ શકે.

3 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.