Archive for the 'ચિન્તન' Category

મર્યાદા.

           મર્યાદા એટલે   એકચોક્ક્સહદ,કોઈ પણ   કાર્ય કરીયે  તેમાં એકહદમાં  રહીને ધર્મને  અનુસરીને  સારુકાર્ય કરવુ જે  નિતિનિયમ બતાવ્યા છે, બનાવ્યા છે,  તેપ્રમાણેજ કાર્ય કરવુ  શ્રીરામભગવાન મર્યાદાપુરષોતમ  કહે્વાય,તે    ઉપરથી આપણનેખબર પડે કેઆ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે અને ઉચ્ચકોટીનુ જીવન  જિવવા માટે આશબ્દ   બહુજરુરી છે .અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં એવુ લાગે છે કે આ શબ્દનુ કોઈ મહ્ત્વ હવે રહ્યુ નથી કોઈ પણ ક્ષેત્ર જોઈએ , રાજકારણ, પરિવાર,સમાજ,ધર્મ,સંપ્રદાય,શીક્ષણ ક્ષેત્ર હોય કોઈ જ્ગ્યાએ આ શબ્દ કોઈ સમજી શકતુનથી.દરેક જ્ગ્યાએ હરિફાઈ ચાલી રહી છે, એટલે દરેક્ને પોતાની જાત સિવાય બીજા કોઈની પરવાકર્યા વિના આગળ વધવુ છે,સ્વાર્થ વધી ગયો એટલે મર્યાદા બિલકુલ ભુલાઈ ગઈ છે. એટલેજ દરેક જ્ગ્યાએ ઈર્ષા,વેર-ઝેર,કજિયા-કંકાસ,ઝગડા દરેક ક્ષેત્રમા વધી ગયા છે.

            આપણે જોઈએ તો શરુઆત એક કુટુમ્બથીજ થાય,આવી વ્યક્તિપરિવાર અનેપછીથીસમાજ્માંઅશાન્તિ ફેલાવે. ખાસ કરીને એક સ્ત્રી માટે મર્યાદા દરેક વસ્તુમા આવતી હોય છે, સ્ત્રીએ મર્યાદામા રહીનેદરેક કામ કરવાના હોય છે.નવી પેઢીનો આધાર એક સ્ત્રી ઉપર હોય છે, બાળક્નુ શીક્ષણ માતા પાસેથી શરુ થાય છે.ઘણી વખત એવુ પણ બને માતા બાળક્ને સારુ શીક્ષણ આપે પરન્તુ બાળક ગણી બધી વસ્તુ   બહારનાવાતાવરણમાંથી શીખતુ હોય છે.મર્યાદા અને સંસ્કારી કુટુમ્બ હશે તો બાળક સંસ્કારીજ બનવાનુ છે. જોકે મર્યાદા દરેક ઉમરના માણસો માટે અને દરેક સ્ત્રી પુરુષ માટે લાગુ પડે છે.દરેક કાર્યમાં મર્યાદા હોય છે.

            કોઈ પણ વસ્તુ મર્યાદાની   બહાર એટલે કે વધારે પડતી થાય ત્યારે તે વસ્તુ કોઈને ગમે નહી,કોઈ વ્યક્તીને વધારે પડતુ બોલવા જોઈતુ હોય તો બીજા માણસને વાત સાભળવાનો કંટાળૉ આવે.કોઈ પણવસ્તુ હદની બહાર જાય એટલે તક્લીફ ઉભી કરે.દરેક કામ હદમા રહીને કરવાના હોય છે.હદ પાર કરીયે તો ઘણીવખત વિનાશને પણ આમંત્રણ આપીયે છીયે. ઘણી વખત અમુક વસ્તુની આદત હોય પછી તે ટેવમા બદ્લાય, ત્યાર બાદ કુટેવ અને પછી આ વસ્તુ હદ પાર  કરે.માણસને ભાન પણ ન હોય આ પરિસ્થીતિ સુધિ ક્યારે પહોચ્યો.જીવનમા મર્યાદાની બહુ જરુર છે.

1 Comment »

આવે તારી યાદ.

            ઘરમા જ્યારે કોઇ સ્વજન પરલોક સિધાવે, જ્યારે કોઇ વ્યક્તિનુ મોત થાય ત્યારે  બહુ મોટુ દુખ આવી પડે અને આખુ કુટુમ્બ શોક્મા ડુબિ જાય. આ દુખ જલ્દી ભુલાતુ નથી. ન ક્યાય ચેન પડે, ન ખાવાનુ ગળે ઉતરે,આખમા આસુ  ન સુકાય, ન કોઈ દિશા સુજે. મ્રુત્યુ સામે જોઈને વિચાર આવે મનુશ્ય્નો અંન્ત આવો હોઈ શકે? માણસ ચાલ્યુ જાય કારેય પાછુ આવવાનુ નથી,આસમયે જગજિતશીગનુ આ ગીત યાદ  આવી જાય, ચિઠી ન કોઈ સન્દેશ, ન જાને કોનસા દેશ જહા તુમ ચલે ગયે. આ એટલી દર્દ ભરેલી સચ્ચાઈ છે કે આપણે તે વ્યક્તિને ફરીથી ક્યારેય જોઈ શક્તા, મળી નથી શક્તા, તેની કોઈ ખબર નથી આવતી, આવે છે ફ્ક્ત તેની યાદ. પરલોક જવાવાળા ક્યારેય પાછા નથી આવતા આવે છે ફ્ક્ત તેમની યાદ.

           માણસ જાય ત્યાર બાદ  સમય જાય તેમ ધીમે ધીમે શોક, દુખ ઓછુ થતુ જાય. પરન્તુ આપણે તે વ્યક્તિને ભુલી ન શકીયે, તેની યાદ હમેશા સાથે રહે. આપણને તેના માટે લાગણી અને માયા છે. માતા પિતા હોય તો તેના માટે,   ભાઈ– બહે્ન માટે, પુત્ર–પુત્રિ માટે શોક, દુખની લાગણી અલગ હોય છે, તેમા વાત્સલ્ય હોય, મમતા હોય આ પ્રેમ જુદોજ હોય એટ્લે તેનો શોક, દુખ જુદુ હોય છે. જ્યારે  પતિ-પત્નિ વચ્ચેનો પ્રેમ અલગ હોય, એટ્લે પતિ મ્રુત્યુ પામે તો પત્નિનો શોક અને દુખ જુદા હોય છે તેવીજ રીતે પતિ માટે છે. પતિ-પત્નિનો પ્રેમ એવો હોય છેકે બન્નેને એક બીજા વિના બિલકુલ ચાલતુ નથી એ લોકોનુ જીવન એવી રીતે જોડાયેલુ હોય, બન્ને સુખ-દુખ, જીવનની દરેક પરિસ્થિતી ચાહે સારી કે ખોટી બન્ને સાથે મળીને હલ કરે. એક ગાડીના બે પઇડા છે. એક બીજા  વિના રહી ન શકે. તેઓનો પ્રેમ અલગ છે, એટ્લે તે બન્નનો શોક અને દુખની લાગણી પણ અલગ હોય. સજા ફિલ્મનુ આ ગીત યાદ આવી જાય. દર્દ ભરેલા શબ્દ છે. તુમ ન જાને કિસ જહામે ખો ગયે,  ગમ ભરી દુનિયામે તનહા હો ગયે. આમા જો પત્નિનો સ્વર્ગવાસ જો  પહે્લા થાય તો એક પતિ માટે એક્લા જીવવુ    બહુ્જ મુશ્કેલ થઇ જાય. જ્યારે પત્નિ તો શહનશક્તિની મુર્તિ સમાન છે, દરેક કામમા કુશળ હોય એટ્લે દુખમા પણ મો હસતુ રાખીને માથા પર આવી પડેલો દુખનો ભાર સહજતાથી ઉપાડીને જીવે છે. સ્વજનના મ્રુત્યુ બાદ દિવસો, મહીનાઓ,વર્શો વિતી જાય છે. દુખ ઓછુ થતુ જાય પરન્તુ યાદ નથી જતી હમેશને માટે દિલનો એક ખુણો ખાલી  રહી  જાય છે, આ ખાલી જ્ગ્યા ક્યારેય  નથી ભરાતી. ફ્ક્ત યાદે રહી જાય, યાદોને   સહારે જીવન જીવવાનુ હોય અને જિન્દગી વીતાવવાની હોય.

No Comments »

જિન્દગી અને જીવન.

          જિન્દગી અને જીવન વચ્ચે  શુ તફાવત છે?  આમ જોઇએ  તો બન્ને એક બીજા  સાથે સંક્ળાયેલા  છે છતા  પણ અલગ  છે,  આ  દુનિયા  સાથે  આપણી  જિન્દગી  જોડાયેલી  છે,અટ્લે  તેમાં  દુનિયાના  લોકો તેમજ સમાજ,પરિવાર,કુટ્મ્બ આવે અને તેમા  આપણા ઘરના  દરેક  સભ્ય  આવે અને  તેની  અંન્દર રહીને  આપણે આપણુ   જિવન   જિવવાનુ  હોય,  વ્યતિત   કરવાનુ   હોય  છે.   એક   વ્યક્તિ  માટે  જિન્દગી   અને   જિવન   બન્ને સાથેજ  ચાલતા  હોય   છે,છ્તા  પણ   દરેક   વ્યક્તિનુ   જિવન  સર્ખુ   હોતુ  નથી   અલગ – અલગ  હોય   છે. જીવન  પોતાની   જાતે   જીવવાનુ   હોય,  દરેકને    જીવન  પોતાનુ   હોય , પોતાની   રીતે   રહેવાનુ  હોય જ્યારે જિન્દગી  પરિવારજન  સાથે   જીવવાની   હોય.  જિન્દગીમા  સમાજે , શાત્રોએ   જે  નિતી  નિયમ   બનાવ્યા હોય   તે પ્રમાણે    જીવન   જીવવાનુ  હોય .  જિન્દગી   એક   સફર  છે  અને  તેમા   આ  જીવન   રુપી   ગાડી ચાલી   રહી  છે.

            જિન્દગી    એક   સુહાના   સફર   છે  ,   સુન્દર    છે     પરંન્તુ  આપણુ     જીવન   નીરસ હ્શે,  દુખી   હ્શે તો  જિન્દગી    બોજમય ,  કઠીન અને   ભારરુપ    લાગશે .   આપણે   આપણુ   જીવન  ખુશીથી , આનન્દમય બનાવીને  જીવીયે   તો   જિન્દગી  પણ    સુન્દર  લાગશે . આ મ્રુત્યુલોક્માં   જ્ન્મથી  મરણ  સુધીનુ  જીવન એજ આપણ્રી   જિન્દગી   છે .  આમ  જીવન   વિના જિન્દગી    નથી    અને   જિન્દગી   વિના  જીવન    નથી .

  •  જિન્દગીમાં  અનેક  વ્યક્તિ છે —– જીવન એક વ્યક્તિ  માટે  મર્યાદિત  છે.
  •  જિન્દગી   આનન્દમય  છે —–  જીવન  દુખી  હોઇ  શકે  .
  •  જિન્દગી   લામ્બી  છે  —– જીવન   ટુકુ   હોઇ  શકે .
  •  જિન્દગી ખુબસૂરત  છે —- જીવન  પોતાના પાપ કર્મો પ્રમાણે  બદ્સૂરત હોઇ  શકે .
  •  જિન્દગી સરળ  છે  ——  જીવન  કઠીન  હોઇ  શકે .
  •  જિન્દગી   પહેલી છે —– જીવન સંર્ઘષ  હોઇ  શકે .
  •  જિન્દગી સવાલોથી ભરેલી છે —- જીવનને  જવાબ   શોધવાના હોય .
  •  જિન્દગીમા અલગ અલગ જાતના  ઘણા બધા લોકો હોય —  જીવનમાં એક્જ માણસમા જાત-જાતના અનેક ગુણો ભરેલા  હોય .

            ભગવાને   બહુ   સરસ  જિન્દગી આપી છે   તો  જીવન   હ્સી-ખુશી જીવવાનો પ્રયત્ન   કરવો   પડે . જેટ્લુ    સાદાઇ વાળુ જીવન એટ્લો  જિન્દગીમાં સંર્ઘશ   ઓછો   થાય .

1 Comment »

ગણિત.

          દરેક દાદા, દાદી, નાના, નાનીને એક વાતનો સરખોજ અનુભવ થયેલો હોય છે. દાદા – દાદી પૌત્ર કે પૌત્રીને દરરોજ વાર્તા  કહી  સંભળાવતા  હોય છે. અને બાળકોને પણ વાર્તા શાભળવી  બહુ્જ ગમે છે. કોઈ જ્ગ્યાએતો બાળકોને નિયમ હોય છેકે વાર્તા  શાભળ્યા વિના સુઈ ન જાય. દાદા-દાદીને પણ વાર્તા   કહેવાનો આનન્દ આવતો હોય છે. બાળકો એક વાર્તા,બીજી વાર્તા એમ અનેક વાર્તાઓ શાભળવી હોય ત્યારે  ઘણી વખત ઉંઘ આવતી હોય તારે દાદા કે દાદી બોલે ચાલ બેટા આજે તને દુનિયાની  સૌથી નાની વાર્તા   કહુ , એક હતો પોપટ અને એક  હતો બરફ , પોપટ ઉડી ગયો અને બરફ  પીગળી  ગયો  વાર્તા   થઇ  પુરી.

             આમ   આપણુ   જીવન પણ  આ  વાર્તા  જેવુજ  છે.  રાજા હોય કે રન્ક  હોય, ભણેલા હોય  કે અભણ  હોય, વ્યવસાયમા હોય યા તો  મોટા  હોદ્દા ઉપર હોય,  દરેકના જીવનનો  સરવાળો બાદબાકી કરો તો જવાબ  બધાના  જીવનનો  એકજ  આવશે. ભગવાનનુ  ગણિત કોઇની  સમજમા નહી  આવે બધાના  જીવનનો  જવાબ  એક  સરખો  છે. આ  વાર્તા  પ્રમાણે પોપટ  ઉડી ગયો  અને  બરફ  પીગળી ગયો  તેમ  આત્મા  ઉડી  ગયો  અને  કાયા  માટીમા  મળી   ગઇ. બધાના  જીવનનો  જવાબ  શુન્ય છે. નાશ  થઇ ગયો, જીવનનો  અન્ત  આવી  ગયો.

                 નરશિહમહેતા,  મીરાબાઇ,  ધ્રુવ,  પ્રહલાદ જેવા યુગો  પછીથી  આવે  છે,  જેમના  જીવનનો હિસાબ  કિતાબ  જુદો  હોય  છે. તેમના  જીવનનો   જવાબ  શુન્ય  નથી.  તેમને  તો ૧૦૦ %   પરિણામ આવ્યુ  છે, તેઓ  લાવ્યા  છે.  આત્મા  ઉડી  નથી  ગયો  આત્મા  પર્માત્મામા  ભળી  ગયો  છે. સાચા ભક્તમા ભગવાનનુ   ગણિત  ખોટુ  પાડવાની  ક્ષમતા  હોય  છે.

No Comments »

મોક્ષ.

            પંચમહાભુત, પાંચજ્ઞાનેન્દ્રીય, પાંચકર્મેન્દ્રીય,તથા મન અને બુધ્ધિથી  બનેલો આ મનુશ્ય દેહ છે, તેમા   સર્વ  પ્રાણીઓમા  મનુશ્ય  શ્રેસ્ઠ  છે , કારણ ભગવાને તેને બુધ્ધિ આપી છે અને આ બુધ્ધિથીજ મનુષ્ય ઉચ્ચ માર્ગ અથવા પતન માર્ગ પોતેજ નક્કી કરે છે . ઉચ્ચ કોટીનુ જિવન કે અધહપતન વાળુ જિવન  આ મનુશ્યના હાથમાં છે.કેમકે મન ચંચળ છે. મનુશ્યમા ભગવાને જે ત્રણ ગુણ મુક્યા છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ ત્રણ રસમાં હમેશા  મન ભમતુ હોય છે. આ ત્રણ રસ ઇન્દ્રીયોને આધીન છે,અને ઇન્દ્રીયો મનને આધીન છે.અને મનને બુધ્ધિ કાબુ કરે છે.અન્દર બેટ્ઠેલો આત્મા મનને કાબુમાં રાખે છે. સારુ ખોટુ બુધ્ધિ વિચારે છે. એટ્લેજ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીયે છીયે. બુધ્ધિ સારુ વિચારે એટ્લે સત્વગુણ વધે,અને જિવનમાં માણસમાં જો સત્વગુણ વધે તો તે આધ્યાત્મિક માર્ગ પર  સહેલાઇથી જઇ શકે અને સાથે સાથે ઉચ્ચકોટીનુ, ઉચ્ચક્ક્ષાનુ જિવન જિવી શકે.

          મોક્ષ કે પછી ફરીથી આ મૃત્યુલોકમા પાછુ ફરવુ છે તે આપણા હાથમાં છે. મોક્ષ એટ્લે આત્માનુ પરર્માત્મા્માં સમાઇ જવુ, આત્મા- પરર્માત્મામાં લીન થઇ જાય, ભળી જાય, એક થઇ જાય એટ્લે તેને આ મૃત્યુલોકમાં પાછા ફરવાનુ નથી. હવે આ મોક્ષ શબ્દ બોલવો   બહુજ સહેલો છે પરન્તુ સાચેજ મોક્ષ પામવુ ઘણુજ મુશ્કીલ છે. મોક્ષ પામવા માટે ભક્તિ  બહુજ જરુરી છે, ભક્તિ માર્ગ પર ચાલ્યા વિના મોક્ષ મળે નહી.ભક્તિ એળલે ભગવાનમાં રતિ, સતત પર્ર્માત્મામાં રત રહેવુ, પર્ર્માત્મા માટે વિચારવુ.કોઇ પણ કાર્ય કરીયે તેમાં સતત આપણને પર્ર્માત્માનો અહેસાસ થાય,પ્રભુ આપણી સાથે છે અને કાર્ય કરીયે છીયે એટ્લે સ્વભાવિક છેકે ખોટુ કાર્ય થવાનુ નથી. આમ તન અને મનથી પર્ર્માત્મામાં લીન રહેવાથી હરેક ક્ષણ પર્ર્માત્મામાં ચિન્તિત, ફ્ક્ત તેનુજ ચિન્તન. આપણા શાશ્ત્રોમા ભગવાને જિવનનો જે માર્ગ બતાવ્યો છે તે પ્રમાણે વર્તીને અને અને તે માર્ગે ચાલવુ, તદઉપ્રાંત પ્રભુએ સાચા ભક્તના જે લક્ષણ બતાવ્યા છે તેવો સ્વભાવ બનાવીને ભક્તિ માર્ગ પર ચાલવાનુ છે.

         મોક્ષને પામવુ હોય તો સૌ પ્રથમ સંસારની માયા છોડ્વાની  કહી છે, ભગવાને માયામા નાખીને માયા છોડ્વાનુ  કહે છે,પરન્તુ પ્રભુ માટે જો સાચી ભક્તિ હ્શે તો સંસારની માયા પણ છુટી જાય. આપણે નરસિહમહેતા અને મીરાબાઇનો દાખલો લઇએ તો ભગવાને આ બંન્ને ભક્તોને પોતાની સમીપ ખેચવા માટે ધીમે ધીમે તેમના  સંસારિક     માયાના બંધન  તોડી નાખ્યા. અગર ભગવાન માટે દિલમા પ્રેમ હ્શે તો બીજા  સંસારિક પ્રેમ ઓછા થઇ  જશે .ભગવાનને સાચો પ્રેમ કરીશુ તો દિલમાં નાશવંત વસ્તુ માટે માયા ઓછી થશે.

         મોક્ષ પામવા માટે એક જ્ન્મ પુર્તો નથી , ખુબ ભક્તિ કરવા પછી પણ ઘણી વખત ઘણા બધા જ્ન્મો બાદ મોક્ષ મળતો હોય છે . જેમ કર્મનુ ભાથુ  જ્ન્મો જ્ન્મ સાથે ચાલે છે તેમ ભક્તિનુ  ભાથુ પણ આપણી સાથે જ્ન્મો જ્ન્મ સાથે ચાલતુ હોય છે. એટ્લે એક વખત    ભક્તિ માર્ગ  અપનાવ્યો  તો તે કેટ્લી પણ મુશ્કેલી આવે છ્તા પણ છોડ્વાનો  નથી. એક જ્ન્મમાં  અધુરી રહી ગયેલી  ભક્તિ  ભગવાન  બીજા જ્ન્મમાં  કરાવવાના  છે . આપણ્રે  શાત્રોમાં  જોઇએ છીયે  અમુક ભક્તોને બે ત્રણ  જ્ન્મો પછીથી  મુક્તિ મળી છે.

          મોક્ષ માટે  માયા  છોડ્વાની   છે  તેમ અહમ   પણ   છોડ્વાનો   છે.  આપણે  જોઇએ તો  આખા  બ્રમ્હાડ્માં   પરર્માત્માનુ  વિસ્વ  સ્વરુપ   એટ્લુ  બધુ  વિશાળ   છે  કે આપણે   આપણી   જાતને  નરી  આખે પ્રુથ્વી પર  બ્રમ્હાડ્માંથી જોવા   માગીયે  તો    આપણે  આપણી   જાતને    જોઇ પણ   ન  શકીયે.   આપણુ સ્વરુપ  અતિશય  શુક્ષ્મ  છે   તો  પછી   અહમ   શામાટે ?   પર્ર્માત્માના  અતિ વિશાળ સ્વરુપ્માં આપણે રહીયે  છીયે  છ્તા  પર્ર્માત્મા    શુક્ષ્મ  આત્માથી  પર   છે,  આત્મા   અને   પર્ર્માત્મા  વચ્ચે  જે  અન્તર   છે તે  દુર  કરવાનુ , અન્તર   એકદમ નજિક  છે   તેને  દુર   કરવાનુ    ્બહુજ   મુશ્કેલ   છે,    પરન્તુ    શક્ય  છે.  અને   મોક્ષ – મુક્તિ  મળવાની   આશા  રાખી   શકીયે .

No Comments »

સંસ્કાર.

        આપણા ભારત દેશની સંસ્કૃતિ  કેટ્લી મહાન છે   કે ,  જે માણસ જ્ન્મ લે તેના   પહેલા તેને સંસ્કાર આપવાનુ ચાલુ થઈ  જાય અને મરણ પછીથી પણ તેને સંસ્કાર આપવાનુ  ચાલુ રહે છે . માણસ જ્ન્મ લે તે  પહેલા તેને સોલાહ સંસ્કાર આપવાના ચાલુ થાય છે . અને આ સંસ્કાર પણ વૈદિક મંત્રોચાર સાથે વિધિ પુરવક કરવામાં આવે છે .દરેક ક્રિયાનુ ઘણુજ મહ્ત્વ છે .

૧) ગર બન્ધન  .

૨) પુન્સવના .

૩) સીમંત  .

૪) જાત કર્મ/ષશ્ટિ .

૫) નામ કરન .

૬)  નીશક્રમન .

૭) અન્ન પ્રશન્ના .

૮) મુન્ડન/ચૌલ ક્રિયા .

૯) કર્ન વેધ .

૧૦) યજ્ઞોપવિત/જનોઈ .

૧૧) વિદ્યારંભ .

૧૨) સમાવર્તન .

૧૩)  વિવાહ .

૧૪) સર્વ સંસ્કાર .

૧૫) સંન્યાસ .

૧૬) અંન્ત્યેષ્ટિ .

૧ – ‘ગર બંધન’ -જે મા બાપને આપવામાં આવે છે .સારા  સંન્તાન માટે માતા -પિતાએ શુધ્ધ વિચાર અને શાસ્ત્રમાં બતાવેલ નિયમોનુ પાલન ક્રરવાનુ છે જેથી સારા સંન્તાનની પ્રાપ્તિ થાય .

૨ – ‘પુન્સવના’– એક સારા બાળક્નુ, સારા આત્માનુ સ્વાગત કર્વાનુ છે ,એટ્લે બાળક્નો જ્ન્મ .

૩ – ‘સીમંત’  – જેમાં માતા  ખુશ   રહે તે માટે વાતાવરણને  શુધ્ધ કર્વામાં આવે છે અને ભગવાનને માતા અને બાળક્ની  શાન્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે જેથી માતા શાન્તિથી બાળક્ને જ્ન્મ આપી શકે .માતાને ખુશ કરવામાં આવે જેથી  આ ખુશીની અસર બાળક પર પણ થાય .

૪ – ‘જાતકર્મ’  – ષષ્ટિ .ઘર પવિત્ર કરવામાં આવે છે અને માતા ષશટી  બાળકનુ રક્ષણ કરે છે .

 ૫ – ‘નામકરણ’ – આ દિવસે બાળકને નામ આપવામાં આવે છે

૬ – ‘નિશક્ર્મણ’ – બાળકને ચાલિસ દિવસ પછી  બહાર લઈ જવામાં આવે છે , સામાન્ય રીતે આપણે બાળકને મંદિરમા  ભગવાનને પગે લગાડીને આર્શિવાદ માટે લઈ જઈએ છીયે.

૭ – ‘અન્નપ્રશન્ના’ – બાળકને દાંત આવે એટલે ૬ મહિના પછી રાંધેલુ અનાજ ખાવા માટે આપવામાં  આવે છે .

૮ – ‘મુન્ડન/ચૌલ ક્રીયા’ – બાળક્ના  પહેલી વખત વાળ કાપવામાં આવે છે.

૯ – ‘કર્નવેધ’ – કાન વીન્ધવામાં આવે છે અને સુર્ય પૂજા સાથે કરવામાં આવે , અમે કાનથી સાભળીયે છીયે તો અમે સારી  વસ્તુ સાભળીયે અને સારુ શિક્ષણ મળે .

૧૦ – ‘યજ્ઞોપવિત’ – બાળકને જનોઈ આપે ,એક જ્ન્મ માતા  આપે અને ગુરુ, ગાયત્રી મંન્ત્રનુ  જ્ઞાન આપીને અને ગાયત્રી પ્રાર્થના સાથે બાળકનો બીજો જ્ન્મ  કહેવાય છે .યજ્ઞોપવીત અપાય એટલે  બાળક વેદિક અને સામાજિક રિત-રિવાજ છે તે કરવા માટે યોગ્ય બને છે .

૧૧ – ‘વિધ્યારંભ‘- યજ્ઞોપવિત પછી બાળકનો વિધ્યાઅભ્યાસ ચાલુ થાય છે .

૧૨ – ‘સમાવર્તન’– અભ્યાસ પુરો  થાય એટલે હવે  વિવાહ માટે  યોગ્ય છે .

૧૩ – ‘વિવાહ/લગ્ન’– છોકરા ,છોકરી વિવાહના લગ્ન બંધનથી જોડાઈને પોતાનુ સંસારિક જીવન ચાલુ કરે છે.

૧૪ – ‘સર્વ સંસ્કાર’ – પચાસ વર્ષ સુધી ઘ્રહસ્થ આશ્રમ ધર્મનુ પાલન કરવાનુ .

૧૫ – ‘સંન્યાસ’ – પચાસ વર્ષ પછી વાનપ્રસ્થ  આશ્રમ ધર્મ નીભાવવાનો હોય છે .

   ૧૬ –  ‘અંન્ત્યેશ્ટિ’ –  મ્રુત્યુ , માણસનુ મરણ થાય એટલે તેને  અગ્નિસંસ્કાર આપવામાં આવે છે .  અને ત્યાર પછી  પણ તેને સંસ્કાર આપવાની વિધી ચાલુ રહે  છે.  ૧૧-૧૨-૧૩ એમ તેર દિવસ સુધી સંસ્કાર વિધી ચાલે  ત્યાર બાદ એક મહીનો અને  પછી એક વર્ષ બાદ સંસ્કાર વિધિ સંપુર્ણ થાય છે .

               હવે આપણે રોજીન્દા જીવનમાં  અપાતા સંસ્કાર જોઈએ , બાળકો નાના હોય ત્યારથી આપણે તેને શીખવાડીયે , જુઠુ ન બોલાય, ચોરી ન કરાય,અનિતિ   ન   કરાય ,વડીલોને માન અને આદર આપવાનુ શીખવાડીયે,   વિવેક શીખવાડીયે ,નાનપણથી જ આપણે સંસ્કારોનુ સિન્ચન કરીયે છીયે . છોકરી નાની હોય , પાંચ વર્ષની થાય એટલે માતા તેને  જુદા જુદા વ્રત કરાવવાનો પ્રારંભ કરે પ્રથમ ગોર્માનુ વ્રત ,ચોખા કાજળી , ફુલ કાજળી, રામ વ્રત ,સત્યનારાયણ વ્રત . રામ વ્રત યાતો સત્ય નારાયણ વ્રત લીધુ હોય તેણે મોઢામાં કોઈ પણ ખાવાની વસ્તુ  મુક્તા  પહેલા આખો દિવસ  કોઈને  પહેલા રામ યા સત્યનારાયન એમ કોઈને  કહીને પછીથીજ કંઈ  ખાઈ શકે .હવે આ કેટલી મોટી તપસ્ચર્યા છે .આ વ્રત એક વર્ષ સુધી ચાલે .જયા પાર્વતિ ,આમ કેટલા બધા વ્રતો છે જે છોકરીયોને નાનપણથીજ ,ભગવાનને પ્રાર્થના કરતા   શીખવાડે,  સહન શક્તિ વધે ,સારુ જીવન બને એવી સમજ શક્તિ આવે આ વ્રતોમાંથી કેટલા બધા સંસ્કાર મળતા હોય છે . સ્ત્રીને  ઘર સંભાળવાનુ હોય, ઘરની દેખભાળ કરવાની હોય, તેમાં તેનો આખો પરિવાર આવી જાય .જીવન  ઘડતરના દરેક સંસ્કાર છોકરીને તેની માતા નાનપણથીજ આપતી હોય છે .જેથી તેનો પરિવાર ઉચ્ચ સ્થર  પર   લઈ જઈ શકે .       

             રક્ષાબન્ધન પણ ભાઈ  બહે્નનો પ્રેમ મજબુત કરે અને એક બીજાની ફરજનુ ભાન કરાવે આપણા   તહેવારો પણ સંસ્કાર શીખવાડે  છે .બાળકો માટેની વાર્તાઓ પણ બોધ આપતી હોય તેમાંથી શીખવાનુ મળે .આપણા વેદ,પુરાણ,ઉપનિશદ શાશ્ત્ર, ક્થાઓ આ દરેક વસ્તુ નાનપણથીજ સંસ્કારના બીજ રોપે છે .આપણે આપણા સંસ્કાર અને સંસ્ક્રુતી કોઈ પણ દેશમાં હોઈએ આપણે સાચવી રાખીયે છીયે અને હમેશા સાચવવા  માટે પ્રયન્ત  અને  મહેનત કરીયે  છીયે .સંસ્ર્કુતિ અને સંસ્કાર આપણા દેશમાં હજારો વર્ષોથી ચાલી આવે છે .આપણા ઋષિ મુની ઓ આપણને  અજોડ વારસો આપીને ગયા છે.

1 Comment »

વેલેનટાઈન ડે.

વેલેનટાઈન ડે, પ્રેમ માટે મશહુર છે. આખી દુનિયા આ દિવસ ઘણીજ ખુશી અને બધા પોતાની રીતે ઉજવે છે. જેના નામ પરથી આ દિવસ ઉજવાય છે,તેમનુ નામ છે વેલેનટાઈન.ત્રીજી સદીમા રોમની અન્દર કેથોલીક ચર્ચમા તે પ્રીસ્ટ (પંડિત),સેન્ત હતા. તે વખતે રોમનો રાજા ક્લોડીયસ-૨,વિચારતો હતો લગ્ન કર્યા વિનાનો સિપાઈ સારો સિપાઈ બની શકે એટ્લે તેણે સિપાઈઓએ લગ્ન નહી કર્વાનો કાયદો બનાવ્યો છ્તાપણ વેલેનટાઈન છુપી રીતે પ્રેમી  યુગલને લગ્ન કરાવી આપતા હતા. જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેણે વેલેન્ટાઈનને ફાસીની સજા આપી.

        બીજા કોઈનુ માનવુ છે કે વેલેનટાઈનને જેલમા જેલરની છોકરી સાથે પ્રેમ થયો હતો અને મર્તા  પહેલાતેમણે   તેમની પ્રેમિકાને  પ્રેમપત્ર લખ્યો હતો અને નામ હતુ( તારા વેલેનટાઈન તરફથી )આધેડવયની ઉમરે તેમને પ્રેમ થયો હતો.તેમનુ જે વ્યક્તિત્વ હતુ તે બહુ્જ પ્રભાવશાળી હતુ તેને લીધે તે ઈન્ગલેન્ડ અને ફ્રાન્સમા ઘણાજ મશહુર સેન્ત હતા.

         કોઈ વળી એમ માને છે,    રોમન જેલમાથી કેદીઓને મુક્ત કરવામા મદદ કરતા હતા એટ્લે તેમને મારીનાખવામા આવ્યા. આમ પોતે દુનિયાને પ્રેમનો સન્દેસ આપીને ગયા અને ઈતિહાસમાં અમર બની ગયા.આજે પણ તેમની યાદમા આ દિવસ દુનિયાભરમા ઉજવાય છે.

           પ્રેમ એ ભગવાને મનુશ્યને  આપેલી  એક અણમોલ ભેટ છે, પ્રેમ વિના જીવન અશક્ય છે.માણસનેસૌથી વધારે ભુખ પ્રેમની છે, કોઈ પણ ઉમર હોય, બાળક,યુવાન,આધેડ અને વૃધ્ધ દરેક્ને પ્રેમની જરુર છે.માણસના જીવનમા પ્રેમ હશે તો તેને જીવન એક્દમ ખુશ અને સુખી લાગશે, જીવન જીવવા જેવુ લાગશે.જીવનમા પ્રેમ નહી હોય તો જીવન નિરસ અને દુખી લાગશે.ભગવાને આપણામા જે ત્રણ ગુણો, તમોગુણ,સત્વગુણ અને રજોગુણ આપ્યા છે તેને લીધેજ આપણને બધી લાગણીનો અનુભવ થાય અને આપણેએક બીજાને પ્રેમ કરી શકીયે છીયે. પ્રેમ એટ્લો ઘહેરો વિષય છે કે જેના ઉપર આખુ પુસ્તક લખી શકાય.ભગવાને જીવન આપ્યુ , તો જીવનમાથી નફ્ર્રત,ઈર્શા,વેરઝેર મુકીને,છોડીને  બસ બધા માટે દિલમા પ્રેમ રાખવો જોઈએ. પ્રેમથીજ જીવેલુ જીવન ધન્ય છે.

No Comments »

શીવ-શક્તિ.

આપણા દેશમા હિન્દુ ધર્મ હ્જારો વર્ષથી ચાલી આવે છે અને હિન્દુ ધર્મ એટલે શીવની ઉપાસના.એક્જ ધર્મ હ્તો એટલે શંકરભગવાનની પુજા કરવામાં આવે છે.શીવની મહિમાનુ વરણન કરવા માટે આપણે અસર્મથ છીયે.આજે શીવરાત્રિના દિવસે શીવ ઉપાસનાનુ ઘણુજ મહ્ત્વ છે.શીવ ચરિત્ર મહાન છે,એટ્લેજ શીવ મહાદેવ છે.કૈલાસ પર માશક્તિ સાથે બિરાજમાન છે છ્તા પણ હમેશા સમાધિઅવસ્થામાં હોય છે.તેમનુ આસન અને   પહેરવેશ વાધચર્મ-મૃગચર્મ.શરીર પર સ્મશાન ભસ્મ, ગળામાં સર્પમાલા,માથે ચન્ર્દ અને ગંગાજી,હાથમાં ત્રિશુર-ડ્મરુ, ભાલમાં ત્રિનેત્ર, આ કેટ્લુ અલૌકિક સ્વરુપ!! આ સ્વરુપના દર્શન કરતા મન ભરાતુ નથી, વારમવાર દર્શન કર્વાનુ મન થાય.

ભોલેનાથ – ભગવાન   બહુ્જ ભોળા છે, ભક્ત ઉપર  બહુ જ્લ્દી પ્રસન્ન થાય છે,

નીલકંઠ – જેમણે સમુદ્ર મંથન વખતે નીક્ળેલ ઝેર પોતે પી ગયા.

મહાદેવ – જે બીજા દેવો કરતા અલગ ચરિત્ર ધરાવે છે,સતત રામ નામ સમાધિમા હોય છે.

            તેમનુ સ્વરુપ અલૌકિક છે,પુજનીય છે. આમ શ્રી મહાદેવના તેમના ચરિત્ર પ્રમાણે  અનેક નામ છે ભગવાન શીવ તેમના ચરિત્રના દર્શન કરાવીને આપણને ઘણોબધો ઉપદેશ આપે  છે.

 ( શિવ શિવ રટો ઓ મન મેરે, સબ દુખ દરિદ્ર દુર હો તેરે

ભોલા શંભુ હે શિવ શંકર,  તુમ હી પાલક હો શિવ મેરે

 હે ગિરિજા પતિ ગંગાધારી, તુમ્હરી શરણમે સુખ ઘનેરે

 મંગલકારી હે ત્રિપુરારી, સુર નર ધ્યાવે સાજ સવેરે

  હે મ્રુત્યુન્જય હે મહદેવા, જનમ-મરણ કે ટાલો ફેરે.)

No Comments »

સુખ- દુખ .

         સુખ અને દુખ આ  બન્ને વસ્તુ દરેક્ના  જીવનમાં સમાયેલુ હોય છે .દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુખ બંન્ને આવે છે .આપણી સામે જે પરિસ્થિતી આવે અને તે પરિસ્થિતી આપણા મનને ગમે નહી ,આપણા દિલને ગમે નહી એટ્લા સમય પુરતુ તે પરિસ્થિતી આપણને અનુકુળ ન આવે , જીન્દગી ઉદાસ થઈ જાય ,જીવન નીરસ લાગે આ પરિસ્થિતીને દુખ    કહે છે .ખરેખરતો જીવનમાં દુખ આવ્યુ જ નથી ,દુખ આવ્યુ છે માણસના મનમાં અને દિલમાં .હવે આજ પરિસ્થિતીને જીવનમાં તેનો સામનો કરીને શાન્તિથી વિચારીને તેને જરા પણ મનમાં લીધા વીના આરામથી રહીયે તો મન ઉપર તેમજ દિલ ઉપર જરાય બોજો રહેતો નથી ,હળવાશ આવી જાય તો પછી એ દુખ છે જ નહી .

           હવે બીજી રીતે જોઈએ તો આપણા જીવનમાં જે પરિસ્થિતી આવે અને આ સમયે આપણુ મન, આપણુ દિલ એક્દમ ખુશ હોય ,જીન્દગી આનંદમય લાગે, આજુબાજુના વાતાવરણમાં પણ ખુશીનો અનુભવ થાય ત્યારે આ પરિસ્થિતીને સુખ  કહેવાય છે . એટ્લે સુખ અને દુખ એતો મનનો ભ્રમ છે. દરેક વ્યક્તિના ઉપર આધાર છે કે ગમે તેવી પરિસ્થિતીમાં તે કેવી રીતે રહે છે ,એટ્લે આપણે પોતેજ આપણા મન અને આપણા દિલમાં ,આપણા જીવનમાં સુખ દુખ ઉભા કરીયે છીયે . અગર આપણને સુખ દુખનો હર્ષ શોક થાય તો સુખ દુખ તો આપણા કર્મનુ ફ્ળ છે .એટ્લે સુખ દુખનો હર્ષ શોક કરવાનો ન હોય.

                                          નરસિહમહેતાએ ગાયુ છે- ,

                    “સુખ દુખ મનમાં ન આણીયે ઘટ સાથે રે ઘડીયા

                     ટાળ્યા તે કોઈના નવ ટળે રખુનાથના જડીયા “.

No Comments »

ભક્તિ – ૪.

શ્રી ક્રિષ્નએ ગીતામાં ૧૮ અધ્યાયમાં જુદા જુદા યોગ બતાવ્યા , તેમાં બારમો અધ્યાય ભક્તિ યોગ છે ,બારમા અધ્યાયનો ,૧૮ અને ૧૯ મો ષ્લોક દિલને સ્પષ કરી જાય છે. આમતો દરેક અધ્યાયના બધાજ ષ્લોક તત્વ જ્ઞાનથી ભરેલા છે .શ્રી ક્રિષ્ણએ ગીતાનો ઉપદેશ આપીને આપણને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે .તે ઉપરાત બ્રહ્મજ્ઞાન પણ આપ્યુ છે .બારમા અધ્યાયમાં ભગવાને ભક્તના ગુણોનુ વર્ણન કર્યુ છે ,જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો જો ભક્તમાં હોય તો આ ભક્ત ભગવાનને ઘણોજ પ્રિય છે .

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન પ માન યોઃ

શિતોશ્ણ સુખ દુખેષુ સમઃ સંગ વિવરર્જિતઃ”  ———————૧૮.

તુલ્ય નિન્દા સ્તુતિ મૌની સંતુષ્ટો યેન કેન ચિત

અનિકેતઃ સ્થિર મતિ  ભક્તિ માન્મે પ્રિયો નરઃ“——————- ૧૯.

        અર્થાત જે વ્યક્તિને મિત્ર અને શત્રુ તરફ એક સરખો ભાવ છે,એનો અર્થ એક્જ થાય આ વ્યક્તિની દ્રશ્ટિ કેટ્લી વ્યાપક છે ,જે તે બધાને સમાન ગણે  છે, તેના જીવનમાં કોઈ શત્રુ છે જ નહી ,તેને કોઈની માટે ભેદભાવ નથી . આ વ્યક્તિને માન અપમાનની કોઈ પર્વા નથી , કોઈ માન આપે તો પણ ઠીક છે, ન આપે તો પણ ઠીક  છે , માન અને અપમાનને સમાન ગણે છે. જેને    ઠંડી ગર્મી  સુખ દુખ  સરખા છે ,જે સંગ દોષ રહીત છે ભક્ત હમેશા ખરાબ જ્નોના સંગથી દુર રહે છે ,ભક્ત ગમે તેવી પરિસ્થિતીમાં રહી શકે  છે .દરેક વસ્તુમાં તેને ધૈર્ય હોય છે.

       કોઈ ખોટા વખાણ કરે કે નીન્દા કરે પરન્તુ સાચો ભક્ત સ્તુતિ નીન્દાથી દુર રહે છે અને હમેશા  આ  બે વસ્તુ માટે તે મૌન રહે છે .તેને ભગવાને જે પરિસ્થિતીમાં રાખ્યો છે તેમાં તેને સંતોષ છે , તેને ઘરબારમાં રસ નથી એટ્લે પોતાનુ જે નિવાસ્થાન છે તેમાં પણ તેને માયા નથી , આસક્તિ નથી .તે જ્ઞાની છે એટ્લે દ્ર્ઢ નિશ્ચય વાળો સ્થિતપ્રજ્ઞ છે .ભગવાન  કહે  છે આવો ભક્ત મને ઘણોજ પ્રિય છે . આપણે  ક્રિષ્ન ભક્તિમાં સ્થિર થઈએ તો  ધીમે ધીમે બધા ગુણો આપણામાં આવતા જાય .આ  બધા ગુણો જ સાચા ભક્ત  બનાવી શકે .

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.