દ્વિધા .

મેઘ ગર્જના , ખાલી બેડલા, ઝરમર વર્ષા , મીઠા નીર ભરશે ક્યારે ?

મંદ-મંદ વહેતા વાયરા , મહેક ધુપસળી ને પુષ્પોની  ફેલાવશે ક્યારે ?

સાગર મોજાં, ઠાલવે જળ કિનારે , સમાવે પાછા  નીજ મહી ,

મઝધાર કસ્તી  કેમ કરી લાવશે કિનારે, લાંગરવી તો કિનારે.

વહેતી ધારા સરિતાની ,  પળ ભર વિશ્રામ કરશે ક્યારે    ?

શીતળ ચાંદની ,  પુછે ચાંદ , ઠંડક   દિલને  કરશે  ક્યારે ?

જ્ઞાનરુપી પ્રકાશ ફેલાવે સુરજ ,  થાશે અજ્ઞાનતા   દુર ક્યારે ?

ઈશ્વરને પામવા રાહ બતાવ્યા અનેક , એક માર્ગ મળશે ક્યારે ?

રાહ છે લાંબો , મંઝિલ દુર , ન  ભોમિયો કોઈ,  પહોચશુ  ક્યારે ?

વેડફ્યા અનેક જ્ન્મ, માનવ બનીને આવ્યા , બનીશુ માનવી  ક્યારે ?

No Comments »

સ્ત્રી શક્તિ .

  જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરો , રાક્ષસીવૃતિ વાળા જીવોનો ત્રાસ વધી જાય છે, પ્રજા ત્રાહીમામ

ત્રાહીમામ પોકારે છે . સાથો સાથ બ્રહ્મા , વિષ્ણુ , મહેશ જેવા દેવો પણ ફક્ત મુક સાક્ષી બની રહ્યા

વગર કશુજ કરી શકતા નથી. કારણ ? અસુરોએ યેન કેન પ્રકારેણ દેવોને વચન બધ્ધ કરી લીધેલ

હોઈ , દેવો પણ લાચાર બની રહે છે . તેથી દાનવો , દેવોએ વરદાન દ્વારા આપેલ શક્તિનો દુરઉપયોગ

પ્રજા પર ત્રાસ વર્તાવી કરે છે .

            દેવો મહેશ હોય કે નારાયણ , આપણા ભારતીય પુરુષ પ્રધાન સમાજના પુરુષો જેવા કે અકડુ

કે સ્ત્રીને પોતાનાથી ઉતરતી સમજનારા નથી . તેઓ પત્નિને અર્ધાગના , કે દેવી ગણે છે . વ્યવહાર

કે ઓળખાણમાં પણ પત્નિ નેજ પ્રથમ સ્થાન આપે છે. દા.ત. ઉમા–મહેશ કે લક્ષ્મી–નારાયણ . આ દેવો

અસુરોનો ત્રાસ જોઈ વ્યાકુળ બને છે અને દેવીઓ કહેતા ” શક્તિ” ને વિનંતી કરે છે કે અમો , અસુરોને

આપેલ વચનો દ્વારા બંધાએલ હોઈ , કશુજ કરી શકીયે તેમ નથી , માટે આપ જ પૃથ્વીને બચાવો .

     ” યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા, નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમો નમઃ”

                 (  સંદર્ભ ચંડીપાઠ , અધ્યાય પાંચ  શ્લોક — ૧૮ )

ત્યારે દેવી– “શક્તિ”, આરાસુરી કહેતાં અસુરો ને સંહારવા વાળા મહાકાળી કહેતાં દુષ્ટોનો કાળ બને છે .

જગતને દાનવોથી બચાવી માતા–” શક્તિ’ તરીકેનુ કર્તવ્ય બજાવે છે .

હવે આધુનીક દૈત્યો પૌરાણિક કથામાં આવે છે તેવા મોટા દાંત વાળા અને ભયંકર-અસ્ત્ર શસ્ત્ર વડે સજ્જ

દાનવો કરતાં , વધુ બુધ્ધિશાળી , સાવચેત , ચાલાક અને લુચ્ચા છે . તેઓ અભણ-ગરીબ-લાલચુ પ્રજા

અને દેશમાં છુપાયેલા અમીચંદો દ્વારા , યેન કેન પ્રકારેણ , કહેવાતી ચુટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરી ,

બંધારણ – તત્કાલીન કાયદાઓ – અદાલતો અને લોભી સત્તાલોલુપ રાજકારણીયોનો પુરેપુરો   ગેરલાભ

ઉઠાવે છે . પ્રજાને નિર્માલ્ય બનાવી , પ્રાપ્ત સત્તા દ્વારા  , કાયદા વડે હેરાન પરેશાન કરી પોતાનુ ઘર

ભરે છે .

આજે લોક્શાહીને નામે ચાલતી લોક્શાહી કે ટોળાશાહી , પુરા સત્તાવન વર્ષે પણ રાશ્ટ્રભાષા ” હિન્દિ” કે

રાષ્ટ્રપિતાને પ્રાણ પ્યારી ” દારુબંધી” કે લોકશિક્ષણ ( અક્ષર જ્ઞાન ) માટે ક્શુજ નક્કર કે નોધનીય કરી

શકી નથી . પણ લોક સંખ્યા ને ગણતરીમાં લઈને કહે્વાતી જગતની મોટામાં મોટી લોક્શાહી જ્યારે

જરુર પડે ત્યારે ગરીબ જનતાના , પરસેવાના પૈસા વડે ચુટ્ણીઓ યોજી , ગરીબને વધુ ગરીબ બનાવે

છે .  તેમ  છતાં પરિણામ શુન્ય .અને હતા ત્યાંના ત્યાંજ. ૧૯૪૭ માં આઝાદ થયેલ ભારત દેશના નાગરિકને

આજે બે ટંક ખાવા , તન ઢાંકવા કપડાં કે ટાઢ-તડકો-વરસાદ કે એવી વિપત્તિઓથી બચવા માથુ ટેકાવવા,

ઝુપડુ કે રોજગારી આપી શકતી ન હોય , અરે તાજા જ્ન્મેલા બાળક માટે દુધ નસીબમાં નથી . અને આદી

વાસી પ્રદેશમા જે પાણીમાં જાનવર ન્હાય , પાણી પીવે ત્યાંજ માણસો પણ પીવાનુ પાણી મેળવી શકે.

ત્યાં લોક્શાહી ઝીદાબાદ અને જાન્યુ.૨૬ અને ઓગસ્ટ ૧૫ ની શોબાજીના કશોજ અર્થ નથી .વ્યર્થ છે .

આવુ તો લખી શકાય તેવુ ઘણુ છે . પણ વાતોના વડા કર્યા વગર આપણે આનો ઉપાય વિચારીએ .

સમગ્ર રીતે અને બધાજ પાસાઓને આવરી લઈને , મંથન કરીએ તો તેનો ઉપાય છે . એ છે

”  સ્ત્રી સંગઠન અને શક્તિ દ્વારા ”  જનતાને જાગૃત કરવી . બાકી ચુટ્ણીઓ દ્વારા લોક્શાહીનુ જતન

થાય એ વાતમાં તથ્ય લાગતુ નથી . કારણ ભારતનુ વહાણ તળીયે તુટેલુ છે . ભરાયેલ પાણી ઉલેચવામાંજ

પાંચ વર્ષ વીતી જાય છે . ચુટણી જીતવા , સત્તા  પ્રાપ્ત કરવા જે ઉઘરાણુ , ફંડ ફાળા વગેરે કર્યુ હોય તે પાછુ

વાળવા પાંચ વર્ષ ઓછા પડે . ત્યાં બીજી ચુટ્ણી આવીને ઉભી રહે . ટુકમાં જ્યાં સુધી લોક શિક્ષણ કે સમજ

નો વ્યાપ પુરે પુરો વધે નહી અને ” મત”  આપવાની  સાચી રીત , સામાન્ય માણસને હસ્તગત થાય નહી

ત્યાં સુધી આ તળીયે તુટેલુ વહાણમાં ભરાતા પાણીનો ઉકેલ આવે નહી .

ઈતિહાસ સાક્ષી છે , મોગલ બાદશાહ  ઓરંગઝેબ જેવા શક્તિશાળી , ધર્માંધ , મઝહબી , મતલબી સામે

ઈશ્વરે શિવાજીની નિમણુક કરી . હુ માનુ છુ કે શિવાજી તો મોટામસ વટ્વૃક્ષની ડાળી જ હતા . તેનુ થડતો

માતા જીજીબાઈ કહેવાતા . માતા ” સ્ત્રી શક્તિ ” ને જ કહેવાય . આવા વટવૃક્ષને સતત પાણીનો પુરવઠો

પુરો પાડીને , ટકાવી ટટાર રાખનાર ઉડા મુળીયાં એટલે હિન્દુ ધર્મના ” ધર્માધિકારીઓ ” રામદાસ ને જ

બિરદાવી શકાય . આ રીતે સ્ત્રી ઘર ઘરમાં જ્યોત પ્રક્ટાવે છે .તો ધર્મગુરુઓ , લોભ લાલચ સ્વાર્થ વગર

જાનના ભોગે , પ્રલાભનોના ભોગે , જ્ઞાન અને દેશભક્તિ રુપી સુર્ય દ્વારા દેશને અજવાળી છે . મારુ અંગત

માનવુ છે કે ઘસાઈ ઉજ્ળા થવાની કળા સ્ત્રીઓ અને ગુરુઓ પાસેથી આપણે શીખીએ .

આશા અસ્થાને નથી કમસેકમ નવી પેઢી  , જે સ્ત્રીઓ માતા , શક્તિ દ્વારા ઘડાશે ત્યારે તેઓ દ્વારા ભારતનો

સુર્ય સોળે કળાયે શોભી ઉઠશે . ત્યારે મા ભારતી , સદગત નેતાઓ અને પ્રજાજનોએ આઝાદી મેળવવા જાન

કુર્બાન  કરી છે , તેઓ સ્વર્ગમાંથી ભારતીય સ્ત્રીશક્તિ ને આશિષ વર્ષા સાથે ખુબ ખુબ ખુશી વ્યક્ત કરશે .

જગત એ ન ભુલે કે આજની ભારતીય નારી ” ભારેલા અગ્નિ ” જેવી છે . એક્જ હવાનુ ઝોકુ પ્રજ્વલિત

કરવા માટે બસ છે . અને આ અગ્નિ  દુશ્મનો ને દઝાડીને જ ઝંપશે . કહેવાતા રાજકારણીઓ ચેતે .

જ્યારે ભારતના રાજકારણીઓ , સમાજ સુધારકો કે સેવકો , ન્યાયાલયો , કાયદાઓ કે કોન્સ્ટીટ્યુશન ,

છેલ્લે  ધર્માધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડ્યા છે ત્યારે મને પુર્ણ શ્રધ્ધા છે કે સ્ત્રી શક્તિ  કહે્તાં ભારતની

પાર્વતીઓ પોતાના શિવ અને ગણપતિ, કાર્તિકેય ને સાથે રાખી દેશનો ઉધ્ધાર કરશે .  કહેવાતી લોક્શાહી

ને નામે બહુ ચુટ્ણીઓ  કરી       બંધ કરો  આ બધા આ નાટક .આયુર્વેદની પડીકીઓ બહુ આપી , હવે સડો બહુ

વધી ગયો છે ” ભારત માતા ” ની જાન ખતરામાં હોય ત્યારે તો ઓપરેશન જ કરાય .

જાગો ઉઠો અને અહિન્સા દ્વારા જ અસહકાર , ધરણા , ઉપવાસ , સરઘસો , જનજાગરણ અભિયાન , વિરોધ

સભાઓ દ્વારા રાજ્યના કે દેશના રાજકારણીઓની ક્ષતિઓનુ પ્રદર્શન કરી , પ્રજામત કેળવો . અક્ષરજ્ઞાન

ઝુબેશ લોક્શાહી સફળ કેમ બનાવી શકાય તેના સચોટ પણ દ્વેશ મુક્ત ભાષણો અને ઠેર ઠેર જનજાગ્રુતિ

વર્ગો ચલાવો . સામાન્ય માન્યતા પ્રમાણે લોક્શાહીમાં પ્રજા એજ માલિક હોય છે . જ્યારે જ્યારે ચલાવતા

રાજ્કારણીઓ , નોકરીઆતો વગેરે પ્રજાના વાણોતર કે સારા શબ્દોમાં મેનેજર કહી શકાય . ભારતમાં

રાજ્કારણીઓએ તો જુના દેશી રાજાઓને ઘણા સારા કહેવડાવ્યા છે . પુરુષ પ્રધાન સમાજ્ના ઠેકેદાર

એવા એક ભાઈની દલીલ છે કે જે મર્દ મુછાળા ન કરી શક્યા તે કામ ” અજવાળી તો પણ રાત ” સ્ત્રીઓ

કરી શકે તે તમારી ભુલ છે , ચર્તુભુજભાઈ !  તેઓ શ્રીને સમજાવતા , મે કહ્યુ કે પૃથ્વી પર જમીન માંડ

ત્રીજા ભાગની  હશે , બાકી પાણી જ પાણી . પણ આપણી નજર ને જમીનને જોવા ટેવાયલી હોય , પાણીની

વિપુલતાને નજર અંદાજ કરેયે છીયે . તેમ મુછાળા મર્દોમાં ૭૫ %  સ્ત્રીત્વ હોય છે . તેનુ નવ માસ દરમ્યાન

બંધારણ  જ સ્ત્રી માતાના હાડમાંસ મજ્જા , લોહીભશરીર અને સત્વ વડે ઘડાયેલુ હોય છે . હવે જો પુરુષો ,

સ્ત્રીઓ સાથે દેશોધ્ધાર  કે ક્લ્યાણ માટે હાથ નહી મિલાવે ,  સહકાર નહી આપે તો પરિણામ ઘણુજ ખરાબ

હશે . અત્યારે બેફામ વસ્તીવધારો , ગરીબી , ભ્રષ્ટાચાર , ફેશનને નામે થતા ફતવા , વ્યસનોની હરમાળ,

દારુ , પરદેશની આંધળી નકલ , ઉપરાંત ટી.વી. , ફિલ્મ , ફેશનપરેડ , મ્યુઝીક્લ આલ્બમો , બિભસ્ત જાહેર

ખબરો વગેરે ઉપરોક્ત બધી બદીઓએ દેશના હાડપિન્જર જેવા દેહને ” સર્વનાશ ” ના કેન્સરથી ગ્રસ્ત કર્યો

છે . તેમ છ્તાં પ્રથમ સ્ટેજમાં હોઈ સમયસર સારવાર થાય તો કદાચ એજ દેહ તાજો નરવો , તંદુરસ્ત બને

અને દેશનુ કલ્યાણ થાય .

ભારતની બધીજ બેહેનો , દિકરીઓ , માતાઓને એક્જ વિનંતી કે હવે સમય પાકે ગયો છે . તમેજ શક્તિ

બનો . બ્યુટીપાર્લર , ટી.વી. ફિલ્મનુ વળગણ , ફેશન અને નકલખોરીને ત્યાગી , આવતી પેઢીનુ સુયોગ્ય

ઘડતર કરો , સાથો સાથ ભારત દેશના તળીયે તુટેલ વહાણનુ સુકાન સંભાળો . ઈશ્વરત્ત , અમૃતકુમ્ભ જેવા

પયોધરમાંથી દુધરુપી સત્વ બાળકને પાન કરાવી , બીજા શિવાજીનુ ઘડતર કરો . ફેશન ફતુર છોડી ,

રણચંડી કે જીજીબાઈ બની રહો .

    ” યહ સુબહ કભીતો આયેગી ….. ધરતી નગમે ગાયેગી  ” …..

                                                                                                                                      એચ. ચર્તુભુજ.

2 Comments »

માતાજીની ધુન.

 

જગદ ઉધ્ધારીણી માતા દુર્ગા ,

જગદ ઉધ્ધારીણી મા .— ૨

જાગો જાગો મા, જાગો જાગો મા,

જાગો જાગો મા જનની .– ૨

હૈ ગૌરી દેવી, રણચન્ડીદેવી ,

હે શિવ રમણી જાગો મા .– ૨

જાગો જાગો મા, જાગો જાગો મા ,

જાગો જાગો મા જનની .

No Comments »

તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુ રે.

    (   આજે એચ ચતુર્ભુજનો એક લેખ અહિયાં મુકુ છુ જે ગુજરાત દર્પણ,

     દિવ્યભાસ્કર, વગેરે ન્યુજ પેપરોમાં નિયમિત લખતા રહે છે. અને

     એક સારા, ઉચી ક્ક્ષાએ પહોચેલા  લેખક છે.  તેમની વિનંતી હતી આ લેખ

    મારા બ્લોગ પર લખુ. )

થોડા દિવસ  પહેલાં એક ગુજરાતી મેલાવડામાં જ્વાનુ  થયુ. રંગમંચ પર, ગામડાનુ દ્રષ્ય હતુ અને

વીસરાયેલા વર્ષોનુ એક કર્ણ પ્રિય (નૃત્ય) ગીત સંભળાયુ. તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુરે, મને

ગમતુ રે, આતો અમથી  કહુ છુ રે પાતળીયા ! વિચાર આવ્યો આ છોડી-કન્યા જે, એક યુવાન સામુ

ન્રત્ય કરતાં, ત્રાંસી આંખે જોઈ લે છે. તેણીને , યુવાનની યમુનાજીના કાચબા જેવી છાતી કે તેનુ

નક્શીદાર નાક  કે હસુ હસુ થઈ   રહેલ હોઠ કે મારકણી આંખો ન ગમી અને નિર્જીવ પાઘલડીનુ

ફુમતુ ગમ્યુ ?

     પણ સ્ત્રિને કોણ કળી શક્યુ છે ? મારા માનવા પ્રમાણે ‘ સ્ત્રીની બુધ્ધિ પાનીયે ‘ વગેરે  કહેવતોનો

જનક પુરુષ પ્રધાન સમાજ ભલે સ્ત્રીની બુધ્ધિ ઓછી આંકે પણ સ્ત્રી બુધ્ધિશાળી હોવા ઉપરાંત

મનોવૈજ્ઞાનિક પણ છે.પુરુષને, તેની નજરને અને તેના મનમાં રમતા વિચારોને પળ ભરમાં

પારખી લે સ્ત્રી ભોળપણનો ડોળ ભલે કરે પણ મુર્ખ તો નથીજ. હવે અહી પણ ન્રત્ય કરતી કન્યાને

વિચાર આવ્યો જ હશે કે પુરુષને આંગળી આપીયે તો  પહોચો પકડે , એટલે ફેરવી તોળે છે કે આતો

અમથી ( ખોટુ )  કહુ છુ ,પાતળીયા તેણીને જાણ છે કે યુવાનોને જરાક કોઠુ આપીયે એટલે સાયકલના

ટાયર કે બુટના તળીયા ઘસી મારે. માટે સલામતી અંતર અત્યંત જરુરી.

      આ લખવાની શરુઆત કરી ત્યાંજ અમારા ગટુકાકાની પધરામણી થઈ.ખમીસના ખીસ્સામાં ધોતીયાનો

છેડો, તેલ વગર ઉડતા વાળ, ઝીણી આંખો . આવતા સાથેજ અવાજ કર્યો  કેમ માસ્તર, શુ ધોળા કાગળમાં

કાળા લીટા કરો છો ? કાકા મારા પત્નિના પિયરના ગામના. કાકા– કાકીને બાળક ન હોઈ તેણીને સગી

દિકરીની જેમ સાચવે. ગટુકાકા માણસ ઘણાજ સારા પણ તેમની જીભ બહુ કડવી અને તોછડી. તેઓ એમ

માને છે કે બાલમંદિરના બહેન હોય કે મોટી કોલેજના પ્રિન્સિપાલ, એ બધાય માસ્તર જ   કહેવાય . હુ ટાળુ

તો પણ પોતાનો અભિપ્રાય આપે. મને  કહે , કુવારી કન્યા કે સ્ત્રીઓને પાતળીયા પુરુષ જ કેમ ગમે છે ?

ખબર  છે ? પાતળીયા સ્ફુર્તીલા વજનમાં હલકા અને દોડવીર હોય છે. જ્યારે સ્થુલ કાયા વાળો યુવાન

બોદરા જેવો ઢીલો , વજનદાર હોય છે. મે તેમને ટાળવા કહ્યુ , મે નોધ લીધી. હવે અંદર જઈ ચા પીવો.

           કાકા, રસોડા ભણી રવાના થયા એટલે હુ જુના ગીતોના સંસ્મરણોમાં સરી પડ્યો. થયુ આવા ગામઠી

ગીતોમાં કેટલી બધી મીઠાસ અને કેટલા અર્થ સભર છે. અનિચ્છાએ પણ, આઝાદી   પહે્લાં અને પછીના,

અભિનય   –    નૃત્યો – ગીતો – સંગીતની સરખામણીની સરવાણીમાં ખેચાયો. અત્યારની હોલીવુડની નકલ

કરતી, બોલીવુડ્ની ફીલ્મો , જેમાં સંગીતના નામે ઘોઘાટ અને કર્કશતા અને નૃત્યો ? નૃત્યમાં પુરુષ ?

પગની પાની ન દેખાય તેટલા કપડા  પહેરે પણ અભિનેત્રિ  કપડા બારામાં ખુબજ કરકસર કરે. ચિત્ર

પુરુ થયા પછી પ્રેક્ષકને ગીત  યાદ ન રહે .જ્યારે આજે બ્લેક એન્ડ વ્હાઈટ ગીતો જુની પેઢીને યાદ છે.

            સંગીત અને નૃત્યોની યાદ આવતાં દિગદર્શક વ્હી શાન્તારામની ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે

ની યાદ તાજી થઈ. શાસ્ત્રીય રાગ વડે શણગારેલી સુમધુર ગીતો અને ભારતીય નૃત્યો, જેમાં કુશળતા

પ્રાપ્ત કરતાં પરસેવા સાથે વર્ષો વીતાવવા પડે, શ્રમ સાથે સાધના કરવી પડે. સારાએ શરીરને કસરત

કરાવતા અને મુદ્રાઓ દ્વારા કંઈક  કહેતાં એ નૃત્યો ક્યાં ? આજે તો અમેરિકાથી સસ્તી સી-ડી મંગાવી, તેમાં

દર્શાવાતા નૃત્યો નીહાળી , કોપી કરી , બાળકથી માંડી મોટા પણ દારુ પાયેલ માંકડાની જેમ ઉછલ કુદ કરતાં

ટીવી કે ફિલ્મના  પડદે દેખાય છે. સ્વતંત્રતા હવે સ્વચ્છંદતામાં ફેરવાઈ ગઈ છે તેમ નથી લાગતુ ? ખેર

         ક્યાં છે સુર સમ્રાટ  સેહગલ સાહબ, અને અભિનયના બેતાજ બાદશાહો જેવાકે અશોક્કુમાર, પૃથ્વીરાજ,

સોહરાબમોદી, ( પુકાર ફેઈમ ) ચંન્દ્રમોહન, પ્રાણ, સંજીવકુમાર, રાજકુમાર, બલરાજહાની, અને દીલીપ,

રાજ-દેવની ત્રિપુટી ? જેની ગેરહાજરીમાં આજના મોટા ભાગના કલાકારો જેઓને જુની રંગભુમિવાળા

પડદાની દોરી ખેચવા પણ ન રાખે તેવા આજે કરોડો કમાય છે . ક્યાં છે ગુજરાતી રંગભુમિ અને ફિલ્મોના

અશોકકુમાર કહેવાતા અરવીન્દપંડ્યા કે અસરફ્ખાન કે અભિનયને ઈશ્વર ગણતા અને વેતન રંગભુમિના

પાયાના પત્થર, સ્થાપક વાઘજીઆશારામ ઓઝા ?

       વિચાર વમળમાંથી બહાર આવ્યો અને મારુ જુનુ વતન, ગામ બધુજ યાદ આવ્યુ . વતન કોને

વહાલુ ન લાગે ? જેમ યુવા પત્નિની પ્રિત, એની સગી જનેતાને   ડોકરી  સમજીને ઘણા સ્વાર્થી પુત્રો

દુર ધકેલે છે તેમ આપણને ડોલર્સના મોહ વતનથી ખાસ્સો સમય દુર રાખે છે. પણ એ નિર્વિવાદ

છેકે અંતરમાં ઢબુરાયેલ વતન પ્રેમ આંતરમન કે રીમોટ કંન્ટ્રોલ દ્વારા , હર નવરાશની પળે હર માનવી

અનુભવે છે.

               જગતનો આધ્યાત્મિક ગુરુ એવો દેશ ભારત , જેમાં હીરા જડીત નાની વીટી જેવુ ગુજરાત

તેમાં અંગુઠા જેવડુ કાઠીયાવાડ , શ્રી ક્રિષ્ણ અને સ્વામી સહજાનંદને  સંઘરી , સમાવી તેઓને કાઠીયાવાડને

કર્મભુમિ  બનાવવા પ્રેરણા  સહ મદદ કરી. જ્યાં બબ્બે જ્યોર્તિલીગ ( શ્રી સોમનાથ અને દ્વારીકા પાસેથી

નાગેશ્વર ) ઈશ્વરના દિવ્ય ચક્ષુઓની જેમ ઝ્ળહળે છે. કહેવાય છે કે સંત-સતિ-સિહ- શુરવીરો અને આગળથી

ખબર કરી, ગામ ભાંગતા,  બહેન-દિકરી-સ્ત્રીઓની મર્યાદાનો મલાજો જાળવતા  બહારવટીયાની ભુમિ એટલે

કાઠીયાવાડ. જે ભુમિ પર, હિમાલય કરતાં પણ આયુષ્યમાં મોટો, આભને આંબતો ગિરનાર અડીખમ ઉભો છે.

જેની વજ્ર જેવી છાતી પર હિન્દુ-મુસ્લિમ-જૈનોના ધર્મ સ્થાનો અડગ ઉભા છે. અને હમ સબ એક હૈ ની

આલબેલ પોકારે છે.દ્ર્ષ્યમાન સાબીતી આપે છે.

               મહાત્માગાંધી ( પોરબંદર ) મહાત્માગાંધીના આધ્યાત્મિક ગુરુ , જેમણે જૈન ધર્મને પુર્ણતયા પચાવી

પ્રકાશ રેલાવ્યો તેવા શ્રી રાજચન્દ્ર, સત્યાઈ પ્રકાશના સર્જક, આર્યાવૃતના સનાતન ધર્મને સમજી જનતાને

સમજાવનાર  સ્વામિ શ્રી દયાનંદ સરસ્વતી ( ટંકારા મોરબી ) . આવા અનેક મહામાનવીઓની જન્મભુમિ

એટલે આજનુ સૌરાષ્ટ્ર . આવી કાઠીયાવાડમાં એક બિન્દુ જેવડુ  અને કાળમીઢ પથ્થરો ચીરીને માર્ગ કરતી

મા મચ્છુના કાંઠે મારુ ગામ મોરબી, એક કલા-ક્મ-ઉધ્યોગીક નગરી. આઝાદી  પહે્લાં, બેકાઠે વહેતી આ લોક

માતા હવે આંખોને ઠારે તેવા ઠસ્સાથી , રમતી- ઝુમતી- વહેતી નથી. રામનાથના આરે( ઘાટ ) થી ખાબકી

સામે કાંઠે – કિનારે અડી પાછા જલદી આવવાની હરિફાઈઓ યોજાતી. ત્યાં આજ એટ્લુ પાણી ક્યાં ?

આવા કાઠીયાવાડના ગીતો- છંદો-ઠાકરથાળીયો- દુહાઓ- રાસગરબાઓ- લોક્ગીતો – ગામઠી ભજનો

જીન્દગીમાં માણવા જીવા છે. હુ ખાસ કરીને ગુજરાતીઓને , અન્ય ભારતીઓને, અંગ્રેજ – અમેરીક્ન

કે ભારત બહારના કોઈ પણ દેશના નાગરીક્ને આગ્રહ  સહ આમંત્રણ આપીશ કે જેઓ અત્યારના

ઘોઘાટીયા- કર્ક્શ ઓરકેસ્ટ્રા અને અર્થ વગરના ગીતોથી કંટાળ્યા હોય તેઓ એક વાર કાઠીયાવાની

મુલાકાત લઈ લોકોની મહેમાનગતી માણી, પછી સૌરાષ્ટ્રના છેવાડા કે ઉડાણના ભાગમાં આવેલ ગામડે

જઈ ત્યાંના દુહા- છંદ- લોક્ગીતો- ગામઠી ભજનો સાંભળે અને રાસ- ગરબા નીહાળે. અહી કંઠ સંગીતને

સાથ- સથવારો આપતા વાદ્યો પણ સસ્તા અને મર્યાદીત  સંખ્યામાં હોય છે.દાઃત એક્તારો ( તંબુરો )

દોક્ડ ( તબલા )  નાની ઝાંઝ, મંજીરા, કરતાલ . અહી માઈક્ને સ્થાન નથી . કારણ અહીના માનવી

ખડતલ અને તેઓનો આવાઝ બુલંદ હોઈ થોડાજ સાઝના સથવારે, તેઓ સુમધુર, કર્ણપ્રિય, ઘોઘાટ

વગરનુ સંગીત પીરસે છે . વળી જો કોઈ મીર ગાયકને શાંભળવા મળે તો સૌરાષ્ટ્રના શાસ્ત્રીય અને

સુગમ સંગીત પરિચય ઉમેરાશે.  કહેવાય છે મીરનુ બાળક  રડે તો પણ સંગીત સંભળાય.

           હવે જ્યારે કોઈ, ચોયણા ઉપર કોડીયુ,  માથે છોગા વાળો ફેટો, ચોયણા પર લટક્તુ રંગબેરંગી

નાડુ અને ભરાવદાર શરીર વાળો કિશાન પુત્ર , કાંખમાં ડાંગ ભરાવી , દુહા લલકારે ત્યારે વગર માઈકે

ભાંગતી રાત્રે બે ત્રણ માઈલ સુધી અવાઝ પહોચે . આજ ધરતીપુત્ર હોઠ પર પાવો મુકી આપણી સમક્ષ

રજુ થાય ત્યારે અનુભવાય કે શ્રી ક્રિષ્ણે હજુ દ્વારીકા નથી છોડ્યુ . દુર- સુદુર પરદેશ સુધી પહોચેલા

સૌરાષ્ટ્રના  રાસ  ગરબા માણવા એ તક લહાવો છે. વળી ઠાકરથાળીના ભજનો કે લોક ગીતો જે ગામઠી

લોકોના અંતરમાંથી ઉદભવેલ અને અર્થ સભર હોય છે. રાત્રે શરુ થાય, પરોઢીએ પુરા થાય. હથેળીમાં

પ્રસાદ લેઈ શ્રોતા ભક્તો ઘેર જાય. ઠાકરથાળી શુ છે તે  સમજવા લેખક્નો (  વચન – વાઘ – વાલ્મિકી

વક્રિભવન ) વાંચવા વિનંતી. હવે તો વાહન વ્યવહારના સાધનો , સગવડો હોઈ કોઈ ખાસ મુશ્કેલી

પડતી નથી . તેમ છતાં  કંઈક મેળવવા કંઈક ગુમાવવુ પડે. જીદગીમામ એક્વાર આવો અલભ્ય લાભ

લેવા જેવો ખરો.

          કોડીયુ =  તમે તમારા મહેનત સ્થિત, લક્ઝરીયસ એપાર્ટમેન્ટમાં , સોફામાં બેસી, મોટા

પડદાવાળા ટી- વી પર વિતેલા વર્ષોના વિસરાતા ગીતો સાંભળી રહ્યા છો, અને કરુણ પણ કર્ણ પ્રિય

પારેવડાં જાજે વીરાના દેશમાં સંભળાય અને જો બહેનની યાદ આવતાં આંખના ખુણામાં ઝાક્ળ ન

બાઝે તો સમજજો કે આ હળાહળ કળીયુગ છે. ચેતવુ સારુ.

3 Comments »

સફર.

એક એવી સફર,  માર્ગ ઘણોજ મુશ્કીલ અને દુર.

જ્ન્મો જ્ન્મની લાંબી સફર,  ન થાય    પુરી.

શોધુ અનેક રસ્તા,  કરવા મુશ્કીલ સફર ટુકી.

ન મળે ટુકો માર્ગ ,   શોધ્યા માર્ગ અનેક.

મળ્યો એક અમુલ્ય જ્ન્મ, લીધા માનવ જ્ન્મ.

હમસફર છોડે અડધે રસ્તે,  ન કોઈ સાથી.

કાપવી મંઝીલ એક્લા, રાહ લાગે  ક્ઠીન.

થતા પુણ્યનો ઉદય, મળ્યા સાચા સદગુરુ.

બતાવે ટુકો માર્ગ,  બાંધ્યુ ભક્તિનુ ભાથુ.

લાંબો માર્ગ દીશે ટુકો, બન્યો અતિ સરળ.

મળી મંઝિલ,  પહોચાડે પરર્માત્મા સમીપ.

3 Comments »

ઉર્મિ ભાવ.

કાવ્ય, કવિતા, ગઝલ, અને શાયરી.

ઉર્મિના ભાવ એતો, ન કોઈ ફરક એમાં.

મીઠી યાદો, પ્રકૃતિ સૌન્દર્ય, સ્મરણીય ધટના.

હ્રદયની વેદનાઓ ,  હૈયાના એ ભાવ.

હ્ર્દય ઉર્મિસાગરમાં, જ્યાં ભાવરુપી,

પત્થર ફેકાય, વિચારો રુપી વમળો ઉદભવે.

ઘુટાઈને ઉર્મિભાવ,  બને શબ્દનુ સ્વરુપ.

શબ્દની આ રમત,  ઉતરે કાગળ  પર.

ક્વીની આ કલ્પનાઓ બને પ્રેમ ભાવ.

દિલના તાર ઝણ-ઝણી ઉઠતા.

કાવ્ય, કવિતા, ગઝલ, શાયરી .

પ્રગટ થાય અતિ સુન્દર રચના.

2 Comments »

ઝાંખી.

મંદિર મંદિર,  મુર્તિ સુન્દર પ્યારી , અનેક સ્વરુપ.

વેદ પુરાણ,  શાશ્ત્રો કરે ગુણ ગાન તારા .

જ્યાં સતસંગ, ભજન-કીર્તન  ભક્ત હ્રદય બિરાજમાન.

કથા શ્રવણ,  મંત્ર જાપ,  નિત્ય પાઠ  નિયમ,

દર્શન પ્યાસા નયન,  એક ઝાંખીની લાલસા .

જ્યાં નિહાળુ એક પ્યારુ હોઠ પર સ્મિત, મુર્તિમાં.

ત્યા નીરખુ ,  પ્રભુનુ સુન્દર પ્યારુ મુખડુ .

મન તો ભાવ વિભોર, આનંદ ન સમાય.

બુધ્ધિ કરે તર્ક વિતર્ક, ઉઠે અનેક સવાલ.

મન તો વિચારે , શુ ગોલોક આનુ નામ !!!

જ્યાં  શ્રી ક્રિષ્ણ નિવાસ હમેશા.

1 Comment »

ભેદ-ભરમ.

 સાત લોક,  સાતપાતાળ,  સાત સમુન્દર,

સાત આસમાન, સાત જનમ,સપ્તપદીના વચન સાત.

પાંચ પ્રાણ,  પાંચ વાયુ,   પાંચ વિષય, પાંચ કોશ,

પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય,  પંચ મહાભુત.

આપ્યો મનુષ્ય દેહ,  મનુષ્ય દેહ અતિ મુલ્યવાન.

આતો ઈશ્વરે રચ્યો ચક્રવ્યુહ,ન સમજાય પામળ માનવી.

ચક્ર્વ્યુહના કોઠા કઠીન,  ન સમજાય ચક્રવ્યુહ.

હર જન કરે કોશીશ, કરે મથામણ, નીક્ળવા.

જો મળે સદગુરુ  ભક્તિ માર્ગમાં, આપે બોધ,

જ્ઞાન આપી  મીટાવે ભેદ ભરમ, બનાવે આત્મજ્ઞાની.

ભક્તિ અને સાધના કરતાં,  સમજાય ચક્ર્વ્યુહ.

કરતાં ઈશ્વરને પ્રેમ , પામીયે પરમતત્વ.

No Comments »

મનોકામના.

આંગણીયામાં પુર્યા  ભાત ભાતના સાથીયા ને રંગોળી.

બારણે બાંધ્યા તોરણીયા, ટોલડે પ્રગટાવ્યા દીવડા ઝગ મગ.

બિછાવ્યા મખમલી ગાદીને તકીયા, છાંટ્યા અત્તર.

ઘર સજાવ્યા રંગ બે રંગી ફુલડે, ગુથી મોગરાની માળા.

જળ રે  જમુનાની ઝારી,   છપ્પન ભોગ સામગ્રી.

ઉકાળ્યા ગાયના દુધ, સાકર કેસર બદામ અને ઈલાયચી.

પાન સોપારીના બીડલા , મહી ઈલાયચી લવીન્ગ.

ભર્યો પ્રેમ અશ્રુ તણો કટોરો , પગપ્રક્ષાલન કાજે.

રાહમાં પાથર્યા ગુલાબ, મોતિડે વધાવુ, કરુ આજ આરતિ.

મોકલ્યા સંદેશ શ્રી હરિને, વ્યાકુળ નયન નીરખુ રાહ.

આજ અર્પણ કરુ સારો પ્રેમ શ્રી હરિ ચરણ.

2 Comments »

શિવ.

 

            આદી અનાદી, નીરાકાર પરમતત્વનુ સ્વરુપ, પરમેશ્વર શ્રી શિવ શંકર ભોલેનાથ

તેમની મહિમા અને ગુણગાન કરવા માટે આપણે અસમર્થ છીયે.મા સરસ્વતિ રાત દિવસ તેમના

ગુણગાન લખે તો પણ પાર ન આવે. દેવોના દેવ મહાદેવ હમેશાં સમાધિ અવસ્થામાં કૈલાસ પર

બિરાજમાન હોય છે. અંગે ભસ્મ, હાથમાં ડમરુ– ત્રિશુર, ગળામાં સર્પમાલા,  જટામાં ગંગાજી વહે

કેટલુ અલૌકિક સ્વરુપ !!! દર્શન કરતાંજ ધન્ય થઈ જવાય. જેટલા ક્રોધીત છે તેટલાજ ભક્ત ઉપર

જ્લ્દીથી પ્રસંન્ન થઈ જાય એટલા માટેજ ભોલેનાથ  કહયા છે.

            બ્રહ્મા સર્જનનુ કામ કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, તો શંકર ભગવાન મૃત્યુને ગતિ આપે છે.

એટલા માટેજ મહામૃત્યુનજય મંન્ત્ર અને મૃત્યુનજય મંન્ત્ર બોલીને પ્રાર્થના કરીયે છીયે. પહેલા જ્યારે

ખાલી હિન્દુ ધર્મ અપનાવતા હતા ત્યારે શંકરભગવાનની પુજા થતી હતી. અત્યારે જ્યારે જુદા જુદા

ધર્મોની સ્થાપના થઈ છે એટલે લોકો પોતાને અનુકુળ આવે તે ભગવાનની આરાધના  કરે છે. છતાં

પણ કોઈ પણ સંપ્રદાય અપનાવ્યો હોય,  શંકરભગવાનની   ઉપાસના દરેક જણ કરે છે. શિવજીની

ભક્તિ દરેક જણ કરતા હોય છે. શિવજી પોતે ધ્યાન અવસ્થામાં બિરાજમાન હોય છે. શ્રી રામનુ

ધ્યાન કરે છે. શિવની શક્તિનો કોઈ પાર નથી, સમુદ્ર્મંથનમાંથી નીકળેલ ઝેર પીધુ છે.

તો કામદેવને બાળીને ભસ્મ કર્યો છે,  ગંગાજીને જટમાં ઝીલી લીધા છે.  શિવજીમાં અપાર શક્તિ

રહેલી છે , છતાં પણ હમેશાં સમાધીની શાંન્ત મુદ્રામાં હોય છે. શિવ-શક્તિ સાથે બિરાજમાન છે.

માશક્તિ અર્ધાગીની સ્વરુપે તેમની સાથે બિરાજમાન છે,અને આ પ્રેમનુ પ્રતિક છે.શિવજીનુ

અડધુ અંગ માશક્તિ છે.  મનુષ્ય જો ભક્તિ માર્ગ  યા તો યોગ માર્ગ અપનાવી, સાધનાથી આગળ

વધે તો શિવજી સાધકના મોક્ષદ્વાર ખુલ્લા કરે છે.

   ( રાગ શિવ રંજની )

શિવ શિવ રટો ઓ મન મેરે,

સબ દુખ દરિદ્ર દુર  હો તેરે.

ભોલા શંભુ હે શિવ શંકર,

તુમ હી પાલક હો શિવ મેરે.— શિવ.

હે ગિરિજા પતિ ગંગાધારી,

તુમ્હરી શરણમે સુખ ઘનેરે.— શિવ.

મંગલકારી  હે  ત્રિપુરારી,

સુર નર ધ્યાવે સાંજ સવેરે.— શિવ.

હે મૃત્યુનજય હે મહાદેવા,

જનમ મરણ કે ટાલો ફેરે.— શિવ.

No Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.