શ્રી શિવષડક્ષર સ્તોત્રમ .

                                  શ્રી શિવષડક્ષર સ્તોત્રમ

                                            [ ૧ ]

                    ૐકારં બિન્દુસંયુકત્મ , નિત્યં ધ્યાયંતિ યોગિનઃ

                    કામદં મોક્ષદં ચૈવ ,  ૐકારાય  નમો  નમઃ

( બિન્દુયુક્ત એવો જે ૐકાર-પ્રણવ કે જે ઈચ્છાને પૂર્ણ કરનાર અને મોક્ષને આપનાર છે .

તેનુ  યોગીઓ નિરંતર ધ્યાન કરે છે . માટે તે ” ૐકાર ” રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                                [ ૨ ]

                             નમંતિ ઋષયો દેવો , નમંત્યપ્સરસાં ગણા

                             નરા નમંતિ દેવેશં , નકારાય નમો નમઃ

( દેવોના ઈશ્વર શંકરને, ૠષિઓ અને દેવો નમન કરે છે .અપ્સરાઓના ગણો નમન કરે છે

અને મનુષ્યો પણ નમન કરે છે .માટે તે ” નકાર ” વર્ણરુપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ).

                                                 [ ૩ ]

                            મહાદેવં મહાત્માનં , મહાધ્યાનં પરાયણમ

                               મહાપાપહરં દેવં , મકારાય નમો નમઃ

( જે મહાદેવ, મહાત્મા, મહાધ્યાન યુક્ત અને મહાપાપને નાશ કરનાર દેવ છે

   તે ” મકાર ” વર્ણરૂપ   શંકરને મારા વારંવાર પ્રણામ હો ) . 

                                             [ ૪ ]

                            શિવં શાંતં જગન્નાથં , લોકાનાં ગ્રહકારકમ

                            શિવમેક પદં નિત્યં , શિકારાય નમો નમઃ

( જે કલ્યાણરૂપ , શાંત , જગતના નાથ , લોકો પર અનુગ્રહ કરનારા, મોક્ષરૂપી એક સ્થાનભૂત

  અને નિત્ય છે તે ” શિકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૫ ]

                    વાહનં વૃષભો યસ્ય , વાસુકિ કંઠ ભૂષણમ

                   વામે શક્તિ ધરં દેવ , વકારાય નમો નમઃ

( વૃષભ નંદી જેમનુ વાહન છે , વાસુકી જેમના કંઠનો અલંકાર છે અને પોતાના વામભાગને વિષે જે દેવે

  શક્તિ-પાર્વતિને ધારણ કરેલા છે તે ” વકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૬ ]

                       યત્ર યત્ર સ્થિતો દેવં , સર્વ વ્યાપી મહેશ્વર 

                       યો ગુરુ:  સર્વદેવાનાં , યકારાય નમો નમ:  

( જે જે ઠેકાણે સર્વ વ્યાપી દેવ મહેશ્વર રહેલા છે .તે તે સ્થાન રૂપ અને જે સર્વ દેવોના દેવ ગુરુ છે

         તે  ” યાકાર ” વર્ણ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                      [ ૭ ]

                    ષડક્ષરમિદં સ્તોત્રં , ય  પઠેચ્છિવસંનિધૌ

                    શિવલોકમવાપ્નોતિ , શિવેન સહ મોદતે .

( આ છ અક્ષરના સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોક્ને

   પ્રાપ્ત થઈ શંકરની સાથે આનંદ ભોગવે છે  )

             ૐ શાંતિ :          ૐ શાંતિ :            ૐ શાંતિ:

3 Comments »

ૐ નમઃ શિવાય

   શ્રાવણ માસ અતિ પવિત્ર અને  શિવ પૂજન  અને અર્ચના

  તેમજ  શિવ  આરાધના માટે  ખાસ  મહત્વના પાવન દિવસો .

 પ્રેમથી  ભક્તિભાવ સાથે  ભોળેનાથનુ  સ્મરણ કરીએ .      

                      મહામૃત્યુનજય મંત્ર

                             (વેદોક્ત)

        ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ

        ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મ્રુક્ષીય મામૃતાત

( દિવ્ય ગંધયુક્ત બધાના પોષક હે ત્રિલોચન ‘ભગવાન શિવ’

  અમે આપનુ પૂજન કરીએ છીએ, જેમ પાકુ થયેલ ફળ

 આપોઆપ વૃક્ષ પરથી ડીટામાંથી તૂટી પડે છે તેમ અમને

પણ અમારૂ કાર્ય પુરુ થયે લઈ લેજો. આપની કૃપાથી મૃત્યુથી

મુક્ત થઈ અમૃતમાં વિલિન થઈ  જઈએ  ).

                       મૃત્યુનજય મંત્ર

                         (પુરાણોક્ત)

મૃત્યુનજય મહાદેવ, ત્રાહિમામ શરણાગતમ

જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પિડીતં કર્મ બંધનૈ .

( હે મૃત્યુને જીતનારા મહાદેવ આપને શરણે

આવેલ અને કર્મના બંધનો વડે જન્મ,મૃત્યુ

જરા,તેમજ રોગોથી પીડાએલા એવા મારુ

આપ રક્ષણ કરો ) .

1 Comment »

એકરાર .

તારા સુધી પહોચવાના અનેક માર્ગો છે .

 બધા અલગ-અલગ પંથનો નિર્દેશ કરે છે .

માનુ છુ હુ એકજ માર્ગે દ્રઢ   વિશ્વાસે

આગળ વધવાથી ,  કદાચ તુ મળી જાય .

હે પરર્માત્મા , તને પામવા નીકળીને 

   કેટલોય પંથ કાપી નાખ્યો ,

પરંતુ હજી એજ જવાબ મળે છે  ,

 કે મંઝિલ ઘણી દૂર છે .

ક્યારેક નિરાશામાં અટવાઉ છુ,

લાગે છે આગળ  વધવાની  હિમ્મત  નથી,

પાછા  ફરવાનુ   મન  થતુ   નથી ,

 હુ   ઉલઝનમાં  અટવાઉ છુ .  પણ

દિલમાં પ્રભુની પ્યારી મુરત વસી ગઈ છે.

તો મંઝિલ દૂર હોવા છતાં, એ પાસે લાગે છે .

મારી અભિલાષા જ મારી તૃપ્તિ બની ,

 મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.

4 Comments »

પિતૃ દેવો ભવ .

           Happy Father’s day .

              पितृ देवो भव .

પિતા ઘરની શાન ,  પિતાથી શોભે ઘર પરિવાર.

પિતા પરિવારની શીતળ  છત્ર-છાયા, ઘરનો મોભો .

પરિવારને કરે અગાધ પ્રેમ , ન કદી બોલે મુખથી .

પ્રેમ અને લાગણી પ્રગટ કરવાની રીત નીરાલી .

હ્રદયમાં ચાલે મનોમંથન , ન દીસે મુખ પર .

દુખના આંસુ પણ રોએ દિલમાં , છુપાવે દુખ-દર્દ .

થાય ઉદાસ , સેવે ચુપકી , સ્વ પર ઉઠાવે ભાર ,

વિપદામાં પણ ખુશી ખુશીથી ઉઠાવે પરિવારનો બોજ .

પરિવારની ખુશી-આનંદમાં જ , પિતાની જીન્દગી .

પુત્રી હ્રદયનો ટુકડો , તો પુત્રમાં દેખે નીજ રૂપ .

ગુસ્સામાં પણ  છુપાય પ્રેમ, વાત્સલ્યથી ભરપુર .

કલેજે મુકી પત્થર ,બની સખ્ત ,કરે સંતાનોના

જીવન રાહ સરળ ,   બનાવે  ઉજ્વળ જીવન .

કરી સંસ્કારોનુ સિન્ચન , કરે બાળકોને  તૈયાર ,

ઉજ્વળ જીવન કાજે , જજુમવા જીવનના સંગ્રામ .

3 Comments »

શોભે સત્ય , સત્યના રૂપમાં .

સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે . પણ

સત્ય એના સત્યના  રૂપમાં હોવુ જોઈએ , એની વ્યાખ્યામાં હોવુ જોઈએ .પોતાનુ

સાચુ ઠરાવવા માટે લોકો પાછળ પડે છે, પણ સાચાને સાચુ ઠરાવશો નહી .

સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવુ કે તમારુ સાચુ નથી .કંઈક

કારણ છે એની પાછળ, એટલે  સાચુ કોને કહેવાય ? સાચી વાતને સાચી ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામુ

જોવાનુ નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ .સત્ય હોવુ જોઈએ ,પ્રિય હોવુ જોઈએ, હિતવાળુ હોવુ જોઈએ ,

ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવુ જોઈએ , એનુ નામ સત્ય કહેવાય .એટલે સત્ય , પ્રિય ,હિત અને મિત

આચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે , નહી તો અસત્ય છે .

                             (    નગ્ન સત્ય , ના શોભે . )

નગ્ન સત્ય બોલવુ એ ભયંકર ગુનો છે . કારણ કે કેટલીય બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતુ હોય તે

બોલાય .કોઈને દુખ થાય એવી વાણી સાચી-કહેવાતી જ નથી . નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ

તો એ ય જૂઠુ કહેવાય .

 નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ?  કે પોતાનાં મધર હોય તેને કહેશે ‘ તમે તો મારા બાપના વહુ થાવ ‘

એવુ કહે તો સારૂ દેખાય ? આ સત્ય હોય તો પણ મા ગાળો ભાંડે ને ? મા શુ કહે ? મુઆ મોઢુ ના દેખાડીશ .

અરે આ સત્ય કહુ છુ , તમે મારા બાપના વહુ થાવ , એવુ બધાં કબુલ કરે એવી વાત છે ?  પણ એવુ ના

બોલાય . એટલે નગ્ન સત્ય ના બોલવુ જોઈએ .

                                             ( સત્ય પણ પ્રિય ખપે )

એટલે સત્યની વ્યાખા શુ કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવુ હોવુ જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી

કહેવાય ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી . સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં

સાચુ હોવુ જોઈએ .તે ય પાછુ સામાને પ્રિય હોવુ જોઈએ .

લોકો નથી કહેતા કે ‘ એય કાણિયા તુ અહી આવ ‘. તો એને સારુ લાગે ? અને કોઈ ધીમે રહીને કહે ,

ભઈ તમારી આંખ શી રીતે ગઈ ? તો એ જવાબ આપે કે ન આપે ? અને એને કાણિયો કહીએ તો ?

પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મુક્યો ,  સત્ય એ પ્રિય જોઈએ .

નહી તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતુ નથી .કો’ક ઘૈડા હોય તો તેને ‘માજી’

કહેવુ .એમને ડોશી કહ્યા હોય તો એ કહે ,રડ્યો  મને ડોશી કહે છે ? હવે અઠ્યોત્તેર વર્ષનાં , પણ પેલાં ડોશી

કહે તો પોષાય નહી શાથી ? એમને અપમાન જેવુ લાગે . એટલે આપણે એમને માજી કહીએ કે ‘માજી આવો’

તો એ રૂપાળુ દેખાય અને તો એ ખુશ થઈ જાય . શુ ભઈ .પાણી જોઈએ છે ? તમને પાણી પાઉ ?  કહેશે

એટલે પાણી-બાણી બધુ ય પાય .

                                                                      ( પૂજ્ય શ્રી દાદા ભગવાન ) .

1 Comment »

દ્રષ્ટિ એવી સૃસ્ટિ .

શ્રી કૃષ્ણ રંગ મંડપમાં પ્રેવેશે ત્યારે તે સભામાં વિરાજેલા અનેક લોકોને

અધિકાર પ્રમાણે અલગ  અલગ દેખાય છે .તેને જ મહાત્માઓ દ્રષ્ટિસૃષ્ટિવાદ

કહે છે . સભામાં જે પહેલાવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા .

સાધારણ  મનુષ્યને રત્ન જેવા લાગ્યા . સ્ત્રીઓને તો કામદેવ જેવા લાગ્યા .

ગોવાળોને સ્વજન જેવા લાગ્યા . દુષ્ટ રાજાઓને સર્વશાસક  લાગ્યા .

નંદબાબાને બાળક જેવા લાગ્યા . કંસને મૃત્યુરૂપ લાગ્યા . યોગી ૠષિ

મહાત્માઓને તો સાક્ષાત પરમાત્મા લાગ્યા . યાદવો અને ભક્તોને પોતાના

ઈષ્ટ દેવ લાગ્યા . જેવી દ્રષ્ટિ તેને ભગવાન તેવા દેખાય છે . એકજ પ્રભુ

સર્વત્ર રમે છે . તે દ્વૈત-ભેદભાવ તે માયાનુ કારણ છે . માયા એવી છે કે

પ્રેમથી શ્રી કૃષ્ણ્નુ નામ લેતાં જ ભાગી જાય છે .

2 Comments »

શાંતિની શોધ .

આત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં બધીજ જ જગ્યાએ પુરા વિશ્વમાં

અશાંતિ વર્તાઈ રહી છે . કોઈ પણ દેશ , રાષ્ટ્ર  ક્યાંય શાન્તિ નથી . આતંકવાદથી

ઉભી થયેલ અશાંતિ ,જે પુરા દેશને હલાવી દે અને લોકો પણ ભય અને બીકમાં

જીવતા હોય ક્યાંય પોતાની સલામતી દેખાતી નથી .કોઈ પણ વ્યક્તિ સલામત નથી . ઘરની  બહાર નીકળે

પરંતુ દિલમાં એક ડર હોય ,સહીસલામત ઘરે પાછા પહોચાસે કે નહી ? ઘરે પાછા ફરે પછી થોડી રાહત

અનુભવે .

          દુનિયાના દરેક દેશ વચ્ચે પરમાણુ   હથિયારો બનાવવાની એક અજબની હરિફાઈ ચાલી રહી હોય એમ

લાગે છે . ત્યારે દુનિયા આખી યુધ્ધના ભય નીચે જીવતી હોય . માથા પર હમેશા લટકતી તલવાર હોય .

ત્યાં આગળ મગજને શાંતિ ક્યાંથી હોય ? એક દેશ બીજા દેશની ઉઘ હરામ કરી દે .દરેક દેશને પોતાની

પરમાણુ તાકાત વધારવી છે .અત્યંત આધુનીક ઉપકરણો બનાવ્યા અને આ ઉપકરણોની મદદથી જીવન

સરળ બનાવ્યુ , શારિરીક શ્રમ ઓછો કર્યો ત્યારે માનસિક શ્રમ વધી ગયો . જીવન સરળ તો બન્યુ છતાં

પણ માનસિક પરિતાપ વધતો જાય ત્યાં આગળ શાંતિ ક્યાંથી હોય ? જેટલી પ્રગતિ થઈ રહી છે તેની

પાછળ દોડ ધામ પણ એટલીજ વધી ગઈ છે . લોકો દોડ્યા જ કરે , અત્યારે કોઈની પાસે સમય નથી

નિરાંત નથી .અને આ દોડ ધામને લીધે જ અશાંતિ વધી ગઈ છે .

          જીવનમાં માણસ પાસે ધન દોલત જોઈતા પ્રમાણમાં હોય તો પણ , અત્યારે વધારેને વધારે ધન

કેમ ભેગુ કરવુ બસ તેની પાછળ હોય અને આ પૈસા ભેગા કરવા માટે પણ હમેશાં સતત ચિન્તામાં હોય

બિલકુલ શાંતિ ન હોય . ભગવાને બરાબર જ આપેલુ છે છતાં મનને શાંતિ નથી .ઉન્નતિ થાય તો તેમાં

પણ ઓર આગળ વધવાની ઝંખના અને તેને લીધે મન અશાંત બની જાય .માણસની લાલસાઓજ

માણસને અશાંત બનાવી દે છે , અને અમુક વખતે માણસે પોતાની જાતેજ અશાંતિને આમંત્રણ આપ્યુ

હોય . અને સમાજમાં બોલ્યા કરે ભગવાને મને શાંતિ નથી આપી . અત્યારે બાળકથી માંડીને યુવાન

પ્રૌઢ કે વૃધ્ધ માણસો હોય બધાજ એક માનસિક તનાવમાં જીવતા હોય છે . બધાજ શાંતિની ખોજમાં છે

અત્યારે મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા ,ગિરજાઘર બધેજ માનવ સમુદાયનો ધસારો વધતો ગયો  છે , અહિયાં

શાન્તિ છે .નદીયો ,દરિયા કિનારે ,સરોવર ,પર્વતો અગેરે કુદરતી સૌન્દર્ય માણવા માટે લોકોની ભીડ વધતી

જાય છે .માનવ રચિત , મન આનંદમાં રાખવાના સાધનો વધતા ગયા છે , લોકો તેમાંથી પણ આનંદ લેછે

કોઈ સારો માર્ગ અપનાવીને મનની શાંતિ શોધે તો કોઈ વળી ગલત-ખોટી વસ્તુઓમાં મનની શાંતિ શોધે .

 બધી જગ્યાઓએ બસ શાંતિની ખોજ છે . પશ્ચિમી દેશો પણ હવે આપણી સદીયો પુરાણી ધ્યાન – યોગ

પધ્ધતિ અપનાવી રહ્યા છે . ધ્યાન – યોગથી મનની શાંતિ શક્ય છે .ૠષિ પતંજલિ આપણને બહુજ મોટી

અમુલ્ય ભેટ આપીને ગયા છે .

પરંતુ જેટલી શાંતિ શોધે એટલી દુર ભાગે .દરેકનુ મન અશાંત છે . આ અશાંતિ માટે કોણ જવાબદાર છે ?

જીવન વધારે પડતુ વૈભવશાળી બની ગયુ ?એક બીજાની નકલ અને એક બીજા સાથે જીવનની હરિફાઈ ?

અને આ અસ્થિરતા માણસને ઘણી વખત ખોટા વ્યસનો તરફ દોરી જાય .અને પછી બરબાદી શરૂ થઈ જાય.

મનની અશાંતિ મનની અસ્થિરતા ઉભી કરે છે અને માણસને  આપઘાત કરવા માટે પ્રેરે ,તેના માટે જીવન

કઠીન અને અસહ્ય બની જાય ,તેને આપઘાત સિવાય બીજો માર્ગ દેખાય જ નહી . કેટલી મોટી કરૂણા  ?

બાળકો પણ નશીલી દવાઓનુ સેવન ચાલુ કરી દે. આવતી કાલનો નાગરીક જો આ રસ્તા પર ચાલે તો પછી

શુ પરિણામ આવે સમસ્યા તો ગંભીર છે , પરંતુ તેનો ઉકેલ શોધવો મુશ્કીલ છે .આપણે ભગવાનને પ્રાર્થના

કરી શકીએ .

                   ॐ द्यौः शांति रन्तरिक्षः ग्गूम शांतिः

          पृथ्वि शांतिरापः ,  शांति   रोखधयः   शांतिः  ,  वनस्पतयः  ,

       शांति     विश्वे देवाः    शांति ब्रह्म शांतिः , सर्व ग्गूम स्शांतिः ,  शांति रेव शांतिः

       सा मा शांति रेधि ,  सर्वारिष्ट शांतिर्भवतु

       ॐ शांतिः — शांतिः — शांतिः

  શાંતિ કરો પ્રભુ ત્રિભુવનમાં .

  શાંતિ કરો જલ , થલ , ગગનમાં ,

અંતરિક્ષમાં , અગ્નિમાં , ઔષધિમાં ,

વનસ્પતિ , વન-ઉપવન , સકલ વિશ્વમાં ,

જડ-ચતનમાં , શાંતિ રાષ્ર્ટ નિર્માણ સર્જનમાં ,

નગર ગ્રામ અને મારા ભવનમાં

જીવ માત્રના તન-મનમાં અને જગતના

કણ-કણમાં

ૐ શાંતિઃ — શાંતિઃ — શાંતિઃ

1 Comment »

સાહિત્ય સરિતા .

 હુ સાહિત્ય સરિતા…..

મારા દિલમાં ખુશી ન  સમાય  , આજે   કરવી છે  મારા મનની વાત .

ગુજરાતી સાહિત્ય સરિતા મળ્યુ અનોખુ નામ મને, હ્યુસ્ટનમાં રહેવા સ્થાન.

અનેક શિક્ષિત સંસ્કારિ  સભ્યોથી  બન્યો  મારો  સુન્દર સુશોભિત  પરિવાર .

સુશિક્ષિત સાહિત્ય રસિકોએ કર્યુ મારુ લાલન-પાલન, સિન્ચા સાહિત્ય નીર.

હર મહિનાની મિટિન્ગ અને, બનાવી રુડો બ્લોગ ,અને   વિવિધ પ્રવૃતિઓ .

કર્યુ જતન મારુ પ્રેમથી , કરી કાળજી , પ્રેમથી  નિહાળે મને રાત-દિવસ.

અધિક પ્રેમ અને મારા માટેની કાળજી જોઈ મારા આનંદનો  નહી  પાર.

ધીમે ધીમે મોટી થવાને બદલે હુતો , બહુ જલદી દશ વર્ષની થઈ ગઈ .

મારા પરિવારે રાજ્શાહી ઠાઠથી ઉજવી ખુબજ ધુમ ધામથી મારી દશમી,

વર્ષ ગાંઠ , દશાબ્દિ મહોસ્તવ , એક નહી બે બે વખત મનાવી મારી વર્ષગાંઠ.

જેણે માણ્યો પ્રોગ્રામ , ખુશી-ખુશી કરે ચર્ચા ,  બહુજ સરસ , બહુજ સરસ.

આપે અભિનંદન ,વર્ષાવે તારીફ અને ખુશીના પુષ્પો . મારા પરિવારને

ધન્યવાદ પામતા જોઈ ,  હૈયે ગર્વ , અતિ સંતોષ અને આનંદ થાય .

પરિવારના આનંદની તો કોઈ નહી સીમા,   હૈયા હરખથી  છલકાય .

સફળતાના શિખરો પાર કરતાં હવે, દિલમાં એક મનોકામના રજત જયંતિની

માણવો મારે રજત જયંતિ મહોત્સવ , અને મારા પરિવારના દિલમાં ખુશી .

1 Comment »

માટીના મોલ .

માટી , આમ તો લાગે તેની કોઈ કિમ્મત નથી પરંતુ વિચારીએ અને સમજીએ

તો નકામી લાગતી માટીની કિમ્મત ઘણીજ છે ,અણમોલ છે .

અવિનાશભાઈ વ્યાસની એક રચના યાદ આવી જાય છે .

રાખના રમકડા મારા રામે ,રમતા રાખ્યારે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમક્ડાં.

 કવિએ કેટલી મોટી અને ગહન વાત કરી છે .તેમની આ રચના આપણને ઘણુ બધુ કહે છે .

ઈશ્વરે જીવ માત્રની રચના માટીમાંથી કરી છે ,માટીમાંથી માનવ જાતનુ સર્જન થયુ છે અને અંત સમયે

પણ અંતિમ પડાવ આવે ત્યારે આપણે માટીમાં જ ભળી જ્વાનુ છે .

આપણે હમેશાં બોલતા હોઈએ છીએ કોઈની સાથે સબંધ નહી બગાડવાનો ,ચપટી ધૂરની પણ જરૂર પડે ,

ચપટી ધૂરનો પણ ખપ છે .આ ચપટી ધૂર ,આ માટી કેટલી અણમોલ છે .ધૂર આંખમાં પડે તો તકલીફ થાય

પરંતુ આ જ ધૂર શ્રી ક્રિષ્ણ ચરણ રજ બનતાં જ પવિત્ર અને અણમોલ બની જાય છે જે દુર્લભ છે .નસીબવંત

આ ચરણ્રરજ પામી શકે .માટીના ધૂરના એક રજક્ણની જો આટલી મહિમા હોય તો માટી કેટલી બધી

મહત્વની છે .જેમ માણસ પંચ મહાભૂતમાંથી બને છે અને પંચમહાભૂતમાં સમાઈ જાય છે ,આ પંચમહા

ભૂતમાં એક તત્વ પૃથ્વીની-ધરતીમાતાની માટી છે .

માટીમાંથી માનવ સર્જાયા અને માનવનુ ભરણ પોષણ માટી જ કરે છે . માટીમાં બીજ વાવતાં જ આપણને

અન્ન,ફળ,ફુલ અને વૃક્ષો ઉગી નીકળે .વૃક્ષો જો પક્ષીઓનુ આશ્રય સ્થાન અને મીઠી છાંવ છે તો મનુષ્યને

પણ આશીયાના બનાવવામાં મદદ રૂપ થાય . આમ જોઈએ તો મનુષ્યની છત્ર છાયા માટી જ છે . જુના

જમાનામાં જ્યારે સંસ્કૃતિ આટલી વિકસેલી હતી નહી ત્યારે ઉપયોગી વાસણો માટીમાંથી બનતાં. અને

આજની તારીખમાં ઉનાળામાં માટલાનુ પાણી ,કુદરતી ઠંડક, મીઠાસ અને મહેક લોકો માણે છે .આપણે

પરદેશમાં આવીને વસ્યા પરંતુ માટલાનુ ઠંડુ અને સુગંધી વાળુ પાણી આજે પણ નથી ભૂલાતુ .ફ્રીજના

પાણીમાં એ ગુણવત્તા ક્યાં છે જે એક માટલાના પાણીમાં છે .આપણા દેશમાં ક્લાઢામાં બનતી ભાખરી

અને બાજરાના રોટલાની મઝા આવતી હતી તે મઝા આજે નોનસ્ટીક પેનમાં બનતા  રોટલા ભાખરીમાં  ક્યાં

આવે છે .આજે પીવાય છે ફ્રીજની બોટલનુ પાણી , કુજાના પાણીની વાત સાવ જુદીજ છે .ભારતમાં ઘણી

જગ્યાએ કુલડીમાં ચ્હા આપવામાં આવે  છે ,માટીના વાસણમાં દહી જમાવે છે , વાહ ભારત દેશની શુ વાત

કરવી  જીવન જીવવાની એક અલગ અને અનોખી રીત-ભાત છે .દરેક વસ્તુની મહત્વતા સમજે ,અને પ્રેમથી

અપનાવી લે.

ધન્ય છે કુભાર જાતીને જેણે માટીના મોલ સમજીને માટીને ગલે લગાવીને માટીનો વ્યવસાય અપનાવ્યો.

તેને રાત-દિવસ માટીમાં જ રમવાનુ , માટી જ તેની જીન્દગી .ગોરા કુભારને કેમ ભુલી જવાય , તેમણે

શ્રી ક્રિષ્ણ ભક્તિ કરતા કરતા પોતાનો વ્યવસાય કર્યો છે .ભક્તિ સાથે તેમણે તેમનો વ્યવસાય નથી છોડ્યો.

અને ભક્તિમાં લીન પોતાના નાના બાળકને માટીની સાથે પગથી ગુદી નાખ્યો .પ્રભુએ તેમની ભક્તિની

પરિક્ષા કરી પરંતુ તેમણે પ્રભુ ભક્તિ અને સ્મરણ નથી છોડ્યુ .

 મનુષ્ય જીવનમાં માટીના મોલ બહુજ  ભારી   છે ,  તો આજે અણમોલ માટીમાંથી બનેલ માટીનુ પૂતળુ 

 મનુષ્ય , માનવ બનીને   માનવ ધર્મ   નિભાવે તો દુનિયામાં સુખ-શાંતિ બની રહે .

3 Comments »

બન્યુ તે જ ન્યાય .

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.

એક  ક્ષણ  પણ  આ  કુદરત જે  છે તે  અન્યાયને પામી  નથી .

કુદરતના  ન્યાયને જો સમજે ,”  બન્યુ  તે ન્યાય ”

તો તમે  આ જગતમાંથી  છૂટા  થઈ  શકશો .

નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો

કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .

કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .

 જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને

જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .

જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..

એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .

આ જગતમાં ન્યાય ખોળશો નહી …..

જગતમાં ન્યાય ખોળવાથી તો આખા

જગતની લડાઈઓ ઉભી થઈ છે …..

જે   બનુ   છે   એ   જ   ન્યાય   છે …..

ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .

ન્યાય – અન્યાયનુ  ફળ એ તો   હિસાબથી આવે છે .

( શ્રી દાદા ભગવાન ).

3 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.