Archive for May 4th, 2010

વિભાજન.

ભગવાને મનુશ્યને આ ધરતી પર મોક્લ્યો ત્યારથી બસ દરેક વસ્તુનુ વિભાજન કરતો આવ્યો છે.આ મારા રમકડા આ તારા રમકડા, આ મારા કપડા આ તારા ક્પડા, આ તારો રુમ આ મારો રુમ.આ મારુ ઘર આ તારુ ઘર, આ મારી  મિલકત આ તારી મિલકત. તેને માટે  મોટા ઝગડા, અને કોર્ટ  કચેરી સુધી પણ જ્વાનુ, આમ   દરેક વસ્તુમા વિભાજન,દરેક્મા વહેચણી.અગર તારુ-મારુ જ્ગ્યાયે અમારુ શબ્દ આવી જાયતો બધા પશ્રોનો ઉકેલ આવી જાય.

           ભગવાને માણસ બનાવીને મોક્લ્યો તો પછી, હુ હિન્દુ, તુ મુસ્લિમ. હુ બ્રામંણ તુ વાણીયા.હુ ગુજરાતી, તુ મરાઠી. એટ્લીથી બસ નથી  જુદા ધર્મ બનાવ્યા, જુદા જુદા સંપ્રદાય બનાવ્યા.ભગવાનને પણ વહેચી નાખ્યા. અરે કેટલુ બધુ કન્ફ્યુજન ! એક પર્ર્માત્મા છે, એક       ભગવાન અને ધર્મ માટે ઝગડાઅને મારા-મારી. મનુષ્યએ હદ વટાવી દીધી  છે. ભગવાન પણ વ્યન્ગમા હસતા હશે.

                  પરંન્તુ  આ માણસને જ્યારે પ્રેમ વહેચવાનો હોય ત્યારે તેનુ મન અને દિલબંન્ને એકદમ સંકુચિત થઈ જાય છે. સમાજમા, પરિવારમા સાચો પ્રેમ કરી નહી શકે.પ્રેમ વહેચી નહી શકે. જ્યા સ્વાર્થ હશે ત્યા ખોટો પ્રેમ બતાવશે. અરે ભગવાનને પણખોટો પ્રેમ બતાવીને ઉલ્લુ બનાવવા તૈયાર થઈ જ્શે. પ્રેમની વહેચણી કરતા નહીઆવડે.  બધી વસ્તુમા  વહેચણી કરશે પરંન્તુ પ્રેમની વહેચણી નહી કરે. પ્રેમ વહેચેતો આ દુનિયા, આ સંસાર કેટ્લો સુખી થઈ જાય. કજિયા, કંકાસ, ઝગડા ઓછા થઈજાય. દિલમા પ્રેમ ન હોય અટ્લે, તેની જ્ગ્યા ઈર્શા અને સ્વાર્થ લઈ લે.

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.