આત્મ ચિન્તન-૧.
{ બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ
” હુ આત્મા છુ ”
માંથી લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા }
(વીતરાગતા)
હુ આત્મા છુ…… હુ આત્મા છુ.
વીતરાગતા મારૂ સ્વરૂપ……. .
હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .
રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….
નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.
રાગ અને દ્વેષ વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.
મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .
અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……
રાગાદીને મારા માની રહ્યો છુ .
તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .
આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,
રુચી બદલવાની જરૂર છે ……
અનંતકાળથી સંસારની રૂચીને કારણે
સંસારે ભટક્યો છુ………….
હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .
જન્મ કે મરણ નથી જોઈતા ………
માટે મારી રૂચીને બદલી દઉ.
સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .
હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
5 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 15 Mar 2011 at 4:05 pm #
માટે મારી રૂચીને બદલી દઉ.
સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .
હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .
The Post ends in these words.
Within these words is the “deep” message.
To reach Him dissolved your “Ego” and be “one” with Him..so that Maya of the Sansar can not touch & you remain “focussed” in your Goal !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hema Hope to see you to read the New & Old Posts !
himanshu patel on 21 Mar 2011 at 11:38 pm #
ઉપનિષદ જેવી વાણી છેઃ અહં બ્રહ્માસ્મિ…
Shaila munshaw on 23 Mar 2011 at 2:20 pm #
“રાગાદીને મારા માની રહ્યો છુ .
તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .
આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,
રુચી બદલવાની જરૂર છે ……”
સરળ વાત પણ કરવી અતિ મુશ્કેલ.
Ramesh Patel on 27 Mar 2011 at 6:32 pm #
માટે મારી રૂચીને બદલી દઉ.
સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .
હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
આધ્યાત્મિક ગાન..સંસારી કથાથી ઉપર.
રમેશ પટેલ(આકાશદીપ)
સુરેશ જાની on 11 May 2011 at 3:22 pm #
બહુ જ સરસ વિચારો છે. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનને મળતા આવે છે.
એમના વિશે વધારે માહિતી મેળવી આપશો; તો આભારી થઈશ.
જો કે, પુનર્જન્મમાં મને શ્રદ્ધા નથી- એ લોલોપોપની જરૂર નથી લાગતી.
એક જ આકાંક્ષા છે – વર્તમાનમાં જીવતા . જીવંત રહેવાની.