Archive for March 9th, 2011

આત્મ ચિન્તન-૧.

     {  બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ

                     ” હુ આત્મા છુ ”

     માંથી  લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા  }

                       (વીતરાગતા)

હુ આત્મા છુ…… હુ આત્મા છુ.

વીતરાગતા મારૂ સ્વરૂપ……. .

હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .

રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….

નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.

રાગ  અને  દ્વેષ  વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.

મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .

અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……

રાગાદીને   મારા    માની   રહ્યો છુ .

તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .

આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,

રુચી બદલવાની જરૂર છે ……

અનંતકાળથી સંસારની રૂચીને કારણે

સંસારે ભટક્યો છુ………….

હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .

જન્મ કે મરણ નથી જોઈતા ………

માટે મારી  રૂચીને  બદલી દઉ.

સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .

હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

5 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.