આત્મ ચિન્તન-૧.
{ બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ
” હુ આત્મા છુ ”
માંથી લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા }
(વીતરાગતા)
હુ આત્મા છુ…… હુ આત્મા છુ.
વીતરાગતા મારૂ સ્વરૂપ……. .
હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .
રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….
નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.
રાગ અને દ્વેષ વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.
મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .
અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……
રાગાદીને મારા માની રહ્યો છુ .
તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .
આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,
રુચી બદલવાની જરૂર છે ……
અનંતકાળથી સંસારની રૂચીને કારણે
સંસારે ભટક્યો છુ………….
હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .
જન્મ કે મરણ નથી જોઈતા ………
માટે મારી રૂચીને બદલી દઉ.
સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .
હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ