Archive for March 23rd, 2011

આત્મ ચિન્તન-૨

     ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )

                 (  સંસાર દશા )

 હુ આત્મા છુ …  હુ આત્મા છુ …

સંસાર દશા એ મારી દશા નથી .

અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે…

સંસાર  દશા  ઉભી  થઈ  છે .

એ દશા હવે વધુ વખત નહી જોઈએ .

બહુ ભટક્યો … બહુ રખડ્યો …

આ સંસાર દશામાં ક્યાંય પણ જીવને…

શાંતિ ન મળી … સુખ ન મળ્યુ …

તૃપ્તિ કે આનંદ ના મળ્યા …

એવી ભટકાવનાર …  રખડાવનાર ,

સંસાર દશા હવે નથી જોઈતી   .

અજ્ઞાનને છેદી , સ્વ પરના જ્ઞાનને …

પ્રાપ્ત કરૂ , મારો સંસાર પતી જાય …  .

આ સંસારે મને પીડા આપી …

વેદના આપી , દુઃખ આપ્યુ  …

હવે  એ  દશાને  પામુ …

જે  દશામાં , માત્ર આનંદ…આનંદ…

માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

એનુ એજ અખંડ…અભય…અવિકારી …

અવિનાશી એવા સ્વરૂપને માણુ …

એવા  સ્વરૂપને જાણુ  .

ઉચ્ચ કુળ મળ્યુ …જૈન ધર્મ મળ્યો…

વીતરાગની વાણી મળી…

સંતોનો સંગ મળ્યો…હવે સંગથી અસંગ થઈ…

આત્મામાં તન્મય થાઉ …બસ થાઓ …

સંસાર બસ થાઓ …

જન્મ મરણ એ સર્વથી પર થઈ …

માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

3 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.