શાક્ષાતકાર.
એકજ ચિનગારી
ભડકે દાવાનળ
એક બુન્દ
મોતિ બને
એક ક્ષણમાં
થાય આત્મશાક્ષાતકાર .
હરિ રુઠે —
જો જગ રુઠે
કરે સહાય પ્રભુ
જો પ્રભુ રુઠે
કોણ કરે સહાય ?
એકજ ચિનગારી
ભડકે દાવાનળ
એક બુન્દ
મોતિ બને
એક ક્ષણમાં
થાય આત્મશાક્ષાતકાર .
હરિ રુઠે —
જો જગ રુઠે
કરે સહાય પ્રભુ
જો પ્રભુ રુઠે
કોણ કરે સહાય ?
જીવનની પાનખર , આતો વળતા પાણી .
સચેત અને સાવધાન રહેવાનો સમય .
જીભના ચટકા પકડે જોર , ન રહેવુ પરેજીમાં.
જે ચીજ ખાવાની મનાઈ, તે ચીજ લાગે પ્યારી.
ગીતા , રામાયણ , ભાગવત વાંચવાની જરુર ,
ટી.વી.શો અને સિનેમા,ફોન પર ગોસીપ લાગે પ્યારા .
શોધવા આધ્યાત્મિક માર્ગ , તો ગુગલમાં મારવા ફાંફા .
એકાન્તમાં રહીને કરવા ભક્તિ ભજન , પ્રભુ સ્મરણ .
બોલે આ જીવનથી તો કંટાળ્યા, કોણે મોક્લ્યુ ઘડપણ ?
માથે ચાંદી , કર્યા કલપ. શરીરે કરચલી , ચોપડ્યા મેકપ.
મનમાં વિચારે હજુ તો હુ છુ જવાન, ન ભુલાય જવાની.
નિહાળે આયનો ભાંગે ભ્રમ , છતાં સ્વિકારવા નહી તૈયાર.
શોધ્યા ન સુજે કોઈ ઉપાય , જીવે મજબુરીમાં બની લાચાર.
રામ અને ક્રિષ્ણમાં ન કોઈ ફરક,
નામ અલગ , કામ એક, અનોખા .
એક કૌશલ્યા નંદન ,
એક દેવકી નંદન .
એક શાંત ધીર દશરથ નંદન ,
એક નટખટ નંદ કિશોર .
એક મર્યાદા પુરુષોત્તમ ,
એક જગદગુરુ શ્રી ક્રિષ્ણ .
એક આપે નવધા ભક્તિ જ્ઞાન ,
એક આપે ગીતા જ્ઞાન .
એક સીતા સંગ શોભે ,
એક રાધિકા સંગ શોભે .
એક સીતા- રામ ,
એક રાધે – શ્યામ .
એક ખાય બોર શબરીના ,
એક ખાય વિદુર ઘર ભાજી .
એક પાપી રાવણ સંહારે ,
એક પાપી કંસ સંહારે .
એક સંગ ધનુષ બાણ ,
એક સંગ સુદર્શન ચક્ર .
એક હોઠ મધુર મુસ્કાન ,
એક હોઠ મધુર બંસી .
એક સંગ વાનર ટોળી ,
એક સંગ ગાયો – ગોપટોળી .
એક શીર જટા ,
એક શીર મોર મુકુટ .
એક આપે શીખ , જીવનમાં શુ ન કરવુ ,
એક આપે શીખ , જીવનમાં શુ કરવુ .
શ્રીરામ નયન, દયા- કરુણા ,
શ્રી ક્રિષ્ણ નયન, દયા- કરુણા .
પતિત પાવન, રામ- ક્રિષ્ણ નામ.
હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે ,
હરે ક્રિષ્ણ , હરે ક્રિષ્ણ , ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે .
તારલીયા ટમટમે આકાશ , અંધારી રાતલડી સોલે સજ્યા શણગાર.
તમરા, ગાયે એકી સાથે ગીત , કર્ણપ્રિય હજારો ઘંટડીઓના નાદ .
કરે નૃત્ય વૃક્ષોના પાંદડા , લહેરાએ, બાલ સમા છોડ નાચી ઉઠ્યા .
મધુર ચાંદની , શીતળ વાયરા , રાતરાણી મહેકી ઉઠી મઘ-મઘ .
પંખીડા પોઢ્યા , નીન્દરમાં ફેરવે પાસુ , પાંખોનો ફડફડાટ .
ખળ- ખળ વહેતા ઝરણા , ગાયે લોરી પોઢારે ધરતીમાને પ્રેમથી .
સંગીતના આ સુર , સૃષ્ટી બની લીન , સાંભળતાં પોઢી નીદરમાં.
મધુર સંગીત , અજબ શાંતિ , સુન્દર ભવ્ય આ અજોડ રાતલડી .
શંખનાદ , મંદિરની ઝાલર , ઢોલ – નગારા , ઘંટનાદ , ધુપ દીપ .
ધીરે ઉઘડે મંદિર દ્વાર , રાધા – ક્રિષ્ણ ખોલે નયન , અમી નજર .
અમી નજર પડે , સૃષ્ટિમાં પુર્યા પ્રાણ , દયાળુ ભગવંત , કૃપાળુ .
જાગ્યા સૌ બાળ નર ને નારી છોડીને મોહ નીદ્રા , પામે પ્રભુ કૃપા .
નીરખ્યા શ્રી રાધા – ક્રિષ્ણ .
એક સુરજ , એક ચાંદ , એક આકાશ , એક વાયુ, એક અગ્નિ.
એક મનુષ્ય જાત , જાતિ અનેક- હિન્દુ, મુસ્લિમ,શીખ,ઈસાઈ.
એક ધરતી , અનેક દેશ-વિદેશ , ભિન્ન-ભિન્ન નિરાલા .
એક પત્થર ઘાટ ઘડ્યા અનેક, અનેક સ્વરુપ પ્યારી મુરત.
એક ભગવાન, સ્થાન આપ્યા અનેક, ચારો તીરથ ધામ.
એક ઈશ્વર પ્રભુ શ્રી હરિ , વિધ-વિધ આપ્યા નામ હજાર.
એક તત્વજ્ઞાન , અનેક શાસ્ત્રો, વેદ, પુરાણ, ગીતા, રામાયણ.
એક ધર્મ નિભાવવો , નિર્માણ કર્યા અનેક ધર્મ સંપ્રદાયો,
એક જગદ ગુરુ શ્રી કૃષ્ણ , બન્યા અનેક ધર્મ ગુરુ.
એક માર્ગ પરમતત્વ પામવા , શોધ્યા માર્ગ અનેક
એક ધ્યેય , એક આત્મા , એક પરમતત્વ , અનેક મનમાં વિચાર .
સુખદ સ્મરણ કરાવે હમેશાં હર્ષ અને સુખદ આનંદ.
દુખદ સ્મરણ તો લઈને આવે દિલમાં દર્દ અને દુખ .
સુખ અને દુખ બંને તો ગુમાવે મનની શાંન્તિ, બેચેની.
મન તો શોધે નિત્ય શાંન્તિ હર પળ હર જગા, વ્યાકુળ.
શાંન્તિની શોધમાં ભટકે ચારો દિશા રોજ રોજ , બેખબર.
મંદિર – મંદિર, પુજા અર્ચના , નિત્ય પાઠ , કથા શ્રવણ .
શ્રી કૃષ્ણ, પવિત્ર મુખ વાણી, આપે ગીતા ઉપદેશ.દયાળુ ભગવંત.
આપે બ્રહ્મ જ્ઞાન , કરે આજ્ઞા , કર નિરંતર સ્મરણ ચિન્તન મારુ.
શ્રી કૃષ્ણ સ્મરણ સુખદાઈ , પરમ શાન્તિ – શાન્તિ – શાન્તિ .
મેઘ ગર્જના , ખાલી બેડલા, ઝરમર વર્ષા , મીઠા નીર ભરશે ક્યારે ?
મંદ-મંદ વહેતા વાયરા , મહેક ધુપસળી ને પુષ્પોની ફેલાવશે ક્યારે ?
સાગર મોજાં, ઠાલવે જળ કિનારે , સમાવે પાછા નીજ મહી ,
મઝધાર કસ્તી કેમ કરી લાવશે કિનારે, લાંગરવી તો કિનારે.
વહેતી ધારા સરિતાની , પળ ભર વિશ્રામ કરશે ક્યારે ?
શીતળ ચાંદની , પુછે ચાંદ , ઠંડક દિલને કરશે ક્યારે ?
જ્ઞાનરુપી પ્રકાશ ફેલાવે સુરજ , થાશે અજ્ઞાનતા દુર ક્યારે ?
ઈશ્વરને પામવા રાહ બતાવ્યા અનેક , એક માર્ગ મળશે ક્યારે ?
રાહ છે લાંબો , મંઝિલ દુર , ન ભોમિયો કોઈ, પહોચશુ ક્યારે ?
વેડફ્યા અનેક જ્ન્મ, માનવ બનીને આવ્યા , બનીશુ માનવી ક્યારે ?
જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરો , રાક્ષસીવૃતિ વાળા જીવોનો ત્રાસ વધી જાય છે, પ્રજા ત્રાહીમામ
ત્રાહીમામ પોકારે છે . સાથો સાથ બ્રહ્મા , વિષ્ણુ , મહેશ જેવા દેવો પણ ફક્ત મુક સાક્ષી બની રહ્યા
વગર કશુજ કરી શકતા નથી. કારણ ? અસુરોએ યેન કેન પ્રકારેણ દેવોને વચન બધ્ધ કરી લીધેલ
હોઈ , દેવો પણ લાચાર બની રહે છે . તેથી દાનવો , દેવોએ વરદાન દ્વારા આપેલ શક્તિનો દુરઉપયોગ
પ્રજા પર ત્રાસ વર્તાવી કરે છે .
દેવો મહેશ હોય કે નારાયણ , આપણા ભારતીય પુરુષ પ્રધાન સમાજના પુરુષો જેવા કે અકડુ
કે સ્ત્રીને પોતાનાથી ઉતરતી સમજનારા નથી . તેઓ પત્નિને અર્ધાગના , કે દેવી ગણે છે . વ્યવહાર
કે ઓળખાણમાં પણ પત્નિ નેજ પ્રથમ સ્થાન આપે છે. દા.ત. ઉમા–મહેશ કે લક્ષ્મી–નારાયણ . આ દેવો
અસુરોનો ત્રાસ જોઈ વ્યાકુળ બને છે અને દેવીઓ કહેતા ” શક્તિ” ને વિનંતી કરે છે કે અમો , અસુરોને
આપેલ વચનો દ્વારા બંધાએલ હોઈ , કશુજ કરી શકીયે તેમ નથી , માટે આપ જ પૃથ્વીને બચાવો .
” યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા, નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમો નમઃ”
( સંદર્ભ ચંડીપાઠ , અધ્યાય પાંચ શ્લોક — ૧૮ )
ત્યારે દેવી– “શક્તિ”, આરાસુરી કહેતાં અસુરો ને સંહારવા વાળા મહાકાળી કહેતાં દુષ્ટોનો કાળ બને છે .
જગતને દાનવોથી બચાવી માતા–” શક્તિ’ તરીકેનુ કર્તવ્ય બજાવે છે .
હવે આધુનીક દૈત્યો પૌરાણિક કથામાં આવે છે તેવા મોટા દાંત વાળા અને ભયંકર-અસ્ત્ર શસ્ત્ર વડે સજ્જ
દાનવો કરતાં , વધુ બુધ્ધિશાળી , સાવચેત , ચાલાક અને લુચ્ચા છે . તેઓ અભણ-ગરીબ-લાલચુ પ્રજા
અને દેશમાં છુપાયેલા અમીચંદો દ્વારા , યેન કેન પ્રકારેણ , કહેવાતી ચુટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરી ,
બંધારણ – તત્કાલીન કાયદાઓ – અદાલતો અને લોભી સત્તાલોલુપ રાજકારણીયોનો પુરેપુરો ગેરલાભ
ઉઠાવે છે . પ્રજાને નિર્માલ્ય બનાવી , પ્રાપ્ત સત્તા દ્વારા , કાયદા વડે હેરાન પરેશાન કરી પોતાનુ ઘર
ભરે છે .
આજે લોક્શાહીને નામે ચાલતી લોક્શાહી કે ટોળાશાહી , પુરા સત્તાવન વર્ષે પણ રાશ્ટ્રભાષા ” હિન્દિ” કે
રાષ્ટ્રપિતાને પ્રાણ પ્યારી ” દારુબંધી” કે લોકશિક્ષણ ( અક્ષર જ્ઞાન ) માટે ક્શુજ નક્કર કે નોધનીય કરી
શકી નથી . પણ લોક સંખ્યા ને ગણતરીમાં લઈને કહે્વાતી જગતની મોટામાં મોટી લોક્શાહી જ્યારે
જરુર પડે ત્યારે ગરીબ જનતાના , પરસેવાના પૈસા વડે ચુટ્ણીઓ યોજી , ગરીબને વધુ ગરીબ બનાવે
છે . તેમ છતાં પરિણામ શુન્ય .અને હતા ત્યાંના ત્યાંજ. ૧૯૪૭ માં આઝાદ થયેલ ભારત દેશના નાગરિકને
આજે બે ટંક ખાવા , તન ઢાંકવા કપડાં કે ટાઢ-તડકો-વરસાદ કે એવી વિપત્તિઓથી બચવા માથુ ટેકાવવા,
ઝુપડુ કે રોજગારી આપી શકતી ન હોય , અરે તાજા જ્ન્મેલા બાળક માટે દુધ નસીબમાં નથી . અને આદી
વાસી પ્રદેશમા જે પાણીમાં જાનવર ન્હાય , પાણી પીવે ત્યાંજ માણસો પણ પીવાનુ પાણી મેળવી શકે.
ત્યાં લોક્શાહી ઝીદાબાદ અને જાન્યુ.૨૬ અને ઓગસ્ટ ૧૫ ની શોબાજીના કશોજ અર્થ નથી .વ્યર્થ છે .
આવુ તો લખી શકાય તેવુ ઘણુ છે . પણ વાતોના વડા કર્યા વગર આપણે આનો ઉપાય વિચારીએ .
સમગ્ર રીતે અને બધાજ પાસાઓને આવરી લઈને , મંથન કરીએ તો તેનો ઉપાય છે . એ છે
” સ્ત્રી સંગઠન અને શક્તિ દ્વારા ” જનતાને જાગૃત કરવી . બાકી ચુટ્ણીઓ દ્વારા લોક્શાહીનુ જતન
થાય એ વાતમાં તથ્ય લાગતુ નથી . કારણ ભારતનુ વહાણ તળીયે તુટેલુ છે . ભરાયેલ પાણી ઉલેચવામાંજ
પાંચ વર્ષ વીતી જાય છે . ચુટણી જીતવા , સત્તા પ્રાપ્ત કરવા જે ઉઘરાણુ , ફંડ ફાળા વગેરે કર્યુ હોય તે પાછુ
વાળવા પાંચ વર્ષ ઓછા પડે . ત્યાં બીજી ચુટ્ણી આવીને ઉભી રહે . ટુકમાં જ્યાં સુધી લોક શિક્ષણ કે સમજ
નો વ્યાપ પુરે પુરો વધે નહી અને ” મત” આપવાની સાચી રીત , સામાન્ય માણસને હસ્તગત થાય નહી
ત્યાં સુધી આ તળીયે તુટેલુ વહાણમાં ભરાતા પાણીનો ઉકેલ આવે નહી .
ઈતિહાસ સાક્ષી છે , મોગલ બાદશાહ ઓરંગઝેબ જેવા શક્તિશાળી , ધર્માંધ , મઝહબી , મતલબી સામે
ઈશ્વરે શિવાજીની નિમણુક કરી . હુ માનુ છુ કે શિવાજી તો મોટામસ વટ્વૃક્ષની ડાળી જ હતા . તેનુ થડતો
માતા જીજીબાઈ કહેવાતા . માતા ” સ્ત્રી શક્તિ ” ને જ કહેવાય . આવા વટવૃક્ષને સતત પાણીનો પુરવઠો
પુરો પાડીને , ટકાવી ટટાર રાખનાર ઉડા મુળીયાં એટલે હિન્દુ ધર્મના ” ધર્માધિકારીઓ ” રામદાસ ને જ
બિરદાવી શકાય . આ રીતે સ્ત્રી ઘર ઘરમાં જ્યોત પ્રક્ટાવે છે .તો ધર્મગુરુઓ , લોભ લાલચ સ્વાર્થ વગર
જાનના ભોગે , પ્રલાભનોના ભોગે , જ્ઞાન અને દેશભક્તિ રુપી સુર્ય દ્વારા દેશને અજવાળી છે . મારુ અંગત
માનવુ છે કે ઘસાઈ ઉજ્ળા થવાની કળા સ્ત્રીઓ અને ગુરુઓ પાસેથી આપણે શીખીએ .
આશા અસ્થાને નથી કમસેકમ નવી પેઢી , જે સ્ત્રીઓ માતા , શક્તિ દ્વારા ઘડાશે ત્યારે તેઓ દ્વારા ભારતનો
સુર્ય સોળે કળાયે શોભી ઉઠશે . ત્યારે મા ભારતી , સદગત નેતાઓ અને પ્રજાજનોએ આઝાદી મેળવવા જાન
કુર્બાન કરી છે , તેઓ સ્વર્ગમાંથી ભારતીય સ્ત્રીશક્તિ ને આશિષ વર્ષા સાથે ખુબ ખુબ ખુશી વ્યક્ત કરશે .
જગત એ ન ભુલે કે આજની ભારતીય નારી ” ભારેલા અગ્નિ ” જેવી છે . એક્જ હવાનુ ઝોકુ પ્રજ્વલિત
કરવા માટે બસ છે . અને આ અગ્નિ દુશ્મનો ને દઝાડીને જ ઝંપશે . કહેવાતા રાજકારણીઓ ચેતે .
જ્યારે ભારતના રાજકારણીઓ , સમાજ સુધારકો કે સેવકો , ન્યાયાલયો , કાયદાઓ કે કોન્સ્ટીટ્યુશન ,
છેલ્લે ધર્માધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડ્યા છે ત્યારે મને પુર્ણ શ્રધ્ધા છે કે સ્ત્રી શક્તિ કહે્તાં ભારતની
પાર્વતીઓ પોતાના શિવ અને ગણપતિ, કાર્તિકેય ને સાથે રાખી દેશનો ઉધ્ધાર કરશે . કહેવાતી લોક્શાહી
ને નામે બહુ ચુટ્ણીઓ કરી બંધ કરો આ બધા આ નાટક .આયુર્વેદની પડીકીઓ બહુ આપી , હવે સડો બહુ
વધી ગયો છે ” ભારત માતા ” ની જાન ખતરામાં હોય ત્યારે તો ઓપરેશન જ કરાય .
જાગો ઉઠો અને અહિન્સા દ્વારા જ અસહકાર , ધરણા , ઉપવાસ , સરઘસો , જનજાગરણ અભિયાન , વિરોધ
સભાઓ દ્વારા રાજ્યના કે દેશના રાજકારણીઓની ક્ષતિઓનુ પ્રદર્શન કરી , પ્રજામત કેળવો . અક્ષરજ્ઞાન
ઝુબેશ લોક્શાહી સફળ કેમ બનાવી શકાય તેના સચોટ પણ દ્વેશ મુક્ત ભાષણો અને ઠેર ઠેર જનજાગ્રુતિ
વર્ગો ચલાવો . સામાન્ય માન્યતા પ્રમાણે લોક્શાહીમાં પ્રજા એજ માલિક હોય છે . જ્યારે જ્યારે ચલાવતા
રાજ્કારણીઓ , નોકરીઆતો વગેરે પ્રજાના વાણોતર કે સારા શબ્દોમાં મેનેજર કહી શકાય . ભારતમાં
રાજ્કારણીઓએ તો જુના દેશી રાજાઓને ઘણા સારા કહેવડાવ્યા છે . પુરુષ પ્રધાન સમાજ્ના ઠેકેદાર
એવા એક ભાઈની દલીલ છે કે જે મર્દ મુછાળા ન કરી શક્યા તે કામ ” અજવાળી તો પણ રાત ” સ્ત્રીઓ
કરી શકે તે તમારી ભુલ છે , ચર્તુભુજભાઈ ! તેઓ શ્રીને સમજાવતા , મે કહ્યુ કે પૃથ્વી પર જમીન માંડ
ત્રીજા ભાગની હશે , બાકી પાણી જ પાણી . પણ આપણી નજર ને જમીનને જોવા ટેવાયલી હોય , પાણીની
વિપુલતાને નજર અંદાજ કરેયે છીયે . તેમ મુછાળા મર્દોમાં ૭૫ % સ્ત્રીત્વ હોય છે . તેનુ નવ માસ દરમ્યાન
બંધારણ જ સ્ત્રી માતાના હાડમાંસ મજ્જા , લોહીભશરીર અને સત્વ વડે ઘડાયેલુ હોય છે . હવે જો પુરુષો ,
સ્ત્રીઓ સાથે દેશોધ્ધાર કે ક્લ્યાણ માટે હાથ નહી મિલાવે , સહકાર નહી આપે તો પરિણામ ઘણુજ ખરાબ
હશે . અત્યારે બેફામ વસ્તીવધારો , ગરીબી , ભ્રષ્ટાચાર , ફેશનને નામે થતા ફતવા , વ્યસનોની હરમાળ,
દારુ , પરદેશની આંધળી નકલ , ઉપરાંત ટી.વી. , ફિલ્મ , ફેશનપરેડ , મ્યુઝીક્લ આલ્બમો , બિભસ્ત જાહેર
ખબરો વગેરે ઉપરોક્ત બધી બદીઓએ દેશના હાડપિન્જર જેવા દેહને ” સર્વનાશ ” ના કેન્સરથી ગ્રસ્ત કર્યો
છે . તેમ છ્તાં પ્રથમ સ્ટેજમાં હોઈ સમયસર સારવાર થાય તો કદાચ એજ દેહ તાજો નરવો , તંદુરસ્ત બને
અને દેશનુ કલ્યાણ થાય .
ભારતની બધીજ બેહેનો , દિકરીઓ , માતાઓને એક્જ વિનંતી કે હવે સમય પાકે ગયો છે . તમેજ શક્તિ
બનો . બ્યુટીપાર્લર , ટી.વી. ફિલ્મનુ વળગણ , ફેશન અને નકલખોરીને ત્યાગી , આવતી પેઢીનુ સુયોગ્ય
ઘડતર કરો , સાથો સાથ ભારત દેશના તળીયે તુટેલ વહાણનુ સુકાન સંભાળો . ઈશ્વરત્ત , અમૃતકુમ્ભ જેવા
પયોધરમાંથી દુધરુપી સત્વ બાળકને પાન કરાવી , બીજા શિવાજીનુ ઘડતર કરો . ફેશન ફતુર છોડી ,
રણચંડી કે જીજીબાઈ બની રહો .
” યહ સુબહ કભીતો આયેગી ….. ધરતી નગમે ગાયેગી ” …..
એચ. ચર્તુભુજ.
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.