Archive for the 'કવિતા' Category

શાક્ષાતકાર.

            એકજ   ચિનગારી

              ભડકે દાવાનળ

                  એક બુન્દ

                 મોતિ  બને

                એક ક્ષણમાં

          થાય  આત્મશાક્ષાતકાર .

  હરિ રુઠે —

                   જો જગ રુઠે

               કરે સહાય પ્રભુ

                  જો પ્રભુ રુઠે

             કોણ કરે સહાય ?

No Comments »

સંગ્રામ.

                           જીવન એક સંગ્રામ

                              લઢવુ ઝઝુમવુ

                            હર ક્ષણ હર પળ

                                   સંગ્રામ

                                હાર યા જીત

                           જીન્દગી આનુ નામ.

1 Comment »

પાનખર.

જીવનની પાનખર , આતો વળતા પાણી .

સચેત અને સાવધાન   રહેવાનો   સમય .

જીભના ચટકા પકડે જોર , ન રહેવુ પરેજીમાં.

જે ચીજ ખાવાની મનાઈ,  તે ચીજ લાગે પ્યારી.

ગીતા ,  રામાયણ , ભાગવત વાંચવાની જરુર ,

ટી.વી.શો અને સિનેમા,ફોન પર ગોસીપ  લાગે પ્યારા .

શોધવા આધ્યાત્મિક માર્ગ , તો ગુગલમાં મારવા ફાંફા .

એકાન્તમાં રહીને કરવા ભક્તિ ભજન , પ્રભુ સ્મરણ .

બોલે આ જીવનથી તો કંટાળ્યા, કોણે મોક્લ્યુ ઘડપણ ?

માથે ચાંદી , કર્યા કલપ. શરીરે કરચલી , ચોપડ્યા મેકપ.

મનમાં વિચારે હજુ તો હુ  છુ જવાન,  ન ભુલાય જવાની.

નિહાળે આયનો ભાંગે ભ્રમ , છતાં સ્વિકારવા નહી તૈયાર.

 શોધ્યા ન સુજે  કોઈ ઉપાય , જીવે મજબુરીમાં બની લાચાર.

2 Comments »

ચેતન .

            

              જડ ચેતનમાં સમાય તુ

                 ક્યાંથી રહે કોઈ  જડ ?

                 જેમાં નિવાસ ઈશ્વરનો

              સારુ  જગત  ચેતનામય .

1 Comment »

હરે રામ , હરે ક્રિષ્ણ .

રામ અને ક્રિષ્ણમાં ન કોઈ ફરક,

                નામ અલગ , કામ એક, અનોખા .

એક  કૌશલ્યા નંદન ,

                એક   દેવકી નંદન .

એક   શાંત ધીર દશરથ નંદન ,

              એક  નટખટ   નંદ કિશોર .

એક   મર્યાદા પુરુષોત્તમ ,

             એક  જગદગુરુ શ્રી ક્રિષ્ણ .

એક આપે  નવધા ભક્તિ જ્ઞાન ,

                એક આપે  ગીતા જ્ઞાન .

એક  સીતા સંગ શોભે ,

            એક  રાધિકા સંગ શોભે .

એક   સીતા- રામ ,

           એક   રાધે – શ્યામ .

એક  ખાય  બોર  શબરીના  ,

            એક ખાય    વિદુર ઘર ભાજી .

એક  પાપી રાવણ સંહારે ,

            એક  પાપી કંસ સંહારે .

એક સંગ  ધનુષ બાણ ,

            એક સંગ  સુદર્શન ચક્ર .

એક  હોઠ મધુર મુસ્કાન ,

           એક  હોઠ મધુર બંસી .

એક સંગ  વાનર ટોળી ,

          એક   સંગ   ગાયો – ગોપટોળી .

એક   શીર જટા ,

            એક  શીર મોર મુકુટ .

એક આપે શીખ , જીવનમાં  શુ ન કરવુ ,

             એક આપે શીખ , જીવનમાં   શુ કરવુ .

શ્રીરામ નયન,  દયા- કરુણા ,

             શ્રી ક્રિષ્ણ નયન,   દયા- કરુણા .

પતિત પાવન, રામ- ક્રિષ્ણ નામ.

હરે રામ,     હરે રામ,     રામ રામ     હરે હરે ,

હરે ક્રિષ્ણ ,    હરે ક્રિષ્ણ ,    ક્રિષ્ણ ક્રિષ્ણ    હરે હરે .

1 Comment »

અમી નજર .

તારલીયા ટમટમે આકાશ , અંધારી રાતલડી સોલે સજ્યા શણગાર.

તમરા, ગાયે એકી સાથે  ગીત , કર્ણપ્રિય  હજારો ઘંટડીઓના નાદ .

કરે નૃત્ય વૃક્ષોના પાંદડા , લહેરાએ, બાલ સમા છોડ નાચી ઉઠ્યા .

મધુર ચાંદની , શીતળ વાયરા , રાતરાણી મહેકી ઉઠી મઘ-મઘ .

પંખીડા પોઢ્યા , નીન્દરમાં  ફેરવે પાસુ , પાંખોનો  ફડફડાટ .

ખળ- ખળ વહેતા ઝરણા , ગાયે લોરી પોઢારે ધરતીમાને પ્રેમથી .

સંગીતના આ સુર , સૃષ્ટી બની લીન , સાંભળતાં પોઢી નીદરમાં.

મધુર સંગીત , અજબ શાંતિ , સુન્દર ભવ્ય આ અજોડ રાતલડી .

શંખનાદ , મંદિરની ઝાલર , ઢોલ – નગારા , ઘંટનાદ , ધુપ દીપ .

ધીરે ઉઘડે મંદિર દ્વાર , રાધા – ક્રિષ્ણ  ખોલે નયન , અમી નજર .

અમી નજર પડે , સૃષ્ટિમાં પુર્યા પ્રાણ , દયાળુ ભગવંત , કૃપાળુ .

જાગ્યા સૌ  બાળ  નર ને નારી  છોડીને મોહ નીદ્રા , પામે પ્રભુ કૃપા .

નીરખ્યા શ્રી રાધા – ક્રિષ્ણ .

No Comments »

એક સત્ય .

એક સુરજ , એક ચાંદ , એક આકાશ , એક વાયુ, એક અગ્નિ.

એક મનુષ્ય જાત , જાતિ અનેક- હિન્દુ, મુસ્લિમ,શીખ,ઈસાઈ.

એક ધરતી , અનેક દેશ-વિદેશ ,  ભિન્ન-ભિન્ન નિરાલા .

એક પત્થર ઘાટ ઘડ્યા અનેક, અનેક સ્વરુપ પ્યારી મુરત.

એક ભગવાન, સ્થાન આપ્યા અનેક,  ચારો તીરથ ધામ.

એક ઈશ્વર પ્રભુ શ્રી હરિ , વિધ-વિધ આપ્યા  નામ હજાર.

એક તત્વજ્ઞાન , અનેક શાસ્ત્રો, વેદ, પુરાણ, ગીતા, રામાયણ.

એક ધર્મ નિભાવવો ,  નિર્માણ કર્યા  અનેક ધર્મ સંપ્રદાયો,

એક જગદ ગુરુ શ્રી કૃષ્ણ ,  બન્યા અનેક ધર્મ ગુરુ.

એક માર્ગ પરમતત્વ પામવા , શોધ્યા માર્ગ અનેક

એક ધ્યેય , એક આત્મા , એક પરમતત્વ , અનેક મનમાં વિચાર .

2 Comments »

સ્મરણ .

 સુખદ  સ્મરણ કરાવે  હમેશાં  હર્ષ અને સુખદ આનંદ.

દુખદ સ્મરણ તો લઈને આવે  દિલમાં દર્દ અને દુખ .

સુખ અને દુખ બંને તો ગુમાવે મનની શાંન્તિ, બેચેની.

મન તો શોધે નિત્ય શાંન્તિ હર પળ  હર જગા, વ્યાકુળ.

શાંન્તિની શોધમાં ભટકે ચારો દિશા રોજ રોજ , બેખબર.

મંદિર – મંદિર, પુજા અર્ચના , નિત્ય પાઠ , કથા શ્રવણ .

શ્રી કૃષ્ણ, પવિત્ર મુખ વાણી, આપે ગીતા ઉપદેશ.દયાળુ ભગવંત.

આપે બ્રહ્મ જ્ઞાન , કરે આજ્ઞા , કર નિરંતર સ્મરણ ચિન્તન મારુ.

શ્રી કૃષ્ણ સ્મરણ સુખદાઈ , પરમ  શાન્તિ – શાન્તિ – શાન્તિ .

No Comments »

દ્વિધા .

મેઘ ગર્જના , ખાલી બેડલા, ઝરમર વર્ષા , મીઠા નીર ભરશે ક્યારે ?

મંદ-મંદ વહેતા વાયરા , મહેક ધુપસળી ને પુષ્પોની  ફેલાવશે ક્યારે ?

સાગર મોજાં, ઠાલવે જળ કિનારે , સમાવે પાછા  નીજ મહી ,

મઝધાર કસ્તી  કેમ કરી લાવશે કિનારે, લાંગરવી તો કિનારે.

વહેતી ધારા સરિતાની ,  પળ ભર વિશ્રામ કરશે ક્યારે    ?

શીતળ ચાંદની ,  પુછે ચાંદ , ઠંડક   દિલને  કરશે  ક્યારે ?

જ્ઞાનરુપી પ્રકાશ ફેલાવે સુરજ ,  થાશે અજ્ઞાનતા   દુર ક્યારે ?

ઈશ્વરને પામવા રાહ બતાવ્યા અનેક , એક માર્ગ મળશે ક્યારે ?

રાહ છે લાંબો , મંઝિલ દુર , ન  ભોમિયો કોઈ,  પહોચશુ  ક્યારે ?

વેડફ્યા અનેક જ્ન્મ, માનવ બનીને આવ્યા , બનીશુ માનવી  ક્યારે ?

No Comments »

સ્ત્રી શક્તિ .

  જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરો , રાક્ષસીવૃતિ વાળા જીવોનો ત્રાસ વધી જાય છે, પ્રજા ત્રાહીમામ

ત્રાહીમામ પોકારે છે . સાથો સાથ બ્રહ્મા , વિષ્ણુ , મહેશ જેવા દેવો પણ ફક્ત મુક સાક્ષી બની રહ્યા

વગર કશુજ કરી શકતા નથી. કારણ ? અસુરોએ યેન કેન પ્રકારેણ દેવોને વચન બધ્ધ કરી લીધેલ

હોઈ , દેવો પણ લાચાર બની રહે છે . તેથી દાનવો , દેવોએ વરદાન દ્વારા આપેલ શક્તિનો દુરઉપયોગ

પ્રજા પર ત્રાસ વર્તાવી કરે છે .

            દેવો મહેશ હોય કે નારાયણ , આપણા ભારતીય પુરુષ પ્રધાન સમાજના પુરુષો જેવા કે અકડુ

કે સ્ત્રીને પોતાનાથી ઉતરતી સમજનારા નથી . તેઓ પત્નિને અર્ધાગના , કે દેવી ગણે છે . વ્યવહાર

કે ઓળખાણમાં પણ પત્નિ નેજ પ્રથમ સ્થાન આપે છે. દા.ત. ઉમા–મહેશ કે લક્ષ્મી–નારાયણ . આ દેવો

અસુરોનો ત્રાસ જોઈ વ્યાકુળ બને છે અને દેવીઓ કહેતા ” શક્તિ” ને વિનંતી કરે છે કે અમો , અસુરોને

આપેલ વચનો દ્વારા બંધાએલ હોઈ , કશુજ કરી શકીયે તેમ નથી , માટે આપ જ પૃથ્વીને બચાવો .

     ” યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા, નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમો નમઃ”

                 (  સંદર્ભ ચંડીપાઠ , અધ્યાય પાંચ  શ્લોક — ૧૮ )

ત્યારે દેવી– “શક્તિ”, આરાસુરી કહેતાં અસુરો ને સંહારવા વાળા મહાકાળી કહેતાં દુષ્ટોનો કાળ બને છે .

જગતને દાનવોથી બચાવી માતા–” શક્તિ’ તરીકેનુ કર્તવ્ય બજાવે છે .

હવે આધુનીક દૈત્યો પૌરાણિક કથામાં આવે છે તેવા મોટા દાંત વાળા અને ભયંકર-અસ્ત્ર શસ્ત્ર વડે સજ્જ

દાનવો કરતાં , વધુ બુધ્ધિશાળી , સાવચેત , ચાલાક અને લુચ્ચા છે . તેઓ અભણ-ગરીબ-લાલચુ પ્રજા

અને દેશમાં છુપાયેલા અમીચંદો દ્વારા , યેન કેન પ્રકારેણ , કહેવાતી ચુટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરી ,

બંધારણ – તત્કાલીન કાયદાઓ – અદાલતો અને લોભી સત્તાલોલુપ રાજકારણીયોનો પુરેપુરો   ગેરલાભ

ઉઠાવે છે . પ્રજાને નિર્માલ્ય બનાવી , પ્રાપ્ત સત્તા દ્વારા  , કાયદા વડે હેરાન પરેશાન કરી પોતાનુ ઘર

ભરે છે .

આજે લોક્શાહીને નામે ચાલતી લોક્શાહી કે ટોળાશાહી , પુરા સત્તાવન વર્ષે પણ રાશ્ટ્રભાષા ” હિન્દિ” કે

રાષ્ટ્રપિતાને પ્રાણ પ્યારી ” દારુબંધી” કે લોકશિક્ષણ ( અક્ષર જ્ઞાન ) માટે ક્શુજ નક્કર કે નોધનીય કરી

શકી નથી . પણ લોક સંખ્યા ને ગણતરીમાં લઈને કહે્વાતી જગતની મોટામાં મોટી લોક્શાહી જ્યારે

જરુર પડે ત્યારે ગરીબ જનતાના , પરસેવાના પૈસા વડે ચુટ્ણીઓ યોજી , ગરીબને વધુ ગરીબ બનાવે

છે .  તેમ  છતાં પરિણામ શુન્ય .અને હતા ત્યાંના ત્યાંજ. ૧૯૪૭ માં આઝાદ થયેલ ભારત દેશના નાગરિકને

આજે બે ટંક ખાવા , તન ઢાંકવા કપડાં કે ટાઢ-તડકો-વરસાદ કે એવી વિપત્તિઓથી બચવા માથુ ટેકાવવા,

ઝુપડુ કે રોજગારી આપી શકતી ન હોય , અરે તાજા જ્ન્મેલા બાળક માટે દુધ નસીબમાં નથી . અને આદી

વાસી પ્રદેશમા જે પાણીમાં જાનવર ન્હાય , પાણી પીવે ત્યાંજ માણસો પણ પીવાનુ પાણી મેળવી શકે.

ત્યાં લોક્શાહી ઝીદાબાદ અને જાન્યુ.૨૬ અને ઓગસ્ટ ૧૫ ની શોબાજીના કશોજ અર્થ નથી .વ્યર્થ છે .

આવુ તો લખી શકાય તેવુ ઘણુ છે . પણ વાતોના વડા કર્યા વગર આપણે આનો ઉપાય વિચારીએ .

સમગ્ર રીતે અને બધાજ પાસાઓને આવરી લઈને , મંથન કરીએ તો તેનો ઉપાય છે . એ છે

”  સ્ત્રી સંગઠન અને શક્તિ દ્વારા ”  જનતાને જાગૃત કરવી . બાકી ચુટ્ણીઓ દ્વારા લોક્શાહીનુ જતન

થાય એ વાતમાં તથ્ય લાગતુ નથી . કારણ ભારતનુ વહાણ તળીયે તુટેલુ છે . ભરાયેલ પાણી ઉલેચવામાંજ

પાંચ વર્ષ વીતી જાય છે . ચુટણી જીતવા , સત્તા  પ્રાપ્ત કરવા જે ઉઘરાણુ , ફંડ ફાળા વગેરે કર્યુ હોય તે પાછુ

વાળવા પાંચ વર્ષ ઓછા પડે . ત્યાં બીજી ચુટ્ણી આવીને ઉભી રહે . ટુકમાં જ્યાં સુધી લોક શિક્ષણ કે સમજ

નો વ્યાપ પુરે પુરો વધે નહી અને ” મત”  આપવાની  સાચી રીત , સામાન્ય માણસને હસ્તગત થાય નહી

ત્યાં સુધી આ તળીયે તુટેલુ વહાણમાં ભરાતા પાણીનો ઉકેલ આવે નહી .

ઈતિહાસ સાક્ષી છે , મોગલ બાદશાહ  ઓરંગઝેબ જેવા શક્તિશાળી , ધર્માંધ , મઝહબી , મતલબી સામે

ઈશ્વરે શિવાજીની નિમણુક કરી . હુ માનુ છુ કે શિવાજી તો મોટામસ વટ્વૃક્ષની ડાળી જ હતા . તેનુ થડતો

માતા જીજીબાઈ કહેવાતા . માતા ” સ્ત્રી શક્તિ ” ને જ કહેવાય . આવા વટવૃક્ષને સતત પાણીનો પુરવઠો

પુરો પાડીને , ટકાવી ટટાર રાખનાર ઉડા મુળીયાં એટલે હિન્દુ ધર્મના ” ધર્માધિકારીઓ ” રામદાસ ને જ

બિરદાવી શકાય . આ રીતે સ્ત્રી ઘર ઘરમાં જ્યોત પ્રક્ટાવે છે .તો ધર્મગુરુઓ , લોભ લાલચ સ્વાર્થ વગર

જાનના ભોગે , પ્રલાભનોના ભોગે , જ્ઞાન અને દેશભક્તિ રુપી સુર્ય દ્વારા દેશને અજવાળી છે . મારુ અંગત

માનવુ છે કે ઘસાઈ ઉજ્ળા થવાની કળા સ્ત્રીઓ અને ગુરુઓ પાસેથી આપણે શીખીએ .

આશા અસ્થાને નથી કમસેકમ નવી પેઢી  , જે સ્ત્રીઓ માતા , શક્તિ દ્વારા ઘડાશે ત્યારે તેઓ દ્વારા ભારતનો

સુર્ય સોળે કળાયે શોભી ઉઠશે . ત્યારે મા ભારતી , સદગત નેતાઓ અને પ્રજાજનોએ આઝાદી મેળવવા જાન

કુર્બાન  કરી છે , તેઓ સ્વર્ગમાંથી ભારતીય સ્ત્રીશક્તિ ને આશિષ વર્ષા સાથે ખુબ ખુબ ખુશી વ્યક્ત કરશે .

જગત એ ન ભુલે કે આજની ભારતીય નારી ” ભારેલા અગ્નિ ” જેવી છે . એક્જ હવાનુ ઝોકુ પ્રજ્વલિત

કરવા માટે બસ છે . અને આ અગ્નિ  દુશ્મનો ને દઝાડીને જ ઝંપશે . કહેવાતા રાજકારણીઓ ચેતે .

જ્યારે ભારતના રાજકારણીઓ , સમાજ સુધારકો કે સેવકો , ન્યાયાલયો , કાયદાઓ કે કોન્સ્ટીટ્યુશન ,

છેલ્લે  ધર્માધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડ્યા છે ત્યારે મને પુર્ણ શ્રધ્ધા છે કે સ્ત્રી શક્તિ  કહે્તાં ભારતની

પાર્વતીઓ પોતાના શિવ અને ગણપતિ, કાર્તિકેય ને સાથે રાખી દેશનો ઉધ્ધાર કરશે .  કહેવાતી લોક્શાહી

ને નામે બહુ ચુટ્ણીઓ  કરી       બંધ કરો  આ બધા આ નાટક .આયુર્વેદની પડીકીઓ બહુ આપી , હવે સડો બહુ

વધી ગયો છે ” ભારત માતા ” ની જાન ખતરામાં હોય ત્યારે તો ઓપરેશન જ કરાય .

જાગો ઉઠો અને અહિન્સા દ્વારા જ અસહકાર , ધરણા , ઉપવાસ , સરઘસો , જનજાગરણ અભિયાન , વિરોધ

સભાઓ દ્વારા રાજ્યના કે દેશના રાજકારણીઓની ક્ષતિઓનુ પ્રદર્શન કરી , પ્રજામત કેળવો . અક્ષરજ્ઞાન

ઝુબેશ લોક્શાહી સફળ કેમ બનાવી શકાય તેના સચોટ પણ દ્વેશ મુક્ત ભાષણો અને ઠેર ઠેર જનજાગ્રુતિ

વર્ગો ચલાવો . સામાન્ય માન્યતા પ્રમાણે લોક્શાહીમાં પ્રજા એજ માલિક હોય છે . જ્યારે જ્યારે ચલાવતા

રાજ્કારણીઓ , નોકરીઆતો વગેરે પ્રજાના વાણોતર કે સારા શબ્દોમાં મેનેજર કહી શકાય . ભારતમાં

રાજ્કારણીઓએ તો જુના દેશી રાજાઓને ઘણા સારા કહેવડાવ્યા છે . પુરુષ પ્રધાન સમાજ્ના ઠેકેદાર

એવા એક ભાઈની દલીલ છે કે જે મર્દ મુછાળા ન કરી શક્યા તે કામ ” અજવાળી તો પણ રાત ” સ્ત્રીઓ

કરી શકે તે તમારી ભુલ છે , ચર્તુભુજભાઈ !  તેઓ શ્રીને સમજાવતા , મે કહ્યુ કે પૃથ્વી પર જમીન માંડ

ત્રીજા ભાગની  હશે , બાકી પાણી જ પાણી . પણ આપણી નજર ને જમીનને જોવા ટેવાયલી હોય , પાણીની

વિપુલતાને નજર અંદાજ કરેયે છીયે . તેમ મુછાળા મર્દોમાં ૭૫ %  સ્ત્રીત્વ હોય છે . તેનુ નવ માસ દરમ્યાન

બંધારણ  જ સ્ત્રી માતાના હાડમાંસ મજ્જા , લોહીભશરીર અને સત્વ વડે ઘડાયેલુ હોય છે . હવે જો પુરુષો ,

સ્ત્રીઓ સાથે દેશોધ્ધાર  કે ક્લ્યાણ માટે હાથ નહી મિલાવે ,  સહકાર નહી આપે તો પરિણામ ઘણુજ ખરાબ

હશે . અત્યારે બેફામ વસ્તીવધારો , ગરીબી , ભ્રષ્ટાચાર , ફેશનને નામે થતા ફતવા , વ્યસનોની હરમાળ,

દારુ , પરદેશની આંધળી નકલ , ઉપરાંત ટી.વી. , ફિલ્મ , ફેશનપરેડ , મ્યુઝીક્લ આલ્બમો , બિભસ્ત જાહેર

ખબરો વગેરે ઉપરોક્ત બધી બદીઓએ દેશના હાડપિન્જર જેવા દેહને ” સર્વનાશ ” ના કેન્સરથી ગ્રસ્ત કર્યો

છે . તેમ છ્તાં પ્રથમ સ્ટેજમાં હોઈ સમયસર સારવાર થાય તો કદાચ એજ દેહ તાજો નરવો , તંદુરસ્ત બને

અને દેશનુ કલ્યાણ થાય .

ભારતની બધીજ બેહેનો , દિકરીઓ , માતાઓને એક્જ વિનંતી કે હવે સમય પાકે ગયો છે . તમેજ શક્તિ

બનો . બ્યુટીપાર્લર , ટી.વી. ફિલ્મનુ વળગણ , ફેશન અને નકલખોરીને ત્યાગી , આવતી પેઢીનુ સુયોગ્ય

ઘડતર કરો , સાથો સાથ ભારત દેશના તળીયે તુટેલ વહાણનુ સુકાન સંભાળો . ઈશ્વરત્ત , અમૃતકુમ્ભ જેવા

પયોધરમાંથી દુધરુપી સત્વ બાળકને પાન કરાવી , બીજા શિવાજીનુ ઘડતર કરો . ફેશન ફતુર છોડી ,

રણચંડી કે જીજીબાઈ બની રહો .

    ” યહ સુબહ કભીતો આયેગી ….. ધરતી નગમે ગાયેગી  ” …..

                                                                                                                                      એચ. ચર્તુભુજ.

2 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.