દ્રષ્ટિ એવી સૃસ્ટિ .

શ્રી કૃષ્ણ રંગ મંડપમાં પ્રેવેશે ત્યારે તે સભામાં વિરાજેલા અનેક લોકોને

અધિકાર પ્રમાણે અલગ  અલગ દેખાય છે .તેને જ મહાત્માઓ દ્રષ્ટિસૃષ્ટિવાદ

કહે છે . સભામાં જે પહેલાવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા .

સાધારણ  મનુષ્યને રત્ન જેવા લાગ્યા . સ્ત્રીઓને તો કામદેવ જેવા લાગ્યા .

ગોવાળોને સ્વજન જેવા લાગ્યા . દુષ્ટ રાજાઓને સર્વશાસક  લાગ્યા .

નંદબાબાને બાળક જેવા લાગ્યા . કંસને મૃત્યુરૂપ લાગ્યા . યોગી ૠષિ

મહાત્માઓને તો સાક્ષાત પરમાત્મા લાગ્યા . યાદવો અને ભક્તોને પોતાના

ઈષ્ટ દેવ લાગ્યા . જેવી દ્રષ્ટિ તેને ભગવાન તેવા દેખાય છે . એકજ પ્રભુ

સર્વત્ર રમે છે . તે દ્વૈત-ભેદભાવ તે માયાનુ કારણ છે . માયા એવી છે કે

પ્રેમથી શ્રી કૃષ્ણ્નુ નામ લેતાં જ ભાગી જાય છે .

2 Comments »

શાંતિની શોધ .

આત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં બધીજ જ જગ્યાએ પુરા વિશ્વમાં

અશાંતિ વર્તાઈ રહી છે . કોઈ પણ દેશ , રાષ્ટ્ર  ક્યાંય શાન્તિ નથી . આતંકવાદથી

ઉભી થયેલ અશાંતિ ,જે પુરા દેશને હલાવી દે અને લોકો પણ ભય અને બીકમાં

જીવતા હોય ક્યાંય પોતાની સલામતી દેખાતી નથી .કોઈ પણ વ્યક્તિ સલામત નથી . ઘરની  બહાર નીકળે

પરંતુ દિલમાં એક ડર હોય ,સહીસલામત ઘરે પાછા પહોચાસે કે નહી ? ઘરે પાછા ફરે પછી થોડી રાહત

અનુભવે .

          દુનિયાના દરેક દેશ વચ્ચે પરમાણુ   હથિયારો બનાવવાની એક અજબની હરિફાઈ ચાલી રહી હોય એમ

લાગે છે . ત્યારે દુનિયા આખી યુધ્ધના ભય નીચે જીવતી હોય . માથા પર હમેશા લટકતી તલવાર હોય .

ત્યાં આગળ મગજને શાંતિ ક્યાંથી હોય ? એક દેશ બીજા દેશની ઉઘ હરામ કરી દે .દરેક દેશને પોતાની

પરમાણુ તાકાત વધારવી છે .અત્યંત આધુનીક ઉપકરણો બનાવ્યા અને આ ઉપકરણોની મદદથી જીવન

સરળ બનાવ્યુ , શારિરીક શ્રમ ઓછો કર્યો ત્યારે માનસિક શ્રમ વધી ગયો . જીવન સરળ તો બન્યુ છતાં

પણ માનસિક પરિતાપ વધતો જાય ત્યાં આગળ શાંતિ ક્યાંથી હોય ? જેટલી પ્રગતિ થઈ રહી છે તેની

પાછળ દોડ ધામ પણ એટલીજ વધી ગઈ છે . લોકો દોડ્યા જ કરે , અત્યારે કોઈની પાસે સમય નથી

નિરાંત નથી .અને આ દોડ ધામને લીધે જ અશાંતિ વધી ગઈ છે .

          જીવનમાં માણસ પાસે ધન દોલત જોઈતા પ્રમાણમાં હોય તો પણ , અત્યારે વધારેને વધારે ધન

કેમ ભેગુ કરવુ બસ તેની પાછળ હોય અને આ પૈસા ભેગા કરવા માટે પણ હમેશાં સતત ચિન્તામાં હોય

બિલકુલ શાંતિ ન હોય . ભગવાને બરાબર જ આપેલુ છે છતાં મનને શાંતિ નથી .ઉન્નતિ થાય તો તેમાં

પણ ઓર આગળ વધવાની ઝંખના અને તેને લીધે મન અશાંત બની જાય .માણસની લાલસાઓજ

માણસને અશાંત બનાવી દે છે , અને અમુક વખતે માણસે પોતાની જાતેજ અશાંતિને આમંત્રણ આપ્યુ

હોય . અને સમાજમાં બોલ્યા કરે ભગવાને મને શાંતિ નથી આપી . અત્યારે બાળકથી માંડીને યુવાન

પ્રૌઢ કે વૃધ્ધ માણસો હોય બધાજ એક માનસિક તનાવમાં જીવતા હોય છે . બધાજ શાંતિની ખોજમાં છે

અત્યારે મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા ,ગિરજાઘર બધેજ માનવ સમુદાયનો ધસારો વધતો ગયો  છે , અહિયાં

શાન્તિ છે .નદીયો ,દરિયા કિનારે ,સરોવર ,પર્વતો અગેરે કુદરતી સૌન્દર્ય માણવા માટે લોકોની ભીડ વધતી

જાય છે .માનવ રચિત , મન આનંદમાં રાખવાના સાધનો વધતા ગયા છે , લોકો તેમાંથી પણ આનંદ લેછે

કોઈ સારો માર્ગ અપનાવીને મનની શાંતિ શોધે તો કોઈ વળી ગલત-ખોટી વસ્તુઓમાં મનની શાંતિ શોધે .

 બધી જગ્યાઓએ બસ શાંતિની ખોજ છે . પશ્ચિમી દેશો પણ હવે આપણી સદીયો પુરાણી ધ્યાન – યોગ

પધ્ધતિ અપનાવી રહ્યા છે . ધ્યાન – યોગથી મનની શાંતિ શક્ય છે .ૠષિ પતંજલિ આપણને બહુજ મોટી

અમુલ્ય ભેટ આપીને ગયા છે .

પરંતુ જેટલી શાંતિ શોધે એટલી દુર ભાગે .દરેકનુ મન અશાંત છે . આ અશાંતિ માટે કોણ જવાબદાર છે ?

જીવન વધારે પડતુ વૈભવશાળી બની ગયુ ?એક બીજાની નકલ અને એક બીજા સાથે જીવનની હરિફાઈ ?

અને આ અસ્થિરતા માણસને ઘણી વખત ખોટા વ્યસનો તરફ દોરી જાય .અને પછી બરબાદી શરૂ થઈ જાય.

મનની અશાંતિ મનની અસ્થિરતા ઉભી કરે છે અને માણસને  આપઘાત કરવા માટે પ્રેરે ,તેના માટે જીવન

કઠીન અને અસહ્ય બની જાય ,તેને આપઘાત સિવાય બીજો માર્ગ દેખાય જ નહી . કેટલી મોટી કરૂણા  ?

બાળકો પણ નશીલી દવાઓનુ સેવન ચાલુ કરી દે. આવતી કાલનો નાગરીક જો આ રસ્તા પર ચાલે તો પછી

શુ પરિણામ આવે સમસ્યા તો ગંભીર છે , પરંતુ તેનો ઉકેલ શોધવો મુશ્કીલ છે .આપણે ભગવાનને પ્રાર્થના

કરી શકીએ .

                   ॐ द्यौः शांति रन्तरिक्षः ग्गूम शांतिः

          पृथ्वि शांतिरापः ,  शांति   रोखधयः   शांतिः  ,  वनस्पतयः  ,

       शांति     विश्वे देवाः    शांति ब्रह्म शांतिः , सर्व ग्गूम स्शांतिः ,  शांति रेव शांतिः

       सा मा शांति रेधि ,  सर्वारिष्ट शांतिर्भवतु

       ॐ शांतिः — शांतिः — शांतिः

  શાંતિ કરો પ્રભુ ત્રિભુવનમાં .

  શાંતિ કરો જલ , થલ , ગગનમાં ,

અંતરિક્ષમાં , અગ્નિમાં , ઔષધિમાં ,

વનસ્પતિ , વન-ઉપવન , સકલ વિશ્વમાં ,

જડ-ચતનમાં , શાંતિ રાષ્ર્ટ નિર્માણ સર્જનમાં ,

નગર ગ્રામ અને મારા ભવનમાં

જીવ માત્રના તન-મનમાં અને જગતના

કણ-કણમાં

ૐ શાંતિઃ — શાંતિઃ — શાંતિઃ

1 Comment »

સાહિત્ય સરિતા .

 હુ સાહિત્ય સરિતા…..

મારા દિલમાં ખુશી ન  સમાય  , આજે   કરવી છે  મારા મનની વાત .

ગુજરાતી સાહિત્ય સરિતા મળ્યુ અનોખુ નામ મને, હ્યુસ્ટનમાં રહેવા સ્થાન.

અનેક શિક્ષિત સંસ્કારિ  સભ્યોથી  બન્યો  મારો  સુન્દર સુશોભિત  પરિવાર .

સુશિક્ષિત સાહિત્ય રસિકોએ કર્યુ મારુ લાલન-પાલન, સિન્ચા સાહિત્ય નીર.

હર મહિનાની મિટિન્ગ અને, બનાવી રુડો બ્લોગ ,અને   વિવિધ પ્રવૃતિઓ .

કર્યુ જતન મારુ પ્રેમથી , કરી કાળજી , પ્રેમથી  નિહાળે મને રાત-દિવસ.

અધિક પ્રેમ અને મારા માટેની કાળજી જોઈ મારા આનંદનો  નહી  પાર.

ધીમે ધીમે મોટી થવાને બદલે હુતો , બહુ જલદી દશ વર્ષની થઈ ગઈ .

મારા પરિવારે રાજ્શાહી ઠાઠથી ઉજવી ખુબજ ધુમ ધામથી મારી દશમી,

વર્ષ ગાંઠ , દશાબ્દિ મહોસ્તવ , એક નહી બે બે વખત મનાવી મારી વર્ષગાંઠ.

જેણે માણ્યો પ્રોગ્રામ , ખુશી-ખુશી કરે ચર્ચા ,  બહુજ સરસ , બહુજ સરસ.

આપે અભિનંદન ,વર્ષાવે તારીફ અને ખુશીના પુષ્પો . મારા પરિવારને

ધન્યવાદ પામતા જોઈ ,  હૈયે ગર્વ , અતિ સંતોષ અને આનંદ થાય .

પરિવારના આનંદની તો કોઈ નહી સીમા,   હૈયા હરખથી  છલકાય .

સફળતાના શિખરો પાર કરતાં હવે, દિલમાં એક મનોકામના રજત જયંતિની

માણવો મારે રજત જયંતિ મહોત્સવ , અને મારા પરિવારના દિલમાં ખુશી .

1 Comment »

માટીના મોલ .

માટી , આમ તો લાગે તેની કોઈ કિમ્મત નથી પરંતુ વિચારીએ અને સમજીએ

તો નકામી લાગતી માટીની કિમ્મત ઘણીજ છે ,અણમોલ છે .

અવિનાશભાઈ વ્યાસની એક રચના યાદ આવી જાય છે .

રાખના રમકડા મારા રામે ,રમતા રાખ્યારે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમક્ડાં.

 કવિએ કેટલી મોટી અને ગહન વાત કરી છે .તેમની આ રચના આપણને ઘણુ બધુ કહે છે .

ઈશ્વરે જીવ માત્રની રચના માટીમાંથી કરી છે ,માટીમાંથી માનવ જાતનુ સર્જન થયુ છે અને અંત સમયે

પણ અંતિમ પડાવ આવે ત્યારે આપણે માટીમાં જ ભળી જ્વાનુ છે .

આપણે હમેશાં બોલતા હોઈએ છીએ કોઈની સાથે સબંધ નહી બગાડવાનો ,ચપટી ધૂરની પણ જરૂર પડે ,

ચપટી ધૂરનો પણ ખપ છે .આ ચપટી ધૂર ,આ માટી કેટલી અણમોલ છે .ધૂર આંખમાં પડે તો તકલીફ થાય

પરંતુ આ જ ધૂર શ્રી ક્રિષ્ણ ચરણ રજ બનતાં જ પવિત્ર અને અણમોલ બની જાય છે જે દુર્લભ છે .નસીબવંત

આ ચરણ્રરજ પામી શકે .માટીના ધૂરના એક રજક્ણની જો આટલી મહિમા હોય તો માટી કેટલી બધી

મહત્વની છે .જેમ માણસ પંચ મહાભૂતમાંથી બને છે અને પંચમહાભૂતમાં સમાઈ જાય છે ,આ પંચમહા

ભૂતમાં એક તત્વ પૃથ્વીની-ધરતીમાતાની માટી છે .

માટીમાંથી માનવ સર્જાયા અને માનવનુ ભરણ પોષણ માટી જ કરે છે . માટીમાં બીજ વાવતાં જ આપણને

અન્ન,ફળ,ફુલ અને વૃક્ષો ઉગી નીકળે .વૃક્ષો જો પક્ષીઓનુ આશ્રય સ્થાન અને મીઠી છાંવ છે તો મનુષ્યને

પણ આશીયાના બનાવવામાં મદદ રૂપ થાય . આમ જોઈએ તો મનુષ્યની છત્ર છાયા માટી જ છે . જુના

જમાનામાં જ્યારે સંસ્કૃતિ આટલી વિકસેલી હતી નહી ત્યારે ઉપયોગી વાસણો માટીમાંથી બનતાં. અને

આજની તારીખમાં ઉનાળામાં માટલાનુ પાણી ,કુદરતી ઠંડક, મીઠાસ અને મહેક લોકો માણે છે .આપણે

પરદેશમાં આવીને વસ્યા પરંતુ માટલાનુ ઠંડુ અને સુગંધી વાળુ પાણી આજે પણ નથી ભૂલાતુ .ફ્રીજના

પાણીમાં એ ગુણવત્તા ક્યાં છે જે એક માટલાના પાણીમાં છે .આપણા દેશમાં ક્લાઢામાં બનતી ભાખરી

અને બાજરાના રોટલાની મઝા આવતી હતી તે મઝા આજે નોનસ્ટીક પેનમાં બનતા  રોટલા ભાખરીમાં  ક્યાં

આવે છે .આજે પીવાય છે ફ્રીજની બોટલનુ પાણી , કુજાના પાણીની વાત સાવ જુદીજ છે .ભારતમાં ઘણી

જગ્યાએ કુલડીમાં ચ્હા આપવામાં આવે  છે ,માટીના વાસણમાં દહી જમાવે છે , વાહ ભારત દેશની શુ વાત

કરવી  જીવન જીવવાની એક અલગ અને અનોખી રીત-ભાત છે .દરેક વસ્તુની મહત્વતા સમજે ,અને પ્રેમથી

અપનાવી લે.

ધન્ય છે કુભાર જાતીને જેણે માટીના મોલ સમજીને માટીને ગલે લગાવીને માટીનો વ્યવસાય અપનાવ્યો.

તેને રાત-દિવસ માટીમાં જ રમવાનુ , માટી જ તેની જીન્દગી .ગોરા કુભારને કેમ ભુલી જવાય , તેમણે

શ્રી ક્રિષ્ણ ભક્તિ કરતા કરતા પોતાનો વ્યવસાય કર્યો છે .ભક્તિ સાથે તેમણે તેમનો વ્યવસાય નથી છોડ્યો.

અને ભક્તિમાં લીન પોતાના નાના બાળકને માટીની સાથે પગથી ગુદી નાખ્યો .પ્રભુએ તેમની ભક્તિની

પરિક્ષા કરી પરંતુ તેમણે પ્રભુ ભક્તિ અને સ્મરણ નથી છોડ્યુ .

 મનુષ્ય જીવનમાં માટીના મોલ બહુજ  ભારી   છે ,  તો આજે અણમોલ માટીમાંથી બનેલ માટીનુ પૂતળુ 

 મનુષ્ય , માનવ બનીને   માનવ ધર્મ   નિભાવે તો દુનિયામાં સુખ-શાંતિ બની રહે .

3 Comments »

બન્યુ તે જ ન્યાય .

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.

એક  ક્ષણ  પણ  આ  કુદરત જે  છે તે  અન્યાયને પામી  નથી .

કુદરતના  ન્યાયને જો સમજે ,”  બન્યુ  તે ન્યાય ”

તો તમે  આ જગતમાંથી  છૂટા  થઈ  શકશો .

નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો

કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .

કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .

 જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને

જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .

જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..

એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .

આ જગતમાં ન્યાય ખોળશો નહી …..

જગતમાં ન્યાય ખોળવાથી તો આખા

જગતની લડાઈઓ ઉભી થઈ છે …..

જે   બનુ   છે   એ   જ   ન્યાય   છે …..

ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .

ન્યાય – અન્યાયનુ  ફળ એ તો   હિસાબથી આવે છે .

( શ્રી દાદા ભગવાન ).

3 Comments »

મા .

મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી

તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ .

પ્રેમ સરિતા તૂ , વહે અવીરત અગાધ વાત્સલ્ય .

હેતનો  મહા સાગર  તૂ , જેમાં કદી ન આવે ઓટ ,

નીત   વ્હાલના ઉછળે મોજાં ,  પ્રેમ તણુ કવચ .

તારા આંચલમાં મીઠી છાંવ , શીતળતા ઘનેરી .

તારા આંચલની છાંવમા  સ્વર્ગનુ  સુખ   સમાય .

મારા દુખમાં રોએ તૂ , સુખમાં રોએ સુખના આંસુ

મારા સુખમાં આનંદે મ્હાલે તૂ ,દુખમાં તૂ ચિન્તિત.

પર્વત સમા વેઠીને દુખ ,  મુજને અર્પણ કર્યા સુખ .

તારા આશિર્વાદમાં  શક્તિ ,તારા પ્રેમમાં શક્તિ.

તારા ગુણ ગાન માટે શબ્દો પડે છે  ઓછા .

અધિક મમત દેખી નીરખુ પ્રભુની મુરત તુજ મહી .

ભગવાન કે ઈશ્વરથી તુ નથી કમ .

તારુ રૂણ ચુકવુ કેમ કરી હુ ,  શુ કરૂ   ઉપાય ?

માની સેવા કરી , માના કલેજાને ઠંડક આપી ,

કરવી કોશીશ , આભાર માનવાની ,

રુણ તો કદી  ચુકવવા ન કોઈ શક્તિમાન .

( Happy  mothers  day ).

8 Comments »

આશા-નિરાશા .

આશા અને નિરાશાઓમાં ઉલઝી જીન્દગી .

સુખ અને દુખના તારોથી જોડાઈ જીન્દગી .

હસી- ખુશીના રંગોના છાંટણાથી    રંગાઈ .

હર પળ ઝંખના, આશા,  ખુશી-આનંદની.

આશા-નિરાશા , સુખ-દુખ એ મનના  ખેલ.

સુખ-દુખ એતો કર્મના લેખ , ન તેનો અંત .

ભાગ્યમાં લખ્યુ એટલુ અને નક્કી સમયે પામે.

માગ્યુ કદી મળે નહી ,  ખાલી થાવુ નિરાશ.

સ્થિતપ્રજ્ઞ બનતાં ,    સમજાય ભેદ ભરમ .

સ્થિતપ્રજ્ઞ તો મ્હાલે નિજાનંદમાં હરપલ .

ન કોઈ દુખ, આશા- નિરાશા, પરમ શાંતિ .

આનંદ-આનંદ-આનંદ .   સત-ચિત્ત-આનંદ.

2 Comments »

પરિવારમાં દિકરી પ્રત્યે વલણ .

  આપણે ઘણી બધી પ્રગતી કરી છે છતાં પણ દિકરી માટે

આજે પણ ઓરમાયુ વર્તન મોટે ભાગે ઘણી જગ્યાએ જોવામાં

આવે છે . જ્યારે પરિવારમાં નાના નવા મહેમાનનુ આગમન

થવાનુ હોય ત્યારે આશા એક્જ હોય પુત્રનુ આગમન થાય .

         છતાં આજે પણ ઘણા પરિવાર દિકરિ જન્મે તો તેનુ હસિ ખુશીથી સ્વાગત કરે છે .અને તેમને દિકરી

કે દિકરો કોઈ ફરક નથી . પુત્ર કે પુત્રી એકજ સમાન છે .આતો થોડા ત્રીસ ચાલીસ ટકા  લોકોમાં આ વિચાર

ધારા છે. બીજા લોકોનુ શુ જે દિકરીને પરિવારમાં સ્વિકારવા તૈયાર નથી અને આવી પણ ગઈ તો તેના માટે

ઓરમાયુ વર્તન . નાનપણથીજ છોકરીયો માટે છોકરાઓ કરતાં અલગ કાયદા કાનુન .મોટા શહેર કે પરદેસ

ની વાત અલગ છે ,કે જ્યાં છોકરીયોને બધી છુટ હોય છે . વધારે પડતા બંધનોને લીધે છોકરીઓનો વિકાસ

પણ રૂધાઈ જાય છે .છોકરીને પણ મનમાં  ઘણી બધી ઈચ્છાઓ , આશાઓ ,તમન્નાઓ,ધગશ હોય પરંતુ

બંધનોને લીધે બધુજ દબાઈ જાય છે , દબાવી દેવુ પડે છે .દિકરી માટે મોટે ભાગે લોકો બોલતા હોય છે

દિકરી તો સાપનો ભારો , દિકરી તો પારકી થાપણ . પરંતુ કેટલા લોકો બોલે છે દિકરી તો તુલસીનો ક્યારો

દિકરી તો દીપક છે. જે મારા ઘરમાં અજવાળુ પાથરે છે અને પરણીને પતિને ઘરે જશે એટલે પતિના ઘરમાં

અજવાળા પાથરશે . મારા પરિવારની અને કુળની લાજ રાખશે .ખરેખર તો એક દિકરી બે કુળને તારે છે

 પતિના ઘરના દરેક વ્યક્તિને પ્રેમથી પોતાના કરીને, ઘરની માન મર્યાદાની કાળજી રાખે છે .છતાં પણ

જ્યારે દિકરી સાસરેથી પિતાને ઘરે  જાય ત્યારે કહેવામાં આવે પિતાને ઘરે આવી , પાછી જાય ત્યારે કહેવાય

પતિને ઘરે પાછી ગઈ .ઘડપણમાં દિકરા સાથે રહેતી હોય તો દિકરાનુ ઘર .તો  પછી  સ્ત્રીનુ કોઈ ઘર નહી ?

તો એક સ્ત્રીને પોતાને કોઈ પહેચાન નહી ? પોતાની કોઈ અલગ ઓળખાણ નહી ? એક સ્ત્રી જ્યારે પોતાનુ

સર્વસ્વ પરિવાર માટે અર્પણ કરી દે છતાં પણ પોતાનુ અલગ કોઈ અસ્તિત્વ નહી .

      પિતાને ઘરે હોય ત્યારે માતા-પિતા કહે તે પ્રમાણે વર્તવાનુ . પોતાની કોઈ મરજી ન ચાલે .

માતા-પિતાને આધીન રહેવુ પડે .પરણીને સાસરે આવે એટલે પ્રથમ તો સાસુ-સસરાને આધીન ત્યાર  બાદ

પતિને આધીન , પતિ જેમ  કહે તેમ ચાલવાનુ , ઘડપણ આવ્યુ દિકરા સાથે રહેવાનુ છે , દિકરા અને વહુને

આધીન રહેવાનુ . પોતાની કોઈ મરજી નહી ? પોતાની મરજી પ્રમાણે જીવન ક્યારે જીવવાનુ ? એક સ્ત્રીને

પોતાને મરજી મુજબ , પોતાની ઈચ્છા મુજબ , પોતાના પ્રમાણે ક્યારે જીવવાનુ ? આ સવાલ તો લગભગ

સીત્તેરથી એશી ટકા સ્ત્રીયો પાસે છે ? એનો કોઈ જવાબ નહી ? જ્યારે એક દિકરી અને દિકરા વચ્ચેનો ભેદ

ઓછો થશે જ્યારે બંન્ને  વચ્ચે સમાનતા આવશે ત્યારેજ તેનો જવાબ મળશે .માતા-પિતા કે સાસુ-સસરા

કે પતિ, એક દિકરીની , એક સ્ત્રીની  ,એક નારીની વ્યથા સમજી શકે છે ?  સમજવાની કોશીશ કે પ્રયત્ન

પણ ક્યારેય કરે છે ? એક દિકરો પોતાનો અલગ પરિવાર લઈને બેઠો છે તે પોતાની માતાની વ્યથા

સમજવાની ક્યારેય કોશીશ પણ કરશે ?

આટલા બધા ભેદભાવ હોવા છતાં દિકરી , બહેન બનીને , બેટી બનીને , પત્નિ બનીને , વહુ બનીને ,

એક મા બનીને એક દાદી બનીને પોતાનો ધર્મ બરાબર નીભાવે છે . પરિવારમાં દરેકને ભરપુર પ્રેમ આપે

છે . દિકરી , બહેન , પત્નિ , વહુ ,માતા , દાદી ,નાની બની ને બસ બધાને પ્રેમ , મમતા ,વાસ્ત્યલ્ય અર્પણ

કરે છે . વિના કોઈ અપેક્ષા .સ્ત્રી ખરેખર એક મમતાની દેવી છે .અને ખાસ કરીને પોતાના બાળકોને તો

નિસ્વાર્થ પ્રેમ કરતી હોય છે .આ પ્રેમની મુર્તિને કોણ સમજી શક્શે ?

નારી ઉધ્ધારની વાતો તો ઘણી થાય છે ,   છતાં પણ જે માનસીક વિચાર ધારા છે તે બદલવાની જરૂર છે .

અને હિન્દુ સાસ્ત્રો પ્રમાણે , સદીયોથી જે નિતિ નિયમો બનાવ્યા છે , તે આધુનીક સમય અને સ્થળ પ્રમાણે

બદલવાની જરૂર છે . આજે તો એક સ્ત્રી પુરુષ સાથે દરેક ક્ષેત્રમાં ક્દમ અને ખભાથી ખભો  મિલાવીને ચાલે છે

આજની નારી સાચુ શુ ? ખોટુ શુ ? તેનાથી વાકેફ છે .આજની નારી જાગૃત છે , શિક્ષિત છે . છતાં પણ કેમ

દિકરા દિકરી વચ્ચે ભેદભાવ ?  દિકરી માટે કેમ ઓરમાયુ વર્તન  ?

2 Comments »

તેરા રામજી કરેન્ગે બેડા પાર .

      सीया राम मय  जग जानी

     करहु प्रनाम जोरी जुग पानी .  

   (આજે રામ નવમી અતિ શુભ દિવસ 

     રામ સ્મરણ અને ચિન્તન નો દિવસ )

                       ( ભજન )

તેરા રામજી કરેગે બેડા પાર,   ઉદાસી મન કાહે   કો   કરે.

કાહે કો ડરે રે કાહે  કો ડરે ,    તેરા રામજી ——

નૈયા તેરી રામ હવાલે , લહર લહર  હરિ આપ સંભાલે .

હરિ આપ હી ઉઠાવે તેરા ભાર, ઉદાસી મન કાહે કો કરે .

કાબૂ મે મઝધાર ઉસીકે ,  હાથોમે  પતવાર   ઉસીકે .

તેરી હાર ભી નહી હે તેરી હાર , ઉદાસી મન કાહે હો કરે .

સહજ કિનારા મિલ જાએગા , પરમ સહારા મિલ જાએગા .

ડોરી સોપ કે તો દેખો એક બાર , ઉદાસી મન કાહે કો કરે .

દીના બંધૂ દીના નાથ ,   મેરી ડોરી તેરે હાથ — ૨ .

ઉદાસી  મન  કાહી  કો  કરે .

તૂ નિર્દોશ તૂઝે ક્યા ડર હૈ ,તેરા  પગ-પગ પર સાથી ઈશ્વર હૈ .

જરા ભાવના સે કીજીયો પુકાર ,   ઉદાસી મન કાહે કો કરે .

તેરા રામજી કરેગે બેડા પાર,     ઉદાસી મન કાહે કો કરે .

1 Comment »

આત્મ ચિન્તન-૨

     ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )

                 (  સંસાર દશા )

 હુ આત્મા છુ …  હુ આત્મા છુ …

સંસાર દશા એ મારી દશા નથી .

અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે…

સંસાર  દશા  ઉભી  થઈ  છે .

એ દશા હવે વધુ વખત નહી જોઈએ .

બહુ ભટક્યો … બહુ રખડ્યો …

આ સંસાર દશામાં ક્યાંય પણ જીવને…

શાંતિ ન મળી … સુખ ન મળ્યુ …

તૃપ્તિ કે આનંદ ના મળ્યા …

એવી ભટકાવનાર …  રખડાવનાર ,

સંસાર દશા હવે નથી જોઈતી   .

અજ્ઞાનને છેદી , સ્વ પરના જ્ઞાનને …

પ્રાપ્ત કરૂ , મારો સંસાર પતી જાય …  .

આ સંસારે મને પીડા આપી …

વેદના આપી , દુઃખ આપ્યુ  …

હવે  એ  દશાને  પામુ …

જે  દશામાં , માત્ર આનંદ…આનંદ…

માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

એનુ એજ અખંડ…અભય…અવિકારી …

અવિનાશી એવા સ્વરૂપને માણુ …

એવા  સ્વરૂપને જાણુ  .

ઉચ્ચ કુળ મળ્યુ …જૈન ધર્મ મળ્યો…

વીતરાગની વાણી મળી…

સંતોનો સંગ મળ્યો…હવે સંગથી અસંગ થઈ…

આત્મામાં તન્મય થાઉ …બસ થાઓ …

સંસાર બસ થાઓ …

જન્મ મરણ એ સર્વથી પર થઈ …

માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

3 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.