એક કડવી હકીકત:
આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે:
જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે; અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે!
જીવન શું છે ? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !
જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધોમાં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે !
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે “યાદ રાખતા શીખો”
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો ” !
જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજનમાં Diet ખાખરા !
( અનીલા પટેલની ઈમેલમાંથી )