Archive for the 'ચિન્તન' Category

મેરા ભારત મહાન.

  सों में से अस्सी गद्दार फीर भी मेरा भारत महान !!!   

આતો સિક્કાની બે બાજુ છે, ૮૦ % ગદ્દાર હોય પરંતુ ૨૦ % તો સારા માણસો હજુ પણ વસે છે.

૮૦ % અધર્મના માર્ગ પર ચાલે છે તો, ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે.

અને ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે એટલે તો દેશ ટકી રહ્યો છે.

 દેશમાં અધર્મ એટલો બધે વધી ગયેલો છે,જ્યાં જોવો ત્યાં અનિતી કોને નીચા પાડીને આગળ વધવુ,  બીજાની સંપત્તિ પર નજર, કેવી રીતે હડપ કરવી. ન કોઈ લાજ શરમ ! એકબીજા માટે ઈર્ષા ! રાજકારણ એકદમ ખરાબ. ન કોઈ કાયદાની વ્યવસ્તા અને જો હોય તો કોણ કાયદાને માને છે  ?કાયદા તો ખીસ્સામા લઈને ફરવાનુ અને  અને ખીસ્સામાં લઈને ન ફરે તો પણ પૈસા આપીને કામ તો થવાનુ જ છે. અને આપણે જનતા જ પૈસા આપીને કામ કઢાવીએ છીએ, આપણે જાતેજ ભ્રષ્ટાચાર ઉભો કરેલ છે. કામ જલ્દી થાય, ધંધાની અંદર ન થઈ શકે એવુ કામ કરાવવા માટે પણ પૈસાની ઓફર કરીએ છીએ. અરે ગાડી ચલાવતા હોઈએ અને સીગ્નલ તોડ્યુ છે, વન વે હોય અને ગાડી ઉંધી દીશામાં ચલાવી જલ્દી નીકળવાનો પ્રયાસ કર્યો, નો પાર્કીંગમાં ગાડી પાર્ક કરી, અને હવલદાર જો લાયસન્સ લઈ લેતો હવલદારને પૈસા આપીને તે જગ્યાએ વાત ખતમ કરવાનો પ્રયત્ન કરવાનો. આ તો આમ વાત બની ગઈ છે અને બધાજ આવું કરતા હોય છે. ભ્રષ્ટાચાર તો પરમસીમાએ પહોચેલો છે તેનો તો કોઈ ઉકેલ છે જ નહી. ભારતમાં જો સૌથી વધારે ખરાબ હોય તો તે છે રાજનેતા અને બીજો નંબર આવે છે  ધર્મના ઠેકેદારો જે આશ્રમો લઈને બેઠા છે તે બાબાઓ જે ભોલીભાલી જનતાને લુંટવામાં સફળ થાય છે. અને પ્રજા પણ જુઓ ભણેલા ગણેલા માણસો પોતાની લાલચને ખાતર અંધ્ધ વિશ્વાસ રાખી બાબાઓના ચુંગલમા ફસાય છે. અભણ માણસો તો સમજીએ , તે લોકો નાસમજ છે પરંતુ શિક્ષિત માણસો બાબાઓની પાછળ ઘુમ્યા કરે તે તો ખરેખર દયાજનક સ્થિતી છે, અને આવા લોકો ઉપર હસવુ આવે.

મોટા શહેરોમાં ગંદકી બહુજ વધી ગયેલી છે અને એનુ કારણ પણ જનતા પોતે છે, ગંદકી વધારવામાં જનતા પોતે જવાબદાર છે. દેશમાં અંધાધુધી ફેલાએલી છે, ક્રાઈમ વધેલો છે, ચીજ વસ્તુના ભાવ આસમાને ચડેલા છે, મધ્યમ વર્ગ મોઘવારીમાં પીસાઈ રહ્યો છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર,વસ્તી વધારો, બેરોજગાર વધી ગયો છે, મોટા મુંબઈ જેવા શહેરોમાં ભાઈ લોકોનુ રાજ ચાલે,ભાઈ લોકોની દાદાગીરી, આટલી બધી ખામીઓથી ભરેલ આપણો દેશ છે, ખરાબ પાસાનુ વર્ણન કરીએ તો તેનો અંત ના આવે.   છતાં પણ  ખરેખર  “મેરા ભારત મહાન”

સિક્કાની બીજી બાજુ

મારા દેશમાં સવારે ચાર વાગે કુકડાની બાંગ, સવારમાં કોયલના મીઠા બોલ કુહુ કુહુ જે સવારમાં સાંભળવાનો અનેરો આનંદ. સવારે મંદિરમા આરતી સમયે ઢોલ, નગારા, ઝાલર, શંખનાદ આ એક અનોખો અવસર અહિંયા પરદેશમાં ક્યાંથી મળવાનો છે ? ગરમા ગરમ ચ્હા ગમે ત્યાં, ગમે ત્યારે  મળે. અમેરિકા દેશ તો ચ્હાને ઓળખતો નથી ચ્હા ક્યાંય ન મળે, (  સ્ટાર બક્ષ તાઝો ચાય આપે છે )   કોફી મળે પરંતુ ચ્હા ના મળે, હા કોલ્ડ ટી મળે હવે આ કોલ્ડ ટીમાં શું મઝા આવે ? જે ગરમા ગરમ ચ્હામાં મઝા આવે. અને આપણા દેશમાં ચ્હામાં પણ કેટલી વિવિધતા ! આદુ ઈલાયચી વાળી ચ્હા, એકલા દુધની ચ્હા,મસાલાવાળી ચા, ફુદીનો-લીલી ચા વાળી ચ્હા, કડક-મીઠી ચ્હા, સ્પેશીયલ ચ્હા, લશ્કરી ચ્હા.બાદશાહી ચ્હા.

ખાવાના કેટલા બધા વિવિધ વ્યંજન, જે આપણા ભારત દેશમાં છે એટલા દુનિયામાં ક્યાંય જોવા નહી મળે એક ડીશ આજે બનાવી હોય તો કદાચ બીજી ડીશનો નંબર દશ વર્ષ પછીથી આવે.  તહેવારોની   વિવિધતા અને તેની ઉજવણી લોકો હર્ષ ઉલ્લાસથી કરે. હોળી અને દિવાળી સૌથી મોટા તહેવાર છે. છતાં પણ  લોકોને તો દરેક તહેવાર મોટો લાગે છે.  જન્મ હોય, લગ્ન હોય ધુમ-ધામથી ઉજવાય, મરણની વિધી પણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન થાય, દરેક નાના પ્રસંગથી માંડી મોટા તહેવાર પ્રસંગો ધુમ-ધામથી ઉજવાય.પરદેશમાં વાર તહેવાર ખબર નથી પડતા મંદિર જઈએ ત્યાં તહેવાર છે એમ લાગે. ભારતમાં કેટલી બધી જુદી-જુદી ભાષા બોલાય છે, તેની તોલે દુનિયાનો કોઈ દેશ ના આવી શકે. દરેક પ્રાંતના પોતાના અલગ રિતી રિવાજ અને પોતાની અલગ ભાષા,અને પોતાનો અલગ પહેરવેશ. વિવીધ જાતીના લોકો વિવીધ જાતની ‘અટક’ . કેટલા બધા ભગવાન ! કેટલા બધા જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયો ! દરેક વસ્તુમાં વિવીધતા ! સંગીત અને નૃત્યની સાથે પણ બીજો કોઈ દેશ બરાબરી ન કરી શકે. ખરેખર બધુ વિચારીએ તો ચક્કર આવી જાય, પરંતુ સાથે સાથે આપણા દેશ માટે ગર્વ પણ થાય. સુખ-દુખમાં પાડોશીઓ પણ આવીને ઉભા રહે. આપણા દેશમાં હજુ પણ પ્રેમ-ભાવ અને ભાઈચારો છે અને તેને લીધે હજુ પણ સુખી સંયુક્ત કુટુંબો જોઈ શકીએ છીએ. સારી વસ્તુઓ પણ અઢળક છે તેનુ વર્ણન કરાવા બેસીએ તો ઘણુ ઘણુ લખાય.

ભારત દેશ સારો છે કે ખરાબ છે તે મારી જન્મ ભૂમિ-માતૃ ભૂમિ છે અને મને મારી માતૃ ભૂમિ ઉપર ગર્વ છે. મને મારી માતૃ ભૂમિ માટે પ્રેમ છે. મીંરા, મહેતા નરસિંહ, ધ્રુવ-પ્રહલાદ અને ગાંધીજીએ જ્યાં જન્મ લીધો. રામ-કૃષ્ણની  ભુમિ, ઋષિ-મુનિઓની ભુમિ જેઓએ સંસ્કાર સિંચ્યા, સંસ્કૃતિ ઉભી કરી અને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો. ભારતની સંસ્કૃતિની સાથે આખી દુનિયામાં કોઈ ન આવે. અને એટલાજ માટે જ ખરેખર

                           ” મેરા ભારત મહાન “

No Comments »

ભાગવતની રત્ન કણિકાઓ.

ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભુલાય ત્યારે પ્રેમ સિધ્ધ થયો મનાય.

પરર્માત્મા પ્રેમીને જ પોતાનુ સ્વરૂપ બતાવે છે.

વંદનથી પ્રસંન થાય તે પરર્માત્મા અને પદાર્થથી પ્રસંન થાય તે જીવાત્મા.

પરર્માત્માને હિસાબ આપવાનો દિવસ તેને મરણ કહે છે.

જે જીવ કરે તે તેનુ નામ ક્રિયા અને પ્રભુ કરે તેનુ નામ લીલા.

વંદન માત્ર શરીરથી જ  નથી થતા, મનથી પણ વંદન કરાય.

શીવજી સ્મશાનમાં રહે છે, સ્મશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રકટ થાય છે, તેને રોજ યાદ રાખવાની જરૂર છે.

મનુષ્ય બધીજ તૈયારી કરે છે, પરંતુ મરણની તૈયારી કોઈ કરતુ નથી.

કથા સાંભળે, સતસંગ કરે તો  વિવેક આવે છે.

ભક્તિ મંદિરમાં નહી પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે.

ગણપતિનુ પૂજન એટલે જીતેન્દ્રીય થવું, સરસ્વતિની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે.

સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન સ્મરણ એક ઈષ્ટદેવનું જ કરો.

  ભાગવત મરણને સુધારે છે.

1 Comment »

શ્રેષ્ઠ યાત્રા.

૧- શરીરમાં ફેરફાર કરે છે  હોસપીટલની યાત્રા.

૨- વિધ્યામાં ફેરફાર કરેછે શાળા-કોલેજની યાત્રા.

૩- મનમાં  ફેરફાર કરે છે   માનસશાસ્ત્રીની યાત્રા.

૪- પોતાનાકર્મો ફેરફાર કરે છે જન્મ-મરણની યાત્રા.

૫- પરંતુ આપણા જીવાત્માની યાત્રાને ફેરવી નાખે છે

     ભગવાન અને તેમના સંતપુરુષોના શરણે જવાની

     પદયાત્રા !!!

     મનને દોષોનો સંગ્રહ કર્યા વિના ચેન પડતુ નથી

     જીવાત્મા અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે

     એનુ મુળ કારણ  છે દોષ સંગ્રહ.

No Comments »

પ્રાર્થના.

પ્રાર્થનામાં અજબ શક્તિ રહેલી છે.

હ્રદયના ઉડાણમાંથી નીકળેલ

ભાવભરેલ શબ્દોથી સર્જીત વાણી,

પ્રેમભાવથી હ્રદયથી કરેલ વિનંતિ

 ઈશ્વર જરૂર સાંભળે છે.  પ્રાર્થનામાં

શબ્દોનુ મહત્વ નથી હ્રદયના ભાવો

અને ઈશ્વર સાથેના પ્રેમનુ મહત્વ છે.

ભક્ત અને ઈશ્વરના સબંધનુ મહત્વ છે.

પ્રાર્થના જીવનનુ બળ અને શક્તિ છે

પ્રાર્થના તેની સ્થિતીમાંથી  ઉચકીને

પ્રાર્થના કરનાર વ્યક્તિને એક મહત

ચૈતન્ય સાથે સંબંધ જોડી વિષમ,કઠીન

પરિસ્થિતીની હતાશા અને શોક  દુર કરે છે.

પ્રાર્થના એટલે પરર્માત્મા સાથે ગોઠડી

પરર્માત્માનુ ચિન્તન અને અનુભવ.

1 Comment »

તણાવ.

 

શાસ્ત્રોમાં બતાવેલ એક ભારતીય નારીના બધાજ ગુણો રીનામાં ભરેલા છે.અને તેના આ

ગુણોને લીધેજ આજે એન્ઝાયટીથી પીડાઈ રહી છે. અને તેને લીધે હાઈ બ્લડપ્રેશર,

 કોલોસ્ટ્રોલ,એસીડ રીફ્લેક્ષ બધાજ રોગો તેના શરીરમાં ક્યારે પ્રવેશીને ઘર કરી ગયા તેની તેને ખબર ના પડી.

આજે એકદમ સુખી દેખાતી રીના બિમારીથી પીડાઈ રહી છે.આ બિમારીએ તેને બિસ્તર નથી પક્ડાવ્યો પરંતુ

માનસિક રીતે અસ્વસ્થ છે.

બધાજ કામે ગયા અને ઘરે એકલી બેઠી હતી અને વિચારોમાં ખોવાઈ અને અતિતની દુનિયામાં ચાલી ગઈ.

પ્રભુતામાં પગલાં માડ્યાં અને આજે પરણીને સાસરે આવી અને પહેલે દિવસે સવારે છ વાગે ઉઠીને નીચે

આવી.નીચે આવી સાસુમાને પગે લાગી અને જય શ્રી કૃષ્ણ કહ્યા,વળતાં જય શ્રી કૃષ્ણ સાંભળવાનુ ના મળ્યુ.

સામેથી સાસુમા ગુસ્સામાં બોલ્યાં ” આ ઉઠવાનો સમય છે ? મારા ઘરમાં આ બધુ નહી ચાલે, દરોજ સવારે

વહેલા ચાર વાગે ઉઠીને નીચે આવવાનુ “.

રીના તો ચોકી ગઈ તેણે આ જાતની ભાષા અને આ જાતનુ વર્તન ક્યારેય નથી જોયુ. માતો તેને હમેશાં

પ્રેમથી ઉઠાડતી, રીના માના શબ્દો યાદ કરવા લાગી ” બેટા રીના ઉઠો સવાર થઈ ગયુ,પાછુ તારે કોલેજ

જવાનુ મોડુ થશે ” રીના વિચારવા લાગી ક્યાં મારી માના પ્રેમ ભર્યા શબ્દો અને ક્યાં આ સાસુમાના આક્રોશ

ભર્યા શબ્દો. રીનાનો પતિ દિલ્લીમાં રહે, લગ્ન પછીથી એક વર્ષ સુધી સાસુમાએ પતિ-પત્નિને અલગ

રાખ્યા. એક વર્ષ પછી રીનાને દિલ્લી જવાની પરવાનગી મળી, રીના મનમાં વિચારે આતો સાસુમા છે

કે કોઈ જલ્લાદ ? પતિ-પત્નિને પણ સાથે નથી રહેવા દેતા. છતાં પણ રીના મન મનાવી લેતી, સાસુમા

છે ને ભલે બોલતાં.

પતિ સાથે દિલ્લી આવી બે વર્ષ બરાબર ચાલ્યુ પછીથી પતિનો ત્રાસ ચાલુ થઈ ગયો. રીના મુગા મોઢે

બધુ સહન કરતી, ક્યારેય સામે જવાબ ન આપે. રીનાએ જેટલુ સહન કર્યુ તેટલી તેના પતિની માર ઝુડ

ગાળા ગાળી વધી ગઈ, અત્યાચાર અને જુલમ વધતો ગયો. રીના તેનો પત્નિ ધર્મ બરાબર બજાવતી.

ક્યારેય પતિ સામે કોઈ શીકાયત નહી, ન કોઈ ફરિયાદ, ના કોઈ વસ્તુની અપેક્ષા. પતિના લાંબા આયુષ્ય

માટે જાત જાતના વ્રત અને તપ કરતી. અસલી ભારતીય નારી પોતાની ફરજ, પરિવાર તરફનો પોતાનો

ધર્મ ક્યારેય ન ચુકે. રીના, પતિ અને પતિના પરિવારને માટેજ જીવે છે. પોતાની જાત પ્રત્યે ક્યારેય ધ્યાન

નથી આપ્યુ.

વિચારોમાં હતી અને તેની બેનનો શિકાગોથી ફોન આવ્યો, અને રીના જાગૃત થઈ અને અસલી દુનિયામાં

આવી. બેન સાથે થોડી વાત ચીત કરી ફોન મુક્યો. આજે વીસ વર્ષથી રીના અમેરિકામાં રહે છે. તેની સાથે

તેને ત્રાસ આપવા વાળુ કોઈ નથી.એક દિકરો અને દિકરી,પ્રેમાળ વહુ અને જમાઈ, પૌત્રો.પૌત્રી. હવે જીવનમાં

કોઈ દુખ નથી,કોઈ બોલવા વાળુ નથી. પતિ પણ તેને છોડીને સ્વર્ગે સીધાવ્યો છે.દિકરો  આજ્ઞાકારી અને

સમજ્દાર, જે જ્યારે પંદર વર્ષનો હતો, પિતાના પોતાની મા પરના અત્યાચાર જોઈને બોલતો મમ્મી તૂ

કયા જમાનાની છુ ? આવા માણસને છોડીને ચાલી જા. રીનાને તેના કોઈ વાંક વીના પતિનો ત્રાસ હતો.

રીના દિકરાને કહેતી બેટા હુ ક્યાં જાઉ આ જ મારી દુનિયા છે.

પતિના અત્યાચારથી કંટાળેલી રીના ભગવાનને પ્રાર્થના કરતી અમને બેમાંથી એકને લઈલે. હવે હદ આવી

ગઈ છે, સહન નથી થતુ. આવા કજીયા કંકાસ વાળા વાતાવરણમાં રહીને રીનાનો સ્વભાવ બદલાઈ ગયો હતો

ગરીબડી ગાય જેવી રીના, તદન ઓછુ બોલવુ, સહન શક્તિની મુર્તિ, તેને હવે ચિન્તા, ફિકર, વિચારોમાં ખોવાએલુ

રહેવુ, કોઈ પણ કામ હોય તો ચિન્તિત થઈ જાય. તેના પતિની આદત હવે તેનો સ્વભાવ બની ગયો હતો. માર ઝુડ

વીના તેને કંઈ દેખાતુ ન હતુ. ઘરમાં કજીયા કંકાસ વાળુ વાતાવરણ થઈ ગયુ  હતુ.

હવે ત્રાસ આપવાવાળો પતિ નથી રહ્યો પરંતુ તેના સ્વભાવને લીધે જે બિમારીઓ આવી છે તેનુ શુ ? રીના વર્ષોથી

શાંતિ શોધે છે.ગાડી બંગલા,સુખ વૈભવ બધુ જ છે.મનની શાંતિની શોધમાં છે. તે હમેશાં વિચારે છે જીવનમાં હુ દુખી

કેમ થઈ ? અને એનો જવાબ તેની અંદર બેઠેલો આત્મા આપે છે, તારા સ્વભાવના કારણે તુ દુખી થઈ હતી.

સ્વભાવને જમાનાને અનુરૂપ અને સમયને અનુલક્ષીને બદલવો પડે.

” એટલે ‘ ?

મને આત્માએ ફરી પ્રશ્ન પુછ્યો,” તે જે દુખો વેઠ્યા તેને સૌ સંતાનોએ જોયા છે ને” ?

તેથી તેઓ તો તને માનશે..

 પણ હવે તૂ ” આજ ” માં જીવ અને હા, વહુને માટે મા બન.. સાસુ ન બનીશ”.

” એટલે ”

“અપાય તેટલુ આપ તેઓને  પણ, તેમની રીતે હસવાનો અને જીવવાની મોકળાશ આપ”

થોડીક વાર સ્તબ્ધતા અનુભવતી રીનાએ ચારધામ યાત્રાએ જવાનો નિર્ણય કરી લીધો,

એ બહાને ચાર મહિના સંતાનોને મોકળાશ મળે અને ઉપર લઈ જવાનુ ભાથુ પણ બંધાય.

શ્રી કૃષ્ણની મોરલી પાછળ વાગતી સાંભળી તેનો બધો તણાવ હવા થઈ ગયો !!!

4 Comments »

value.

                 

                         when you start giving too much

                               importance to some one

                                         in your life

                                     you tend to lose

                                your value jn their life

                                    strange  but  true.

No Comments »

આત્મ ચિન્તન.

આપણે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જવુ હોય તો સૌથી પહેલાં તેના માટે, જ્ઞાન માટે

 માહિતી ભેગી કરીએ અને આગળ વધીએ તેવીજ રીતે આધ્યામિક માર્ગ પર ચાલવુ

 હોય તો આપણે  તેના જ્ઞાન માટે વેદ,પુરાણ,ઉપનીષદ,ધાર્મિક પુસ્તકોનો સહારો લઈને

જ્ઞાન મેળવીએ છીએ.  અને સાથે સાથે કોઈ જ્ઞાની ગુરુના સાનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.ગુરુ શિષ્યને યોગ્ય જ્ઞાન આપીને આધ્યામિક માર્ગ પર આગળ વધવામાં મદદ રૂપ થાય છે.આતો છે ભક્તિ માર્ગ, ભક્તિથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.બીજો માર્ગ છે યોગ માર્ગ યોગ પણ એક વિજ્ઞાન છે. આજનુ આધુનીક વિજ્ઞાન યોગ વિજ્ઞાનને નથી માનતુ. આધુનીક વિજ્ઞાન પ્રયોગોને આધારે જે પરિણામ આવે તેને માને છે.પરંતુ યોગ વિજ્ઞાનમાં બતાવેલ માહિતીમાં કોઈ માને કે ના માને પરંતુ સત્ય છે. કોઈ પ્રખર ધ્યાનયોગ સાધનાથી ઉચાઈએ પહોચેલ ગુરુ શિષ્યને યોગ્ય માર્ગ દર્શનથી શિષ્યને મોક્ષ અપાવી શકે.ભક્તિ માર્ગમાં શાસ્ત્રને આધારે અને આપણે જે સંપ્રદાય અથવા જે ધર્મ અપનાવ્યો હોય તે પ્રમાણે તેના નિતિ નિયમો પ્રમાણે ચાલવુ પડે છે. જ્યારે યોગ માર્ગ એવો છે જેમાં વ્યક્તિએ પોતે પોતાની જાત પર પ્રયોગ કરવાનો છે. ધ્યાનમાં બેસવાનુ છે, એકાગ્રતા લાવવાની છે તેમાં કોઈ બે મત નહી. જ્યારે અલગ-અલગ સંપ્રદાય અને અલગ-અલગ ધર્મો, એકજ વસ્તુ, એકજ વાત માટે તેમના જુદા જુદા વિચારો અને અભિપ્રાય હોય, બે મત હોય.આ ધ્યાન જ એક એવી પધ્ધતી છે જેમાં કોઈ બે મત નથી.ભક્તિ માર્ગમાં મોક્ષ મળે પરંતુ એક જન્મમાં ક્યારેય ન મળે, કેટલા જન્મો પછીથી મોક્ષને પામી શકાય જ્યારે યોગ માર્ગમાં પ્રખર સાધનાથી  ધારો તો મોક્ષ જલ્દી મળી શકે.યોગ વિજ્ઞાન એ બહુજ ઘહન વિષય છે, જે એક બે પાનામાં ન લખી શકાય આપણા ઋષિ મુનિયોએ વર્ષો યોગ તપસ્યા કરી છે.

યોગ વિજ્ઞાનમાં, યોગની ભાષામાં આપણા સાત શરીરનુ વર્ણન છે.

૧-સ્થુળ શરીર, ૨-પ્રાણ શરીર, ૩- સુક્ષ્મ શરીર, ૪-કારણ શરીર, ૫-મહા કારણ શરીર, ૬-ચૈતન્ય શરીર, ૭-વિરાટ શરીર.

અને શુક્ષ્મશરીરમાં સાત ચક્રોનુ વર્ણન છે. આ સાત ચક્રો નીચેથી ઉપરની તરફ,

૧-મુલાધારચક્ર, જેને ચાર પાંખડી.  ( ગણેશ)

૨-સ્વાધિષ્ઠાનચક્ર,  જેને છ પાંખડી. ( બ્રહ્મા)

૩-મણિપુરચક્ર ,  જેને દસ પાંખડી.    ( વિષ્ણુ )

૪-અનાહતચક્ર, જેને બાર પાંખડી.  ( શિવ )

૫-વિશુધચક્ર , જેને સોલ પાંખડી ( જીવ )

૬-આજ્ઞાચક્ર, જેને બે પાંખડી.   ( આત્મા)

૭-સહસ્ત્રાધારચક્ર, જેને હજાર પાંખડી.( પરમાત્મા)

( મહાવીર ભગવાન જ્યારે જંગલમાં વિચરણ કરતા અને તેઓ જ્યાંથી પસાર થતા ત્યારે બે માઈલના અંતર સુધી જંગલી પ્રાણીઓ બીજા પ્રાણીની હત્યા કરવાનુ ,હિન્સા કરવાનુ છોડી દેતા હતા. મહાવીરસ્વામિ મનુષ્ય અવતારમાં હતા, અને તેમના તેજનો પ્રભાવ દુર દુર સુધી હતો સાધનાથી તેમના શુક્ષ્મ શરીરનો ઘેરાવો માઈલો સુધી દુર સુધી વીકસેલો  હતો ).

કોઈ સિધ્ધ ગુરુ શિષ્યને શક્તિપાત આપે એટલે તે વ્યક્તિની કુન્ડલીની જાગૃત થાય.કુન્ડલીની નીચેથી ઉપર પહેલા મુલાધાર ચક્રમાં પ્રવેશે અને  કુન્ડલીની તેનુ કામ શરૂ કરી દે, કુન્ડલીની એક પછી એક બધા ચક્રોમાંથી પસાર થાય છે,અને અનેક જન્મોના ભેગા થયેલ સારા ખોટા કર્મોને બાળી મુકે અને જ્યારે બધાજ કર્મો બળીને ભસ્મ થાય એટલે મનુષ્યને મોક્ષ અપાવે.કુન્ડલીનુ કામ છે આત્માને પરમાત્મા સાથે મિલાવવાનુ. નિયમિત ધ્યાનથી શુક્ષ્મ શરીરના ચક્રો ગતિમાન થાય છે. જાગૃત કુન્ડલીની  યોગ સાધનાથી આ વ્યક્તિનુ મન ધીમે ધીમે શાંત થતુ જાય છે. અને જ્યારે મન શાંત પડે પછી પાંચ જ્ઞાનેન્દ્રીયો કાબુમાં આવે અને સાધક વ્યક્તિને ધ્યાનસ્થ અવસ્થા આવી જાય.એ વ્યક્તિ અંર્તરમુખ બની જાય.બાહ્ય જગત તેને મન તુચ્છ લાગે છે,સાચો આનંદ આપણી અંદર જ રહેલો છે,અને તે  નીજાનંદમાં મ્હાલે છે. પછી દુનિયાની મોહ માયા, લાલચ, રાગ-દ્વેષ કંઈજ રહેતુ નથી. અને આવી વ્યક્તિના મોક્ષના દ્વાર ખુલી જાય છે.

ન જન્મ ન મૃત્યુ, ચિદાનંદરુપઃ

 શિવોહમ – શિવોહમ -શિવોહમ.

1 Comment »

Apologizing.

 

                                      ( apologinzing  )

               Does  not always  mean that you are wrong

               and the other persion is right , it just mean that

              you value your relationship more than your ego.

              અર્થાત —

              માફી માગવી એનો એવો  અર્થ નથી કે તમે ખોટા છો

              અને બીજુ માણસ સાચુ છે, એનો અર્થ એટલોજ  છે કે

              માફી માગીને તમે તમારા અભિમાન કરતાં સબંધોની

               કિમંત વધારી રહ્યા છો.

2 Comments »

તે રીતે પડ્યો લંકાપતિ.

   ( કવિ પ્રેમાનંદ કૃત )

 શ્રીરામચંદ્ર રાવણ હણવા કીધી ક્રોધની દ્ર્ષ્ટિ રે

જદ્યપી જુધ દારુણ કીધુ રાવણે બળ-પ્રાણ રે

બળ શક્તિ વિદ્યા નાશ પામ્યા ને ભેદ્યાં મર્મે બાણ રે

અંતકાળ જાણી આપણો ચિત્ત માંહે ચેત્યો ભૂપ રે

વીસ લોચન અવલોકે રામને હ્રદયે આણ્યુ રૂપ રે

તવ સર્વના હિત કારણે કોપે ચડ્યા જગદીશ રે

એક બાણ મૂક્યુ કંઠ માંહે તોહાં ત્રણ છેદ્યાં શીર રે

બીજે બાણે ખટ શીશ છેદ્યાં ત રહ્યુ મસ્તક એક રે

નવ મસ્તક્ની પાડી પંગત તોહે ના મુકે ટેક રે

જ્યમ  ડોલે મગદળ એક દેતો ત્યમ એક શીશે ધીશ રે

શુ એક શૃગે ગિરી ધાતુ ઝરે,સ્ત્રવે રુધિર ગળે તાં રીસ રે

એક મસ્તકે ઉભો રાવણ કરી સુમ્પટ વીસે હાથ રે

અંતકાળે સ્તવન કીધુ ઓળખ્યા શ્રીરઘુનાથ રે

હ્રદે કમળમાં ધ્યાન ધરિયુ નખશીખ નીરખ્યા રામ રે

મને આવાગમનથી છોડાવો હરિ! આવો વૈકુન્ઠ ધામ રે

એવુ સ્મરણ જાણી દાસનુ રીઝ્યા શ્રી જગદીશ રે

પછી અગસ્ત ઋષિનુ બાણ મુકી છેદીયુ દશમુ શીશ રે

જ્યમ ગ્રહ સંગાથે પડે સવિતા મુળ થકો મેર રે

તે રીતે પડ્યો લંકાપતિ શબ્દ થયો ચોફેર રે

શુભમસ્તુ કલ્યાણકારી હરિનુ નામ નિદાનજી

ભટ પ્રેમાનંદ કહે કર જોડી રાખો હરિનુ ધ્યાનજી.

—પ્રેમાનંદ ( રણયક્ષ )

1 Comment »

નવરાત્રિ.

સામાન્ય રીતે આપણા શાસ્ત્રો વેદ પુરાણ વગેરેમાં લગભગ યોગ વિજ્ઞાન

સમાએલુ છે, અને આધુનિક વિજ્ઞાન તેને માનતુ નથી.આધુનિક વિજ્ઞાન

પ્રયોગોને આધારે તેનુ પરિણામ જોઈને પછી તેને માન્યતા આપે અને

તે વસ્તુમાં વિશ્વાસ કરે. જ્યારે યોગ વિજ્ઞાન માણસે જાતેજ પોતાની ઉપર

પ્રયોગ કરીને તેનો અહેસાસ કરવાનો હોય એટલે આપણા શાસ્ત્રોને આધારે પડેલ રિતિ રિવાજો યા તો વાર તહેવાર અને ઉત્સવો ને ન માને. પરંતુ હકિકત તો એ છે, સાસ્ત્રોની દરેક વાતમાં તથ્ય છે અને સચ્ચાઈ પણ છે અને અમુક વખત એ શ્રધ્ધાનો વિષય બની જાય અને ઘણા લોકોને બોલતા સાભળ્યા છે અમે આમાં નથી માનતા.કોઈ પણ વસ્તુ શ્રધ્ધા અને પ્રેમથી કરવામાં આવે તો તેનુ પરિણામ પણ સારુ આવે.

નવરાત્રિના પાવન દિવસોમાં મા શક્તિની અર્ચના  ઉપાસના અને માતાજીની આરાધનાનુ  ખાસ મહત્વ છે.આ દિવસોમાં મા દુર્ગાની આદ્ય શક્તિ પુરા બ્રમ્હાડમાં તિવ્ર બનીને પ્રસરી રહે છે અને આ શક્તિની આપણે નવ દિવસોમાં પ્રેમ અને ભક્તિભાવથી વંદના અને આરાધના કરવાની છે.મા દુર્ગાની  ભક્તિ અને આરાધના આપણે નવ દિવસ ગરબાના રૂપે સમુહમાં એકી સાથે કરીએ છે.

ગરબાની અંદર ત્રણ તત્વો સમાએલા છે, શરીર (સ્થુલ શરીર),આત્મા( શુક્ષ્મ શરીર-આત્મા શુક્ષ્મ શરીરમાં છે) અને ગરબાની જ્યોતની  વચ્ચે જે  અવકાશ રહેલો છે એ છે પ્રાણ તત્વ એને જોઈ શકાતો નથી.    નવરાત્રિ ઉત્સવ માનવજીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ નવ દિવસોમાં આદ્યશક્તિ માદુર્ગાના નવ સ્વરૂપો,    શૈલપુત્રી,બ્રમ્હચારિણી,ચંદ્રઘટા,કુષ્માન્ડા,સ્કંદમાતા,કાત્યાયણી,કાલરાત્રિ,મહાગૌરી તથા સિધ્ધિ રાત્રિની વિધિ વિધાનથી   પૂજા અર્ચના કરીને મનોકામના સિધ્ધ કરી શકાય છે.ભગવાન રામે પણ રાવણ સાથેના યુધ્ધ માટે વિજયના આશીર્વાદ લીધા હતા. મનુષ્ય પણ માતાજીના મંત્રોનો શ્રધ્ધાથી જાપ કરીને  માભગવતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે .

2 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.