Archive for the 'ચિન્તન' Category

શ્રી શિવષડક્ષર સ્તોત્રમ .

                                  શ્રી શિવષડક્ષર સ્તોત્રમ

                                            [ ૧ ]

                    ૐકારં બિન્દુસંયુકત્મ , નિત્યં ધ્યાયંતિ યોગિનઃ

                    કામદં મોક્ષદં ચૈવ ,  ૐકારાય  નમો  નમઃ

( બિન્દુયુક્ત એવો જે ૐકાર-પ્રણવ કે જે ઈચ્છાને પૂર્ણ કરનાર અને મોક્ષને આપનાર છે .

તેનુ  યોગીઓ નિરંતર ધ્યાન કરે છે . માટે તે ” ૐકાર ” રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                                [ ૨ ]

                             નમંતિ ઋષયો દેવો , નમંત્યપ્સરસાં ગણા

                             નરા નમંતિ દેવેશં , નકારાય નમો નમઃ

( દેવોના ઈશ્વર શંકરને, ૠષિઓ અને દેવો નમન કરે છે .અપ્સરાઓના ગણો નમન કરે છે

અને મનુષ્યો પણ નમન કરે છે .માટે તે ” નકાર ” વર્ણરુપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ).

                                                 [ ૩ ]

                            મહાદેવં મહાત્માનં , મહાધ્યાનં પરાયણમ

                               મહાપાપહરં દેવં , મકારાય નમો નમઃ

( જે મહાદેવ, મહાત્મા, મહાધ્યાન યુક્ત અને મહાપાપને નાશ કરનાર દેવ છે

   તે ” મકાર ” વર્ણરૂપ   શંકરને મારા વારંવાર પ્રણામ હો ) . 

                                             [ ૪ ]

                            શિવં શાંતં જગન્નાથં , લોકાનાં ગ્રહકારકમ

                            શિવમેક પદં નિત્યં , શિકારાય નમો નમઃ

( જે કલ્યાણરૂપ , શાંત , જગતના નાથ , લોકો પર અનુગ્રહ કરનારા, મોક્ષરૂપી એક સ્થાનભૂત

  અને નિત્ય છે તે ” શિકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૫ ]

                    વાહનં વૃષભો યસ્ય , વાસુકિ કંઠ ભૂષણમ

                   વામે શક્તિ ધરં દેવ , વકારાય નમો નમઃ

( વૃષભ નંદી જેમનુ વાહન છે , વાસુકી જેમના કંઠનો અલંકાર છે અને પોતાના વામભાગને વિષે જે દેવે

  શક્તિ-પાર્વતિને ધારણ કરેલા છે તે ” વકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૬ ]

                       યત્ર યત્ર સ્થિતો દેવં , સર્વ વ્યાપી મહેશ્વર 

                       યો ગુરુ:  સર્વદેવાનાં , યકારાય નમો નમ:  

( જે જે ઠેકાણે સર્વ વ્યાપી દેવ મહેશ્વર રહેલા છે .તે તે સ્થાન રૂપ અને જે સર્વ દેવોના દેવ ગુરુ છે

         તે  ” યાકાર ” વર્ણ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                      [ ૭ ]

                    ષડક્ષરમિદં સ્તોત્રં , ય  પઠેચ્છિવસંનિધૌ

                    શિવલોકમવાપ્નોતિ , શિવેન સહ મોદતે .

( આ છ અક્ષરના સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોક્ને

   પ્રાપ્ત થઈ શંકરની સાથે આનંદ ભોગવે છે  )

             ૐ શાંતિ :          ૐ શાંતિ :            ૐ શાંતિ:

3 Comments »

ૐ નમઃ શિવાય

   શ્રાવણ માસ અતિ પવિત્ર અને  શિવ પૂજન  અને અર્ચના

  તેમજ  શિવ  આરાધના માટે  ખાસ  મહત્વના પાવન દિવસો .

 પ્રેમથી  ભક્તિભાવ સાથે  ભોળેનાથનુ  સ્મરણ કરીએ .      

                      મહામૃત્યુનજય મંત્ર

                             (વેદોક્ત)

        ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ

        ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મ્રુક્ષીય મામૃતાત

( દિવ્ય ગંધયુક્ત બધાના પોષક હે ત્રિલોચન ‘ભગવાન શિવ’

  અમે આપનુ પૂજન કરીએ છીએ, જેમ પાકુ થયેલ ફળ

 આપોઆપ વૃક્ષ પરથી ડીટામાંથી તૂટી પડે છે તેમ અમને

પણ અમારૂ કાર્ય પુરુ થયે લઈ લેજો. આપની કૃપાથી મૃત્યુથી

મુક્ત થઈ અમૃતમાં વિલિન થઈ  જઈએ  ).

                       મૃત્યુનજય મંત્ર

                         (પુરાણોક્ત)

મૃત્યુનજય મહાદેવ, ત્રાહિમામ શરણાગતમ

જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પિડીતં કર્મ બંધનૈ .

( હે મૃત્યુને જીતનારા મહાદેવ આપને શરણે

આવેલ અને કર્મના બંધનો વડે જન્મ,મૃત્યુ

જરા,તેમજ રોગોથી પીડાએલા એવા મારુ

આપ રક્ષણ કરો ) .

1 Comment »

શોભે સત્ય , સત્યના રૂપમાં .

સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે . પણ

સત્ય એના સત્યના  રૂપમાં હોવુ જોઈએ , એની વ્યાખ્યામાં હોવુ જોઈએ .પોતાનુ

સાચુ ઠરાવવા માટે લોકો પાછળ પડે છે, પણ સાચાને સાચુ ઠરાવશો નહી .

સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવુ કે તમારુ સાચુ નથી .કંઈક

કારણ છે એની પાછળ, એટલે  સાચુ કોને કહેવાય ? સાચી વાતને સાચી ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામુ

જોવાનુ નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ .સત્ય હોવુ જોઈએ ,પ્રિય હોવુ જોઈએ, હિતવાળુ હોવુ જોઈએ ,

ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવુ જોઈએ , એનુ નામ સત્ય કહેવાય .એટલે સત્ય , પ્રિય ,હિત અને મિત

આચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે , નહી તો અસત્ય છે .

                             (    નગ્ન સત્ય , ના શોભે . )

નગ્ન સત્ય બોલવુ એ ભયંકર ગુનો છે . કારણ કે કેટલીય બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતુ હોય તે

બોલાય .કોઈને દુખ થાય એવી વાણી સાચી-કહેવાતી જ નથી . નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ

તો એ ય જૂઠુ કહેવાય .

 નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ?  કે પોતાનાં મધર હોય તેને કહેશે ‘ તમે તો મારા બાપના વહુ થાવ ‘

એવુ કહે તો સારૂ દેખાય ? આ સત્ય હોય તો પણ મા ગાળો ભાંડે ને ? મા શુ કહે ? મુઆ મોઢુ ના દેખાડીશ .

અરે આ સત્ય કહુ છુ , તમે મારા બાપના વહુ થાવ , એવુ બધાં કબુલ કરે એવી વાત છે ?  પણ એવુ ના

બોલાય . એટલે નગ્ન સત્ય ના બોલવુ જોઈએ .

                                             ( સત્ય પણ પ્રિય ખપે )

એટલે સત્યની વ્યાખા શુ કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવુ હોવુ જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી

કહેવાય ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી . સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં

સાચુ હોવુ જોઈએ .તે ય પાછુ સામાને પ્રિય હોવુ જોઈએ .

લોકો નથી કહેતા કે ‘ એય કાણિયા તુ અહી આવ ‘. તો એને સારુ લાગે ? અને કોઈ ધીમે રહીને કહે ,

ભઈ તમારી આંખ શી રીતે ગઈ ? તો એ જવાબ આપે કે ન આપે ? અને એને કાણિયો કહીએ તો ?

પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મુક્યો ,  સત્ય એ પ્રિય જોઈએ .

નહી તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતુ નથી .કો’ક ઘૈડા હોય તો તેને ‘માજી’

કહેવુ .એમને ડોશી કહ્યા હોય તો એ કહે ,રડ્યો  મને ડોશી કહે છે ? હવે અઠ્યોત્તેર વર્ષનાં , પણ પેલાં ડોશી

કહે તો પોષાય નહી શાથી ? એમને અપમાન જેવુ લાગે . એટલે આપણે એમને માજી કહીએ કે ‘માજી આવો’

તો એ રૂપાળુ દેખાય અને તો એ ખુશ થઈ જાય . શુ ભઈ .પાણી જોઈએ છે ? તમને પાણી પાઉ ?  કહેશે

એટલે પાણી-બાણી બધુ ય પાય .

                                                                      ( પૂજ્ય શ્રી દાદા ભગવાન ) .

1 Comment »

દ્રષ્ટિ એવી સૃસ્ટિ .

શ્રી કૃષ્ણ રંગ મંડપમાં પ્રેવેશે ત્યારે તે સભામાં વિરાજેલા અનેક લોકોને

અધિકાર પ્રમાણે અલગ  અલગ દેખાય છે .તેને જ મહાત્માઓ દ્રષ્ટિસૃષ્ટિવાદ

કહે છે . સભામાં જે પહેલાવાન હતા તેમને શ્રી કૃષ્ણ વજ્ર જેવા લાગ્યા .

સાધારણ  મનુષ્યને રત્ન જેવા લાગ્યા . સ્ત્રીઓને તો કામદેવ જેવા લાગ્યા .

ગોવાળોને સ્વજન જેવા લાગ્યા . દુષ્ટ રાજાઓને સર્વશાસક  લાગ્યા .

નંદબાબાને બાળક જેવા લાગ્યા . કંસને મૃત્યુરૂપ લાગ્યા . યોગી ૠષિ

મહાત્માઓને તો સાક્ષાત પરમાત્મા લાગ્યા . યાદવો અને ભક્તોને પોતાના

ઈષ્ટ દેવ લાગ્યા . જેવી દ્રષ્ટિ તેને ભગવાન તેવા દેખાય છે . એકજ પ્રભુ

સર્વત્ર રમે છે . તે દ્વૈત-ભેદભાવ તે માયાનુ કારણ છે . માયા એવી છે કે

પ્રેમથી શ્રી કૃષ્ણ્નુ નામ લેતાં જ ભાગી જાય છે .

2 Comments »

શાંતિની શોધ .

આત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં બધીજ જ જગ્યાએ પુરા વિશ્વમાં

અશાંતિ વર્તાઈ રહી છે . કોઈ પણ દેશ , રાષ્ટ્ર  ક્યાંય શાન્તિ નથી . આતંકવાદથી

ઉભી થયેલ અશાંતિ ,જે પુરા દેશને હલાવી દે અને લોકો પણ ભય અને બીકમાં

જીવતા હોય ક્યાંય પોતાની સલામતી દેખાતી નથી .કોઈ પણ વ્યક્તિ સલામત નથી . ઘરની  બહાર નીકળે

પરંતુ દિલમાં એક ડર હોય ,સહીસલામત ઘરે પાછા પહોચાસે કે નહી ? ઘરે પાછા ફરે પછી થોડી રાહત

અનુભવે .

          દુનિયાના દરેક દેશ વચ્ચે પરમાણુ   હથિયારો બનાવવાની એક અજબની હરિફાઈ ચાલી રહી હોય એમ

લાગે છે . ત્યારે દુનિયા આખી યુધ્ધના ભય નીચે જીવતી હોય . માથા પર હમેશા લટકતી તલવાર હોય .

ત્યાં આગળ મગજને શાંતિ ક્યાંથી હોય ? એક દેશ બીજા દેશની ઉઘ હરામ કરી દે .દરેક દેશને પોતાની

પરમાણુ તાકાત વધારવી છે .અત્યંત આધુનીક ઉપકરણો બનાવ્યા અને આ ઉપકરણોની મદદથી જીવન

સરળ બનાવ્યુ , શારિરીક શ્રમ ઓછો કર્યો ત્યારે માનસિક શ્રમ વધી ગયો . જીવન સરળ તો બન્યુ છતાં

પણ માનસિક પરિતાપ વધતો જાય ત્યાં આગળ શાંતિ ક્યાંથી હોય ? જેટલી પ્રગતિ થઈ રહી છે તેની

પાછળ દોડ ધામ પણ એટલીજ વધી ગઈ છે . લોકો દોડ્યા જ કરે , અત્યારે કોઈની પાસે સમય નથી

નિરાંત નથી .અને આ દોડ ધામને લીધે જ અશાંતિ વધી ગઈ છે .

          જીવનમાં માણસ પાસે ધન દોલત જોઈતા પ્રમાણમાં હોય તો પણ , અત્યારે વધારેને વધારે ધન

કેમ ભેગુ કરવુ બસ તેની પાછળ હોય અને આ પૈસા ભેગા કરવા માટે પણ હમેશાં સતત ચિન્તામાં હોય

બિલકુલ શાંતિ ન હોય . ભગવાને બરાબર જ આપેલુ છે છતાં મનને શાંતિ નથી .ઉન્નતિ થાય તો તેમાં

પણ ઓર આગળ વધવાની ઝંખના અને તેને લીધે મન અશાંત બની જાય .માણસની લાલસાઓજ

માણસને અશાંત બનાવી દે છે , અને અમુક વખતે માણસે પોતાની જાતેજ અશાંતિને આમંત્રણ આપ્યુ

હોય . અને સમાજમાં બોલ્યા કરે ભગવાને મને શાંતિ નથી આપી . અત્યારે બાળકથી માંડીને યુવાન

પ્રૌઢ કે વૃધ્ધ માણસો હોય બધાજ એક માનસિક તનાવમાં જીવતા હોય છે . બધાજ શાંતિની ખોજમાં છે

અત્યારે મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા ,ગિરજાઘર બધેજ માનવ સમુદાયનો ધસારો વધતો ગયો  છે , અહિયાં

શાન્તિ છે .નદીયો ,દરિયા કિનારે ,સરોવર ,પર્વતો અગેરે કુદરતી સૌન્દર્ય માણવા માટે લોકોની ભીડ વધતી

જાય છે .માનવ રચિત , મન આનંદમાં રાખવાના સાધનો વધતા ગયા છે , લોકો તેમાંથી પણ આનંદ લેછે

કોઈ સારો માર્ગ અપનાવીને મનની શાંતિ શોધે તો કોઈ વળી ગલત-ખોટી વસ્તુઓમાં મનની શાંતિ શોધે .

 બધી જગ્યાઓએ બસ શાંતિની ખોજ છે . પશ્ચિમી દેશો પણ હવે આપણી સદીયો પુરાણી ધ્યાન – યોગ

પધ્ધતિ અપનાવી રહ્યા છે . ધ્યાન – યોગથી મનની શાંતિ શક્ય છે .ૠષિ પતંજલિ આપણને બહુજ મોટી

અમુલ્ય ભેટ આપીને ગયા છે .

પરંતુ જેટલી શાંતિ શોધે એટલી દુર ભાગે .દરેકનુ મન અશાંત છે . આ અશાંતિ માટે કોણ જવાબદાર છે ?

જીવન વધારે પડતુ વૈભવશાળી બની ગયુ ?એક બીજાની નકલ અને એક બીજા સાથે જીવનની હરિફાઈ ?

અને આ અસ્થિરતા માણસને ઘણી વખત ખોટા વ્યસનો તરફ દોરી જાય .અને પછી બરબાદી શરૂ થઈ જાય.

મનની અશાંતિ મનની અસ્થિરતા ઉભી કરે છે અને માણસને  આપઘાત કરવા માટે પ્રેરે ,તેના માટે જીવન

કઠીન અને અસહ્ય બની જાય ,તેને આપઘાત સિવાય બીજો માર્ગ દેખાય જ નહી . કેટલી મોટી કરૂણા  ?

બાળકો પણ નશીલી દવાઓનુ સેવન ચાલુ કરી દે. આવતી કાલનો નાગરીક જો આ રસ્તા પર ચાલે તો પછી

શુ પરિણામ આવે સમસ્યા તો ગંભીર છે , પરંતુ તેનો ઉકેલ શોધવો મુશ્કીલ છે .આપણે ભગવાનને પ્રાર્થના

કરી શકીએ .

                   ॐ द्यौः शांति रन्तरिक्षः ग्गूम शांतिः

          पृथ्वि शांतिरापः ,  शांति   रोखधयः   शांतिः  ,  वनस्पतयः  ,

       शांति     विश्वे देवाः    शांति ब्रह्म शांतिः , सर्व ग्गूम स्शांतिः ,  शांति रेव शांतिः

       सा मा शांति रेधि ,  सर्वारिष्ट शांतिर्भवतु

       ॐ शांतिः — शांतिः — शांतिः

  શાંતિ કરો પ્રભુ ત્રિભુવનમાં .

  શાંતિ કરો જલ , થલ , ગગનમાં ,

અંતરિક્ષમાં , અગ્નિમાં , ઔષધિમાં ,

વનસ્પતિ , વન-ઉપવન , સકલ વિશ્વમાં ,

જડ-ચતનમાં , શાંતિ રાષ્ર્ટ નિર્માણ સર્જનમાં ,

નગર ગ્રામ અને મારા ભવનમાં

જીવ માત્રના તન-મનમાં અને જગતના

કણ-કણમાં

ૐ શાંતિઃ — શાંતિઃ — શાંતિઃ

1 Comment »

માટીના મોલ .

માટી , આમ તો લાગે તેની કોઈ કિમ્મત નથી પરંતુ વિચારીએ અને સમજીએ

તો નકામી લાગતી માટીની કિમ્મત ઘણીજ છે ,અણમોલ છે .

અવિનાશભાઈ વ્યાસની એક રચના યાદ આવી જાય છે .

રાખના રમકડા મારા રામે ,રમતા રાખ્યારે મૃત્યુ લોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે રાખના રમક્ડાં.

 કવિએ કેટલી મોટી અને ગહન વાત કરી છે .તેમની આ રચના આપણને ઘણુ બધુ કહે છે .

ઈશ્વરે જીવ માત્રની રચના માટીમાંથી કરી છે ,માટીમાંથી માનવ જાતનુ સર્જન થયુ છે અને અંત સમયે

પણ અંતિમ પડાવ આવે ત્યારે આપણે માટીમાં જ ભળી જ્વાનુ છે .

આપણે હમેશાં બોલતા હોઈએ છીએ કોઈની સાથે સબંધ નહી બગાડવાનો ,ચપટી ધૂરની પણ જરૂર પડે ,

ચપટી ધૂરનો પણ ખપ છે .આ ચપટી ધૂર ,આ માટી કેટલી અણમોલ છે .ધૂર આંખમાં પડે તો તકલીફ થાય

પરંતુ આ જ ધૂર શ્રી ક્રિષ્ણ ચરણ રજ બનતાં જ પવિત્ર અને અણમોલ બની જાય છે જે દુર્લભ છે .નસીબવંત

આ ચરણ્રરજ પામી શકે .માટીના ધૂરના એક રજક્ણની જો આટલી મહિમા હોય તો માટી કેટલી બધી

મહત્વની છે .જેમ માણસ પંચ મહાભૂતમાંથી બને છે અને પંચમહાભૂતમાં સમાઈ જાય છે ,આ પંચમહા

ભૂતમાં એક તત્વ પૃથ્વીની-ધરતીમાતાની માટી છે .

માટીમાંથી માનવ સર્જાયા અને માનવનુ ભરણ પોષણ માટી જ કરે છે . માટીમાં બીજ વાવતાં જ આપણને

અન્ન,ફળ,ફુલ અને વૃક્ષો ઉગી નીકળે .વૃક્ષો જો પક્ષીઓનુ આશ્રય સ્થાન અને મીઠી છાંવ છે તો મનુષ્યને

પણ આશીયાના બનાવવામાં મદદ રૂપ થાય . આમ જોઈએ તો મનુષ્યની છત્ર છાયા માટી જ છે . જુના

જમાનામાં જ્યારે સંસ્કૃતિ આટલી વિકસેલી હતી નહી ત્યારે ઉપયોગી વાસણો માટીમાંથી બનતાં. અને

આજની તારીખમાં ઉનાળામાં માટલાનુ પાણી ,કુદરતી ઠંડક, મીઠાસ અને મહેક લોકો માણે છે .આપણે

પરદેશમાં આવીને વસ્યા પરંતુ માટલાનુ ઠંડુ અને સુગંધી વાળુ પાણી આજે પણ નથી ભૂલાતુ .ફ્રીજના

પાણીમાં એ ગુણવત્તા ક્યાં છે જે એક માટલાના પાણીમાં છે .આપણા દેશમાં ક્લાઢામાં બનતી ભાખરી

અને બાજરાના રોટલાની મઝા આવતી હતી તે મઝા આજે નોનસ્ટીક પેનમાં બનતા  રોટલા ભાખરીમાં  ક્યાં

આવે છે .આજે પીવાય છે ફ્રીજની બોટલનુ પાણી , કુજાના પાણીની વાત સાવ જુદીજ છે .ભારતમાં ઘણી

જગ્યાએ કુલડીમાં ચ્હા આપવામાં આવે  છે ,માટીના વાસણમાં દહી જમાવે છે , વાહ ભારત દેશની શુ વાત

કરવી  જીવન જીવવાની એક અલગ અને અનોખી રીત-ભાત છે .દરેક વસ્તુની મહત્વતા સમજે ,અને પ્રેમથી

અપનાવી લે.

ધન્ય છે કુભાર જાતીને જેણે માટીના મોલ સમજીને માટીને ગલે લગાવીને માટીનો વ્યવસાય અપનાવ્યો.

તેને રાત-દિવસ માટીમાં જ રમવાનુ , માટી જ તેની જીન્દગી .ગોરા કુભારને કેમ ભુલી જવાય , તેમણે

શ્રી ક્રિષ્ણ ભક્તિ કરતા કરતા પોતાનો વ્યવસાય કર્યો છે .ભક્તિ સાથે તેમણે તેમનો વ્યવસાય નથી છોડ્યો.

અને ભક્તિમાં લીન પોતાના નાના બાળકને માટીની સાથે પગથી ગુદી નાખ્યો .પ્રભુએ તેમની ભક્તિની

પરિક્ષા કરી પરંતુ તેમણે પ્રભુ ભક્તિ અને સ્મરણ નથી છોડ્યુ .

 મનુષ્ય જીવનમાં માટીના મોલ બહુજ  ભારી   છે ,  તો આજે અણમોલ માટીમાંથી બનેલ માટીનુ પૂતળુ 

 મનુષ્ય , માનવ બનીને   માનવ ધર્મ   નિભાવે તો દુનિયામાં સુખ-શાંતિ બની રહે .

3 Comments »

બન્યુ તે જ ન્યાય .

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.

એક  ક્ષણ  પણ  આ  કુદરત જે  છે તે  અન્યાયને પામી  નથી .

કુદરતના  ન્યાયને જો સમજે ,”  બન્યુ  તે ન્યાય ”

તો તમે  આ જગતમાંથી  છૂટા  થઈ  શકશો .

નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો

કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .

કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .

 જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને

જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .

જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..

એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .

આ જગતમાં ન્યાય ખોળશો નહી …..

જગતમાં ન્યાય ખોળવાથી તો આખા

જગતની લડાઈઓ ઉભી થઈ છે …..

જે   બનુ   છે   એ   જ   ન્યાય   છે …..

ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .

ન્યાય – અન્યાયનુ  ફળ એ તો   હિસાબથી આવે છે .

( શ્રી દાદા ભગવાન ).

3 Comments »

પરિવારમાં દિકરી પ્રત્યે વલણ .

  આપણે ઘણી બધી પ્રગતી કરી છે છતાં પણ દિકરી માટે

આજે પણ ઓરમાયુ વર્તન મોટે ભાગે ઘણી જગ્યાએ જોવામાં

આવે છે . જ્યારે પરિવારમાં નાના નવા મહેમાનનુ આગમન

થવાનુ હોય ત્યારે આશા એક્જ હોય પુત્રનુ આગમન થાય .

         છતાં આજે પણ ઘણા પરિવાર દિકરિ જન્મે તો તેનુ હસિ ખુશીથી સ્વાગત કરે છે .અને તેમને દિકરી

કે દિકરો કોઈ ફરક નથી . પુત્ર કે પુત્રી એકજ સમાન છે .આતો થોડા ત્રીસ ચાલીસ ટકા  લોકોમાં આ વિચાર

ધારા છે. બીજા લોકોનુ શુ જે દિકરીને પરિવારમાં સ્વિકારવા તૈયાર નથી અને આવી પણ ગઈ તો તેના માટે

ઓરમાયુ વર્તન . નાનપણથીજ છોકરીયો માટે છોકરાઓ કરતાં અલગ કાયદા કાનુન .મોટા શહેર કે પરદેસ

ની વાત અલગ છે ,કે જ્યાં છોકરીયોને બધી છુટ હોય છે . વધારે પડતા બંધનોને લીધે છોકરીઓનો વિકાસ

પણ રૂધાઈ જાય છે .છોકરીને પણ મનમાં  ઘણી બધી ઈચ્છાઓ , આશાઓ ,તમન્નાઓ,ધગશ હોય પરંતુ

બંધનોને લીધે બધુજ દબાઈ જાય છે , દબાવી દેવુ પડે છે .દિકરી માટે મોટે ભાગે લોકો બોલતા હોય છે

દિકરી તો સાપનો ભારો , દિકરી તો પારકી થાપણ . પરંતુ કેટલા લોકો બોલે છે દિકરી તો તુલસીનો ક્યારો

દિકરી તો દીપક છે. જે મારા ઘરમાં અજવાળુ પાથરે છે અને પરણીને પતિને ઘરે જશે એટલે પતિના ઘરમાં

અજવાળા પાથરશે . મારા પરિવારની અને કુળની લાજ રાખશે .ખરેખર તો એક દિકરી બે કુળને તારે છે

 પતિના ઘરના દરેક વ્યક્તિને પ્રેમથી પોતાના કરીને, ઘરની માન મર્યાદાની કાળજી રાખે છે .છતાં પણ

જ્યારે દિકરી સાસરેથી પિતાને ઘરે  જાય ત્યારે કહેવામાં આવે પિતાને ઘરે આવી , પાછી જાય ત્યારે કહેવાય

પતિને ઘરે પાછી ગઈ .ઘડપણમાં દિકરા સાથે રહેતી હોય તો દિકરાનુ ઘર .તો  પછી  સ્ત્રીનુ કોઈ ઘર નહી ?

તો એક સ્ત્રીને પોતાને કોઈ પહેચાન નહી ? પોતાની કોઈ અલગ ઓળખાણ નહી ? એક સ્ત્રી જ્યારે પોતાનુ

સર્વસ્વ પરિવાર માટે અર્પણ કરી દે છતાં પણ પોતાનુ અલગ કોઈ અસ્તિત્વ નહી .

      પિતાને ઘરે હોય ત્યારે માતા-પિતા કહે તે પ્રમાણે વર્તવાનુ . પોતાની કોઈ મરજી ન ચાલે .

માતા-પિતાને આધીન રહેવુ પડે .પરણીને સાસરે આવે એટલે પ્રથમ તો સાસુ-સસરાને આધીન ત્યાર  બાદ

પતિને આધીન , પતિ જેમ  કહે તેમ ચાલવાનુ , ઘડપણ આવ્યુ દિકરા સાથે રહેવાનુ છે , દિકરા અને વહુને

આધીન રહેવાનુ . પોતાની કોઈ મરજી નહી ? પોતાની મરજી પ્રમાણે જીવન ક્યારે જીવવાનુ ? એક સ્ત્રીને

પોતાને મરજી મુજબ , પોતાની ઈચ્છા મુજબ , પોતાના પ્રમાણે ક્યારે જીવવાનુ ? આ સવાલ તો લગભગ

સીત્તેરથી એશી ટકા સ્ત્રીયો પાસે છે ? એનો કોઈ જવાબ નહી ? જ્યારે એક દિકરી અને દિકરા વચ્ચેનો ભેદ

ઓછો થશે જ્યારે બંન્ને  વચ્ચે સમાનતા આવશે ત્યારેજ તેનો જવાબ મળશે .માતા-પિતા કે સાસુ-સસરા

કે પતિ, એક દિકરીની , એક સ્ત્રીની  ,એક નારીની વ્યથા સમજી શકે છે ?  સમજવાની કોશીશ કે પ્રયત્ન

પણ ક્યારેય કરે છે ? એક દિકરો પોતાનો અલગ પરિવાર લઈને બેઠો છે તે પોતાની માતાની વ્યથા

સમજવાની ક્યારેય કોશીશ પણ કરશે ?

આટલા બધા ભેદભાવ હોવા છતાં દિકરી , બહેન બનીને , બેટી બનીને , પત્નિ બનીને , વહુ બનીને ,

એક મા બનીને એક દાદી બનીને પોતાનો ધર્મ બરાબર નીભાવે છે . પરિવારમાં દરેકને ભરપુર પ્રેમ આપે

છે . દિકરી , બહેન , પત્નિ , વહુ ,માતા , દાદી ,નાની બની ને બસ બધાને પ્રેમ , મમતા ,વાસ્ત્યલ્ય અર્પણ

કરે છે . વિના કોઈ અપેક્ષા .સ્ત્રી ખરેખર એક મમતાની દેવી છે .અને ખાસ કરીને પોતાના બાળકોને તો

નિસ્વાર્થ પ્રેમ કરતી હોય છે .આ પ્રેમની મુર્તિને કોણ સમજી શક્શે ?

નારી ઉધ્ધારની વાતો તો ઘણી થાય છે ,   છતાં પણ જે માનસીક વિચાર ધારા છે તે બદલવાની જરૂર છે .

અને હિન્દુ સાસ્ત્રો પ્રમાણે , સદીયોથી જે નિતિ નિયમો બનાવ્યા છે , તે આધુનીક સમય અને સ્થળ પ્રમાણે

બદલવાની જરૂર છે . આજે તો એક સ્ત્રી પુરુષ સાથે દરેક ક્ષેત્રમાં ક્દમ અને ખભાથી ખભો  મિલાવીને ચાલે છે

આજની નારી સાચુ શુ ? ખોટુ શુ ? તેનાથી વાકેફ છે .આજની નારી જાગૃત છે , શિક્ષિત છે . છતાં પણ કેમ

દિકરા દિકરી વચ્ચે ભેદભાવ ?  દિકરી માટે કેમ ઓરમાયુ વર્તન  ?

2 Comments »

સિધ્ધાંતો .

( એક લેખકને બોલતા સાંભળ્યા, ગાંધીજી સાથે આખો ભારત દેશ

સાથે હતો, લોકોનુ પરિબળ હતુ, એટલે આપણને આઝાદી અપાવી શક્યા. )

કેટલુ ભુલ ભરેલુ વિચારવાનુ છે. નાના બાળક્થી માંડીને મોટા બધાજ ગાંધીજીના જીવન

ચરિત્રથી વાકેફ છે. ગાંધીજી સાથે આખો દેશ હતો સાચી વાત છે, પરંતુ કેમ દેશ તેમની સાથે હતો ?

એતો આપણે વિચારવુ જોઈએ . આપણી પાસે કોઈ મુદ્દો હોય અને કોઈની સામે રાખવાનો હોય તો

જો પચીસ માણસો ભેગા કરવા હોય તો આપણે કરી શકીએ ? નહી કરી શકીયે અરે ઘરમાં પાંચ માણસ

હશે અને પાંચને ભેગા કરવા હશે તો નહી કરી શકાય કેમકે આપણામાં એટલી ક્ષમતા નથી. આપણે

બોલીએ શુ અને કરીએ શુ .જ્યારે ગાધીજી જે વસ્તુ પોતે બોલે તે પહેલા પોતાના આચરણમાં મુકતા

હતા. તેના માટે આપણે જાણીએ છીયે , એક વખત એક બેન તેના દિકરાને લઈને ગાંધીજી પાસે આવે

છે અને કહે છે બાપૂ મારો છોકરો ગોળ બહુ ખાય છે તેને સમજાવો ત્યારે બાપૂએ કહ્યુ એક અઠવાડિયા

પછી તમારા દિકરાને લઈને આવજો પછી સમજાવીશ. અને અઠવાડીયા પછી પેલા બેન તેના છોકરાને

લઈને ગાંધીજી પાસે આવે છે અને ગાંધીજી તેને ગોળ નહી ખાવા માટે સમજાવે છે ત્યારે બેન ગાંધીજીને

પૂછે છે આ વાત તમે તેને અઠવાડીયા પહેલા સમજાવી હોત તો ? ત્યારે બાપૂ બોલે  છે હુ પોતે ગોળ ખાતો

હતો અને હુ કેવી રીતે આ બાળકને ગોળ ન ખાવા માટે શીખામણ આપી શકુ ? એક અઠવાડિયામાં બાપૂએ

ગોળ છોડી દીધો અને પછીજ શીખામણ આપી છે .આ કામ સામાન્ય વ્યક્તિ માટે કરવુ ક્ઠીન છે .ગાંધીજીનુ

 વ્યક્તિત્વ અનોખુ અને અજોડ હતુ .

 સ્વતંત્રતાની લડતમાં તેમની સાથે સત્ય અને અહિન્સાનુ પરિબળ હતુ, તેમની સાથે તેમના સિધ્ધાંતો

અને સત્ય -અહિન્સાનુ સૈન્ય તેમની સાથે હતુ . સૌરાષ્ટ્રના પહેરવેશમાં કેટલુ બધુ કપડુ વપરાય એટલે

પોતાનો પહેરવેશ છોડીને ખાલી એક પોતડી અપનાવી, ઠંડી હોય અથવા ગરમી તેમણે તેમનો પહેરવેશ

નાની પોતડી છોડી નથી , કેમકે પોતાનો દેશ ગરીબ છે લોકોને પુરતુ ખાવાનુ અને પહેરવા કપડા નથી.

અત્યારે તો રાજકારણી નેતાઓ પણ મોટા ભાષણો આપે, મોટા વચનો આપે ચુટાઈને આવ્યા પછી કેટલા

નિભાવે છે ? વ્યાસ પીઠ પર બેસીને પ્રવચનો આપવા વાળા સાચેજ પોતાના જીવનમાં, કેટલુ ઉતારેલુ

હોય છે ? જ્યારે ગાંધીજીએ  પોતાની ઉપર પ્રયોગો કર્યા છે અને પછીથીજ લોકોની સમક્ષ મુક્યા છે .

સત્યની રાહ પર ચાલ્યા છે. સાદગી, ઉચ્ચ કોટીનુ જીવન, સિધ્ધાંતો આ બધી વસ્તુઓ તો હતી તેમની

પાસે, ત્યારે તો આખો દેશ તેમની સાથે હતો , લોકો તેમનુ જીવન ચરિત્ર જાણતા હતા,તેમને ગાંધીજીમાં

વિશ્વાસ હતો ત્યારે તો લોકોએ સાથ આપ્યો, અને આખો દેશ એક થયો . પોતે પોતાની કમજોરીઓ

પોતાની નાનામાં નાની ભુલ પણ લોકોની સામે વિના સંકોચે મુકી છે. સત્યના પ્રયોગોમાં દરેક વસ્તુ

તેમણે જગ જાહેર કરી છે. આપણે આપણા અવગુણો કોઈને બતાવીશુ ? તેના માટે હિમ્મત જોઈએ. આ

હિમ્મત ગાંધીજીએ બતાવી છે . પૂરા રાષ્ટ્રના પિતા બન્યા, રાષ્ટ્રપિતાનો ખિતાબ મળ્યો અને એ ધર્મ

તેમણે બરાબર નિભાવ્યો .તેમને દેશ માટે પ્રેમ હતો ,આટલા મોટા દેશ પ્રેમી બીજે ક્યાંય જોવા નહી મળે.

            ગાંધીજીનુ જીવન એક ખુલ્લી કિતાબ જેવુ છે કે જેને કોઈ પણ સમજી શકે શકે . સદીના મહા નાયક

તેમના પહેલા કોઈ આવ્યા નથી અને તેમના જેવુ કોઈ આવશે પણ નહી . એક સદીમાં એક્જ અજોડ વ્યક્તિ

આવે .ગાંધીબાપૂ ઈતિહાસમાં અમર થઈ ગયા . ભારત દેશ તેમને માન સન્માનથી જોએ છે ,પરંતુ પુરી

દુનિયા તેમને માન સન્માન આપે છે .તેમના માટે જેટલુ લખીએ તેટલુ ઓછુ છે , મોટા પુસ્તકોના પુસ્તકો

લખાય .અશક્ય વસ્તુ શક્ય કરી બતાવી હતી . ભારતની પ્રજા તેમને સદીયો સુધી યાદ કરશે. એક આઝાદ

દેશ ની મોટી ભેટ આપણને આપીને ગયા . ખરેખર એક પિતા જ તેમના બાળકોને આટલી મોટી ભેટ આપી શકે !!!

3 Comments »

સ્મૃતિ.

 

મનુષ્ય જીવન તરફ ધ્યાનથી નજર કરીશુ તો ઘણી બધી વસ્તુઓ, જેને આપણે તે વસ્તુ

મહત્વની નથી એમ સમજીને આપણે હમેશાં નજર અંદાજ કરીએ છીએ. પરંતુ તે જ નાની

વસ્તુઓ, નાની વાતો, બહુજ મહત્વની છે જે જાણવા માટે ક્યારેય પ્રયત્ન નથી કરતા. અને

એ નાની નાની વસ્તુઓમાં પણ તત્વજ્ઞાન સમાએલુ છે .

બાળકનો જન્મ થાય તે પહેલાં નવ માસ બાળક માતાના ગર્ભમાં રહે છે. જ્યારે બાળકનો જન્મ

થાય છે ત્યારે બાળકને માતાના ગર્ભમાં જે સમય વિતાવ્યો છે તે સમય તેને બિલકુલ યાદ

હોતો નથી. ધીમે ધીમે બાળક મોટુ થાય તેમ તેના શરીર અને તેના મગજનો વિકાસ થાય.

બાળક જ્યારે એકદમ પુક્તવયનુ થાય ત્યારે તેને અઢીથી પાંચ વર્ષનો જે સમય છે તે થોડો

થોડો યાદ હોય. આ રીતે પાંચથી દશ વર્ષનો સમય થોડો વધારે યાદ હોય . અને દશ વર્ષ

પછીના કદાચ જીવનના બધાજ પ્રસંગો યાદ હોય . મોટા થયા પછી પાંચ વર્ષ પહેલાનો

સમય ક્દાચ બિલકુલ ભુલી જવાય, પરંતુ જો યાદ શક્તિ તિવ્ર હોય તો અઢીથી પાંચ વર્ષના

સમયના અમુક પ્રસંગો યાદ હોય .

હવે વિચાર એ આવે કે જો આપણને માતાના ગર્ભમાં નવ માસનો સમય જો દરેકને અગર

યાદ રહેતો હોત તો આ જીવન પ્રત્યે કેટલી નફરત  થાય . ગંદકીમાં કેદ કર્યા હોય, નવ માસ

બહારની દુનિયા જોઈ શકાય નહી , જન્મ લેતા પહેલાજ આપણે કેદમાં રહીને આવીએ છીએ .

ખરેખર તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ  કે જેણે આપણા શરીરની રચના એવી રીતે

કરી છે જે વસ્તુ આપણે યાદ નથી રાખવાની, જેની કોઈ જરૂર નથી તેની સ્મૃતિ રહે એટલા

ક્ષમ્ય આપણને બનાવ્યા નથી .નહીતો ક્યારેય ફરીથી જન્મ લેવાનુ કોઈને પણ મન ન થાય.

આપણે તો મનુષ્ય, પતિ-પત્નિ સાત જનમના બંધનમાં રહેવા માગીએ છીએ .કોઈ પણ જીવન

હોય, પશુ-પક્ષી કે પછી મનુષ્ય, ગર્ભનો કારાવાસ યાદ રહે તો વૈરાગ્ય આવી જાય .અનેક જાતના

કર્મો કર્યા હોય તેમાં સ્વભાવીક છે દરેકના જીવનમાં પુણ્ય કર્મો કરતાં પાપ કર્મો વધારે હોય .તેની

સજા બીજા જન્મમાં તો ભોગવવાની છે .પરંતુ આપણે પાપ કર્મો ભોગવીએ તે પહેલાં ભગવાન

આપણને નવમાસની કારાવાસ જેલ યાત્રા કરાવે છે અને પછીથી ધરતી પર મોકલે છે .

                    મૃત્યુ થાય અને બીજો જન્મ લઈએ તે વચ્ચેનો ગાળો જે છે,તે દરેક વસ્તુ

માણસ ભુલી જાય છે. દરેક માણસને આગલા જન્મની કોઈ પણ સ્મૃતિ હોતી નથી. તેનુ

મગજ કોળા કાગળ જેવુ હોય છે .આપણા ઉપર ભગવાનની બહુ મોટી મહેરબાની છે

તેનો ઉપકાર માનવો જોઈએ કે જેણે દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને આપણા શરીરની

આપણા મગજની રચના કરી છે. અગર જો દરેક વ્યક્તિને આગલા જન્મની બધી વસ્તુ

યાદ હોય તો ધરતી પર કેટલુ તાંડવ મચી જાય .બધાજ એક બીજાનો બદલો લેવામાં

આતુર બને , વેર ઝેર વધતા જાય અને તેનો કોઈ ક્યારેય અંત ન આવે ભગવાન

દયાળુ છે જેણે વિશ્વ શાન્તિ માટે , એક બીજા માટે પ્રેમ ભાવ વધે એટલા માટે આપણા

શરીરની ખાસ રચના કરી . અને પ્રભુ આપણી પાસે શાન્તિ અને પ્રેમની અપેક્ષા રાખે છે .

4 Comments »

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.